Disclaimer : This blog is not for any commercial purposes. * * * * * * ************************************ અમારા બ્લોગ પર મુકેલી દરેક રચના / કૃતિ -લેખ નાં સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચના / કૃત્તિ - લેખ ને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ ફક્ત વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચના/ કૃત્તિ - લેખનો નો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચના / લેખ - કૃત્તિઓ અહીં પોસ્ટ કરવામાં આવેલ છે, જેને લીધે જો કોઇ વ્યક્તિ કે સંસ્થાના અધિકારોનો ભંગ થયેલો તેમને / કોઇને પણ લાગે તો અમને જાણ કરવા વિનંતી, તે રચના / કૃત્તિ - લેખ ની પોસ્ટ સત્વરે બ્લોગ પરથી દૂર કરી આપવામાં આવશે. બ્લોગ પર મુકેલ તસ્વીરો નેટ / વેબ જગત પરથી ઉપલબ્ધ કરેલ છે, જે માટે અમો વેબ જગતના આભારી છીએ. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin

Monday, December 18, 2017

આયુર્વેદિક ઉપચારો - 3

આયુર્વેદિક ઉપચારો - 3

આયુર્વેદિક ઉપચારો - 3

સુચના: કોઈ અનુભવી ડૉક્ટરની સલાહ વગર જાતે દેશી દવાઓ લેવામાં જોખમો રહેલાં છે.

થાક
અતિશય થાકનો અનુભવ થતો હોય તો નારંગીની પેશી ચૂસવાથી તે દૂર થાય છે.
દમ
કારણો વિકૃત આહાર, ધૂળ-ધૂમાડાવાળી જગ્યામાં વસવાટ, ઠંડીની ઋતુ,આઈસક્રીમ, ઠંડાં પીણાં વગેરેનું સેવન વગેરે દમ થવાન કારણો છે. આ ઉપરાંત વધારે પડતો શ્રમ, વધારે પડતી કસરત, વધારે પડતો સંભોગ અને કુપોષણ પણ દમનો રોગ થવામાં કારણભૂત બની શકે છે. છાતી, ફેફસાં અથવા નાડીઓ ઉપર અસર થાય તે રીતે કંઈક વાગવાથી પણ દમનો રોગ થઈ શકે છે. આ ઉપરાંત સતત તાવ, ઝાડા-ઊલટીઓ, વારંવાર થતી શરદી, સળેખમ, લોહી ઓછું હોવું કે કોઈ રીતે થઈ જવું, ક્ષય વિગરેને પણ દમનાં કારણો માનવામાં આવે છે. હૃદય પર અસર કરનારાં કારણો જેવાં કે પારિવારિક દુ:ખ, શારીરિક ખોડખાંપણ વિગેરેથી પણ દમ થવાની શકયતા રહે છે. #EKEiE દમના રોગનું મુખ્ય લક્ષણ તો શ્વાસ લેવામાં મુશ્કેલી થાય કે શ્વાસ રુંધાય. શ્વાસરોગ પાંચ પ્રકારના છે, એમાંથી મહાશ્વાસ, ઉચ્છાસ અને છિન્ન શ્વાસ એ ત્રણ પ્રકારના દમ અસાધ્ય છે. ક્ષુદ્રશ્વાસ સાધ્ય છે. તમક શ્વાસમાં શ્વાસ લેતાં મુશ્કેલી થાય છે. રોગી સૂઈ જાય તો શ્વાસનો રોગ વધે છે, પણ બેઠેલા રહેવાથી રાહત જણાય છે. ગળામાં દુ:ખાવો અને બોલવામાં મુશ્કેલી થાય છે. જો કોઈ દવાથી કે દર્દીના પોતાના પ્રયાસથી કફ નીકળી જાય તો રોગીને થોડો આરામ મળે છે. તમક શ્વાસના હુમલા વખતે દર્દીનું મોં સૂકાય છે. ગરમ પદાર્થોના સેવનથી તેને આરામ મળે છે, તથા ઠંડા અને કફકારક પદાર્થ ખાવાથી શ્વાસનો વેગ વધે છે. વર્ષા ઋતુમાં જ્યારે આકાશમાં વાદળ છવાઈ જાય તથા શિયાળામાં ઠંડો પવન વાય ત્યારે આ રોગ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે. જો તમક શ્વાસ તાજેતરમાં જ થયેલો હોય તો તે સાધ્ય છે.
દમમાં અગત્યની સલાહ : વઃ જે ઔષધથી તાત્કાલિક રાહત થાય તે લેવું વ્ર બે ટંક હળવો, પોષક આહાર લેવો. ઈા રાત્રે સૂર્યાસ્ત પહેલાં જમી લેવું. પછી પાણી સિવાય કશું ન લેવું ઘ નિયમિત મળશુદ્ધિ થાય તો દમનો હુમલો થતો નથી. ઘ પાણી સુંઠ નાખી ઉકાળેલું ષને સહેજ હૂંફાળું પીવું. છ નિયમિત ચાલવા જવું ન ઋતુ ઋતુનાં ફળો ખાવાં ન હળવો વ્યાયામ કરવો.
ઉપાયો રોગના પ્રમાણ પર ઉપચાર આધાર રાખે છે. ઉપચારની દૃષ્ટિએ દર્દી સશક્ત, દુર્બળ, વધારે પડતા કફ કે વાયુ પ્રકૃતિવાળા છે તે જોવું. રોગ વધુ ઉગ્ર હોય અને કફનું પ્રમાણ વધારે હોય તો વમન કરાવવું. બહુ જ ઊલટીઓ કરાવ્યા પછી જ પથ્ય આહાર વિહારના પ્રયોગ સાથે અન્ય ઔષધીઓનો ઉપચાર કરવો જોઈએ. વમન કરાવ્યા પછી વિરેચન એટલે ઝાડો કરાવવાની ક્રિયા હાથ ધરવી જોઈએ. જો રોગી બહુ જ અશક્ત હોય અને વમન કરાવવું શકય ન હોય તો કફ બહાર કાઢનારી દવાની સાથે સાથે હળવા ઝાડા કરાવવાની દવાઓ આપવી જોઈએ.
(૧) ભોંયરીંગણીના ઉકાળામાં મગ પકાવી રોજ ખાવાથી દમ મટે છે. (૨) શરીરની પ્રકૃતિ અનુસાર ઠંડા કે ગરમ પાણીમાં ઘઉંનો ક્ષાર ૧-૧ ચમચો સવાર-સાંજ લેવાથી દમ કાબુમાં રહે છે. એની પૌરુષત્વ પર માઠી અસર થતી હોવાથી પુરુષોએ પ્રયોગ સંયમથી કરવો. ઘઉંનો ક્ષાર બજારમાં તૈયાર મળે છે. (૩) બે વરસ જૂનો ગોળ અને સરસવનું તેલ સરખા ભાગે લઈ મસળી રાખી મૂકવું અથવા દર વખતે તાજું બનાવી બંનેનું કુલ વજન ૧ ગ્રામ થાય તેટલું ચાટી જવું. સવાર-સાંજ નિયમિત અ:ા પ્રયોગ કરવાથી થોડા દિવસોમાં જ દમ મટી જાય છે. અ:ા પ્રયોગ એટલો અસરકારક છે કે ભલભલા પ્રયોગ નિષ્ફળ ગયા હોય ત્યાં પણ તેણે પોતાનો પ્રભાવ દેખાડેલો છે. (૪) ૧૫-૨૦ મરી રોજ વાટીને મધમાં ચાટવાથી શ્વાસરોગમાં ફાયદો થાય છે. (પ) અજમો ગરમ પાણી સાથે પીવાથી શ્વાસનો હુમલો શાંત થાય છે. અજમાનો અર્ક પણ ફાયદો કરે છે. (ઉ) અજમો ચલમમાં ભરી ધૂમ્રપાન કરવાથી શ્વાસનો હુમલો શાંત થાય છે. (૭) આદુના રસમાં મધ મેળવી પીવાથી શ્વાસમાં ફાયદો થાય છે. (૮) આદુનો રસ, લીંબુનો રસ અને સિંધવ એકત્ર કરી ભોજનની શરૂઆતમાં લેવાથી દમ મટે છે. (૯) એલચી, ખજુર અને દ્રાક્ષ મધમાં ચાટવાથી દમ મટે છે. (૧૦) કેળના ડોડવાનો કેસરયુક્ત ભાગ કોતરી તેમાં રાત્રે મરીનું ચૂર્ણ ભરી રાખી સવારે એ ડોડવું ધીમાં તળી ખાવાથી શ્વાસરોગ જલદી મટી જાય છે. (શ્વાસરોગ માટે આ પ્રયોગ ઉત્તમ છે.) (૧૧) કોળાના મૂળનું ચૂર્ણ સુંઠના ચૂર્ણ સાથે મેળવી દિવસમાં બેથી ત્રણ વાર લાંબા સમય સુધી લેવાથી દમ મટે છે. (૧૨) કોળાનો અવલેહ (જુઓ અનુક્રમ) ખાવાથી દમ મટે છે. (૧૩) લીંબુના 3 ગ્રામ રસમાં ૧૦ ગ્રામ મધ મેળવી ચાટવાથી ભયંકર ખાંસી મટે છે અને દમનો હુમલો તરત જ દબાઈ જઈ આરામ થાય છે. (૧૪) ગાજરના રસનાં ચાર-પાંચ ટીપાં બંને નસકોરાંમાં નાખવાથી શ્વાસમાં ફાયદો કરે છે. (૧૫) ગોળ સાથે સરસિયું ખાવાથી શ્વાસરોગમાં ફાયદો થાય છે. (૧૬) બેથી ચાર સૂકાં અંજીર સવારે અને સાંજે દૂધમાં ગરમ કરી ખાવાથી દમ મટે છે. (૧૭) લસણનો રસ ૧૦ ગ્રામ, વાવડીંગનું ચૂર્ણ 3 ગ્રામ, આદુનો રસ પ ગ્રામ અને સિંધવ ૧ ગ્રામ એક મહિના સુધી પાણી સાથે પીવાથી દમ, શ્વાસ અને શરદીમાં ફાયદો થાય છે. (૧૮) સરગવાના પાનનો રસ પીવાથી શ્વાસનો હુમલો દૂર થાય છે. (૧૯) સરસિયા તેલમાં ગોળ મેળવી ખાવાથી શ્વાસરોગમાં ફાયદો થાય છે.
(૨૦) દરરોજ થોડી ખજુર ખાઈ ઉપર ચાર-પાંચ ધૂટડા ગરમ પાણી પીવાથી કફ પાતળો બનીને ગળફાના રૂપમાં બહાર નીકળે છે; ફેફસાં સાફ બને છે અને દમ અને ખાંસી મટે છે તથા લોહીની શુદ્ધિ થાય છે. (૨૧) ખજુર, દ્રાક્ષ, સાકર, ઘી, મધ અને પીપર સરખે ભાગે લઈ તેનું ચાટણ બનાવી દરરોજ ર0-30 ગ્રામ ખાવાથી દમ અને સ્વરભેદ મટે છે. (૨૨) નાની હરડે અને સુંઠના સમાન ભાગે ચૂર્ણનું મિશ્રણ કરી. ૧-૧ ચમચો ગરમ પાણી સાથે નિયમિત લેવાથી દમ મટે છે. (૨૩) સુંઠ અને ભોંયરીંગણીનું સમાન ભાગે ચૂર્ણનું મિશ્રણ કરી બબ્બ ગ્રામ સવાર-સાંજ ગરમ પાણી સાથે લેવાથી દમ મટે છે. (૨૪) શ્વાસનો હુમલો થાય એટલે ઉપવાસ કરવા, જ્યાં સુધી કંઈક આરામ ન જણાય ત્યાં સુધી એટલે કે એક-બે કે ત્રણ-ચાર ટંક સુધી કશું ખાવું નહિ. માત્ર સુંઠ નાખી ઉકાળેલું પાણી પીવું. જો કબજિયાત રહેતી હોય તો રાતે એક ચમચી સંઠનું ચૂર્ણ પાણી સાથે લેવું. ઘણી રાહત જણાય એટલે પ્રવાહી ખોરાક લેવો. મગને બાફીને કાઢેલું પાણી સવાર-સાંજ બે વખત પીવું. તેમાં થોડા મસાલા નાખવા. ધીમે ધીમે ખોરાક પર ચઢવું. સારું લાગે તો ગરમ ખાખરા કે રોટલી લેવી. બાફેલાં શાક, ફળ લઈ શકાય. સુંઠ નાખી ઉકાળેલું દૂધ લેતાં લેતાં ખોરાક પર ચઢવું. દવા લેવાની જરૂર લાગે તો શ્વાસકુઠાર નામની ટીકડી સવાર, બપોર, સાંજ એક એક પીસીને મધમાં ઘૂંટીને ચાટી જવી. સંપૂર્ણ રાહત થાય ત્યારે રોજિંદા ખોરાક પર આવવું. રાતે સૂર્યાસ્ત પહેલાં હલકો ખોરાક લેવો. હુમલો જ્યારે પણ થાય ત્યારે આ ઉપચાર ફરી કરવો. (૨૫) સિતોપલાદિ .િ 3 ગ્રામ અને બાલસુધા ૨૫૦ મિ.ગ્રા. મધમાં મેળવી સવાર-સાંજ સતત છ મહિના કે તેથીયે વધારે સમય સુધી લેવાથી દમનો રોગ અંકુશમાં આવી જાય છે. (૨૬) પીપળાના સૂકાં ફળનો બારીક પાઉડર ૧-૧ ચમચી સવાર, બપોર, સાંજ પાણી સાથે લેવાથી દમ મટે છે. બધા પીપળાને ફળ આવતાં નથી, પણ અમુક દેશી દવા રાખનારા પીપળાનાં સૂકાં ફળ વેચતા હોય છે. (૨૭) માછલીમાં મેગનેશિયમ હોય છે જે ફેફસાની ક્રિયા સુધારે છે. દમના ગંભીર હુમલામાં મેગનેશિયમથી કાબૂ મેળવી શકાય છે. આથી દમના રોગીઓએ દર સપ્તાહે માછલી કે પાલકની ભાજી દિવસમાં એક વાર લેવી જોઈએ. (૨૮) સમાન ભાગે સુંઠ અને હરડેનો એક એક ચમચી પાઉડર સવાર-સાંજ પાણી સાથે નિયમિત લેવાથી દમ અને ખાંસીની ફરિયાદ મટે છે. (૨૯) દરરોજ સવાર-બપોર-સાંજ ૧-૧ ચમચી હળદરનો પાઉડર હૂંફાળા પાણી સાથે લેવાથી દમ મટે છે. અન્ય દવા સાથે પણ આ પ્રયોગ કરી શકાય. (3O) ચોખી બાંધાની હિંગ અને કપુરનું બરાબર મિશ્રણ કરી ચણા જેવડી ગોળીઓ બનાવવી. દિવસમાં દર ચારેક કલાકે ૧-૧ ગોળી ચૂસતા રહેવાથી દમ મટે છે. (૩૧) દરરોજ સવારે મધ સાથે પહેલે દિવસે એક ચપટી, બીજે દિવસે બે ચપટી એમ પંદરમા દિવસે પંદર ચપટી સિંધવ ચાટવાથી દમ મટે છે. દમની ગંભીર અવસ્થામાં દિવસમાં બે કે ત્રણ વખત પણ પ્રયોગ કરી શકાય. (૩૨) સૂરોખારના પાણીમાં બીડીનાં પાન બોળી, સૂકવી બીડી વાળીને પીવાથી અથવા અરડૂસી કે ધતુરાના પાનની બીડી બનાવી પીવાથી અથવા અરડૂસીની લાંબી સૂકી ડોડલી એક બાજુથી સળગાવી તેનો ધુમાડો બીડીની જેમ ખેંચવાથી દમમાં અચૂક લાભ થાય છે. (33) તાજી દ્રાક્ષનો રસ ગરમ કરી દરરોજ ચારેક વખત(દર ચારેક કલાકે) હૂંફાળો-હુંફાળો અડધી વાડકી જેટલો પીતા રહેવાથી દમનો વ્યાધિ કાબૂમાં આવવા લાગે છે. પ્રયોગ ધીરજપૂર્વક જાળવી રાખવો. (૩૪) સમાન ભાગે નમક (મીઠું-સોડિયમ ક્લોરાઈડ) અને સોડા બાઈ કાર્બ ૧-૧ ચમચી સવાર-સાંજ લેવાથી શ્વાસનો હુમલો શાંત પડે છે. (૩૫) દૂધની ખીર બનાવી પૂનમની રાતે ૧૧-૦૦ વાગ્યા સુધી ચાંદનીમાં ખૂલ્લી રાખી ૧૨-૦૦ વાગ્ય ખાવાથી દમ મટે છે. (3G) રોજ ગાજરનો રસ પીવાથી દમનો રોગ જળમૂળમાંથી મટે છે. (૩૭) બે ચમચી આદુનો રસ મધ સાથે લેવાથી દમમાં રાહત થાય છે. (૩૮) હળદળ અને સુંઠનું ચૂર્ણ મધ સાથે લેવાથી શ્વાસ મટે છે.
દરાજ (૧) આંકડાના દૂધમાં સહેજ મધ નાખી, હલાવી, મિશ્ર કરી દરરોજ એકવાર દરાજ પર ઘસવાથી દરાજ સારી થઈ જાય છે. (૨) આંકડાનું પાન તોડવાથી નીકળતું દૂધ દરાજ પર દિવસમાં બે વખત ચોપડતા રહેવાથી દરાજ મટે છે. દૂધ ચોપડતાં પહેલાં દરાજવાળો ભાગ કપડાથી બરાબર સાફ કરવો. (૩) કાચા પપૈયામાંથી કે પપૈયાના ઝાડ પરથી દૂધ મેળવી દિવસમાં ત્રણ-ચાર વખત દર ચારેક કલાકને અંતરે ચોપડવાથી દરાજ મટે છે. (૪) ડુંગળી છૂદી દરાજગૃસ્ત ભાગ પર દરરોજ નિયમિત બે-ચાર વાર લગાડતા રહેવાથી લાંબા સમયે દરાજ સમૂળી નષ્ટ થાય છે. (પ) શેરીયો દહીંમાં વાટી ચોપડવાથી દરાજ મટે છે. (૬) દહીંમાં રાઈ ઘૂંટી સહેજ પાણી નાખી દરાજ પર ચોપડવાથી દરાજ મટે છે.
