Disclaimer : This blog is not for any commercial purposes. * * * * * * ************************************ અમારા બ્લોગ પર મુકેલી દરેક રચના / કૃતિ -લેખ નાં સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચના / કૃત્તિ - લેખ ને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ ફક્ત વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચના/ કૃત્તિ - લેખનો નો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચના / લેખ - કૃત્તિઓ અહીં પોસ્ટ કરવામાં આવેલ છે, જેને લીધે જો કોઇ વ્યક્તિ કે સંસ્થાના અધિકારોનો ભંગ થયેલો તેમને / કોઇને પણ લાગે તો અમને જાણ કરવા વિનંતી, તે રચના / કૃત્તિ - લેખ ની પોસ્ટ સત્વરે બ્લોગ પરથી દૂર કરી આપવામાં આવશે. બ્લોગ પર મુકેલ તસ્વીરો નેટ / વેબ જગત પરથી ઉપલબ્ધ કરેલ છે, જે માટે અમો વેબ જગતના આભારી છીએ. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin

Wednesday, May 11, 2011

ઉનાળાનું અમૃત ફળ કાચી કેરી

ઉનાળાનું અમૃત ફળ કાચી કેરી

કેરીની ઘણી બધી જાતો છે. ઉનાળાનું એ અમૃત ફળ છે. કાચી અને પાકી બંને કેરીના ગુણમાં તફાવત હોઈ તેને અલગ અલગ જોઈશું.
કાચી કેરી સ્વાદે તૂરી અને ખાટી છે. તાસીરે તે ગરમ છે. પચવામાં ભારે અને ગુણમાં લૂખી છે. તે મળને રોકે છે અને ત્રણેય દોષને શાંત કરતી નથી, પરંતુ થોડો પ્રકોપાવે છે. તેનું વધુ સેવન કરવાથી લોહી બગાડ થાય છે. આ નાની કાચી કેરી કે જેને મરવા કહેવામાં આવે છે તેના ગુણો છે. જાળી પડેલી કાચી કેરી નુકશાન કરતી નથી.
કાચી કેરી અને ડુંગળીની કચુંબર સીઝનમાં રોજ ખાવી જોઈએ. તેનાથી લૂ લાગતી નથી, ખોરાક પચે છે અને ગરમી સામે રક્ષણ મળે છે. ?
કાચી કેરીનું શરબત કે બાફલો શરીરના જલીય તત્વને સપ્રમાણ રાખે છે. ઉનાળામાં પરસેવામાં જલીય તત્વ ઘટી ન જાય તેની તકેદારી રાખે છે.
કાચી કેરીની ખટાશ દૂર કવા તેમાં મીઠું અને ગોળ ભેળવી શકાય.
ઉનાળાની સીઝનમાં કાચી કેરીની વાનગીઓ ખાવાથી શરીરની ખૂટતી શક્તિ અને પોષણની પૂર્તિ થાય છે.
કાચી કેરીનાં અથાણાં, મુરબ્બો, આંબોળિયા વગેરે બનાવી બારે માસ ખાઈ શકાય છે.

No comments:

Post a Comment