Disclaimer : This blog is not for any commercial purposes. * * * * * * ************************************ અમારા બ્લોગ પર મુકેલી દરેક રચના / કૃતિ -લેખ નાં સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચના / કૃત્તિ - લેખ ને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ ફક્ત વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચના/ કૃત્તિ - લેખનો નો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચના / લેખ - કૃત્તિઓ અહીં પોસ્ટ કરવામાં આવેલ છે, જેને લીધે જો કોઇ વ્યક્તિ કે સંસ્થાના અધિકારોનો ભંગ થયેલો તેમને / કોઇને પણ લાગે તો અમને જાણ કરવા વિનંતી, તે રચના / કૃત્તિ - લેખ ની પોસ્ટ સત્વરે બ્લોગ પરથી દૂર કરી આપવામાં આવશે. બ્લોગ પર મુકેલ તસ્વીરો નેટ / વેબ જગત પરથી ઉપલબ્ધ કરેલ છે, જે માટે અમો વેબ જગતના આભારી છીએ. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin

Wednesday, May 11, 2011

બારે માસ મળતું સસ્તું અને સર્વોપયોગી ફળ કેળાં

બારે માસ મળતું સસ્તું અને સર્વોપયોગી ફળ કેળાં


કેળાં બારે માસ મળતું સસ્તું અને સર્વોપયોગી ફળ છે. તેની ઘણી જાતો છે. તેમાં માંસલ ભાગ ખૂબ હોય છે અને છાલ સહેલાઈથી છૂટી કરી શકાય છે. પાકેલાં કેળાં સારાં. તે જેમ વધુ પાકે છે તેમ છાલ પાતળી થતી જાય છે.
કેળાં સ્વાદે મીઠા, સહેજ તૂરા, તાસીરે ઠંડા, પચવામાં ભારે, ચીકણા, ઝાડાને બાંધનાર, પિત્તશામક અને કફકર છે. તે વીર્યવર્ધક, ધાતુવર્ધક, સ્વાદિષ્‍ટ અને પથ્ય છે, રક્તપિત્ત, બળતરા, ક્ષત, ક્ષય, તરસ, આંખના રોગ, પેશાબના રોગ, પથરી, નિર્બળતા, દૂબળાપણું વગેરેમાં સારા છે.
બાળક કે કોઈપણ વ્યક્તિ વીંટી, લખોટી કે કોઈપણ અખાદ્ય ગળી ગયું હોય તો તેને ખોરાક બંધ કરાવી માત્ર કેળાં ઉપર રાખતાં તે ચીજ મળમાં ગંઠાઈ બહાર નીકળી જાય છે. આ માટે મળમાં ધ્યાન રાખવું જોઈએ.
ભસ્મક રોગમાં કેળાં ખૂબ સારા. ઘણા લોકોને ખૂબ ભૂખ લાગી હોય, ખૂબ ખાતા હોવા છતાં શરીર વળતું ન હોય, બધું બળી જતું હોય તેને કેળાં જ ખવડાવવા.
પાકાં કેળાં ઘી-સાકર સાથે લેવાથી ધાતુપુષ્ટિ થાય છે અને વજન વધે છે.
વધુ પડતાં કેળાં ખવાઈ ગયા હોય અને તેનું અજીર્ણ થયું હોય તો એલચી ખાવી. એલચી કેળાનું અજીર્ણ મટાડે છે.

No comments:

Post a Comment