દાઝવું
(૧) જવ બાળી તલના તેલમાં ખરલ કરી લેપ કરવાથી અગ્નિદગ્ધ વ્રણ મટે છે. (૨) જાંબુડીની છાલની રાખ તેલ સાથે મેળવી અગિનથી દાઝેલા ભાગ પર ચોપડવું. (3) ઝીણું ચોખમું કપડું મધમાં પલાળી દાઝેલા ભાગ પર મૂકવાથી ઘણી જ રાહત થાય છે. (૪) તલનું તેલ ચૂનાના નિતર્યા પાણીમાં મેળવી ચોપડવાથી અગ્નિદગધ વ્રણ મટે છે. (પ) ઠંડા પાણીમાં ખાંડ ઓગાળી તે પાણી દાઝેલા અંગ પર વારંવાર લગાડવાથી લાભ થાય છે. (૬) દાઝી ગયેલા ભાગ પર એરંડાના પાન લગાવવાથી આરામ થાય છે. (૭) તાંદળજાનો રસ અનિદગધ વ્રણ પર ચોપડવાથી આરામ થાય છે. (૮) ગમે તે કારણે દાઝી જવાયું હોય તો પાણીમાં મીઠા (નમક)નો જાડો ઘોળ કરી દિવસમાં ત્રણ-ચાર વાર લેપ કરવાથી ઝડપથી સારું થઈ જાય છે. (૯) સામાન્ય પ્રમાણમાં દાઝી ગયા હોઈએ તો બટાટા છોલી બારીક છૂદીને અથવા બટાટાની છીણ કરીને દાઝેલા ભાગ પર દિવસમાં બે-ત્રણ વાર લેપ કરવાથી ફાયદો થાય છે. ગંભીર પ્રમાણમાં દાઝયા હોય તો આ ઉપાય કામ ન આવે. (૧૦) કોપરેલમાં તુલસીનો રસ બરાબર મિશ્ર કરી દાઝયા ઉપર લગાડવાથી બળતરા મટે છે. (૧૧) બટાટા ઘસીને દાઝયા પર લગાડવાથી ઠંડક થાય છે અને બળતરા શાંત થાય છે. (૧૨) દાઝવાથી ચામડીનું ઉપરનું સ્તર બળી જાય ત્યારે તે ભાગને ખૂલ્લો રાખવાને બદલે જતુમુક્ત કરેલો છિદ્રાળુ પાટી બાંધી દેવાથી હવામાં ઉડતા બેકટેરિયાનો ચેપ લાગતો નથી.
દાદર (૧) કુંવાડિયાનાં બી શેકી, ચૂર્ણ બનાવી. ૧-૧ ચમચી દિવસમાં ત્રણ વાર પાણી સાથે લો. આ ચૂર્ણને લીંબુના રસમાં ઘૂંટી દાદર ઉપર ઘસીને લગાવો. ઘણા લોકો આ ચૂર્ણનો કોફી તરીકે પણ ઉપયોગ કરે છે. કુંવાડિયાનાં બી દાદર ઉપરાંત ખસ, ખુજલી, ખોડો, દરાજ, ગડગુમડ જેવા રોગો પણ મટાડે છે. (૨) તુલસીના મૂળનો એક ચમચી ભૂકો એક ગલાસ પાણીમાં નાખી કાઢો કરવો. આ ઉકાળો રોજ તાજો બનાવી સવાર-સાંજ પીવાથી કોઢ, દાદર અને ખરજવું મટે છે. (3) તુલસીના પાનનો રસ અને લીંબુનો રસ મિશ્ર કરી લગાડવાથી પણ દાદર મટે છે. (૪) ગરમ કરેલા ગેરુના પાઉડરમાં તુલસીના પાનનો રસ મેળવી પેસ્ટ બનાવી દાદર પર સવાર-સાંજ લગાડવો. (પ) તુલસીનાં પાનનો રસ અને લીંબુનો રસ ૧-૧ ચમચી મિશ્રણ કરીને સવાર-સાંજ પીવાથી પણ ઉગ્ર દાદર મટે છે. (૬) ગુવારના પાનનો રસ અને લસણનો રસ એકત્ર કરી દાદર પર ચોપડવો. (૭) છાસમાં કુંવાડિયાનાં બી વાટીને ચોપડવાથી દાદર મટે છે. (૮) પપૈયાનું દૂધ અને ટંકણખાર ઊકળતા પાણીમાં મેળવી લેપ કરવાથી દાદર મટે છે. (૯) લસણનો રસ ત્રણ દિવસ દાદર પર ચોળવાથી એ મટે છે. (બહુ બળતરા થાય તો પાછળથી ઘી ચોપડવું) (૧૦) લીંબુના રસમાં આમલીનો ઠળિયો ઘસી ચોપડવાથી દાદર મટે છે. (૧૧) લીંબુનો રસ અને કોપરેલ એકત્ર કરી માલીશ કરવાથી દાદર મટે છે. (૧૨) ડુંગળીનો રસ ચોપડવાથી દાદર કે ખુજલી મટે છે. (૧૩) કુંવાડિયાના બીજનું ચૂર્ણ લીંબુના રસમાં લસોટી ચોપડવાથી દાદર મટે છે. કણઝીના તેલમાં અથવા મૂળાના પાનના રસમાં લસોટીને પણ ચોપડી શકાય. (૧૪) કાચા પપૈયાનો રસ દિવસમાં બેથી ત્રણ વખત ઘસવાથી દાદર મટે છે. (૧૫) સોપારીના ઝાડનો ગુંદર બકરીના દૂધમાં વાટીને લેપ કરવાથી દાદર મટે છે.
દારૂનો નશો (૧) ૨૦ ગ્રામ ગાયના ધીમાં ૨૦ ગ્રામ સાકર મેળવી પીવાથી દારૂનો નશો ઊતરે છે. (૨) કાકડી ખાવાથી અથવા કાકડીનો રસ અને ડુંગળીનો રસ પીવાથી દારૂનો નશો ઊતરી જાય છે. (3) કોળાનો રસ ગોળ નાખી પીવાથી દારૂનો નશો ઉતરે છે. (૪) ખજુરને પાણીમાં પલાળી મસળીને પીવાથી દારૂનો નશો ઊતરે છે.
દાહ-બળતરા (જુઓ બળતરા) (૧) ખજુરની ચાર-પાંચ પેશી રાત્રે પાણીમાં પલાળી રાખી, સવારે મસળી તેમાં મધ નાખી સાત દિવસ સુધી પીવાથી દાહ મટે છે. (૨) દૂધીનો રસ કાઢી. થોડા મધ કે સાકર સાથે લેવાથી શરીરમાં દાહ તથા ગળામાં બળતરા મટે છે. (3) કાકડીના નાના નાના કકડા કરી તેના પર ખાંડ ભભરાવી ખાવાથી ગરમીનો દાહ મટે છે. (૪) કોળાનો અવલેહ (જુઓ અનુક્રમ) ખાવાથી દાહ મટે છે. (પ) હોજરીમાં, મૂત્ર કે મળ પ્રવૃત્તિ પછી તે તે સ્થાનોમાં તથા છાતી-પેટમાં બળતરા થતી હોય તો તમામ તીખા અને ખાટા પદાર્થો બંધ કરવા. ૧ લીટર પાણીમાં ૨૫ ગ્રામ સૂકા ધાણાનું ચૂર્ણ રાતે પલાળી રાખી તે સવારે, બપોરે અને સાંજે એમ ત્રણ વખત ગાળીને પીવું. એનાથી પિત્તદોષની ગરમી મટે છે અને બળતરા પંદરેક દિવસમાં શાંત થાય છે. ગમે તેવો વધી ગયો હોય તે અંતદહ ધાણાના પ્રયોગથી મટી જાય છે.
દાંત
દાંતના રોગો એરંડાના તાજા દાતણથી કે એરંડાનો રસ દાંતે ઘસવાથી દાંતના રોગો મટે છે. દાંત ખાટવા દાંત ખટાઈ જાય ત્યારે તલના તેલમાં દળેલું મીઠું મેળવી અહિંગળીથી દાંતને રોજ ઘસવાથી ખટાઈ જવાની પીડા દૂર થાય છે. હIલતા દાંત (૧) જાંબુડીની છાલના કવાથના દિવસમાં બે વાર કોગળા કરવાથી દાંતના પેઢાનો સોજો મટે છે અને હાલતા દાંત મજબૂત બને છે. (૨) માજફળ, ફટકડી અને સફેદ કાથાનું સમાન ભાગે બનાવેલું કપડછાણ બારીક ચૂર્ણ દરરોજ બેત્રણ વખત દાંત પર બરાબર ઘસી ખૂબ લાળ પડવા દેવાથી આઠ દશ દિવસમાં જ હાલતા દાંતમાં ફેર પડવા લાગે છે. લાંબા સમય સુધી પ્રયોગ જાળવી રાખવાથી દાંત પૂરેપૂરા મજબૂત થઈ જાય છે. (3) કોઠાનું શરબત સવાર, બપોર, સાંજ ૧-૧ કપ લેવાથી હાલતા દાંત અને પેઢાં મજબૂત થાય છે. (૪) નિયમિત ભોજન બાદ એક સફરજન ખાવાથી દાંત તથા અવાળુ મજબૂત થાય છે. દાંતનો દુઃખાવો (૧) દાંત કે દાંતના પેઢામાં દુ:ખાવો હોય તો ડુંગળીનો એક ટૂકડો મોંમાં રાખી મૂકવો. દરરોજ ભોજનમાં બંને સમય એક કાચો કાંદી ચાવી ચાવીને ખાવામાં આવે તો પણ દાંતની પીડામાંથી મુક્તિ મળે છે. (૨) લીમડાની છાલ પાણીમાં ઉકાળી કોગળા કરવાથી દાંતના પેઢામાં થતો દુ:ખાવો મટે છે. (3) જાયફળના તેલનું પૂમડું સડેલા દાંતમાં રાખવાથી દાંતમાં રહેલા બૅકટેરિયા દૂર થઈ દાંતનો દુ:ખાવો મટે છે. (૪) આખી હિમજ મોંમાં રાખી તેનો રસ દુ:ખતા દાંત પર પથરાતો રહે તેમ કરતા રહેવાથી દાંત દુ:ખતા મટી જાય છે. સફેદ દાંત (૧) ડુંગળી ખાવાથી દાંત સફેદ દૂધ જેવા થાય છે. (૨) ફટકડીનું ચૂર્ણ ઘસવાથી દાંત સફેદ અને ચોખા થાય છે. (3) તલના તેલમાં કપુર અને સિંધવ મેળવી સવાર-સાંજ દાંત પર ઘસવાથી કે કોગળા કરવાથી લાંબા સમય સુધી દાંત મજબૂત રહે છે. દાંતના રોગો (૧) લીંબુના છોતરાં પર થોડું સરસિયાનું તેલ નાખીને દાંત અને પેઢા પર ઘસવાથી દાંત સફેદ અને ચમકદાર થાય છે, પેઢાં મજબૂત થાય છે, દરેક પ્રકારનાં જીવાણુંઓનો નાશ થાય છે તથા પાયોરિયા જેવા રોગોથી બચાવ થાય છે. મશીનથી દાંત સાફ કરાવવા હિતકર નથી. (૨) વડ અને કરંજનું દાતણ કરવાથી દાંત મજબૂત રહે છે. (3) કેરીના ગોટલામાંથી નીકળતી ગોટલી અનેક રોગોમાં અકસીર દવા જેવું કામ અ:ાપે છે. દંત રોગોની તે એક મોટી ઔષધિ છે. પાયોરિયા સહિત ઘણાખરા દંત રોગોમાં કેરીની ગોટલીના પાઉડરથી નિયમિત મંજન કરતા રહેવાથી ઝડપી અને ચોખ્ખો ફરક પડવા લાગે છે. (૪) જાંબુની સૂકવેલી છાલનો પાઉડર (જે બજારમાં મળે છે) મંજન માફક દિવસમાં બેત્રણ વખત ઘસવાથી દાંત દુ:ખતા હોય, દાંત કે પેઢાંમાંથી લોહી પડતું હોય કે દાંત હાલતા હોય તે બધી સમસ્યા દૂર થાય છે. (પ) પાંચ તોલા કાળા તલ સવારમાં ખૂબ ચાવીને ખાવાથી અને ઉપર થોડું પાણી પીવાથી દાંત મજબૂત બને છે અને પાયોરિયા પણ મટી જાય છે. (૬) તલના તેલનો કોગળો ૧૦-૧૫ મિનિટ મોંમાં રાખવાથી પાયોરિયા મટે છે.
દાંતની છlરી સફરજનનો રસ સોડા સાથે મેળવી દાંતે ઘસવાથી દાંતની છારી દૂર થઈ દાંત સ્વચ્છ બને છે. દાંતની સુરક્ષા માટે ભોજન પછી અથવા અન્ય કોઈ પણ પદાર્થ ખાધા પછી ગણીને ૧૧ વાર કોગળા જરૂર કરવા. ગરમ વસ્તુ ખાધા પછી ઠંડી વસ્તુ ન ખાવી. પેઢાના રોગીઆર ડુંગળી, ખટાશ, લાલમરચું અને ગળ્યા પદાથિોનું સેવન ન કરવું. દાંતનો દુઃખાવો (૧) સરગવાનો ગુંદર પોલા દાંતમાં ભરવાથી દંતપીડા મટે છે. (૨) લવિંગના તેલમાં રૂનું પુમડું ભીંજવી પોલી દાઢ પર કે દુ:ખતા દાંત પર દબાવી રાખવાથી દાંતની પીડા મટે છે. (3) હિંગને પાણીમાં ઉકાળી કોગળા કરવાથી દંતપીડા મટે છે. (૪) દાંતના પોલાણમાં હિંગ અથવા અક્કલગરો ભરવાથી દાંતનો દુ:ખાવો મટે છે. (પ) રાયણમાંથી નીકળતું દૂધ દુ:ખતી દાઢ પર લગાવવાથી દાંતનો દુ:ખાવો મટે છે. (૬) સવારના પહોરમાં કાળા તલ ખૂબ ચાવીને ખાઈ ઉપર થોડું પાણી પીવાથી દાંત મજબૂત બને છે. (૭) વડની વડવાઈનું દાતણ કરવાથી હાલતા દાંત મજબૂત થાય છે. (૮) તલનું તેલ આંગળી વડે પેઢા પર ઘસવાથી હાલતા દાંત મજબૂત બને છે. (૯) પોલા થયેલા અને કોહવાઈ ગયેલા દાંતના પોલાણમાં લવિંગ અને કપૂર અથવા તજ અને હિંગ વાટી ભેગું કરી ભરી દેવાથી આરામ મળે છે. (૧૦) દાંતમાં લાંબા સમય સુધી પરું ભરાઈ રહે અને સારવાર લેવામાં ન આવે તો મૂળિયા પાસે પરુની ગાંઠ થઈ જાય છે. આ પરિસ્થિતિમાં પણ દાંતના મૂળની સારવાર અને મૂળચ્છદ ઓપરેશન કરી દાંત બચાવી શકાય છે. (૧૧) આંકડાનું મૂળ દાંતે ઘસવાથી દાંતની
કળતર મટે છે. દાંતનો સડો (૧) દાંતનો સડો હોય તો વડનું દાતણ કરવું. (૨)દાંતમાં સડો હોય તો સ્વમૂત્રના કોગળા કરવાથી ફાયદો થાય છે. દાંતમાંથી લોહી (૧) લીંબુનો રસ આંગળીના ટેરવા પર લઈ દાંતના પેઢા પર મસળવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે. (૨) મીઠાના પાણીના કોગળા કરવાથી અથવા કાથો કે હળદરનું ચૂર્ણ લગાવવાથી પડેલા દાંતનો રક્તસાવ બંધ થાય છે. (3) સફરજનનો રસ સોડા સાથે મેળવી દાંતે ઘસવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે. (૪) વિટામિન 'સી' દાંતના રોગો સામે રક્ષણ આપે છે. તે આમળામાં પુશ્કળ પ્રમાણમાં હોય છે. આથી પેઢામાંથી લોહી નીકળે તો વિટામિન 'સી' લેવું (પ) દાંત અને પેઢામાંથી લોહી નીકળતું હોય તો દિવસમાં બે-ચાર વાર સાકર નાખી બનાવેલું લીંબુનું શરબત પીવાથી ફાયદો થાય છે. દાંતરક્ષા દરરોજ બંને સમય જમ્યા બાદ અને નાસ્તા વગેરે પછી કોઈ પણ તાજાં ફળ આખાં કે મોટાં સમારીને ખુબ ચાવીને ખાવાં. તાજા ફળોમાં રહેલ ક્ષાર તત્વો દાંતનું અ:િરોગ્ય સાચવી શકે, દાંત જીવનભર રહે અને દાંતની કોઈ તકલીફ રહેતી નથી. દાઢનો દુઃખાવો (૧) તજના તેલ કે આર્કનું પુમડું પોલી કે દુ:ખતી દાઢમાં મૂકવાથી રાહત મળે છે. (૨) જાયફળના તેલનું પોતું દાંતમાં રાખવાથી દાંતના કીડા મરી જઈ દાંતની પીડા મટે છે. (3) કપુરની ગોળી, લવીંગ, સરસિયુ તેલ, વડના દૂધમાં બોળેલું રૂનું પૂમડું, ધીમાં તળેલી હિંગનો ટૂકડો એમાંથી કોઈ પણ એક દાઢ. નીચે રાખવાથી દર્દમાં આરામ થાય છે. (૪) લીમડાની કુમળી કુંપળોનો ચાર-પાંચ ટીપાં રસ જે દાઢ દુ:ખતી હોય તેની વિરુદ્ધના કાનમાં મૂકવાથી દુ:ખતી દાઢ મટે છે. દાંત હાલતા હાલતો દાંત પડતો ન હોય અને સારો ન થઈ શકે તેમ હોય તો મકાઈના પાનના તાજા રસમાં થોડું ધી મેળવી હાલતા દાંત પર અને પેઢા પર આસપાસ બધે દિવસમાં ત્રણચાર વાર ચોપડવાથી હાલતો. દાંત પડી જાય છે.
