Disclaimer : This blog is not for any commercial purposes. * * * * * * ************************************ અમારા બ્લોગ પર મુકેલી દરેક રચના / કૃતિ -લેખ નાં સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચના / કૃત્તિ - લેખ ને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ ફક્ત વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચના/ કૃત્તિ - લેખનો નો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચના / લેખ - કૃત્તિઓ અહીં પોસ્ટ કરવામાં આવેલ છે, જેને લીધે જો કોઇ વ્યક્તિ કે સંસ્થાના અધિકારોનો ભંગ થયેલો તેમને / કોઇને પણ લાગે તો અમને જાણ કરવા વિનંતી, તે રચના / કૃત્તિ - લેખ ની પોસ્ટ સત્વરે બ્લોગ પરથી દૂર કરી આપવામાં આવશે. બ્લોગ પર મુકેલ તસ્વીરો નેટ / વેબ જગત પરથી ઉપલબ્ધ કરેલ છે, જે માટે અમો વેબ જગતના આભારી છીએ. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin

Wednesday, May 11, 2011

શિયાળાનું મીઠું ફળ જામફળ

શિયાળાનું મીઠું ફળ જામફળ

જામફળને જમરૂખ પણ કહે છે. તેનો ગર્ભ ખૂબ પોચો અને મીઠો હોય છે, પરંતુ તેની અંદરના કઠણ બી તેની ખાવાની મઝા બગાડે છે.
જામફળ મીઠા, સહેજ ખાટા અને તૂરા હોય છે. તાસીરે ઠંડા, પચવામાં ભારે, સહેજ ચીકણા, મળને રોકનાર, વાત – પિત્તશામક અને કફવર્ધક છે. તે વીર્યવર્ધક, પોષક, સ્વાદિષ્‍ટ, રોચક અને હિતકર છે. કૃમિ, શોષ, તરસ, દાહ, ભ્રમ, મૂર્છા, તાવ, બુદ્ધિમાંદ્ય વગેરે મટાડે છે.
સૂકા કે લીલાં કાચા જામફળને છીપર ઉપર ઘસી તેનો માથે લેપ કરવાથી ગમે તેવું માથું દુઃખતું હોય કે આધાશીશી હોય તો મટી જાય છે.
બાળકો કે વૃદ્ધોને ગુદા બહાર નીકળી (આમળ) જતી હોય તો જામફળના પાનને વાટી તેની લૂગદી લગાવવી.
જામફળના પાન કે છાલનો ઉકાળો પીવાથી ઝાડા મટે છે. તેના પાનની પોટીસ ગૂમડાં ઉપર બાંધતા તે ફાટી જાય છે.
બુદ્ધિજીવીઓ માટે જામફળ સારા છે. ટાઢિયો તાવ આવતો હોય તેઓ પણ જામફળ ખાઈ શકે. ગાંડપણનો રોગી જામફળ ખાય તો તેને ફાયદો થાય છે. કબજિયાતનો રોગી નિયમિત રીતે જામફળ ખાય તો પેટ સાફ આવે છે. પાનનો રસ ભાંગનો નશો મટાડે છે. પાનની પોટીસ આંખે બાંધવાથી આંખના રોગો મટાડે છે.

No comments:

Post a Comment