Disclaimer : This blog is not for any commercial purposes. * * * * * * ************************************ અમારા બ્લોગ પર મુકેલી દરેક રચના / કૃતિ -લેખ નાં સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચના / કૃત્તિ - લેખ ને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ ફક્ત વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચના/ કૃત્તિ - લેખનો નો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચના / લેખ - કૃત્તિઓ અહીં પોસ્ટ કરવામાં આવેલ છે, જેને લીધે જો કોઇ વ્યક્તિ કે સંસ્થાના અધિકારોનો ભંગ થયેલો તેમને / કોઇને પણ લાગે તો અમને જાણ કરવા વિનંતી, તે રચના / કૃત્તિ - લેખ ની પોસ્ટ સત્વરે બ્લોગ પરથી દૂર કરી આપવામાં આવશે. બ્લોગ પર મુકેલ તસ્વીરો નેટ / વેબ જગત પરથી ઉપલબ્ધ કરેલ છે, જે માટે અમો વેબ જગતના આભારી છીએ. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin

Wednesday, May 11, 2011

દાહ–બળતરા મટાડો

દાહ–બળતરા મટાડો


મમરા અને ખડી સાકરનો ઉકાળો પીવાથી બળતરા મટે છે.
દ્રાક્ષ અને ખડી સાકર ભેગી કરી સવારે ખાવાથી બળતરા મટે છે.
ધાણા અને સાકર પાણીમાં લેવાથી બળતરા મટે છે.
ધાણા અને જીરું એક ચમચી લઈ, અધકચરું ખાંડી રાત્રે પાણીમાં પલાળી, સવારે મસળી, ગાળી, તેમાં સાકર નાખી પીવાથી પેટની તથા હાથ – પગની બળતરા મટે છે.
ધાણાજીરાનું ચૂર્ણ ખાંડ સાથે લેવાથી એસીડીટીને લીધે જમ્‍યા પછી છાતીમાં થતી બળતરા મટે છે.
તાંદળજાનો રસ સાકર નાખી પીવાથી હાથ-પગની બળતરા તથા પેશાબની બળતરા મટે છે.
એલચીને આમળાંના ચૂર્ણ સાથે લેવાથી શરીરની બળતરા, પગનાં તળિયાની બળતરા મટે છે.
એક ગ્‍લાસ પાણીમાં એક લીંબુનો રસ નાખી, તેમાં થોડી સાકર મેળવીને પીવાથી પિત્તનો દાહ મટે છે.
સવારના પહોરમાં બે તોલા મધ ઠંડા પાણીમાં પીવાથી દાહ, બળતરા, ખંજવાળ મટે છે.

No comments:

Post a Comment