દુ:ખાવો
(૧) નગોડનાં પાનને કપડામાં બાંધી પાણીમાં ગરમ કરી દુ:ખાવાના ભાગ પર શેક કરવાથી લાભ થાય છે. (૨) નગોડનાં પાનને પાણીમાં ઉકાળી તેની વરાળથી શેક કરવાથી દુ:ખાવો મટે છે. (3) વડનાં પાકાં સૂકવેલાં ટેટાનું ૧-૧ ચમચી ચૂર્ણ સવાર-સાંજ દૂધ સાથે લેવાથી દુ:ખાવો મટે છે. (૪) સ્નાયુઓનો દુ:ખાવો મટાડવામાં દહીં, છાસ, આમલી જેવી ખટાશ સદંતર બંધ કરવી જોઈએ. (પ) વાયુને કારણે સાંધા પાસે દુ:ખાવો હોય તો ૧ કપ જેટલા તાજા ગોમૂત્રમાં બે મોટા ચમચા દિવેલ મેળવી દિવસમાં બે વખત પીવાથી મટે છે. (૬) પગની એડી, કેડ, ડોક કે સાંધાના દુ:ખાવામાં સવારે ખાલી પેટે મેથીનો તાજો ઉકાળો પીવાથી થોડા જ દિવસોમાં લાભ થાય છે.સર્વ પ્રકારનું શૂળ એલચી, શેકેલી હિંગ, જવખાર અને સિંધવનો કાઢો કરી તેમાં એરંડિયું મેળવી આપવાથી કમર, હૃદય, ટૂંટી, પીઠ, મસ્તક, કર્ણ, નેત્ર વગેરે ઠેકાણે થતું સર્વ પ્રકારનું શૂળ શીઘ મટે છે. દુખતી ડોક પર સહેજ હુંફાળું દિવેલ લગાડી હળવે હાથે દિવસમાં ચારેક વખત દર ચાર કલાકે માલિશ કરવાથી ડોકનો દુ:ખાવો મટે છે. દુખાવામાં ખજૂર ખજુર ચેતાતંત્રને બળ આપે છે. એ વાતદોષ નાશક છે. નિયમિત પુરતા પ્રમાણમાં ખજુરનું સેવન કરતા રહેવાથી જુદા જુદા પ્રકારના દુ:ખાવા મટે છે. શરીરના અમુક સાંધાના ભાગોમાં કે કયારેક આખી નસ દુ:ખે તો તે પાછળ મુખ્ય કારણ વાતદોષ હોય છે, જેનું નિવારણ ખજુરના સેવનથી શકય બને છે. છતાં વાતદોષને બદલે બીજું કોઈ કારણ હોય તો પણ ખજુર ચેતાતંત્રને બળ આપતું હોવાથી દુ:ખાવા જરૂર ઓછા અનુભવાશે. કonતર સુંઠ, તજ,ફૂદીનો, તુલસીનાં પાન એલચી વગેરેના બોરકૂટા ચૂર્ણના બનાવેલા ઉકાળાથી કળતર મટે છે.
દુર્ગધ (૧) અજમામાં દુર્ગધ નાશ કરવાનો ઉત્તમ ગુણ છે. જૂની કબજિયાતને લીધે મળ સડવાથી દુર્ગધમય બની જતો હોય છે. જેથી વાછુટ પણ દુર્ગધી બની જાય છે. અ:ા મળ, વાછુટ, કફ, શ્વાસ કે દાંતની દુર્ગધ દૂર કરવા ૧/૨ ચમચી અજમો રોજ રાત્રે ખૂબ જ ચાવીને ખાવો. પિત્તવાળાઓએ સાકર મેળવીને ખાવો. (૨) શ્વાસમાં દુર્ગધ આવતી હોય તો સાથે પાણીની બોટલ રાખવી, અને થોડું થોડું પાણી પીતા રહેવાથી મોંમાં લાળ બનવાની ક્રિયા ઝડપી બને છે અને દુર્ગધયુક્ત પદાર્થ ધોવાઈ જતાં વાસ આવતી નથી.
દુર્બળતા
ભોજન કર્યા બાદ ત્રણ પાકાં કેળાં થોડા માસ ખાવાથી દુર્બળ માણસનું શરીર પુષ્ટ-માંસલ થાય છે.દૂધ સાથે કેરીનો રસ ખાવાથી વાયુ અને પિત્ત મટે છે. વજન, બળ અને મૈથુન શક્તિ વધે છે. એ પચવામાં ભારે અને શીતલ હોય છે.
ધાતુક્ષય (૧) અડદની દાળને વાટી દહીંમાં મેળવી વડાં કરી તળીને ખાવાથી પુરષવર્ગ માટે બળપ્રદ અને ધાતુવર્ધક બને છે. (૨) અડદની દાળનો ૧૦-૧પ ગ્રામ લોટ ગાયના દૂધમાં બાફી, તેમાં ઘી નાખી સહેજ ગરમ ગરમ સાત દિવસ સુધી પીવાથી પેશાબમાર્ગે ધાતુ જતી હોય તો બંધ થાય છે. (3) દ્રાક્ષ, સાકર, મધ અને પીપર લેવાથી ધાતુક્ષય મટે છે. (૪) દરરોજ ૧-૧ ચમચી ત્રિફળા ચૂર્ણ મધ સાથે લેવાથી અને ઉપર એકાદ વાડકી દૂધ પીવાથી પેશાબ દ્વારા થતો ધાતુક્ષય મટે છે. (પ) વડ કે પીપળાનાં ટેટાં ખાવાથી ધાતુક્ષીણતા મટે છે. (૬) જાતીય નબળાઈ,વીર્યની અલ્પતા, શીધ્ર સખલન કે સ્વપન દોષના રોગીએ વડના દૂધને પતાસામાં ઝીલી ખાવું.
ધાતુપુષ્ટિ (૧) પ૦૦ ગ્રામ જવનો લોટ, પ૦૦ ગ્રામ ઘી અને પ૦૦ ગ્રામ સાકર કલાઈવાળા વાસણમાં તપાવી તેમાં ૧૦ ગ્રામ ધોળાં મરીનું ચૂર્ણ અને ૨૦ ગ્રામ એલચીનું ચૂર્ણ મેળવી પુનમની રાતે અગાસીમાં ઝાકળમાં મૂકી રાખી, રોજ સવારે પ૦-૫૦ ગ્રામ ખાવાથી ધાતુપુષ્ટિ થાય છે. (૨) એલચી, જાવંત્રી, બદામ, ગાયનું માખણ અને સાકર એકત્ર કરી રોજ સવારે ખાવાથી ધાતુપુષ્ટિ થાય છે. (3) ચીકુ સાકર સાથે ખાવાથી ધાતુપુષ્ટિ થાય છે. (૪) શિયાળાની ઋતુમાં ધીમાં સાંતળી ખાઈ તેની ઉપર એલચી, સાકર અને કીંચા નાખી ઉકાળેલું દૂધ પીવાથી ઉત્તમ ધાતુપુષ્ટિ થાય છે. (પ) રોજ સવારે ૨૦-૨૫ - માફક આવે તેટલા ફણા ભીંડા ખાવાથી ધાતુપુષ્ટી થાય છે. (9) સૂકા અંજીરના કકડા તેમ જ બદામ ગરમ પાણીમાં પલાળી રાખી ઉપરથી ફોતરાં કાઢી, સૂકવીને, ખડી સાકરની ભૂકી, એલચીની ભૂકી, કેસર, ચારોળી, પિસ્તાં અને બળદાણા લઈ ખાંડી, તે બધું ગાયના ધીમાં આઠ દિવસ ભીંજવી રાખવું. પછી રોજ સવારે ર૦ ગ્રામ જેટલું એ મિશ્રણ ખાવાથી ક્ષીણ શક્તિવાળાની ધાતુવૃદ્ધિ થાય છે. (૭) બીલાના બીને દૂધ સાથે લેવાથી ધાતુપુષ્ટિ થાય છે.ધાતુવીકાર એક પાકું કેળું પ ગ્રામ ધી સાથે સવારસાંજ અઠવાડિયા સુધી ખાવાથી ધાતુવિકાર મટે છે. (ઠંડી જેવું લાગે તો તેમાં ચાર પાંચ ટીપાં મધ ઉમેરવું.) ધાતુ સ્ત્રાવ સંઠના ઉકાળામાં હળદર અને ગોળ નાખી પીવાથી ધાતુસાવ મટે છે. પેશાબમાં જતી ધાતુ પણ બંધ થાય છે.
નપુંસકતા ૧ ભાગ માલકાંગની તેલ, ૨ ભાગ ધી અને ૪ ભાગ મધ મિશ્ર કરી દરરોજ સવાર-સાંજ બબ્બી ચમચા નિયમિત છ માસ સુધી લેવાથી પુરૂષોની નપુંસકતા-સંભોગની અસમર્થતા દૂર થાય છે. જરૂરત મુજબ પ્રયોગ લબાવી શકાય, એનાથી કોઈ નુકસાન નથી.
નબળાઈ ખજુર ખાઈ ઉપર ઘી મેળવેલું દૂધ પીવાથી ઘા વાગવાથી કે ઘામાંથી પુશકળ લોહી વહી જવાથી- લોહી ઘટવાને લીધે આવેલી નબળાઈ દૂર થાય છે.
નસકોરાં બોલવાં-Snoring
(૧) સામાન્ય અને નજીવા પ્રમાણમાંનસકોરાં બોલતાં હોય તો પણ તેને ખરાબ ઊંઘની નિશાની સમજી ઉપાયો કરવા જોઈએ. સ્થળતા હોય તો શરીરનું વજન ઘટાડવું જોઈએ. થાકીને ઊંઘ સારી આવે તેવો વ્યાયામ કરવો. ઊઘની ગોળી કદી ન લેવી. સાંજે હળવું અને ઓછું ભોજન લેવું. ચત્તા ન સૂતાં પડખે સૂવું. ઓશીકું પથારીથી લગભગ ૪થી પ ઈંચ ઉંચું રાખવું. નસકોરાં એ શ્વસનક્રિયામાં થતી અડચણ છે અને ગંભીર છે. (૨) દિવસમાં ચાર-પાંચ વખત કોગળા કરી મોં સ્વચ્છ રાખવું, નાક પણ અંદરથી સ્વચ્છ રાખવું, હંમેશાં પડખાભેર સૂવું સીધા કે ઊંધા નહિ, તો નસકોરાં બોલવાની ટેવમાં ફાયદો થાય છે.
નસકોરી (૧) દરરોજ સવારે અડધી વાટી જેટલું કોપરું ચાવી ચાવીને ખાતા રહેવું નિયમિત આ રીતે કોપરું ખાતા રહેવાથી લાંબા ગાળે નસકોરી ફુટવાની ફરિયાદ દૂર થાય છે. (૨) નસકોરી ફૂટી હોય તો દાડમના રસનાં નાકમાં ટીપાં મૂકવાં. (3) નસકોરી ફૂટે ત્યારે ગોટલીનો રસ નાકમાં મૂકવો. (૪) દાડમનાં ફૂલ અને લીલી ધરીને પથ્થર પર છૂદી, લસોટી થોડું પાણી મૂકી વસ્ત્રથી દબાવી ત્રણ-ચાર ટીપાં નાકમાં મૂકવાથી થોડી વારમાં જ નસકોરી બંધ થાય છે. (પ) આમળાના ચૂર્ણને દૂધમાં કાલવી જાડી થેપલી કરી રાત્ર સૂતી વખતે મગજના ભાગ પર માથા પર બાંધી રાખવામાં આવે તો વારંવાર ફૂટતી નસકોરી બંધ થાય છે. (૬) આંબાની ગોટલીના રસનું નસ્ય લેવાથી (તેને નાક વડે સુંઘવાથી) નાકમાંથી પડતું લોહી બંધ થાય છે. (૭) ખટમીઠા દાડમના ૧૦૦ ગ્રામ રસમાં ૨૦ ગ્રામ સાકર મેળવી રોજ બપોરે પીવાથી ગરમીના દિવસોમાં નસકોરી ફૂટતી હોય તો તે બંધ થાય છે. (૮) ગાયના ધીનાં ટીપાં નાકમાં પાડવાથી નસકોરી મટે છે. (૯) તાળવા ઉપર ઠંડા પાણીની ધાર કરવાથી નસકોરી મટે છે. (૧૦) દહીંમાં મરી અને જૂનો ગોળ નાખી પીવાથી નાકમાંથી પડતું લોહી બંધ થાય છે. (૧૧) વડની છાલ, કૂણાં પાન કે કૂણી કુંપળોનો ઉકાળો પીવાથી નસકોરીમાં ફાયદો થાય છે. (૧૨) ઘઉંના લોટમાં સાકર અને દૂધ મેળવી પીવાથી નાકમાંથી નીકળતું લોહી બંધ થાય છે. (૧૩) કાયમ નસકોરી ફૂટતી હોય તો દરરોજ સવાર-સાંજ એક કપ દૂધમાં એક ચમચો ધી નાખી નિયમિત પીવાથી લાભ થાય છે. (૧૪) દરરોજ એક કપ દૂધમાં એક ચમચો દહીં મેળવી નિયમિત પીવાથી નસકોરી ફુટવાની ફરિયાદ દૂર થાય છે. (૧૫) દાડમના દાણાનો રસ દિવસમાં ચારપાંચ વાર સાકર નાખી પીવાથી નસકોરી ફૂટવાનું મટે છે. (૧૬) અરડૂસીનાં પાનનાં ટીપાં નાકમાં મૂકવાથી નસકોરીનું લોહી અટકે છે. (૧૭) આંબાની ગોટલીના રસનો નાસ લેવાથી નાકમાંથી લોહી પડતું બંધ થાય છે.
નળબંધ વાયુ (૧) નાગરવેલનાં પાન અને સરગવાની છાલ એકત્ર કરી રસ કાઢી ત્રણ દિવસ પીવાથી નળ ફૂલ્યા હોય (મોટા આંતરડામાં વાયુ ભરાયો હોય) તો તે મટે છે. (૨) સરગવાની છાલનો રસ ૧ ગ્રામ, આદુનો રસ ૧/૨ ગ્રામ અને મધ પ ગ્રામ એકત્ર કરી સાત દિવસ પીવાથી નળબંધ વાયુ મટે છે.
નાકના રોગો
નાકમાં ફોડલી, નાકની શુષ્કતા, નાકની આદ્રતા કે નાકનું બીજું કોઈ પણ દર્દ હોય તો થોડા દિવસ ઉપવાસ કરવાથી દર્દ નાશ પામે છે. નાક સંબંધી ગંભીર મોટી બીમારી માટે આ સલાહ નથી પણ નાની અટપટી તકલીફ માટે આ સલાહ છે. નIક બંધ થઇ જવું (૧) મરી કે અજમો નાખી ગરમ કરેલું તેલ નાકમાંનાખવાથી, સુંઘવાથી કે નાકે ચોળવાથી બંધ થઈ જતું નાક ખૂલે છે. (૨) કપુર, નવસાર અને ચણા ભેગાં કરી અતિ બારીક પાઉડર બનાવી કાચની શીશીમાં બંધ કરી રાખી મૂકવું નાક બંધ થઈ માથું દુ:ખતું હોય તો જરૂર મુજબ દિવસમાં આઠ-દસ વખત શીશી ખૂબ હલાવી ખોલીને ઊંડા શ્વાસ લઈ સૂંઘવું. (૩) નીલગિરિનાં ટીપાં રૂમાલમાં નાખી સુંધતાં રહેવાથી બંધ થઈ ગયેલું નાક ખૂલી જાય છે. નાના બાળકનું નાક બંધ થઈ ગયું હોય તો નીલગિરિનાં ટીપાં નાખેલ રૂમાલ બાળકના કોલરમાં ભેરવી દેવો. નIકમાંથી લોહીં ડુંગળી કચરી તેનો રસ સુંઘાડવાથી અથવા નાકમાં તેનાં ટીપાં પાડવાથી નાકમાંથી પડતું લોહી બંધ થાય છે.
નાભિ ખસી જાય (પેચુટી પડે) (૧) દર્દીને ચત્તો સુવડાવી નાભિની ચારે બાજુ સુકાં આમળાંનો લોટ આદુનો રસ મેળવી બાંધી દેવો. બે કલાક ચત્તો સુવડાવી રાખવો. દિવસમાં બે વાર આ પ્રમાણે કરવું અને મગની દાળની ખીચડી સિવાય કશું ન આપવું. દિવસમાં એકવાર આદુનો રસ આપવો. (૨) મોગરાના પાંદડાનો રસ દૂધમાં મેળવી પીવાથી પિચોટી ખસવાથી ખૂબ ઝાડા થઈ ગયા હોય તો તે મટે છે.
નાસૂર લસણ, ખાંડ અને સિંધવ સરખા ભાગે મેળવી, ચાટણ કરી, તેમાં બમણું થીજાવેલું ધી મેળવી ચાટવાથી નાસૂર મટે છે.
નીલમેહ એક ચમચી પીપળાના મૂળની છાલનો ભૂકો એક ગલાસ પાણીમાં નાખી નેત્રમણિ મોતિયાનો
નેત્રમણિ કાઢી નાખ્યા પછી એની કોથળીમાં સીલીકોન જેલ મૂકવામાં આવે છે. તે આંખની ગરમીથી અનુકૂળ આકાર લઈ લે છે અને દૂર અને નજીક બંનેમાં જોવામાં મદદરૂપ થાય છે. આથી ચશમાની જરૂર પછી રહેતી નથી.
