Disclaimer : This blog is not for any commercial purposes. * * * * * * ************************************ અમારા બ્લોગ પર મુકેલી દરેક રચના / કૃતિ -લેખ નાં સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચના / કૃત્તિ - લેખ ને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ ફક્ત વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચના/ કૃત્તિ - લેખનો નો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચના / લેખ - કૃત્તિઓ અહીં પોસ્ટ કરવામાં આવેલ છે, જેને લીધે જો કોઇ વ્યક્તિ કે સંસ્થાના અધિકારોનો ભંગ થયેલો તેમને / કોઇને પણ લાગે તો અમને જાણ કરવા વિનંતી, તે રચના / કૃત્તિ - લેખ ની પોસ્ટ સત્વરે બ્લોગ પરથી દૂર કરી આપવામાં આવશે. બ્લોગ પર મુકેલ તસ્વીરો નેટ / વેબ જગત પરથી ઉપલબ્ધ કરેલ છે, જે માટે અમો વેબ જગતના આભારી છીએ. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin

Wednesday, May 11, 2011

77 - ખૂબ પૌષ્ટિક, બળ આપનાર ચણા

77 - ખૂબ પૌષ્ટિક, બળ આપનાર ચણા
ચણા ખૂબ લૂખા છે, જેથી તે વાયુ કરે છે, પેટમાં ગડબડ કરે છે. તેથી તેની વાનગીઓને તેલમાં તળવાનો રિવાજ છે.
ચણા સ્વાદે મીઠા, સ્વભાવે ઠંડા, ગુણમાં મેદહર, બલપ્રદ, લૂખા, રોચક, ઝાડાને બાંધનાર, કફહર અને પિત્તહર છે. તે વાત પ્રકોપક છે. લોહીનો બગાડ, તાવ, કમળો, ચામડીના રોગ અને મેદરોગમાં લાભકારક છે.
ચણા ખૂબ પૌષ્ટિક છે. ઘોડાને આ જ દ્રષ્ટિએ ચણાની ચંદી ખવડાવાય છે. ચણા કે ચણાની દાળને પલાળી, ખૂબ ચાવીને ખાવી જોઈએ. તેનો પૂરો લાભ મેળવવા બીજું કશું આચર કૂચર ખાવું ન જોઈએ.
કમળાના રોગમાં ચણા દવાનું કામ કરે છે. શેકેલા ચણા, પલાળેલા ચણા કે બાફેલા ચણા કમળાનો રોગી ચાવીને ખાશે તો ઝડપી ફાયદો કરશે.
કફવાળી ઉધરસમાં શેકેલા ચણા સારા. રાત્રે ખૂબ ઉધરસ આવતી હોય તો શેકેલા ચણા ચાવીને ખાવા, ઉપર પાણી પીવું નહિ તો ઉધરસ બેસી જશે.
માથું દુઃખતું હોય તો શેકેલા ચણા ખૂબ ચાવીને ખાવા અને ઉપર પાણી પીવું નહિ. માથું હલકું પડી જશે. દૂધી-ચણાની દાળનું શાક મેદવાળી વ્યક્તિનો મેદ ઓછો કરશે.

No comments:

Post a Comment