Disclaimer : This blog is not for any commercial purposes. * * * * * * ************************************ અમારા બ્લોગ પર મુકેલી દરેક રચના / કૃતિ -લેખ નાં સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચના / કૃત્તિ - લેખ ને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ ફક્ત વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચના/ કૃત્તિ - લેખનો નો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચના / લેખ - કૃત્તિઓ અહીં પોસ્ટ કરવામાં આવેલ છે, જેને લીધે જો કોઇ વ્યક્તિ કે સંસ્થાના અધિકારોનો ભંગ થયેલો તેમને / કોઇને પણ લાગે તો અમને જાણ કરવા વિનંતી, તે રચના / કૃત્તિ - લેખ ની પોસ્ટ સત્વરે બ્લોગ પરથી દૂર કરી આપવામાં આવશે. બ્લોગ પર મુકેલ તસ્વીરો નેટ / વેબ જગત પરથી ઉપલબ્ધ કરેલ છે, જે માટે અમો વેબ જગતના આભારી છીએ. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin

Wednesday, May 11, 2011

સ્વાસ્થ્યની દૃષ્ટિએ સર્વોત્તમ ટામેટાં

સ્વાસ્થ્યની દૃષ્ટિએ સર્વોત્તમ ટામેટાં


સ્વાસ્થ્યની દૃષ્ટિએ જોઇએ તો લીલાં ટામેટાં સર્વોત્તમ ગણાય છે. પાચનશકિત વધારતાં અને પચવામાં સરળ ટામેટાંનાં ઔષધિય ગુણો વિશે જાણકારી મેળવીએ.

ગર્ભવતી�સ્ત્રીઓ ઉપરાંત જેની સુવાવડ થઈ ચૂકી હોય તેવી બહેનોની માનસિક અને શારીરિક શકિત માટે ટામેટાંનો રસ સર્વોત્તમ ઔષધિ ગણાય છે.

ગેસની તકલીફ વારંવાર થતી હોય તેવી વ્યકિતઓને માટે ટામેટાંની કાપેલી ચીરીઓ ખુબ લાભકારી છે. આની સાથે જો સંચળ ભેળવી દેવામાં આવે તો તે રામબાણ દવાની ગરજ સારે છે.

ઉલટીઓ થતી હોય તેવી વ્યકિતઓને આ ઉપચાર કરાવી જુઓ. ટામેટાંના રસની અંદર ખાંડ, એલચીના દાણા, લવીંગ અને મરીનો ભુકો કરી તેને રસમાં ભેળવીને પીવડાવી જુઓ. આનાથી દર્દીને રાહત થશે.

હૃદયરોગથી પીડાતા દર્દીઓને ટામેટાંના રસની સાથે અર્જુન વૃક્ષની છાલ અને ખાંડ ભેળવી તેની ચટણી બનાવીને ખાવાથી લાભ થશે.

પેઢાઓ નબળા પડી ગયા હોય અને તેને કારણે દાંતમાંથી લોહી વહેતું હોય તો એને માટે આ ઇલાજ અજમાવી જુઓ. ટામેટાંનો રસ દિવસમાં કુલ ત્રણ વાર ૫૦-૫૦ મિ.લિ. લેવાથી તાત્કાલિક રાહત અનુભવશો.

ચામડીનો કોઇ પ્રકારનો રોગ થયો હોય તેમણે સવાર-સાંજ નિયમિત ટામેટાંનો રસ પીવાનું રાખવું જોઇએ. તમે જોશો તો થોડા સમય પછી તમારી ચામડીના સૌંદર્યમાં વૃદ્ધિ થયેલી જણાશે.

નાના બાળકોને અવારનવાર કરમ થતાં હોય છે. કેટલીક મોટી વ્યકિતઓને પણ આ તકલીફ થતી હોય છે. ટામેટાંના રસમાં હીંગનો વઘાર કરીને પીવાથી ફાયદો થશે.

કબજીયાતની સમસ્યા ભોગવતી વ્યકિતઓ, જેમના આંતરડામાં મળ જમા થઈ જતો હોય છે. એને દૂર કરવા એક પ્યાલો ટામેટાંનો રસ નિયમિત લઇ જુઓ. મળ સાફ થઈ જશે અને આંતરડા ચોખ્ખા રહેશે.

પાંચ ગ્રામ તુલસીનો રસ લઇ તેમાં તેટલી જ માત્રામાં ટામેટાંનો રસ ભેળવી લઈ તેને પીવાની આદત રાખો. થોડાક સમયમાં જ તમારી આંખ નીચે રહેતા કાળા કૂંડાળા દૂર થઈ જશે.

કોઢની સમસ્યાવાળી વ્યકિત માટે તુલસીનો રસ અને ટામેટાંનો રસ ભેગો કરીને પીવાથી ફાયદો થાય છે.

રાતના સમયે જોવાની તકલીફ હોય તો પાલકના રસમાં ટામેટાંનો રસ ભેળવી લઈ પીવાનું રાખો. ચાર અઠવાડિયા પછી તમે જાતે એનું પરિણામ અનુભવી શકશો.
લીવરની સમસ્યાથી પીડાતા દર્દીઓ માટે પણ ટામેટાંનો રસ ખુબ ગુણકારી છે.

ટામેટાંના ટુકડા કરી લઈ કલઇવાળા વાસણમાં થોડા સમય સુધી રાખી તેને શેકી લો. આની અંદર મરી તેમજ સીંધવ મીઠું ભેળવી લઇ અથવા થોડો સોડાબાયકાર્બ ભેળવી ખાઈ જુઓ. તરત રાહત અનુભવવા મળશે.

No comments:

Post a Comment