પગની તકલીફ
પગના વાઢીયા –ચીરા (૧) પગમાં ચીરા પડયા હોય અને કેમેય મટતા ન હોય તો આ ચીરામાં વડનું દૂધ ભરવું. (૨) શરીરમાં વાયુ વધવાથી અને રુક્ષતાને લઈને પગમાં ચીરા પડે છે. રાળ, ગુગળ, સિંધવ, ગેરુ, ગોળ, ધી, મીણ અને મધ દરેક ૧૦-૧૦ ગ્રામ લઈ ધીમા તાપે ઉકાળવું ઠંડુ પડયે બરણીમાં ભરી લેવું સવારે અને રાત્રે ગરમ પાણીથી પગ ધોઈ આ મલમ લગાડી પાટી બાંધી દેવો. પાણીમાં કે કીચડમાં ચાલવું નહિ. બૂટ પહેરી રાખવા, વાયુની વૃદ્ધિ કરનાર આહારવિહારનો ત્યાગ કરવો. ઉપવાસ, એકટાણા, ઉજાગરા કરવા નહિ. (3) દિવેલમાં કડવા લીમડાની લીંબોળી નીચોવી, ખબ હલાવી, એકરસ કરી ચોપડવાથી પગમાં પડેલા ચીરા ઝડપથી મટે છે. પગની કણી (૧) પગની કણીને કપાસી પણ કહે છે. પગમાં કણી વધ્યા પછી ઘણી ત્રાસદાયક બને છે. કણીને ગરમ પાણીથી બરાબર સાફ કરી સ્વચ્છ બલેડ વડે થોડી કાપીને થોરના દૂધનાં ચારથી પાંચ ટીપાં કે બાવચીના તેલનાં ટીપાં મૂકી પાટી બાંધી દેવો. ચાર દિવસ સુધી આ પાટાને ખોલવો નહિ. ચોથા દિવસે પાટી છોડી ગરમ પાણી વડે સાફ કરી ફરી એ જ પ્રમાણે બાંધી દેવો. દર ચોથા દિવસે એક એવા સાત-આઠ પાટા બાંધવાથી ધીમે ધીમે કણી ઉપર આવી બહાર નીકળી જશે. (૨) નાહ્યા પછી પગની કણીની ચામડી પોચી પડી જાય ત્યારે નળિયાથી, ઠીકરાથી, લાકડાના ટૂકડાથી કે ઈટથી દસ-પંદર મિનિટ હળવે-હળવે ઘસવાથી કણી મટી જાય છે.ધીમે તાપે ઉકાળવું. જ્યારે એક કપ જેટલું પાણી બાકી રહે ત્યારે ઠંડુ પાડી ગાળીને સવાર-સાંજ તાજો બનાવીને પીવાથી નીલમેહ મટે છે. નીલમેહમાં પેશાબ નીલ રંગનો થાય છે. પગની અડીનો દુઃખાવો (૧) ગરમ પાણીમાં એક-બે ચમચી નમક અથવા બોરીક પાઉડર નાખી તેમાં પગની એડી સવાર-સાંજ રાખી મૂકવી. અ:ા પાણીમાં પગ રાખ્યા પછી બંને પગના અ:ાગલા પંજાનાં અહિંગળાં પર શરીરનું બધું વજન મૂકી એડીનો ભાગ ધરતીથી નીચો રાખીને ચાલવાની પ્રેક્ટીસ કરવી. પગની એડીનો દુ:ખાવો દૂર કરવાનો આ ખાતરી પૂર્વકનો સચોટ ઉપાય છે. (૨) પગની એડીમાં થતા દુખાવાનું કારણ વા છે. એ માટે નગોડનાં પાન બસો-ત્રણસો ગ્રામ બરાબર ધોઈ નાના નાના ટુકડા કરવા. એને દોઢ ગલાસ પાણીમાં ઉકાળવા. પાણી બળીને અડધું થઈ જાય ત્યારે એક કપ તલનું તેલ અને ૮-૧૦ લસણની પીસેલી કળી નાખવી. બધું પાણી ઊડી જાય ત્યાં સુધી ઉકાળવું તૈયાર થયેલા તેલને કપડાથી ગાળી બોટલમાં ભરી લેવું રાત્રે સુવાના સમયે સહેજ ગરમ પાણીમાં પગ બોળી રાખવા. ૧૫-૨૦ મિનિટ બાદ કપડાથી પગ લછી પગની એડી પર તેલનું હળવા હાથે માલિશ કરવું એકાદ માસ નિયમિત આ પ્રમાણે કરવાથી દુ:ખાવો દૂર થશે. ---હેલ્થકેર, ૧-૧૫ એપ્રિલ ૧૯૯૭.
પગની અડીમાં થતી પીડા વાતકંટક નામના રોગમાં એડીનું લાંબું હાડકું અણીની જેમ વધે છે, આથી સહી ન શકાય તેવો દુ:ખાવો થાય છે. એ માટે ઘી, તેલ, મીઠાઈ સંપૂર્ણ બંધ કરવાં. રોજ રાતે કે પરોઢિયે એક ચમચી દિવેલમાં જરાક શેકેલી મેથીનું જાડું ચૂર્ણ એક એક ચમચી પાણી સાથે લેવું. સવારે અને સાંજે એડીને વસ્ત્રથી ઢાંકી ગરમ કરેલી રેતીની પોટલીથી શેક કરવો. આ ઉપચાર બેત્રણ મહિના સુધી કરવો.
પગમાં થતી કળતર (૧) ડુંગળીનો રસ પ ગ્રામ, ગાયનું ધી પO ગ્રામ, મધ પ ગ્રામ અને આદુનો રસ પ ગ્રામ મેળવી પીવાથી રાત્રે થાક લાગીને પગમાં થતી કળતર બંધ થાય છે. (૨) મેથીની કાચી ભાજી અથવા મેથીની ભાજીનું શાક દરરોજ ખાવાથી પગમાં થતી કળતર મટે છે.
પગનો સોજો ગરમ પાણી પગ પર રેડવાથી પગનો સોજો ઉતરે છે.
પડખાના શૂળ ૦.૨ થી ૧ ગ્રામ શેકેલી હિંગ થોડા ગરમ પાણીમાં મેળવી ધીમે ધીમે પીવાથી પડખાનું શૂળ, સ્વરભેદ, જૂની ઉધરસ, સળેખમ, મળાવરોધ વગેરેમાં ફાયદો થાય છે.
પથરી
(૧) કાકડીનાં બી અને કબૂતરની હગાર વાટી ચોખાના ઓસામણમાં લેવાથી પથરી નીકળી જાય છે. (૨) કોળાનો રસ હિંગ અને જવખાર મેળવી પીવો પથરી પર ગુણકારી છે. (3) પાલખના પાનનો રસ અથવા કવાથ લેવાથી પથરી ઓગળી જાય છે, અને મૂત્રવૃદ્ધિ થઈને પથરીના કણ બહાર નીકળી જાય છે. (૪) મૂળાના પાનના રસમાં પોટેશ્યમ નાઇટ્રેટ નાખી પીવાથી પથરી મટે છે. (૨) મૂળાનાં ૪૦ ગ્રામ બીને ૨૫૦ મિ.લિ. પાણીમાં ઉકાળી અર્ધ પાણી બાકી રહે ત્યારે પીવાથી પથરી મટે છે. (પ) લીંબુના રસમાં સિંધવ મેળવી કેટલાક દિવસ સુધી નિયમિત પીવાથી પથરી ઓગળી જાય છે. (૬) વગણનું શાક ખાવાથી પેશાબની છૂટ થઈ શરૂઆતની નાની પથરી ઓગળી જાય છે. (૭) સકરટેટી કે ચીભડાનાં બીની મીજને પાણીમાં પીસી, ગાળીને પીવાથી પથરી મટે છે. (૮) હળદર અને જૂનો ગોળ છાસમાં મેળવી પીવાથી પથરીમાં ફાયદો થાય છે. (૯) ૧ ચમચી અશ્વગંધા પાઉડર તાજી મોળી છાસ સાથે નિયમિત સવાર, બપોર, સાંજ લેવો. અશ્વગંધાનાં સૂકવેલાં મૂળિયાં એ જ નામે બજારમાં આખાં તેમજ પાઉડરના રૂપે મળે છે. (૧૦) સરગવાના મૂળનો કાઢો કરી પીવાથી પથરી તટે છે. (૧૧) ગોખરુનું ચૂર્ણ મધમાં પીવાથી પથરી ઓગળી જાય છે. (૧૨) પથરી અને સોજામાં જવ ફાયદો કરે છે. આશરે ૧૦૦ ગ્રામ જવને અધકચરા ખાંડી, બે ગ્લાસ જેટલા પાણીમાં ચાર પાંચ ઊભરા આવે ત્યાં સુધી ઊકાળવું ઠંડુ પડે ત્યારે એને ગાળીને પી જવું. એને બાલી વૉટર કહે છે. આ બાલીં વૉટર સવાર-સાંજ તાજું બનાવીને પીવાથી થોડા દિવસમાં મૂત્ર માર્ગની પથરીમાં રાહત થાય છે. મૂત્રાવરોધ, મૂત્રકર્ષ, મૂત્રદાહ અને મૂત્રમાં થતો રક્તસાવ મટે છે. તૃષા, ઉલટી, ઝાડા, ગેસ વગેરેમાં ફાયદો થાય છે. (૧૩) દરરોજ સવારે નરણા કોઠે ૧૦-૧૨ કાજુ ચાવીને ખાવાથી પથરી મટે છે. અન્ય ચિકિત્સાની સાથે સહાયક ચિકિત્સા તરીકે પણ આ કરી શકાય. (૧૪) બીજોરા લીંબુનો રસ સિંધવ મેળવી દિવસમાં ચારેક વખત પીવાથી પથરી ત્ટીને બહાર નીકળી આવે છે. આ રસ થોડું પાણી ઉમેરીને પણ લઈ શકાય. (૧૫) નાના અને મોટાં બંને જાતનાં ગોખરું, પાષાણભેદ, સાગનાં બીજ, કાકડીની મીજ, સાટોડી:ાનં મૂળ, ભોંયરીંગણીનાં મૂળ અને ગળો દરેક સો-સો ગ્રામ અધકચરાં ખાંડી, તેમાંથી બે ચમચી ભૂકો બે ગ્લાસ પાણીમાં એક કપ બાકી રહે ત્યાં સુધી ઉકાળી, ગાળીને ઠંડુ કરી પીવાથી મૂત્રમાર્ગની પથરી તેમ જ મૂત્રમાર્ગ અને કીડનીના રોગો મટે છે. (૧૬) સરગવો, ગોખરું, કાકડી અને ચીભડાનાં બીજ સો-સો ગ્રામ, તથા ભોંયરીંગણી, જવ, સાટોડી શેરડીનાં મૂળ અને ધરીનાં મૂળ પચાસ-પચાસ ગ્રામ એક સાથે ખાંડી સવારે અને રાત્રે ચાર કપ પાણીમાં એક ચમચી છૂર્ણિ નાખી ઉકાળી એક કપ જેટલું બાકી રહે ત્યારે ઉતારી સહેજ ગરમ હોય ત્યારે ધીમે ધીમે પી જવું. આ ઉકાળો દરરોજ તાજો બનાવી નિયમિત રીતે ત્રણ-ચાર મહિના પીવાથી વટાણાના દાણા જેવડી પથરી પણ ધીમે ધીમે ઓગળી ખસીને મૂત્રમાર્ગની બહાર ફેંકાઈ જાય છે. મૂત્રમાર્ગના બીજા ઘણા રોગોમાં પણ આ ઉકાળો ફાયદાકારક છે. એમાં જરૂરી પરેજી પાળવી પણ ખૂબ અગત્યની છે. દોઢ-બે મહિના બાદ નવાં ઔષધો લાવી ફરીથી ઉપરોક્ત મિશ્રણ બનાવી લેવું. (૧૭) જાંબુડાંની અંદરની છાલ તથા એના ઠળિયાનું ચૂર્ણ પ-પ ગ્રામ દિવસમાં ત્રણ વાર પાણી સાથે લેવાથી પથરી ત્ટી જાય છે. (૧૮) એખરાના મૂળનો ઉકાળો પીવાથી પેશાબની પથરી ત્ટે છે. (૧૯) નાળિયેરના પાણીમાં લીંબુનો રસ મેળવી રોજ સવારે પીવાથી પથરી દૂર થઈ જાય છે. (૨૦) લીમડાની અંતરછાલનો ઉકાળો દિવસમાં ત્રણ વખત નિયમિત પીવાથી કીડનીની પથરીનું દર્દ નરમ પડે છે. (૨૧) વરણાની છાલ, પષાણભેદ, સુંઠ અને ગોખરું સમાન ભાગે ખાંડી એક ચમચી ભૂકાનો ઉકાળો બનાવી જવખાર મેળવી સવાર-સાંજ પીવાથી પથરી અને મૂત્રશર્કરા મટે છે.
પરસેવો વધુ પડતો (૧) શરીરે વધુ પડતો પરસેવો થતો હોય તો
નાગકેસર(નાના નાના ગોળ દાંડીવાળા દાણા)નો પાઉડર બનાવી દરરોજ એક એક ચમચી પાણી સાથે લેવાથી લાંબા ગાળે લાભ થાય છે. (૨) બજારમાં મળતું રસોત દરરોજ સવાર-સાંજ પ-પ ગ્રામ જેટલું પાણી સાથે લેવાથી વધુ પડતો પરસેવો થતો હોય તે મટે છે (3) બે લીટર પાણીમાં બે ચમચા મીઠું અથવા સરકો નાખી ૧૦ મિનિટ સુધી હાથ ડૂબાડી રાખવાથી હાથમાં થતા પરસેવાની ફરિયાદ મટે છે. પરસેવાનો અભાવ (૧) ખૂબ પરિશ્રમ કરવા છતાં પરસેવો થતો ન હોય તો આંકડાના મૂડૂળની છાલનો ૧-૧ ચમચી બારીક પાઉડર સવાર-સાંજ પાણી સાથે લેવાથી પરસેવો થવા લાગે છે. (૨) સૂકાં કસુંબીનાં ફૂલ ગરમ કરી ગરમ ગરમ જ પાણી સાથે ખાવાથી જેમને પરસેવો બિલકુલ ન થતો હોય તેમને એ તકલીફ મટે છે.
પરસેવાની દુર્ગધ (૧) ચણાનો લોટ પાણીમાં મેળવી, શરીરે ચોળી સ્નાન કરવાથી પરસેવાની દુર્ગધ દૂર થાય છે. (૨) પરસેવો ઓછો આવતો હોય, વાસ મારતો આવતો હોય, પરસેવાના પીળા ડાઘા કપડાં પર રહી જતા હોય તો વડનાં પાકાં પીળાં પાંદડાંનો ઉકાળો કરી પીવો. (૩) આમલીના કચૂકાનાં મીંજ અને આમલીનાં ફૂલ પાણીમાં વાટીને શરીરે ચોપડવાથી ખૂબ પરસેવો વળતો હોય અને શરીરમાંથી દુર્ગધ નીકળતી હોય તો તે મટે છે. (૪) લીમડાના પાનના ઉકાળાથી દિવસના ૩-૪ વાર બગલ સાફ કરતા રહેવાથી પરસેવાની વાસ મટે છે.
પાચન (જુઓ અજીર્ણ-અપચો) (૧) આદુનો રસ, લીંબુનો રસ અને મીઠું મેળવી સવાર-સાંજ પીવાથી પાચનક્રિયા બળવાન બને છે. (૨) આમલી, દ્રાક્ષ, મીઠું, મરચું, આદુ વગેરે નાખી બનાવેલી ખજુરની ચટણી ખાવાથી ખોરાકનું પાચન થાય છે. (3) થોડી માત્રામાં રાઈ લેવાથી આહારનું પાચન થાય છે, જઠરાગિન પ્રદીપ્ત થાય છે. (૪) પાકી સોપારી ખાવાથી અન્નનું પાચન થાય છે. (પ) વરિયાળી શેકી, તેમાં જરૂર પ્રમાણે મીઠું અને લીંબુનો રસ મેળવી ભોજન કર્યા બાદ ખાવાથી મુખશ્રુદ્ધિ થાય છે અને ખોરાકનું પાચન થાય છે. (૬) લીંબુનો રસ એક ભાગ અને ખાંડની ચાસણી છ ભાગમાં લવિંગ અને મરીનું ચૂર્ણ નાખી શરબત કરી પીવાથી જઠરાગિન પ્રદીપ્ત થાય છે, રુચિ ઉત્પન્ન થાય છે અને ખોરાકનું પાચન થાય છે. (૭) પ ગ્રામ ધાણા પાણીમાં ઉકાળી તેમાં દૂધ અને ખાંડ નાખી દરરોજ સવારે પીવાથી પાચનક્રિયા સુધરે છે. (૮) પપૈયું ખાવાથી પાચનક્રિયા સુધરે છે. (૯) સફરજનને અંગારામાં શેકીને ખાવાથી અતિ બગડી ગયેલી પાચનક્રિયા સુધરે છે. (૧૦) કોળાનો અવલેહ (જુઓ અનુક્રમ) ખાવાથી પાચનશક્તિ સુધરે છે. (૧૧) તાજો ફુદીનો, ખારેક, મરી, સિંધવ, હિંગ, કાળી દ્રાક્ષ અને જીરુંની ચટણી બનાવી તેમાં લીંબુનો રસ નીચોવી ખાવાથી પાચનશક્તિ તેજ થાય છે. (૧૨) આફરો, ઊબકા, ઉલટી, ખાટા ઓડકાર, વાયુ, મોળ, પેટમાં ચક, અપચો, પચ્યા વગરના ઝાડા વગેરે હોય તો ૧૦ ગ્રામ મેથી અને ૧૦ ગ્રામ સુવાને અધકચરા ખાંડી થોડા શેકી જમ્યા પછી અડધીથી એક ચમચી ખૂબ જ ચાવીને સવાર-સાંજ ખાવાથી રાહત થાય છે. (૧૩) મધ, દિવેલ અને આદુનો રસ મેળવી દશેક ગ્રામ રોજ સવારે એક અઠવાડિયું સેવન કરવાથી અપચો મટે છે.
પાયોરિયા (૧) દાંત દુખતા હોય, દાંતમાં કૃમિ થયા હોય, દાંત હાલતા હોય,પેઢાં પાકી ગયાં હોય કે સડી ગયાં હોય, તેમાંથી પરું નીકળતું હોય, મોં ગંધાતું હોય, પાયોરિયા નામનો રોગ થયો હોય તો ભોંયરીંગણીના બીનો પ્રયોગ કરવો. (૨) સરસવના તેલમાં નમક કે સિંધવ ભેળવી દિવસમાં ચાર-પાંચ વાર દર બે કલાકને અંતરે મંજન કરવું. મંજન બાદ સાદા પાણીથી કોગળા કરવા. આ પ્રયોગ એટલો બધો અસરકારક છે કે થોડા જ દિવસોમાં દાંત મજબૂત થાય છે અને પાયોરિયા નાબૂદ થઈ જાય છે. (3) કાચી કોબીજ ખૂબ ચાવી ચાવીને ખાવાથી પાયોરિયા નાબૂદ થાય છે. (૪) લીમડાના પાનની રાખમાં કોલસાનો ભૂકો તથા કપુર મેળવી રોજ રાત્રે પેઢા પર લગાવીને સૂવાથી પાયોરિયામાં લાભ થાય છે. (૫) દાંત દૂઃખતા હોય, હાલતા હોય, પેઢામાંથી પરુ નીકળતું હોય- એટલે કે પાયોરિયા થયો હોય તો વડનું દાતણ કરવું. વડના દાતણનો કૂચો કરી દાંત અને પેઢા ઉપર ખૂબ ઘસવું લાંબો સમય વડનું દાંતણ ચાવ્યા કરવું. આવી સ્થિતિમાં વડવાઈનું દાતણ પણ ખૂબ ચાવીને કરવું તથા પેઢા ઉપર ઘસવું. વડની છાલ, તેનાં પાન કે વડવાઈનો ઉકાળો કરી મોંમાં ભરી રાખવો.
