Disclaimer : This blog is not for any commercial purposes. * * * * * * ************************************ અમારા બ્લોગ પર મુકેલી દરેક રચના / કૃતિ -લેખ નાં સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચના / કૃત્તિ - લેખ ને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ ફક્ત વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચના/ કૃત્તિ - લેખનો નો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચના / લેખ - કૃત્તિઓ અહીં પોસ્ટ કરવામાં આવેલ છે, જેને લીધે જો કોઇ વ્યક્તિ કે સંસ્થાના અધિકારોનો ભંગ થયેલો તેમને / કોઇને પણ લાગે તો અમને જાણ કરવા વિનંતી, તે રચના / કૃત્તિ - લેખ ની પોસ્ટ સત્વરે બ્લોગ પરથી દૂર કરી આપવામાં આવશે. બ્લોગ પર મુકેલ તસ્વીરો નેટ / વેબ જગત પરથી ઉપલબ્ધ કરેલ છે, જે માટે અમો વેબ જગતના આભારી છીએ. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin

Wednesday, May 11, 2011

ગોળ

ગોળ
ગળપણ ઉપરથી ગોળનું નામ પડ્યું એટલે ગોળ ખૂબ ગળ્યો હોય છે. તે એક વર્ષ જૂનો વાપરવો વધુ સારો.
ગોળ ગળ્યો, સહેજ ગરમ, પચવામાં હલકો, ત્રિદોષહર, અગ્નિદીપક, ચીકણો, પથ્ય અને શક્તિપ્રદ છે. આ ઉપરાંત તે�થાક ઉતારનાર, લોહીબગાડ મટાડનાર, લોહી શુદ્ધ કરનાર, કામશક્તિ વધારનાર અને રસાયન છે. તે પાંડુ, પ્રમેહ, ઉધરસ, શ્વાસ, કફના રોગ તથા પેટના કૃમિ મટાડે છે.
ગોળ વિષે એવી માન્યતા છે કે ગોળ ગરમ અને ખાંડ ઠંડી છે. તેવું નથી, હકીકતમાં ખાંડ જ ગરમ છે અને ગોળ બહુ ઓછો ગરમ છે.
ગોળ બાળકો અને વૃદ્ધોને પોષણ આપે છે. તે અગ્નિપ્રદીપક હોઈ પાચનતંત્ર સુધારે છે. પથ્ય હોઈ સૌ કોઈ ખાઈ શકે છે. તે શરીરનું સ્નેહન કરી શરીરને પોષણ અને જરૂરી ગરમી આપે છે.
શારીરિક શ્રમ ઉતારવા ગોળનું પાણી પીવું જોઈએ. તે તરત જ થાક ઉતારી સ્ફર્તિ આપે છે.
શીળસમાં ગોળ સાથે અજમો કે હળદર લઈ શકાય. શરદીમાં ગોળમાં સૂંઠ મેળવી ખાવી જોઈએ. પાંડુરોગ, ચામડીના રોગ, લોહી બગાડના રોગમાં ખાંડ કરતાં ગોળ ખૂબ સારો. સોજામાં, ચાંદાંને ફોડવામાં, ઝામરની ટાઢક કરવા ગોળનો લેપ કરવો. કાંટો પગમાં તૂટી જાય તો ગોળનો પાટો બાંધવો.

No comments:

Post a Comment