Disclaimer : This blog is not for any commercial purposes. * * * * * * ************************************ અમારા બ્લોગ પર મુકેલી દરેક રચના / કૃતિ -લેખ નાં સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચના / કૃત્તિ - લેખ ને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ ફક્ત વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચના/ કૃત્તિ - લેખનો નો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચના / લેખ - કૃત્તિઓ અહીં પોસ્ટ કરવામાં આવેલ છે, જેને લીધે જો કોઇ વ્યક્તિ કે સંસ્થાના અધિકારોનો ભંગ થયેલો તેમને / કોઇને પણ લાગે તો અમને જાણ કરવા વિનંતી, તે રચના / કૃત્તિ - લેખ ની પોસ્ટ સત્વરે બ્લોગ પરથી દૂર કરી આપવામાં આવશે. બ્લોગ પર મુકેલ તસ્વીરો નેટ / વેબ જગત પરથી ઉપલબ્ધ કરેલ છે, જે માટે અમો વેબ જગતના આભારી છીએ. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin

Wednesday, May 11, 2011

68 - પાપડિયો ખારો (સંચોરો)

68 - પાપડિયો ખારો (સંચોરો)
પરિચય :
ખારો દરેક રસોડામાં હોય છે. એ પાપડ બનાવવામાં ખાસ વપરાતો હોઇ ‘પાપડિયા ખારા’ તરીકે જાણીતો છે. ફરસાણ પોચાં અને સારાં થાય તે માટે તેમાં પણ તેનો ઉપયોગ થાય છે. તે ઉપરાંત વટાણા, વાલ, ચણા જેવાં કઠોળ જલદી ચડી જાય તે માટે અલ્‍પ પ્રમાણમાં તેનો ઉપયોગ થાય છે. કેટલીક સ્‍ત્રીઓ પોતાના વાળ ધોવા માટે આનો ખાસ ઉપયોગ કરે છે. માથું ધોતી વખતે આના ઉપયોગથી માથામાંની ચિકાશ જલદી નીકળી જાય છે અને વાળ સ્‍વચ્‍છ થઇ જાય છે.
ગુણધર્મ :
તે તીખો, ભારે, વાયુનાશક અને ઠંડો છે.
ઉપયોગ :
(૧) પેટમાંથી વાયુની તકલીફ ઉપર : અતિ અલ્‍પ પ્રમાણમાં પાણીમાં નાખીને પીવાથી પેટના વાયુનો નાશ થાય છે અને દુખાવો મટી જાય છે.
(ર) બાળકોની સસણી ઉપર : બાજરીના કણ જેટલો ખારો ગોળ અને ધાવણમાં આપવો. આથી ઊલટી થશે અને કફ નીકળી જશે. ત્રણ મહિનાના નાના બાળકને આ ઔષધ આપવું નહિં.
ખાસ સૂચન :
ખારાનો ઉપયોગ વારંવાર કરવો નહિ તેમજ તેનું પ્રમાણ અતિ અલ્‍પ રાખવું. પેટ અને આંતરડાંની તકલીફમાં ખારાનો ઉપયોગ કરવો નહિ.

No comments:

Post a Comment