પાર્કિન્સન વિશેષ પ્રમાણમાં શારીરિક શ્રમ કરવાથી, વધુ પડતી કસરત કરવાથી,કંઈક આઘાત લાગવાથી, મૂઢ માર લાગવાથી, ઉજાગરાથી, ઉપવાસથી, અતિ મૈથુનથી, ધાતુઓના ક્ષયથી તથા મળાદિના વેગોને રોકવાથી સમગ્ર શરીરની નાડીઓમાં ફરતો વાયુ વિકૃત થઈ શરીરમાં કંપન-ધ્રુજારી પેદા કરે છે. સર્વ પ્રથમ દર્દીને આમદોષ દૂર કરવા એક-બે ઉપવાસ કરાવવા. ત્યાર બાદ લધુ પોષક આહાર પર એક બે સપ્તાહ રાખવો. આ માટે બે ચિકિત્સા છે-ઔષધ અને પંચકર્મ. ઔષધ : મહારાસ્નાદિ કવાથ ર0 MD સાથે શુદ્ધ એરંડિયુ ૧૦ ગ્રામ રોજ સવારે આપવું. (૨) બૂહત વાત ચિંતામણી રસ ૧ ગોળી, એકાંગવિર રસ ૨ ગોળી, ખજનીકારી રસ ર ગોળી વાટી મધ સાથે સવાર-સાંજ આપવી. (3) ચયોદશાંગ ગુગળ ૨ ગોળી ત્રણ વખત ભુકો કરીને પાણી સાથે (૪) એરંડવમ્સ હરિતકી 3 ગ્રામ રોજ રાત્રે સુતી વખતે. પંચકર્મ: દર્દીને રોજ સવારે આખા શરીરે નિગુડી તેલ કે બલા તેલને ગરમ કરી એક કલાક માલીશ કરવું. ત્યાર બાદ નગોડના પાનનો બાફ આખા શરીરે આપવો. - ---પ્રબોધપુરી ડી ગોસ્વામી.
પાંડુરોગ (૧) લોઢાની કડાઈમાં કાળાં મરી નાખી ઉકાળેલું દૂધ પીવાથી પાંડુરોગમાં લાભ થાય છે. આ પ્રયોગ હિમોગ્લોબીનની ઉણપ દૂર કરે છે. (૨) તાજાં આાંમળાંનો 90 ગ્રામ રસ અને ૨૫ ગ્રામ મધ મેળવી પીવાથી પાંડુરોગમાં લાભ થાય છે. (3) લોખંડની કડાઈમાં બનાવેલાં શાક અને લોખંડની વાટકીથી છમકારેલ દાળ ખાવાથી પાંડુરોગ થતો નથી.
પાંસળીનો દુ:ખાવો દરરોજ ચાર-પાંચ નંગ નારંગી દર ત્રણ કલાકે એક એ રીતે ખાવાથી પાંસળીનો દુ:ખાવો મટે છે. બજારમાં નારંગીનો પાઉડર મળતો હોય તો તે પણ ૧-૧ ચમચો દિવસમાં ૩-૪ વખત લઈ શકાય. નારંગી છોલીને તડકે અથવાછાંયડે સૂકવી પાઉડર બનાવી શકાય.
પિત્ત
(૧) કોકમ, એલચી અને સાકરની ચટણી બનાવી ખાવાથી પિત્ત મટે છે. (૨)કારેલીના પાનનો રસ લેવાથી ઊલટી અથવા રેચ થઈ પિત્તનો નાશ થાય છે. એનો ઉતાર ધી અને ભાત છે. (3) પિત્તમાં દાડમ સારું છે. એ હૃદય માટે હિતકારી છે. દાડમનો રસ ઊલટી બેસાડે છે. સગર્ભાની ઊલટી પણ મટાડે છે. દાડમ ખૂબ શીતળ છે. (૪) બીજ વગરની કાળી દ્રાક્ષ પO ગ્રામ અને હરડેનું ચૂર્ણ ૧૦૦ ગ્રામને ખૂબ લસોટી એક ચમચી જેટલા અ:ા મિશ્રણની મોટી મોટી ગોળીઓ વાળી લેવી. એક કપ પાણીમાં એક ગોળી ૨૦ થી ૨૫ મિનિટ પલાળી રાખવી. પછી તેને પાણીમાં ખૂબ મસળી સવારે પી જવું. શરીરમાં ઉત્પન્ન થયેલા અનેક વિકારો- કબજિયાત, ગેસ, જવર, મળની દુર્ગધ, હૃદયરોગ, લોહીના વિકારો, ત્વચાના રોગો, ઉધરસ, કમળો, અરુચિ, પ્રમેહ અને મંદાગિન જેવા રોગોમાં ઉત્તમ પરિણામ અ:ાપે છે. (પ) ૧ લીટર પાણીમાં ૧ થી ૧:ા:ા ચમચી સુકા (જૂના) ધાણા નાખી ઉકાળી ૧ ભાગ બાળી 3 ભાગ બાકી રહે ત્યારે ઠારી, નિતારી ગાળી લો. અ:ા પાણી એકદમ ઠંડુ બને છે. તેથી તે પિત્તદોષ કે ગરમીથી પિડાતા કે પિત્તની તાસીરવાળા લોકોને માફક અ:ાવે છે. અ:ાવું પાણી ગરમી-પિત્તનો તાવ, દાહ-બળતરા, પિત્તની ઉલટી, ખાટા ઓડકાર, અમલપિત્ત, હોજરીનાં ચાંદાં, લોહી દૂઝતા કે દાહ-સોજાવાળા હરસ, નેત્રદાહ, નસકોરી ફૂટવી, રક્તસાવ, મરડો, ગરમીના પીળા પાતળા ઝાડા, ગરમીનો સૂકો દમ, ખૂબ વધુ પડતી તરસ જેવાં દર્દીમાં લાભપ્રદ છે. વધુ લાભ માટે અ:ા પાણીમાં સાકર નાખીને પીવું. જે લોકો કેફી-માદક ચીજોના વ્યસનથી શરીરને વિષમય બનાવે છે તેમને માટે પણ આવું જળ વિષનાશક હોઈ લાભપ્રદ છે (૬) કોઠાનાં પાનની ચટણી બનાવી પિત્તનાં ઢીમણાં પર લગાડવાથી અ:િારામ થાય છે. (૭) અ:ામલી પિત્તશામક તથા વિરેચક છે. ઉનાળામાં પિત્તશમન માટે અ:ામલીના પાણીમાં ગોળ મેળવી પીવાથી લાભ થાય છે. અ:ામલીથી દસ્ત પણ સાફ અ:ાવે છે. (૮) ટામેટાના રસ કે સૂપમાં સાકર મેળવી પીવાથી પિત્તજન્ય વિકારો મટે છે. (૯) અળવીનાં કૂણાં પાનનો રસ જીરુંની ભૂકી મેળવી આપવાથી પિત્તપ્રકોપ મટે છે. (૧૦) આમલીને તેનાથી બમણા પાણીમાં ચાર કલાક ભીંજવી રાખી, ગાળી, ઉકાળી, અર્ધ પાણી બાકી રહે ત્યારે ઉતારી, તેમાં બમણી સાકરની ચાસણી મેળવી, શરબત બનાવી ર0થી પO ગ્રામ જેટલું રાત્રે પીવાથી પિત્તપ્રકોપ મટે છે. (૧૧) ચીકુને આખી રાત માખણમાં પલાળી રાખી સવારે ખાવાથી પિત્તપ્રકોપ શાંત થાય છે. (૧ર) તાજા દાડમના દાણાનો રસ કાઢી ખડી સાકર નાખી પીવાથી ગમે તે પ્રકારનો પિત્તપ્રકોપ શાંત થાય છે. (૧૩) પાકાં કેળાં અને ધી ખાવાથી પિત્તરોગ મટે છે. (૧૪) જામફળનાં બી. પીસી પાણી સાથે મેળવી ખાંડ નાખી પીવાથી પિત્તવિકાર મટે છે. (૧પ) જાંબુડીની છાલનો રસ દૂધમાં મેળવી પીવાથી ઊલટી થઈ પિત્તવિકાર મટે છે. (૧૬) આમળાનો રસ પીવાથી પિત્તના રોગો મટે છે. (૧૭) દૂધપાક, ખીર, માવાની બનાવટો, ગળ્યા પદાર્થો, માલપૂડા, પેડા, ઘીની વાનગીઓ યોગ્ય પ્રમાણમાં લેવાથી પિત્તનું શમન થાય છે.
પીઠનો દુ:ખાવો (૧) તાલ વાટેલા રO ગ્રામ, ગોળ ૮0 ગ્રામ અને સુંઠ 3 ગ્રામ દૂધમાં દિવસમાં બે વાર લેવાથી પીઠનો દુ:ખાવો ત્રણ દિવસમાં ગાયબ થઈ જાય છે. (૨) તલના તેલમાં સુંઠનું ચૂર્ણ નાખી ગરમ કરી માલિશ કરવાથી પીઠનો દુ:ખાવો મટે છે.
પીનસ (સળેખમ) ફુદીનાના રસનાં ટીપાં નાકમાં પાડવાથી પીનસમાં ફાયદો થાય છે.
પીળિયો (૧) કેળાની છાલને થોડી હટાવી એમાં એક ચણા જેટલો પલાળેલો ચૂનો
લગાવી આખી રાત ઝાકળમાં મૂકવું. સવારે એ કેળાનું સેવન કરવાથી પીળિયામાં લાભ થાય છે. (૨) આંકડાના ૧ ગ્રામ મૂળને મધ સાથે ખાવાથી અથવા ચોખાના ધોવાણમાં ઘસીને નાકમાં તેનાં ટીપાં નાખવાથી પીળિયામાં લાભ થાય છે. (3) પાંચ ગ્રામ સાકર અને પાંચ ગ્રામ સુરોખાર લીંબુના રસમાં લેવાથી માત્ર છ દિવસમાં પીળિયામાં લાભ થાય છે. સાથે ગળોનો ઉકાળો પીવો જોઈએ. (૪) આમળાં, સુંઠ, મરી, પીપર, હળદર અને ઉત્તમ લોહભસ્મ બધાંને સરખી માત્રામાં લઈ મિશ્રણ કરો. દોઢ ગ્રામ જેટલું ચૂર્ણ દિવસમાં ત્રણ વાર મધ સાથે લેવાથી પીળિયાનો ઉગ્ર હુમલો પણ ૩ થી ૭ દિવસમાં શાંત થઈ જાય છે. પloોટ(માં પથ્થ- માત્ર ચણા જ ખાવા. શેરડી છોલી ટૂકડા ઝાકળમાં રાખી સવારે ખાવાથી લાભ થાય છે.
પુરુષત્વ (૧) ધોળી ડુંગળીનો રસ, મધ, આદુનો રસ અને ધી ૧૦-૧૦ ગ્રામ લઈ,એકત્ર કરી ર૧ દિવસ સુધી રોજ સવારે પીવાથી પુરુષત્વ પ્રાપ્ત થાય છે. (૨) ૧ ભાગ મધ, ૨ ભાગ ડુંગળીનો રસ અને દોઢ ભાગ આદુનો રસ સવાર-સાંજ નિયમિત લેવાથી પુરુષત્વ પ્રાપ્ત થાય છે. રસનું કુલ પ્રમાણ જરૂર મુજબ નક્કી કરવું.
લઈ શકાય. એમાં સૌથી વધુ અસરકારક મગનું પાણી છે. પેal(બમાં પટ્ટ પેશાબમાં પરુ જતું હોય તેવો યુરિન-રિપોર્ટ આવે તો સાદડની છાલનો ઉકાળો કરીને સવારસાંજ ૪૦-૪૦ ગ્રામ પીવાથી પેશાબમાં આવતું પરું મટે છે. પ્રમેહ સમાન ભાગે
મૂળાના પાનનો રસ અને મધ લેવાથી પ્રમેહનું પ્રમાણ ઘટે છે. પ્રમેહ એટલે પેશાબ ચોખમો ન હોવો તે.
પૌષ્ટિકતા આંબળાં, ગાજર અને સફરજનના મુરબ્બાને મિક્ષચરમાં એક સાથે વાટી લો. ચટણી જેવું બને એટલે એમાં કાકડીનાં, તરબૂચનાં અને સક્કરટેટીનાં બીજ મેળવીને મૂકી રાખો. આનું રોજ સેવન પૌષ્ટિકતા આપે છે.
પ્રદર (૧) એક પાકું કેળું પ ગ્રામ ધી સાથે સવાર-સાંજ ખાવાથી સ્ત્રીઓનો પ્રદર રોગ અઠવાડિયામાં મટે છે. (૨) કેળનાં કુમળાં પાનને બારીક વાટી દૂધમાં ખીર કરીને પીવાથી પ્રદર મટે છે. (3) પાકાં કેળાં, આમળાંનો રસ અને સાકર એકત્ર કરી પીવાથી પ્રદર અને સોમરોગ(બહુમૂત્રરોગ) મટે છે. (૪) 3 ગ્રામ મેથીનું ચૂર્ણ થોડા ગોળ તથા ઘી સાથે સવાર-સાંજ ચાવીને ખાવાથી તથા મેથીના લોટની પોટલી બનાવી યોનિમાં રાખવાથી પ્રદર રોગમાં ફાયદો થાય છે. (પ) આમળાનું ચૂર્ણ સાકર સાથે ખાવાથી પ્રદર મટે છે. (૬) આંબાની અંતરછાલનો ૪૦૦ ગ્રામ પાણીમાં ઉકાળો કરી પO ગ્રામ બાકી રહે ત્યારે ગાળી પીવાથી પ્રદર મટે છે. (૭) આંબાની ગોટલીનું ચૂર્ણ મધમાં લેવાથી રક્તપ્રદર મટે છે. (૮) કોળાનો અવલેહ (જુઓ અનુક્રમ) ખાવાથી પર દર મટે છે. (૯) જાંબુડીની છાલનો કવાથ મધ મેળવી પ-૭ દિવસ સુધી દિવસમાં બે વાર લેવાથી પ્રદર મટે છે. (૧૦) જાંબુડીના મૂળને ચોખાના ઓસામણમાં ઘસી. ૧-૧ ચમચી સવાર-સાંજ લેવાથી જૂનો પ્રદર મટે છે. (૧૧) દાડમના ફળની છાલ ચોખાના ઓસામણમાં લેવાથી પ્રદર રોગમાં ફાયદો થાય છે. (૧ર) રાયણનાં પાન અને કોઠીનાં પાન વાટી કલક કરી, ઘીમાં શેકી ખાવાથી પ્રદર મટે છે. (૧૩) રાયણનાં પાનનો રસ સ્ત્રીઓના ધાતુસાવ (પ્રદર)માં ફાયદો કરે છે. (૧૪) સ્ત્રીઓના પ્રદરમાં કોઠા તથા વાંસનાં પાંદડાંનું ચૂર્ણ મધમાં લેવાથી સારો ફાયદો થાય છે. (૧૫) રાયણનાં પાન દૂધમાં વાટી કલક કરી, ૧૦ ગ્રામ કલક ધીમાં શેકી સવાર-સાંજ ખાવાથી થોડા જ દિવસમાં પિત્તપ્રદર મટે છે.
પ્રમેહ વારંવાર ઘાટી, ડહોળાયેલો પેશાબ કરવા જવું પડે તેને પ્રમેહ કહે છે. (૧)અડધી ચમચી હળદર અને બે ચમચી કાળા તલ ખૂબ ચાવીને સવાર-સાંજ ખાવાથી પ્રમેહ મટે છે. (૨) હળદર અને આમળાનું સમાન ભાગે બનાવેલું ચણ એક ચમચી જેટલું સવારે અને રાત્રે લેવાથી પ્રમેહ અને પેશાબના અન્ય રોગો પણ મટે છે. (3) એલચી, અશ્વગંધા, લવિંગ, લીડીપીપર, સુંઠ, અંદન, ચણકબાબ, વાળો, વાંસકપુર, જાયફળ, હરડે, બહેડાં, આમળાં, ગળો, ગોખરું, નાગરમોથ,નાગકેસર અને શતાવરી દરેક ર0-ર0 ગ્રામ લઈ મિશ્ર કરી, ખબ ખાંડી બારીક ચૂર્ણ કરી બોટલ ભરી લેવી. એક ચમચી જેટલું આ ચૂર્ણ લેવાથી દરેક પ્રકારના પ્રમેહ મટે છે. (૪) આમળાના સ્વરસમાં હળદરનું ચૂર્ણ મેળવી મધમાં ચાટવાથી સર્વ પ્રકારના પ્રમેહ મટે છે. (પ) કાચાં કેળાં સૂકવી, ચણ બનાવી, પ ગ્રામ ચૂર્ણ દૂધ સાથે દરરોજ લેવાથી પ્રમેહ રોગમાં બહુ જ ફાયદો થાય છે. (ઉ) ભેંસના તાજા દૂધમાં વડનું થોડું દૂધ મેળવી એકથી બીજા પાત્રમાં રેડીને ઉકાળવું. આ દૂધના સેવનથી પ્રમેહ રોગ મટે છે. (૭) એક ચમચી અરણીના મૂળનો ભૂકો કરી તેનો ઊકાળો કરી સવાર-સાંજ પીવાથી વાસામેહ અને ઈક્ષમેહ (પ્રમેહના બે પ્રકાર) મટે છે. (૮) કોઈપણ પ્રકારના પ્રમેહમાં ૨૦ ગ્રામ જૂની મહેંદી (સામાન્ય ફરિયાદ હોય તો-રોગના બળાબળ મુજબ પ્રમાણ વધતું ઓછું રાખવું), ૧૦ ગ્રામ સાકર અને પ ગ્રામ નાની એલચી પાણીમાં સારી રીતે ઘૂંટી તાજુ જ પી જવું. પ્રયોગમાં સાકર હોવા છતાં મધુપ્રમેહ પણ આ પ્રયોગથી કાબૂમાં રહે છે. (૯) પ0 ગ્રામ ઘઉં રાત્રે ર00 મિલિ. પાણીમાં પલાળી રાખી, સવારે ઝીણા વાટી વસ્ત્રગાળ કરી, ૧૦ ગ્રામ સાકર મેળવી પીવાથી પ્રમેહ મટે છે.
પ્રસૂતિની પીડા ગર્ભ રહ્યાને નવમો મહિનો શરૂ થાય કે તરત દરરોજ સવારે અને રાત્રે ૧-૧ નાની ચમચી બદામનું તેલ અથવા બબ કાચી બદામ ખાવાનું ચાલુ કરી દેવાથી પ્રસૂતિ સમયની પીડા ટળે છે અને સળતાથી પ્રસૂતિ થાય છે.પ્રોસ્ટેટ(અષ્ટિલા પૌરુષ) ગ્રંથિના સોજામાં કે વૃદ્ધિમાં એક ચમચી ગોરખપુંડીના પાઉડરના એક કપ ઉકાળામાં એક ચમચી રસાયન ચૂર્ણ ઉમેરી સવાર-સાંજ નિયમિત પીવાથી ઓપરેશન વિના સારું થવાની શકયતા રહે છે. પ્રોસ્ટેટ
કેન્સર 3૫0 ગ્રામ કાળી દ્રાક્ષ અને ૨00 ગ્રામ શેકેલી મગફળી દરરોજ ખાવાથી પ્રોસ્ટેટ કેન્સરમાં લાભ થાય છે. દ્રાક્ષમાં એન્ટી ઓક્સીડન્ટ અને મગફળીમાં પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે, આથી થયેલા કેન્સરની અસર ઓછી થઈ જાય છે કે આગળ વધતું અટકી જાય છે.
