Disclaimer : This blog is not for any commercial purposes. * * * * * * ************************************ અમારા બ્લોગ પર મુકેલી દરેક રચના / કૃતિ -લેખ નાં સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચના / કૃત્તિ - લેખ ને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ ફક્ત વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચના/ કૃત્તિ - લેખનો નો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચના / લેખ - કૃત્તિઓ અહીં પોસ્ટ કરવામાં આવેલ છે, જેને લીધે જો કોઇ વ્યક્તિ કે સંસ્થાના અધિકારોનો ભંગ થયેલો તેમને / કોઇને પણ લાગે તો અમને જાણ કરવા વિનંતી, તે રચના / કૃત્તિ - લેખ ની પોસ્ટ સત્વરે બ્લોગ પરથી દૂર કરી આપવામાં આવશે. બ્લોગ પર મુકેલ તસ્વીરો નેટ / વેબ જગત પરથી ઉપલબ્ધ કરેલ છે, જે માટે અમો વેબ જગતના આભારી છીએ. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin

Wednesday, May 11, 2011

પિત્ત-કફહર અને વાતકર - કાથો

પિત્ત-કફહર અને વાતકર - કાથો


ખેરના જૂના લાકડાના નાના નાના ટુકડા કરી તેને પાણીમાં ઉકાળી કાથો જુદો પડાય છે. આ કાથો ખેરસાર તરીકે પણ ઓળખાય છે.
કાથો સ્વાદે તૂરો અને કડવો છે અને તાસીરે ઠંડો છે. તે પિત્ત-કફહર અને વાતકર છે. તે અગ્નિદીપક, આહારપાચક, લોહી બગાડ મટાડનાર, રોચક અને લૂખો છે. મોં આવવું, પેટના કૃમિ, શરીરે ચાંદા થવા કે ઘા પડવો, ખંજવાળ, તાવ, પ્રમેહ, મેદરોગ, અરુચિ, પાંડુ, કફરોગ માટે ઘણો સારો છે.
મોં આવ્યું હોય અને મોઢામાં ફોલ્લા પડ્યા હોય તો કાથો મોઢામાં મૂકી રાખવો. ઉધરસ માટે પણ આ જ પ્રયોગ છે. તેની ખદિરાદિવટી પ્રખ્યાત છે.
ઘા પડ્યો હોય, પાક થયો હોય, અંદર જીવડાં પડ્યા હોય, જલદી રૂઝ આવતી ન હોય તો કાથાનો ભૂકો ઘામાં ભરીને પાટો બાંધવાથી જલદી રૂઝ આવે છે.
વધુ પડતા ઝાડા થયા હોય તો કાથાના ભૂકાને ફકાવવાથી ઝાડા મટે છે.
અવાજ બેસી ગયો હોય તો કાથાના ભૂકાને ઘીમાં મેળવી ગળામાં લગાવવું.
હાથીપગાના રોગમાં ગોમૂત્રમાં કાથો મેળવીને પીવાથી હાથીપગાનો રોગ મટે છે.

No comments:

Post a Comment