Disclaimer : This blog is not for any commercial purposes. * * * * * * ************************************ અમારા બ્લોગ પર મુકેલી દરેક રચના / કૃતિ -લેખ નાં સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચના / કૃત્તિ - લેખ ને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ ફક્ત વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચના/ કૃત્તિ - લેખનો નો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચના / લેખ - કૃત્તિઓ અહીં પોસ્ટ કરવામાં આવેલ છે, જેને લીધે જો કોઇ વ્યક્તિ કે સંસ્થાના અધિકારોનો ભંગ થયેલો તેમને / કોઇને પણ લાગે તો અમને જાણ કરવા વિનંતી, તે રચના / કૃત્તિ - લેખ ની પોસ્ટ સત્વરે બ્લોગ પરથી દૂર કરી આપવામાં આવશે. બ્લોગ પર મુકેલ તસ્વીરો નેટ / વેબ જગત પરથી ઉપલબ્ધ કરેલ છે, જે માટે અમો વેબ જગતના આભારી છીએ. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin

Wednesday, May 11, 2011

73 - પોષણ આપનાર અન્ય શાકભાજી

73 - પોષણ આપનાર અન્ય શાકભાજી
પરવળ પથ્ય અને શાકમાં ઉત્તમ ગણાય છે. તેનું શાક રોજ ખાવામાં વાંધો નહિ. પરવળ સ્વાદે મીઠા, તાસીરે ગરમ, પચવામાં હલકાં, સહેજ ચીકાશવાળાં, અગ્નિદીપક, આહાર-પાચક, મળશોધક, ત્રિદોષહર છે. તાવ, કૃમિ, હ્રદયરોગ, પાંડુ, ઉધરસ, શ્વાસ વગેરેમાં સારા છે. તે માંદી વ્યક્તિને આપી શકાય. તે શરીરને પોષણ આપે છે.
ગલકાં ચોમાસુ શાક છે. તેના ભજિયાં ખૂબ રોચક છે. ગલકાં સ્વાદમાં મીઠા, તાસીરે ઠંડા, ગુણમાં ચીકણા, સારક, વાત-કફકર અને પિત્તશામક છે. તે તાવના રોગીને માટે ખૂબ પથ્ય છે. તે ઉધરસ, શ્વાસ, કૃમિ, ઉદરરોગ વગેરેમાં આપી શકાય. બાળકને છાતીમાં દુઃખતું હોય તો ગલકાંને શેકી, તેનો રસ કાઢી અડધી ચમચી પાવો.
તૂરિયાં પણ ચોમાસુ શાક છે. તે સ્વાદે મીઠા, તાસીરે ઠંડા, પચવામાં ભારે, અગ્નિદીપક, ચીકણા, ઝાડા રોકનાર, વાત-કફકર અને પિત્તનાશક છે. તે રોચક, બલવર્ધક, વીર્યવર્ધક અને પથ્ય છે. તે ઉધરસ, શ્વાસ, તાવ, કૃમિ, ગોળો, ઉદરરોગ, કબજિયાત, કફ રોગ અને પિત્તના રોગમાં સારા છે.
કાકડી કાચી સારી. તે સ્વાદે મીઠી, સહેજ તૂરી, સ્વભાવે ઠંડી, ગુણમાં પચવામાં ભારે, લૂખી, અગ્નિદીપક, મળને બાંધનાર, વાત-કફકર અને પિત્તનાશક છે. પથરી, પેશાબના રોગો અને પ્રદર રોગમાં કાકડીના બી ખાવા જોઈએ. દારૂનો નશો ઉતારવા કાકડી ખાવી સારી.
ભીંડા તો ભાદરવાના. તે સ્વાદે મીઠા અને તૂરા, તાસીરે ગરમ, ગુણમાં ચીકણા, પચવામાં ભારે, ઝાડાને બાંધનાર, વાત-કફકર અને પિત્તનાશક છે. તે રોચક, બળવર્ધક, વીર્યવર્ધક, પોષક, વાજીકર છે. કૂણાં ભીંડા ખાવા સારા. વાતરોગી, મંદાગ્નિવાળા, શરદી-સળેખમ, ઉધરસવાળા રોગી માટે ભીંડા અપથ્ય છે.
ગુવારનું શાક અને ઢોકળી ઘણાં સ્વાદિષ્‍ટ બને છે. તે સ્વાદે મીઠી, સ્વભાવે ઠંડી, ગુણમાં લૂખી, પચવામાં ભારે, મળ સાફ લાવનાર, વાત-કફકર, પિત્તશામક અને પૌષ્ટિક છે. સગર્ભા અને પ્રસૂતા સ્ત્રીઓ માટે ગુવાર અપથ્ય છે. ગુવારના પાનની ભાજી ખાવાથી રતાંઘળાપણું મટે છે. દાદર ઉપર ગુવારનાં પાનના રસમાં લસણ લસોટી લેપ કરવો.
કોબી સ્વાદે મીઠી, તાસીરે ઠંડી, ગુણમાં લૂખી, પચવામાં હલકી, ઝાડાને રોકનાર, દીપન-પાચન, વાતકર, કફ-પિત્તનાશક, હ્રદયરોગીને સારી, રોચક છે. ગાઉટ, આમવાત, વાના સોજામાં કોબીના પાન બાફીને બાંધવા. બહારના મસા ઉપર કોબીનો રસ ઘસવો. પેશાબ અને પથરીના રોગમાં કોબીના બીનો ઉકાળો પીવો.
ફલાવર : કોબીના બધા જ ગુણો ધરાવે છે.
ટીંડોરા મીઠા, ઠંડા, ચીકણા, ભારે, મળરોધક, વાત-કફકર, પિત્તનાશક, આફરો કરનાર, અપથ્ય છે. પેશાબની ચીકાશ દૂર કરવા ટીંડોરા-ઘીલોડાનું શાક સારું છે.
શક્કરિયાં કંદમૂળ હોઈ ફરાળમાં ઉપયોગી છે. તે મીઠા, ઠંડા, ભારે, રોચક, પોષક અને શક્તિપ્રદ છે.
રતાળુ પણ કંદમૂળ હોઈ ફરાળી છે. તેના ભજિયાં અને શીરો ખૂબ રોચક અને પૌષ્ટિક છે. તે મીઠા, ગરમ, ભારે અને પોષક છે.

No comments:

Post a Comment