ફોડલા અળવીના પાનના દાંડા બાળી તેની રાખ તેલમાં કાલવી ચોપડવાથી ફોડલા મટે છે.
 
ફ્રેક્ચર લસણને ભાંગેલાં ત્ટેલાં હાડકાંને સાંધનાર કહ્યું છે. હાડકું ત્ટયું હોય તો પાટી બાંધ્યા પછી જમતી વખતે પાંચ લસણની કળી દાળ-શાકમાં નાખી સવાર-સાંજ ખાવી.
ફ્લ્યુ (૧) તજનું તેલ બેથી ત્રણ ટીપાં એક કપ પાણીમાં મેળવી લેવાથીઈન્ફલ્યુએન્ઝામાં ફાયદો થાય છે. (૨) લસણ, ખાંડ અને સિંધવ સરખા ભાગે મેળવી, ચાટણ કરી, તેમાં બમણું થીજાવેલું ધી મેળવી ચાટવાથી ફ્લયુ મટે છે.
બરોળવુદ્ધિ (૧) કુમળાં વેંગણ અંગારામાં શેકી રોજ સવારે નરણા કોઠે ગોળ સાથે ખાવાથી જીર્ણ મેલેરિયાના તાવથી બરોળ વધી ગઈ હોય અને તેથી શરીર પીળું પડી ગયું હોય તો ફાયદો થાય છે. (૨) ખજુરની ચાર-પાંચ પેશી રાત્રે પાણીમાં પલાળી રાખી, સવારે મસળી તેમાં મધ નાખી સાત દિવસ સુધી પીવાથી બરોળની વૃદ્ધિ મટે છે. (૩) બેથી ચાર ચમચી કારેલાંનો રસ પીવાથી બરોળ વધી ગયેલી હોય તો તે નાની થાય છે. (૪) કેરીનો રસ અને મધ મેળવીને પીવાથી મેલેરિયા પછી મોટી થઈ ગયેલી બરોળ નાની થઈને પૂર્વવત બને છે. (પ) એક મોટી ડુંગળી પર કપડું વીંટી કોલસાની ભરસાડમાં બફાઈ જાય એ રીતે શેકી, તેને રાત રહેવા દઈ સવારે નરણા કોઠે નવસાર અને હળદર ૦.૩૨-૦.૩૨ ગ્રામ મેળવી ખાવાથી વધેલી બરોળ મટી જાય છે. (૬) કાચા પપૈયાનું ૧૦ ગ્રામ દૂધ સાકર સાથે મેળવી ત્રણ ભાગ કરી દિવસમાં ત્રણ વાર પાણી સાથે લેવાથી બરોળવુદ્ધિ મટે છે. (૭) લસણ, પીપરીમળ અને હરડે એકત્ર કરી ખાવાથી અને ઉપર એક ઘુંટડી ગાયનું મૂત્ર પીવાથી બરોળની વૃદ્ધિ મટે છે. (૮) સરગવાનો કવાથ સિંધવ, મરી અને પીપર મેળવીને પીવાથી બરોળની વૃદ્ધિ મટે છે. (૯) મેલેરિયા કે બીજા કોઈ પણ કારણથી બરોળ વધી જાય કે બરોળની કોઈ તકલીફ થાય તો શરપંખાના પંચાંગનું અડધી ચમચી ચૂર્ણ બે ચમચી મધ સાથે સવાર-સાંજ થોડા દિવસો લેવાથી બરોળના રોગો મટી જાય છે. શરપંખાને મૂળ સહિત ઉખેડી, સૂકવી, બારીક વસ્ત્રગાળ પૂર્ણ કરવું (૧૦) પીપર, પીપરીમ્ળ, ચવક, ચિત્રક અને સુંઠ દરેક ૧૦-૧૦ ગ્રામ તથા હરડે પO ગ્રામને ભેગાં વાટી ચટણી જેવું બનાવવું. પછી રાતા રોહિડાની છાલ રપ૦ ગ્રામ અને બોર ૨૮૦ ગ્રામ લઈ તેનાથી ચાર ગણા પાણીમાં ચોથા ભાગનું પાણી રહે ત્યાં સુધી ઉકાળી ગાળીને ઉપરોક્ત ચટણી સાથે ૧૬૦ ગ્રામ ઘીમાં નાખી ધીમા તાપે ધી સિદ્ધ કરવું. સવાર-સાંજ અડધી-અડધી ચમચી જેટલું આ ઘીનું સેવન કરવાથી વધી ગયેલી બરોળ તરત જ શાંત થઈ જાય છે.
બહુમૂત્ર (૧) અજમો અને તલ એકત્ર કરી, પીસી, ફાકી મારવાથી બહુમૂત્ર રોગ મટે છે. (૨) આદુનો રસ અને ખડી સાકર પીવાથી બહુમૂત્ર મટે છે. (3) આમલીના દસ-બાર કચકાને પાણીમાં પલાળી રાખી, ઉપરનાં ફોતરાં કાઢી નાખી, ઉપરનું સફેદ મીજ દૂધ સાથે વાટી રોજ સવારે પીવાથી સોમરોગ (વધુ પડતો પેશાબ થવાનો રોગ) મટે છે. (૪) આમળાનું ચૂર્ણ સાકર સાથે ખાવાથી બહુમૂત્ર મટે છે. (પ) આમળાના ૨૦ ગ્રામ રસમાં એક પાકું કેળું છૂદીને મેળવી પ ગ્રામ સાકર નાખી ખાવાથી સ્ત્રીઓનો બહુમૂત્રનો રોગ મટે છે. (૬) દરરોજ રાત્રે સૂવાના એક કલાક અગાઉ ચારેક નંગ ખજુર ચાવીને ખાઈ ઉપર એક કપ દૂધ પીવાથી રાતે પેશાબ કરવા ઉઠવું પડતું નથી. (૭) પાકા અનનાસના નાના નાના કકડા કરી પીપરનું ચૂર્ણ ભભરાવી ખાવાથી બહુમૂત્રનો રોગ મટે છે. (૮) પાકા અનનાસની છાલ અને અંદરનો કઠણ ભાગ કાઢી નાખી બાકીના ભાગનો રસ કાઢી, જીરુ, જાયફળ, પીપર અને સંચળની ભૂકી તથા સહેજ અંબર નાખી પીવાથી બહુમૂત્રનો રોગ મટે છે. (૯) મેથીની ભાજીનો ૧૦૦ ગ્રામ રસ કાઢી ૧.૫ ગ્રામ કાથો અને 3 ગ્રામ સાકર મેળવી પીવાથી બહુમૂત્રનો રોગ મટે છે. (૧૦) પાકાં કેળાં વધુ પ્રમાણમાં ખાવાથી બહુમૂત્ર મટે છે. (૧૧) વડની છાલનો ઉકાળો દિવસમાં ચાર-પાંચ વાર ૧-૧ ગલાસ ભરીને પીવાથી બહુમૂત્રની તકલીફ મટે છે.
બહેરાશ ધોળી ડુંગળીના રસનાં ટીપાં રોજ બે વખત કાનમાં નાખવાથી બહેરાશ મટે છે.
બળતરા (જુઓ દાહ-બળતરા) (૧) એલચીને આમળાંના રસ કે તેના ચૂર્ણ સાથે
લેવાથી શરીરની બળતરા મટે છે. (૨) કાળી દ્રાક્ષ રાત્રે પાણીમાં પલાળી રાખી સવારે મસળી, ગાળી (કૂચ કાઢી નાખી), જીરુની ભૂકી અને સાકર નાખી પીવાથી પિત્તનો દાહ મટે છે. (3) દ્રાક્ષ અને ખડી સાકર એકત્ર કરી સવારે ખાવાથી શરીરમાં થતો દાહ મટે છે. (૪) કોકમને ચટણીની માફક પીસી, પાણી સાથે મેળવી, ગાળી, સાકર નાખી તેનું શરબત બનાવીને પીવાથી પિત્તનો દાહ મટે છે. (પ) ગાયની છાસમાં કપડું ભીંજવી તે કપડાનો રોગીને સ્પર્શ કરાવતા રહેવાથી રોગીની બળતરા મટે છે. (૬) ગાયનું ધી હાથે-પગે ઘસવાથી હાથે-પગે થતી બળતરા મટે છે. (૭) શરીરના કોઈ પણ ભાગમાં થતી ભયંકર બળતરામાં દૂધમાં તલ વાટીને આછો લેપ કરવાથી ત્વરીત લાભ થાય છે. (૮) ચોખાની ધાણી (મમરા) અને ખડી સાકરનો ઉકાળો કરી વારંવાર પીવાથી દાહ-બળતરા મટે છે. (૯) તાંદળજાનો રસ થોડી સાકર મેળવી પીવાથી હાથપગનાં તળિયાની બળતરા, પેશાબની બળતરા અને વારંવાર થતો ઉનવા મટે છે. (૧૦) પાલખના પાનના રસના કોગળા કરવાથી ગળાની બળતરા મટે છે. (૧૧) ધાણા રાત્રે પાણીમાં પલાળી રાખી સવારે ગાળી, તેમાં ૧૦ ગ્રામ સાકર મેળવી પીવાથી પિત્તજવરનો દાહ મટે છે. (૧૨) ધાણા અને સાકર લેવાથી પેટમાં થતી બળતરા મટે છે. (૧૩) ૧-૧ તોલો ધાણા અને જીરુ અધકચરાં ખાંડી ર0 થી 30 તોલા પાણીમાં રાત્રે પલાળી રાખી સવારે મસળી ગાળી સાકર નાખી ચાર છ દિવસ પીવાથી કોઠાનો દાહ શાંત થાય છે. હાથ-પગની બળતરા પણ દૂર થાય છે. (૧૪) ભૂરા કોળાનું ધીમાં શાક કરીને ખાવાથી અથવા તેનો રસ કાઢી, તેમાં ખાંડ મેળવી સવાર-સાંજ અધોં અધોં કપ પીવાથી પુશકળ માસિક આવતું હોય, શરીરમાં બળતરા રહેતી હોય અને લોહી ઘટી ગયું હોય તો તેમાં ઉત્તમ ફાયદો કરે છે. (૧૫) શરીરમાં બળતરા થતી હોય તો વડના દૂધમાં સાકર મેળવી લેવાથી પિત્તપ્રકોપ શાંત થાય છે અને આંખ, હાથ-પગનાં તળિયાં, પેશાબ તથા પેટ વગેરેની બળતરા મટે છે. (૧૬) સફરજનના ઝાડની ૪ ગ્રામ છાલ અને પાન પીવાના ર00 ગ્રામ ઊકળતા પાણીમાં નાખી ૧૦-૧૫ મિનિટ સુધી ઢાંકી રાખી ગાળી લઈ, તેમાં એક કકડી લીંબુનો રસ અને ૧૦-૧પ ગ્રામ ખાંડ મેળવી પીવાથી બળતરા દૂર થાય છે. (૧૭) પેટ, આંખ, પગનાં તળિયાં, હાથ, મોં મૂત્રમાર્ગ કે મળમાર્ગે બળતરા થતી હોય તો પગના તળિયે ગાયનું ધી ઘસવાથી આરામ થાય છે. (૧૮) ૧ ચમચી સાકર અને ૧ ચમચી શતાવરી ગાયના ધીમાં મેળવી સવાર સાંજ ચાટવાથી બળતરામાં આરામ થાય છે. સાથે ૧-૧ ગલાસ ગાયનું દૂધ પીવું. તીખી, તળેલી, ખાટી અને ખારી ચીજો ખાવી નહિ. શતાવરી ન મળે તો એકલાં ઘી-સાકર ચાટવાં અને ૧ ગ્લાસ નાળિયેર-તરોપાનું પાણી પીવું (૧૯) ખજુર પાણીમાં પલાળી રાખી બરાબર પલળી જાય ત્યારે મસળી લઈ અથવા ઠળિયા કાઢી ગ્રાઈન્ડરમાં જ્યસ જેવું બનાવી પીવું. ખજુર-પાણીનું કોઈ નિશ્ચિત પ્રમાણ નથી. જરૂર મુજબ સેવન કરવાથી બળતરા મટે છે. (૨૦) હથેળી, પગના તળિયે બળતરા થતી હોય તો બોરડીનાં પાન ચાર તોલા, એલચી નંગ ચાર અને તોલા સાકરને પાણીમાં વાટી, લસોટી થોડીવાર રહેવા દેવું ચારેક કલાક બાદ ગાળીને ધીમે ધીમે પીવું. આ મિશ્રણ ધીમે તાપે ઉકાળી, ઠંડુ પાડી પીવાથી પણ સારી અસર કરે છે. પ્રયોગ થોડા દિવસ સુધી નિયમિત કરવો. (૨૧) એક ગલાસ પાણીમાં એક લીંબુનો રસ નિચોવી થોડી ખાંડ મેળવી પીવાથી પિત્તનો દાહ મટે છે. (૨૨) એક પાકા લીંબુને ગરમ કરી, રસ કાઢી તેમાં સિંધવ અને ખાંડ મેળવી પીવાથી પિત્તજન્ય ઊલટી મટે છે. (૨૩) કોઈ પણ રીતે નડતો ન હોય તો પાણીમાં ગોળનો ધોળ બનાવી, ગાળીને દિવસમાં ચાર-પાંચ વખત અડધી અડધી વાડકી પીવાથી દાહ મટે છે. (૨૪) ધાણા-જીરાનું ચૂર્ણ ખાંડ સાથે લેવાથી એસિડીટીને લીધે ભોજન કર્યા બાદ છાતીમાં બળતરા થતી હોય તો મટે છે. (૨૫) લણીની ભાજીનો રસ એક કપ જેટલો પીવાથી શરીરની બળતરા શાંત થાય છે. (૨૬) શેકેલા જીરુનું ચૂર્ણ ૧-૧ ચમચી દિવસમાં ત્રણ વાર પાણી સાથે લેવાથી શરીરની બધા જ પ્રકારની બળતરા શાંત થાય છે. (૨૭) દૂધી છીણી માથામાં ભરવાથી માથામાં બળતરા થતી હોય તો તે મટે છે. (૨૮) આાંખે ત્રિફલાનું પાણી છાંટવાથી આંખોની બળતરા શાંત થાય છે. (૨૯) આમળાનો રસ શરીરે ચોળવાથી અને તેના પાણીથી નાહવાથી શરીરની બળતરા મટે છે. (30) પિત્તળના પાત્રમાં ૨૦૦ ગ્રામ કોથમીરનો રસ અને ૨૦૦ ગ્રામ તલનું તેલ પાણીનો ભાગ બળી જાય ત્યાં સુધી ઉકાળી તેલ નિતારી લેવું. આ તેલના માલીશથી હથેળી અને પગના તળિયાની બળતરામાં રાહત થાય છે. એનાથી માથાના તાય સાંધાના દુ:ખાવામાં પણ લાભ થાય છે.
બાળકોનું આરોગ્ય ઉધરસ (૧) ધાણા અને સાકરને ચોખાના ઓસામણમાં
પિવડાવવાથી બાળકોની ઉધરસ મટે છે. (૨) દાડમના રસનું ચાટણ અથવા તેના ફળની છાલ પાણીમાં ઘસી ચટાડવાથી બાળકોની ઉધરસ મટે છે. (3) અહિલચીને ધીના દીવા પર સહેજ શેકીને વાટી મધ સાથે ચટાડવાથી ઉધરસમાં ફાયદો થાય છે. (૪) દિવસમાં ચારેક વખત બાળકને સહેજ સહેજ કોપરેલ ચટાડવાથી ખાંસી મટી જાય છે. (પ) વાંસના ઝાડમાંથી નીકળતા સફેદ ગર્ભને વંશલોચન કહે છે. એનો ૧-૧ ચમચી પાઉડર દર ચારેક કલાકના અંતરે મધ સાથે ચટાડવાથી બાળકોની ખાંસી મટે છે. કાળી ખાંસી(હુપીંગ કફ)  લસણની ૧૦-૧૫ ગ્રામ કળી દૂધમાં પકાવી, ગાળી, એ દૂધ પિવડાવવાથી બાળકોની કાળી ખાંસી મટે છે. (૨) લસણનો ૨૦ થી 30 ટીપાં રસ શરબતમાં મેળવી ચાર-ચાર કલાકે આપવાથી હુપીંગ કફ મટે છે. (3) લસણની કળીઓને કચરી, પોટલી બનાવી, ગળામાં બાંધી રાખી વાસ લેવાથી હુપીંગ કફ મટે છે. (૪) લસણના રસને ઓલીવ ઓઈલમાં મેળવી બાળકની છાતી અને પીઠ પર ચોળવાથી હુપીંગ કફ મટે છે. (પ) લસણની કળીઓને બારીક પીસી, કપડા પર પાથરી, પગના તળિયે તેલ ચોપડી પાટી બાંધવાથી અને સવાર-સાંજ પાટી બદલવાથી હુપીંગ કફ મટે છે. ઊલટી કારેલાનાં ત્રણ બી અને ત્રણ કાળાં મરી પાણી સાથે પથ્થર પર ઘસી બાળકને પિવડાવવાથી તીવ્ર ઊલટી બંધ થાય છે. ઊંચાઈ ડુંગળી અને ગોળ રોજ ખવડાવવાથી બાળકની ઊચાઈ જલદી વધે છે.
