Disclaimer : This blog is not for any commercial purposes. * * * * * * ************************************ અમારા બ્લોગ પર મુકેલી દરેક રચના / કૃતિ -લેખ નાં સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચના / કૃત્તિ - લેખ ને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ ફક્ત વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચના/ કૃત્તિ - લેખનો નો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચના / લેખ - કૃત્તિઓ અહીં પોસ્ટ કરવામાં આવેલ છે, જેને લીધે જો કોઇ વ્યક્તિ કે સંસ્થાના અધિકારોનો ભંગ થયેલો તેમને / કોઇને પણ લાગે તો અમને જાણ કરવા વિનંતી, તે રચના / કૃત્તિ - લેખ ની પોસ્ટ સત્વરે બ્લોગ પરથી દૂર કરી આપવામાં આવશે. બ્લોગ પર મુકેલ તસ્વીરો નેટ / વેબ જગત પરથી ઉપલબ્ધ કરેલ છે, જે માટે અમો વેબ જગતના આભારી છીએ. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin

Wednesday, May 11, 2011

જાંબુનાં ઔષધીય ગુણો

જાંબુનાં ઔષધીય ગુણો


* જાંબુ સૂકવી બારીક ખાંડી દરરોજ બે તોલા ખાવાથી અથવા ૧૫ દિવસ જાંબુ ખાવાથી મધુપ્રમેહ (ડાયાબિટીસ)માં ફાયદો થાય છે
* ઉનાળાના તાપ પછી વર્ષાઋતુનાં અમીછાંટણાંથી પાકતાં જાંબુને વર્ષાઋતુના અમૃતફળ તરીકે ઓળખવામાં આવે છે. નદીકિનારાવાળી રસાળ જમીનમાં થતું આ ફળ ભારતમાં સર્વત્ર જોવા મળે છે.
* વૈદિક દૃષ્ટિએ જાંબુ મધુર, રુચિકર, ગુરુ સ્તંભક, દોષનાશક અને સ્વાદુ મનાય છે. વૈજ્ઞાનિક મત પ્રમાણે જાંબુમાં લોહ, ફોસ્ફરસ અને ચૂનો વિપુલ પ્રમાણમાં હોય છે. ઉપરાંત ફોલ્સીન અને ફોલિક એસિડ પણ હોય છે. જાંબુના ઠળિયામાં ગ્લુકોસાઈડ, જમ્બોલીન, ફેનોલયુકત દ્રવ્ય શરીરને ઉપયોગી સુંગદિત દ્રવ્ય સારા પ્રમાણમાં હોય છે.
* જાંબુ ગમે તેટલા ખાવામાં આવે તો કોઈ વિકૃતિ થતી નથી છતાં એવું મનાય છે કે જાંબુ ભૂખ્યાપેટે બિલકુલ ખાવા જોઈએ નહીં. જાંબુ વાત દોષ કરનાર હોવાથી વાયુપ્રકૃતિએ તથા વાત રોગથી પીડાતાઓએ ખાવા જોઈએ નહીં.
* જાંબુડીની છાલ અથવા જાંબુ સૂકવી બારીક ખાંડી દરરોજ બે તોલા ખાવાથી અથવા ૧૫ દિવસ જાંબુ ખાવાથી મધુપ્રમેહ (ડાયાબિટીસ)માં ફાયદો થાય છે. જાંબુના અંદરના બી ઘસી ચોપડવાથી ગરમીથી થતી અળાઈઓ મટી જાય છે. જાંબુનાં પાંદડાનો રસ ચોપડવાથી વીંછીના દંશ ઉપર ફાયદો થાય છે, જાંબુડીની છાલનો રસ દૂધમાં મેળવી પીવાથી લટી કે પિત્તવિકાર દૂર થાય છે. તેની ઉપર ઘી અને ભાત આપવાથી ઊલટી બંધ થઈ જાય છે. પેટમાં વાળ કે લોઢાનો અંશ કે અયોગ્ય વસ્તુ ગઈ હોય તો જાંબુ ખાવા. નાનાં બાળકોને ઝાડા થતા હોય તો છાલનો તાજો રસ બકરીના દૂધમાં મેળવીને આપવાથી ઊલટી બંધ થાય છે.
* જાંબુનાં ઠળિયા બસો ગ્રામ, લીમડાની ગળો પચાસ ગ્રામ, હળદર, ૫૦ ગ્રામ ખાંડી વસ્ટાગાળ ચૂર્ણ કરવું તેને જાંબુના રસમાં ઘૂંટી સૂકવી કાચની બાટલીમાં ભરવું. રોજ સવાર-સાંજ પા અથવા અડધો તોલો નિયમિત લાંબો સમય લેવાથી મધુપ્રમેહ (ડાયાબિટીસ)માં ચોક્કસ ફાયદો થાય છે. જાંબુના ઠળિયા તથા કેરીની ગોટલીનું સમભાગ ચૂર્ણ છાશ સાથે એક એક ચમચી દિવસમાં ત્રણવાર લેવાથી પેટથી ચૂંક તથી જૂનો મરડો મટે છે.
* યુવાનીમાં થતા મોં ઉપરના ખીલ પર જાંબુનો ઠળિયો ઘસીને ચોપડવાથી ફાયદો થાય છે. જાંબુડીની છાલના કવાથના કોગળા કરવાથી ગળાના સોજા અને ગળાની તકલીફોમાં ફાયદો થાય છે.

No comments:

Post a Comment