ઝાડા (૧) જાયફળ અને સુંઠને ગાયના ધીમાં ઘસીને તેનો ઘસરકો ચટાડવાથી બાળકને શરદીને લીધે થતા ઝાડા મટે છે. (૨) સંઠને પાણીમાં ઘસી, તેમાં ધી અને ગોળ મેળવી, અગિન પર સીઝવી, ચાટણ કરીને ચટાડવાથી બાળકોની આમસંગ્રહણી મટે છે. (3) દાડમના ફળની છાલ પાણીમાં ઘસી પાણી સાથે મેળવીને પાવાથી બાળકોનો અતિસાર મટે છે. (૪) બાળકના ઝાડા બંધ કરવા દાડમની છાલ પથ્થર પર ઘસી મધમાં ચટાડવી. (પ) થોડા તલ અને સાકર વાટી મધમાં ચટાડવાથી બાળકોના લોહીના ઝાડા મટે છે. નિદ્રા ૨૫૦ મિ.લિ. પાણીને ખૂબ ઉકાળી, નીચે ઉતારી, પO ગ્રામ ડુંગળીનું છીણ નાખી, પ-૧૦ મિનિટ રહેવા દઈ, ઠંડુ થયા બાદ ગાળી, તેમાંથી એક ચમચી પાણીમાં પાંચેક ટીપાં મધ મેળવી બાળકને પાવાથી તે ઘસઘસાટ ઊધી જાય છે. દાંત આવવા (૧) ખજુર ધોઈ ચોખા સુતરમાં પરોવી બાળકના ગળે બાંધી દેવું, જેથી એ ખજુર સતત ચૂસતું રહે. ખજુર ખાવાથી દાંત અ:ાવવાની કોઈ પણ તકલીફ બાળકને થશે નહિ. ખજુર પૌષ્ટિક હોવાથી બાળક માટે એ શક્તિવર્ધક પણ રહેશે. (૨) લીલી તાજી હળદરનો રસ બાળકના મસૂઢા (પેઢા) પર દિવસમાં બેત્રણ વખત ચોપડવાથી દાંત આવવામાં કોઈ તકલીફ રહેતી નથી. કફ (૧) ચણાની દાળથી સહેજ ઓછા પ્રમાણમાં પાપડખાર અને ગોળ એકત્ર કરી, તેમાં જરાક ધાવણ મેળવી બાળકને પીવડાવવાથી કફ છૂટો પડે છે, બાળકની સસણી મટે છે. (૨) નાગરવેલના પાનને એરંડિયું ચોપડી, સહેજ ગરમ કરી, નાના બાળકની છાતી પર મૂકી, ગરમ કપડાથી હળવો શેક કરવાથી બાળકની છાતીમાં ભરાયેલો કફ છૂટો પડી જાય છે. વિકાસ- હૃષ્ટપુષ્ટતા (૧) શારીરિક અને માનસિક વિકાસ જે બાળકનો નહિ થતો હોય તેને દરરોજ આહારમાં શકય તેટલા અંકુરીત ઘઉંનું સેવન કરાવવું. અંકુરીત ઘઉં નિયમિત લેવાથી બાળકનો સર્વાગ વિકાસ અવશ્ય શકય બને છે. (૨) બટાટાનો તાજો રસ ૧-૧ નાનો કપ સવાર-સાંજ નિયમિત આપવાથી નાના બાળકનો વિકાસ બરાબર ન થતો હોય તેમાં ફાયદો થાય છે. બટાટાનો તાજો રસ એટલો નિર્દોષ છે કે સાવ નાનાં ધાવતાં બાળકોને પણ આપી શકાય. બટાટાના રસનું પ્રમાણ બાળકની અવસ્થા અને અન્ય પરિસ્થિતિ અનુસાર નક્કી કરવું જોઈએ. (૩) પાકાં ટામેટાંનો તાજો રસ નાનાં બાળકોને દિવસમાં બે-ત્રણ વાર પિવડાવવાથી બાળકો નિરોગી, બળવાન અને હૃષ્ટપુષ્ટ બને છે. (૪) ખજુરની એક પેશી ૧૦ ગ્રામ ચોખાના ધોવાણ સાથે મેળવી ખૂબ વાટી થોડું પાણી મેળવી પ્રવાહી બનાવી નાનાં બાળકને બેત્રણ વખત આપવાથી નબળાં, કંતાઈ ગયેલાં શરીરવાળાં બાળકો હૃષ્ટપુષ્ટ-ભરાવદાર થાય છે. (આ પ્રયોગ બાળકોને સારામાં સારો ટોનિક ખોરાક પુરો પાડે છે.) (૫) અંજીરવાળું દૂધ પાવાથી બાળકોને સારું પોષણ મળે છે. (ઉ) સાકર અથવા ગોળ સાથે નાનાં બાળકોને કોપરું ખવડાવવાથી તેમનું સુકલકડી શરીર હૃષ્ટપુષ્ટ થાય છે, શરીરમાં ચરબીનો વધારો થાય છે. (૭) નિયમિત પપૈયું ખવડાવવાથી બાળકોની ઊચાઈ વધી શરીર મજબૂત અને તંદુરસ્ત બને છે. કૃમિ(૧) એક ચમચી ડુંગળીનો રસ આપવાથી અન્ન ખાતાં બાળકોના ઝીણા કૃમિ મરી જાય છે, અને ફરી થતા નથી તથા બદહજમી પણ મટે છે. (૨) છાસમાં વાવડીંગનું ચૂર્ણ નાખી પાવાથી બાળકોના કૃમિ મટે છે. આંચકી (૧) ધોળી ડુંગળીને ચીરી, કચરી, સુંઘાડવાથી બાળકોની આંચકીમાં-તાણમાં ફાયદો કરે છે. (૨) બાળકને આંચકી આવતી હોય તો રૂદ્રાક્ષ, ટંકણ અને પીપળાની વડવાઈ મધમાં ચટાડવાથી રાહત થાય છે. ઊલટી જાંબુના પ૦૦ ગ્રામ રસમાં ૧૨૫૦ ગ્રામ સાકર મેળવી ઉકાળી ચાસણી કરી શરબત બનાવવું અને કપડાથી ગાળી શીશીમાં ભરી રાખવું. ૨૦ થી ૨૫ ગ્રામ આ શરબત ચારગણા પાણીમાં મેળવી બાળકોને પાવાથી બાળકોની ઊલટી મટે છે. દૂધની ઊલટી (૧) ટામેટાનો એક-બે ચમચી રસ દૂધ પિવડાવતાં પહેલાં આપવાથી બાળકોને થતી દૂધની ઊલટી મટે છે. (૨) લીંબુના રસમાં મધ મેળવી ચટાડવાથી બાળકોનું દૂધ ઓકવું બંધ થાય છે. શરદી (૧) હળદર અને દૂધ ગરમ કરી સહેજ મીઠું અને ગોળ નાખી પિવડાવવાથી બાળકોનાં શરદી, કફ અને સસણી મટે છે. (૨) બહુ નાનાં બાળકોને શરદીમાં મધ અને આદુનો રસ ભેગાં કરી સેવન કરાવવાથી રાહત થશે. અપચો જાંબુના પ૦૦ ગ્રામ રસમાં ૧૨૫૦ ગ્રામ સાકર મેળવી ઉકાળી ચાસણી કરી શરબત બનાવવું અને કપડાથી ગાળી શીશીમાં ભરી રાખવું. ૨૦ થી ૨૫ ગ્રામ આ શરબત ચારગણા પાણીમાં મેળવી બાળકોને
પાવાથી બાળકોનો અપચો મટે છે.આફરો-અપચો (૧) નાગરવેલના પાનના રસમાં મધ મેળવી ચટાડવાથી અપાન વાયુની છૂટ થઈ નાનાં બાળકોનો આફરો તથા અપચો તરત જ મટે છે. (૨) કારેલીના પાનના રસમાં થોડી હળદર નાખી નાના બાળકને પાવાથી બાળકનું પેટ ચઢયું હોય તો મટી જાય છે.
 
 
દમ
ધાણા અને સાકરને ચોખાના ઓસામણમાં પિવડાવવાથી બાળકોનો દમ મટે છે. મૂત્ર(વરોધ લીંબુનાં બી અધકચરાં ખાંડી હૂંટીમાં ભરી ઉપર ઠંડા પાણીની ધાર કરવાથી બાળકોનો મૂત્રાવરોધ મટે છે. બાળકને તlવ (૧) એકાદ નાની ચમચી મરીનું ચૂર્ણ ગરમ પાણીમાં સવાર-સાંજ અ:ાપવું. પ્રયોગ બાદ બાળકને એકાદ કલાક અ:ારામ કરાવવો. બાળકનો સામાન્ય તાવ અ:ા પ્રયોગથી બીજી કોઈ પણ જાતની દવા વગર ઊતરી જાય છે. (૨) ઘરે તૈયાર કરેલું કે બજારમાં મળતું ગળો સતત્વ હૂંફાળા પાણીમાં એક ચપટી જેટલું આપપવાથી નાના બાળકનો સમાન્ય તાવ ઝડપભેર ઊતરી જાય છે. પથારીમાં પેશાબ (૧) કાળા તલ રાત્રે બાળકને ખવડાવવાથી પથારીમાં પેશાબ કરવાની તકલીફ મટે છે. (૨) આમળાં અને હળદરનું સમાન ભાગે બનાવેલા ૧-૧ ચમચી ચૂર્ણનું મધ સાથે બાળકને દિવસમાં ત્રણ વાર સેવન કરાવવાથી પથારીમાં પેશાબ કરવાની તકલીફ મટે છે. (3) સૂકાં આમળાંનું ચૂર્ણ ૧૦૦ ગ્રામ અને પOO ગ્રામ મધનું મિશ્રણ કરી સવાર-સાંજ ૧-૧ ચમચો બાળકને આપવાથી એની પથારીમાં પેશાબ કરવાની તકલીફ મટે છે. (૪) સાંજે પ્રવાહી બને તેટલું ઓછું આપવું અને સાંજના આહારમાં બટાટા અવશ્ય આપવા.બાળકોનું ઔષધ લીંબુ 3 ચમચી, નિાનું નિતારેલું પાણી ૨ ચમચી, મધ ૧ ચમચી અને અજમાનું બારીક ચૂર્ણ ૧ ચમચી મિશ્ર કરી બાટલીમાં ભરી રાખવું. નાનાં બાળકોને એમાંથી ૧૦ ટીપાં જેટલી દવા સવાર-સાંજ પાવાથી ધાવણ ન પચતું હોય તો આ ઔષધ હિતાવહ છે. એનાથી બાળકોની પેટની ચૂંક, આફરો, ઊબકા, ઊલટી, ઝાડા અને વાયુના વિભિન્ન વિકારોમાં તથા સ્તનપાન કરતાં બાળકોમાં સ્તનપાન કર્યા પછી ધાવણ કાઢી નાખતાં હોય એવી બધી વિકૃતિઓમાં ઉપયોગી થાય છે. લીંબું ખાટું હોવા છતાં પિત્તશામક છે. એ વાયુનું પણ શમન કરે છે અને જઠરાનેિ પ્રદીપ્ત કરે છે. ચમકવું બાળક વારંવાર ગભરાઈને, ઝબકીને જાગી જતું હોય, તો બિલોરી પથ્થર કાળા દોરામાં પરોવી ગળે બાંધવાથી બાળક નિર્ભય થાય છે. પેટનો દુઃખાવો (૧) નાના બાળકને પેટમાં દુ:ખતું હોય અને પેટ ફુલી ગયું હોય તો અડધી ચમચી હિંગ બે-ત્રણ ટીપાં બ્રાન્ડી કે પાણીમાં પેસ્ટ બનાવી હૂંટીમાં લગાવવાથી પેટનો દુ:ખાવો મટે છે. હિંગને ગરમ કરીને પણ પેટ પર ચોપડી શકાય. (૨) તુલસીના પાનના રસમાં થારોડી સુંઠ મેળવીને પાવાથી બાળકોને પેટની ચૂંક મટે છે. મોં અવાવવું બાળકનું મોં ગરમીથી આવી ગયું હોય તો બકરીના દૂધની શેડ પાડવાથી લાભ થાય છે.સસણી (૧) બાળકને સસણી થાય તો નાગરવેલનું પાન અને લવિંગ પાણીમાં ઉકાળી, ચોળી, ગાળીને સહેજ ટંકણખાર નાખી પીવડાવવાથી રાહત થાય છે. (ર) ગાયના મૂત્રમાં ચપટી હળદર નાખી પિવડાવવાથી બાળકોની સસણી મટે છે.
બેશુદ્ધિ (૧) મરીનું ચૂર્ણ આંખમાં આંજવાથી માણસ બેશુદ્ધ થઈ ગયો હોય તો ચેતનમાં આવે છે. (૨) ડુંગળી પર ચાર ચીરી મૂકીને તરત જ બેહોશ માણસને સંઘાડવાથી- નાક આગળ ધરવાથી બેહોશી દૂર થાય છે.
બ્લડ પ્રેશર (૧) તાંબાના વાસણમાં સોનાનો કે ચાંદીનો ૧૦ ગ્રામનો ટૂકડી નાખી પાણી અડધું થઇ જાય ત્યાં સુધી ઉકાળો. આ પાણી દિવસમાં બેત્રણ વાર પીવાથી બ્લડપ્રેશર મટી જાય છે. (૨) નારંગી ખાવાથી લોહીનું ઊચું દબાણ ઘટે છે. (3) લસણ પીસી દૂધમાં પીવાથી બ્લડપ્રેશરમાં અત્યંત ફાયદો થાય છે. લસણ બ્લડપ્રેશરની રામબાણ ઔષધિ છે. (૪) લસણ, ફુદીનો, ધાણા, જીરુ, મરી અને સિંધવની ચટણી બનાવી ખાવાથી બ્લડપ્રેશર ઓછું થાય છે. (પ) બે ચમચી મધમાં એક ચમચી લીંબુનો રસ એકરસ કરી સવાર-સાંજ પીવાથી લોહીનું દબાણ ઓછું થાય છે. (૬) સર્પગાંધાનું ૨-૩ ગ્રામ ચૂર્ણ દિવસમાં ત્રણ વાર પાણી સાથે ફાકવાથી લોહીનું દબાણ ઘટે છે. (૭) ચોખાનું વધુ પ્રમાણમાં સેવન કરવું એ હાઈ બ્લડપ્રેશરની એક ઉત્તમ ચિકિત્સા છે. ચોખાનું સેવન અન્ય પ્રકારે હાનિકારક ન હોય તો બીજા કોઈ પણ ખોરાક કરતાં ચોખા વધુ પ્રમાણમાં ખાવા. જે લોકો ચોખા વધુ પ્રમાણમાં લેતા હોય છે તેમને લોહીનું ઊચું દબાણ ભાગ્ય જ હોય છે. (૮) જો લોહીનું દબાણ ખૂબ વધી જાય તો તેને તાત્કાલિક નીચું લાવવા માટે પથારીમાં નિશ્ચિત થઈ સૂઈ જવું, વિચાર, ભય, ચિંતા છોડી દેવાં, મન શાંત રાખવું અને બરફનો ટૂકડો ટૂંટી પર મૂકી રાખવાથી બ્લડપ્રેશર નોર્મલ થશે. (૯) શાકાહારીઓને હાઈ બ્લડપ્રેશરની સમસ્યા ઓછી રહે છે. શાકાહારીઓ પોટેશિયમ વધુ લેતા હોવાથી બ્લડપ્રેશર નીચું રહેવાથી હૃદયરોગનો હુમલો અને કીડની ફેઈલ થવા જેવી બીમારીનું જોખમ ઓછું રહે છે. (૧૦) ઝીણી દળેલી મેથી સવાર-સાંજ ૧-૧ ચમચી પાણી સાથે નિયમિત કાયમ લેવાથી લોહીનું ઊચું દબાણ હોય તો તે સપ્રમાણ જળવાઈ રહે છે. એ માટે બીજી કોઈ દવા લેવાની જરૂર રહેતી નથી. (૧૧) ગળો, ગોખરું અને આમળાનું સરખા ભાગે બનાવેલ ચૂર્ણ રોજ સવાર-સાંજ ૧-૧ ચમચી પાણી સાથે લેવાથી બ્લડપ્રેશર ઓછું થાય છે. (૧૨) રોજ સવારે સફરજનનો મુરબ્બો ખાવાથી બી.પી. સામાન્ય થઈ જાય છે તથા યાદશક્તિ પણ તેજ બને છે. (૧૩) પાણી કે દૂધમાં શુદ્ધ શિલાજિત ઓગાળી પીવાથી બ્લડપ્રેશર થતું નથી અને થયું હોય તો સારું થઈ જાય છે.
લો બ્લડપ્રેસર (૧) નીચું-લો બીપી ધરાવતા લોકોને ક્યારેક જમ્યા પછી કે ભૂખ્યા પેટે ઉભા ઉભા પણ ચક્કર આવે છે. માત્ર બે ગ્લાસ પાણી પીવાથી બીપી નૉર્મલ થઈ જાય છે. (૨) સરખા ભાગે ગાજરનો તાજો રસ અને દૂધ દરરોજ સવારે લેવાથી લો બ્લડપ્રેશર મટે છે. ફરિયાદના બળાબળ અનુસાર કુલ પ્રમાણ જાતે નક્કી કરવું. (3) ચિત્રકમળ, અજમો, સંચળ, સુંઠ, મરી, પીપર અને હરડેનું સરખે ભાગે બનાવેલું ચૂર્ણ સવાર, બપોર, સાંજ પાણી સાથે લેવાથી લો પ્રેશરની બિમારીમાં રાહત થાય છે.
ભગંદર ખેરની છાલ, હરડે, બહેડાં અને આમળાં સમાન ભાગે ખાંડી ૨૦ ગ્રામ ભૂકોબે ગ્લાસ પાણીમાં એક કપ પાણી બાકી રહે ત્યાં સુધી ઉકાળી પછી ગાળીને એક ચમચી વાવડીંગનું ચૂર્ણ મેળવી પીવાથી ભગદર રોગ મટે છે.
ભસ્મક પિત્ત બગડવાથી વિદગધાજીર્ણ થયું હોય છતાં પથ્થ ન પાળે તો પિત્તનો અધિક પ્રકોપ થવાથી ભસ્મક રોગ થાય છે. પ્રકુપિત થયેલું પિત્ત હોજરીમાં ગરમી વધારી દે છે. આથી આખો દિવસ ભૂખ રહ્યા કરે છે. ગમે તેટલો આહાર લેવા છતાં સંતોષ થતો નથી. જમ્યા પછી પણ ભૂખ લાગે. જેટલું ખાય તેટલું ઓછું પડે. આહાર વધારે હોવા છતાં દર્દી દૂબળો પડે. આહાર ન આપવામાં આવે તો જઠરાગિન તેને ભસ્મ કરી નાખતો હોવાથી આ રોગને ભસ્મક કહ્યો છે. (૧) આ રોગમાં ભેંસનાં ધીદૂધ, કેળાં, ખજુર, માવાની મીઠાઈઓ જેવો પચવામાં ભારે આહાર આપવો. ચારપાંચ હિમેજ રોજ રાત્રે ચાવીને ખાવી. (૨) ધીમાં પાકાં કેળાં ખાવાથી અથવા કેળનો રસ પીવાથી ભસ્મક રોગ મટે છે. (3) દરરોજ સવાર-સાંજ ૧-૧ ચમચી દિવેલ એક કપ દૂધમાં અથવા એક ચમચી ઘીમાં લેવાથી ભસ્મક રોગ મટે છે. (૪) એક મુઠ્ઠી ચણા રાતે પાણીમાં પલાળી રાખી સવારે એ પાણી ગાળીને પીવાથી થોડા દિવસોમાં ભસ્મક રોગ મટે છે. (પ) શેરડીનો શુદ્ધ રસ દિવસમાં બે-ત્રણ વાર પીતા રહેવાથી ભસ્મક રોગ મટે છે.
ભાંગેલું હાડકું (૧) લસણની કળી ધીમાં તળી ખાવાથી ગમે તેવું ભાંગેલું હાડકું સંધાય છે. (૨) લસણ, મધ, લાખ અને સાકરને ચટણી માફક પીસી ધીમાં મેળવી, રોજ ખાવાથી ભાંગેલું કે ઊતરી ગયેલું હાડકું સંધાય છે.
ભૂખ (૧) અંજીર ખાવાથી જઠર સતેજ બને છે તેથી ભૂખ સારી લાગે છે. (૨)આદુનો રસ, લીંબુનો રસ અને સિંધવ એકત્ર કરી ભોજનની શરૂઆતમાં લેવાથી અગ્નિ પ્રદીપ્ત થઈ મુખની શુદ્ધિ કરે છે. (3) પપૈયું ખાવાથી ભૂખ ઊઘડે છે. (૪) પાચન શક્તિ મંદ હોય અને ભૂખ લાગતી ન હોય તો થોડા દિવસ રોજ સવારે ચોસઠ પ્રહરી પીપરનું મધ સાથે સેવન કરવું. કફના રોગો, શ્વાસ અને શરદીમાં પણ એ હિતાવહ છે. (પ) બી કાઢેલી દ્રાક્ષ ૨૦ ગ્રામ ખાઈને ઉપર ૨૫૦ મિ.લિ. દૂધ પીવાથી ભૂખ ઊઘડે છે. (૬) ભોજનના એક કલાક પહેલાં થોડું ગરમ પાણી પીવાથી ભૂખ લાગે છે અને પાચનશક્તિ વધે છે. (૭) દરરોજ સવાર-સાંજ લવિંગનું બારીક ચૂર્ણ મધ સાથે ૧-૧ ચમચી લેવાથી ભૂખ ઊઘડે છે. લવિંગ ગરમ હોવાથી ભૂખ ઊઘડયા પછી પ્રયોગ બંધ કરવો.ભોજન-સમય યોગ્ય સમયે કરેલું ભોજન આરોગ્ય પ્રદાન કરનારી બાબતોમાં શ્રેષ્ઠ છે. દરેક વ્યક્તિનો જમવાનો સમય તેના વ્યવસાય, ધર્મ, પરિસ્થિતિ, વગેરે પ્રમાણે જુદી જુદી હોય છે, પરંતુ દરેક વ્યક્તિ જે નિશ્ચિત સમયે દરરોજ ભોજન કરતી હોય તે સમયે જ તેમણે ભોજન કરવું જોઈએ. એ જ તેમનો જમવાનો ઉચિત કાળ છે અને આ ઉચિત સમયમાં ભોજન કરવાથી જ આહારનું યોગ્ય પાચન થાય છે, શરીર સ્વસ્થ રહે છે. ભોજનના સમય વિષે એવું પણ કહેવાયું છે કે સો કામ છોડીને પણ (ભોજનનો સમય થઈ ગયો હોય તો) જમી લેવું જોઈએ.
મગજની ગરમી (૧) આમળાના ચૂર્ણને દૂધમાં કાલવી જાડી થેપલી કરી રાત્રે સૂતી વખતે મગજના ભાગ પર માથા પર બાંધી રાખવામાં આવે તો મગજની ગરમી ઘટે છે. (૨) ખટમીઠા દાડમનો ૨૦૦ ગ્રામ રસ લઈ, ૨૫ ગ્રામ મમરાનો લોટ અને ૨૫ ગ્રામ સાકર મેળવી પીવાથી મગજની ગરમી મટે છે. (3) એરંડાના પાન પર માખણ કે ધી ચોપડી તાળવા પર બાંધવાથી મસ્તકની ગરમી મટે છે. (૪) કોળાનો મુરબ્બો (જુઓ અનુક્રમ) ખાવાથી માથાની ગરમી, ભ્રમ, ચકરી, ઉન્માદ વગેરે મટે છે.
મગજની શક્તિ શિયાળાની વહેલી સવારે દરરોજ ખાલી પેટે ર0-30 ગ્રામ કાજુ ખાઈ ઉપર મધ ચાટવાથી મગજની શક્તિ તથા યાદશક્તિ વધે છે.
મગજની શરદી ફૂદીનાનો તાજો રસ અથવા અર્ક મગજની શરદી દૂર કરે છે.
મચકોડ (૧) ગોળની સહેજ ગરમ ચાસણીમાં ચણાનાં ફોતરાં મેળવી બાંધવાથી હાથ-પગનો મચકોડ મટે છે. (૨) માર, મૂઢમાર, સોજામાં અ:ાબા હળદર મીઠા સાથે ચોપડવી, તેમ જ પા ચમચી જેટલી ચૂર્ણ રૂપે ફાકવી. લોહી જામી ગયું હોય તો લેપ કરવાથી લોહી વિખેરાઈ જાય છે અને સોજો ઊતરી જાય છે.
મચ્છર-મંકોડાના ડંખ લીંબુનો રસ ઝેરી મચ્છર, મંકોડાના ડંખ પર ચોળવાથી ફાયદો થાય છે. મધમાખીના ડંખ (૧) સુવા અને સિંધવને પાણીમાં મેળવી ચટણી માફક પીસી મધમાખીના ડંખ પર લેપ કરવાથી ડંખની વેદના મટે છે. (૨) મીઠું ચોળવાથી મધમાખીના ડંખમાં રાહત થાય છે.
મચ્છરોનો ત્રાસ (૧) નારંગીનાં છોડાં મચ્છર મારવાની એક ઉત્તમ ઔષધિ છે. નારંગીનાં સૂકાં છોડાંનો ધૂપ દરરોજ રાતે એકાદ કલાક ધીમા તાપે કરવો. મચ્છરો મરી જાય છે અથવા ઘરથી દૂર જતા રહે છે. નારંગીનાં સૂકવેલાં છોડાં બજારમાં પણ મળે છે. (૨) મચ્છરોનો ત્રાસ રાત્રે સૂતી વખતે પથારીમાં અંપાનાં આઠ-દસ સૂકાં બી. આમતેમ વેરી દેવાથી મચ્છરોનો ત્રાસ મટે છે.
મધુપ્રમેહ જુઓ ડાયાબિટીસ
મનોબળ માલકાંગણીનું તેલ બબ્બી ટીપાં દૂધ સાથે લેવાથી મનોબળ વધે છે અને ચિંતા-ડિપ્રેશનથી છૂટકારો થાય છે; ઉત્સાહ-તરવરાટ વધે છે. માલકાંગણીનું તેલ બજારમાં બહુ મોંઘું નથી મળતું
મરડો (૧) કાચી કે પાકી કેરીની છાલ છૂદીને-વાટીને અથવા સૂકવેલી છાલનો પાઉડર મધ સાથે જરૂરી પ્રમાણમાં દિવસમાં ત્રણ-ચાર વખત લેવાથી મરડો મટે છે. (૨) ખજુરના નાના નાના ટુકડા કરી અથવા વાટીને દહીંમાં નાખી રાયતું બનાવવું. તેમાં નમક, મરચું, અ:ાદુ, મરી વગેરે પણ નાખી શકાય. અ:ાવું રાયતું દિવસમાં ચારેક વખત ૧-૧ વાડકી જેટલું ખાવાથી મરડો જરૂર મટી જાય છે. (3) કુટજારિષ્ટ 33 ચમચી દિવસમાં ત્રણ વાર, કુટજ ઘનવટી, સંજીવની વટી અને ચિત્રકાદિવટી દરેકની ૧-૧ ગોળી દિવસમાં ત્રણ વાર મોળી છાસ સાથે લેવી. લવણ ભાસ્કર ચૂર્ણ ૧૧ ચમચી સવાર-સાંજ લેવું અને સાદી ખોરાક લેવાથી મરડો મટે છે. (૪) બાવળની ૧૦૦ ગ્રામ તાજી કૂણી શીંગને ૨૫ ગ્રામ ફૂલાવેલી ફટકડી સાથે ખરલમાં ખૂબ ઘૂંટીલસોટી ચણાના મોટા દાણા જેવડી ગોળી બનાવવી. ૨-૨ ગોળી સવાર-સાંજ લેવાથી ખૂબ જૂનો આમયુક્ત મરડો મટે છે. (બજારમાં મળતી ફટકડી લાવી, બરાબર ધોઈ, તાવડી-કલાડીમાં ધીમા તાપે ગરમ કરવાથી ઓગળી જશે. પછી સહેજ વધારે ગરમ કરવાથી પાણીનો ભાગ ઊડી જવાથી પતાસુ બની જશે. આ થઈ ફૂલાવેલી ફટકડી. ઔષધમાં ફૂલાવેલી ફટકડી જ વપરાય છે.) આ ઉપચાર સળગ આઠ દિવસથી વધારે કરવો નહિ. (પ) ચૂનો શુદ્ધ કરી ર૪ કલાક પાણીમાં પલાળી રાખવો. પછી એ ચૂનાનું નિતર્યું પાણી જૂદુ પાડવું. અ:ા પાણીમાં સહેજ ગરમ ધી મેળવી (પાણીનું પ્રમાણ રોગના બળાબળ મુજબ લેવું.) એકાદ ગ્લાસ દિવસમાં બેત્રણ વખત પીવાથી મરડો મટી જાય છે. (૬) એક ગ્લાસ પાણીમાં ૧ લીંબુનો રસ નીચોવી ધીમે ધીમે પી જવું. દર બે ત્રણ કલાકના અંતરે નિયમિત પીવાથી કોઈ પણ પ્રકારનો મરડો મટી જાય છે. (૭) એક પાકા લીંબુને ગરમ કરી, રસ કાઢી તેમાં સિંધવ અને ખાંડ મેળવી પીવાથી પિત્તજન્ય મરડો મટે છે. (૮) કેળાં લીંબુ સાથે ખાવાથી મરડો મટે છે અને ખોરાક જલદી પચે છે. (૯) કેળાં દહીં મેળવી ખાવાથી મરડો અને ઝાડા મટે છે. (૧૦) ગાયનું દૂધ અને પાણી સરખે ભાગે લઈ માત્ર દૂધ બાકી રહે ત્યાં સુધી ઉકાળી પીવાથી મરડો મટે છે. (૧૧) જાંબુડીની છાલનો ૨૦ ગ્રામ ઉકાળો મધ મેળવી પીવાથી મરડો મટે છે. (૧૨) જાંબુના ઠળિયા અને કેરીની ગોટલીનું સમભાગે ચૂર્ણ છાસ સાથે ૧-૧ ચમચી સવાર, બપોર, સાંજ લેવાથી પેટની ચૂંક તથા જૂનો મરડો મટે છે. (૧૩) તજનું ૧.૫ ગ્રામ ચૂર્ણ ગરમ પાણીમાં લેવાથી મરડો મટે છે. (૧૪) તાજી છાસમાં બીલીનો ગર્ભ મેળવી પીવાથી મરડો મટે છે. (૧૫) દાડમના ફળની છાલ પO ગ્રામ, લવિંગનું અધકચરું ચૂર્ણ ૭.૫ ગ્રામ અને પ00 મિ.લિ. પાણી ઢાંકણ ઢાંકી ૧૫ મિનિટ ઉકાળી ઠંડુ થાય ત્યારે ગાળી દિવસમાં ત્રણ વાર ૨૫-પO ગ્રામ જેટલું પીવાથી નવો અતિસાર અને નવો મરડો દૂર થાય છે. (૧૬) મરીનું બારીક ચૂર્ણ મધમાં ચાટી ઉપર છાસ પીવાથી કે એકલી છાસ સાથે મરીનું ચૂર્ણ લેવાથી મરડો મટે છે. (૧૭) માખણ, મધ અને ખડી સાકર ખાવાથી મરડો મટે છે. (૧૮) મીઠા લીમડાનાં પાન ચાવીને ખાવાથી મરડો મટે છે. (૧૯) મેથીનો લોટ દહીંમાં કાલવીને ખવાથી મરડો મટે છે. (૨૦) મેથીની ભાજીના રસમાં કાળી દ્રાક્ષ મેળવીને પીવાથી મરડો મટે છે. (૨૧) રોજ ગરમ પાણી સાથે સુંઠ ફાકવાથી કે સુંઠનો ઉકાળો બનાવી રૂપિયાભાર એરંડિયું નાખી પીવાથી મરડો મટે છે. (૨૨) જૂના મરડાને સંગ્રહણી કહે છે. એનું ચમત્કારી ઔષધ તે બજારમાં મળતું લવણ ભાસ્કર ચૂર્ણ, દરરોજ ૧-૧ ચમચી સવાર, બપોર, સાંજ વરિયાળીના અર્ક સાથે લેવું ગમે તેવો જૂનો અને દુ:સાધ્ય મરડો પણ મટી જાય છે. (૨૩)  દર ચારેક કલાકે ૧ ચમચો આખી કે ચૂર્ણ રૂપમાં મેથી પાણી સાથે લેવાથી મરડાની ફરિયાદ ઝડપથી કોઈ પણ જાતની દવા વિના મટી જાય છે. (૨૪) ઈસબગુલનો પાઉડર દહીં કે છાસ સાથે દિવસમાં બે વાર લેવાથી મરડો મટે છે. (૨૫) ખસખસ અને સાકરની ફાકી લેવાથી મરડામાં રાહત થાય છે. (૨૫) કાચી વરિયાળી જેટલી ખાઈ શકાય તેટલી ખૂબ ચાવીને દિવસમાં ચાર-પાંચ વાર ખાવાથી મરડો મટે છે. (૨૬) કડાછાલનું ચૂર્ણ દહીંમાં કાલવીને લેવાથી મરડો મટે છે.
મસા-ડાઘ ચહેરા પરના (૧) મોરની બીટ સરકામાં મેળવી ચહેરા પરના મસા પર દરરોજ દિવસમાં ત્રણ વાર લાંબા સમય સુધી લગાડતા રહેવાથી મસા દૂર થાય છે. (૨) હળદર અને મીઠું પાણીમાં મેળવી મસા પર લગાડતા રહેવાથી બે-ત્રણ અઠવાડિયામાં મસાનું પરુ બની મસા દૂર થાય છે. (3) ભીના ચૂનામાં આદુ લસોટી મસા ઉપર લગાવવાથી ધીરે ધીરે મસા નાબૂદ થાય છે.
મંદાગ્ની (૧) સૂંઠ, તજ, ફૂદીનો, તુલસીનાં પાન, એલચી વગેરેના બોરકૂટા ચૂર્ણના બનાવેલા ઉકાળાથી મંદાગિન મટે છે. (૨) આદુનો રસ, લીંબુનો રસ અને સિંધવ એકત્ર કરી ભોજનની શરૂઆતમાં લેવાથી મંદાગિન મટે છે. (3) રીંગણાં અને ટામેટાંનું સૂપ બનાવી પીવાથી મંદાગિન મટે છે. (૪) લસણ, ખાંડ અને સિંધવ સરખા ભાગે મેળવી, બરાબર ઘૂંટી, તેમાં બમણું થીજાવેલું ધી મેળવી ચાટવાથી મંદાગિન મટે છે. (પ) લીંબુના રસમાં ચોથા ભાગે ખાંડ નાખી, ઉકાળી, ચાસણી કરી શરબત બનાવવું શરબત ગરમ હોય ત્યારે જ કપડાથી ગાળી ઠંડું થાય એટલે શીશીઓમાં ભરી લેવું આ શરબત ૧૫ થી ૨૫ ગ્રામ લઈ, પાણી મેળવી પીવાથી ગરમીની વ્યાકુળતા, અપચો, ઊબકા, અરુચિ, ઊલટી, મંદાનેિ અને લોહીવિકાર મટે છે. (ઉ) સુંઠ, મરી,પીપર અને સિંધવ દરેક ૧૦-૧૦ ગ્રામના બારીક વસ્ત્રગાળ ર્ષિમાં ૪૦૦ ગ્રામ બી કાઢેલી કાળી દ્રાક્ષ મેળવી ચટણી માફક પીસી બરણીમાં ભરી લેવું. એને પંચામૃત ચાટણ. કહે છે. એ પાંચથી ૨૦ ગ્રામ જેટલું સવાર-સાંજ ચાટવાથી મંદાગિન મટે છે.
માથાની તકલીફ માથા પર ફોડેલી દારુણક લીંબુનો રસ અને સરસિયું સરખે ભાગે મેળવી ચોપડવાથી અને પછી દહીં મસળીને ધોવાથી થોડા જ દિવસોમાં માથા પરનો દારુણક રોગ મટે છે. (આ રોગમાં માથા પર નાની નાની ફોડલી થાય છે, ચળ આવે છે અને ચામડી કઠણ થઈ જાય છે.) માથાની  ખુજલી ચણાનો લોટ પાણીમાં મેળવી માથું ધોવાથી ખુજલી અને ફોડલી તાત્કાલિક મટે છે. માથાની નિર્બળતા રાત્રે ગરમ પાણીમાં બદામ ભીંજવી રાખી, સવારે ફોતરાં કાઢી, બારીકપીસી, દૂધમાં કાલવી, ઉકાળી, ખીર બનાવવી. (બદામની ખીર વધારે ઉકાળવી નહિ, નહિતર પાચક દ્રવ્યો નાશ પામે છે.) આ ખીર ૨૦-૪૦ ગ્રામ જેટલી ખાવાથી માથાનીનિર્બળતા મટે છે. માથામાં ખોળો (૧) સરગવાના પાનના રસનું માથા પર મર્દન કરવાથી માથાનો ખોડો મટે છે. (૨) સરગવાની શીંગને પાણીમાં પલાળી, ચોળી, ગાળીને માથા પર લગાડવાથી માથાનો ખોડો મટે છે. (3) ચણોઠીનો ભૂકો તેલમાં મિશ્ર કરી તે તેલ માથામાં નાખવાથી ખોડો મટે છે.માથાનો દુ:ખાવો (૧) આમળાનું ચૂર્ણ, ઘી અને સાકર સરખે ભાગે લઈ પ્રાત:કાળે ખાવાથી માથાનું શૂળ મટે છે. (૨) ગરમીને લીધે માથું દુ:ખતું હોય તો ડુંગળી કાપીને સુંઘાડવાથી કે બારીક પીસીને પગને તળિયે ઘસવાથી શિરદર્દ મટે છે. (3) ગાયના દૂધમાં સુંઠ ઘસી લેપ કરવાથી અને તેના પર રૂ લગાડવાથી સાત-આઠ કલાકમાં માથાનો ભયંકર દુ:ખાવો મટે છે. (૪) તજ પાણીમાં ઘસી ગરમ કરી લમણા પર લેપ કરવાથી અથવા તજનું તેલ કે તજનો અર્ક લમણા પર ચોળવાથી શરદીથી દુ:ખતું માથું મટે છે. (પ) જાયફળ ઘસીને લેપ કરવાથી માથાનો દુ:ખાવો મટે છે. (૬) દ્રાક્ષ, પિત્તપાપડી અને ધાણા ત્રણેને પાણીમાં ભીંજવી રાખી ગાળીને પીવાથી માથાનો દુ:ખાવો મટે છે. (૭) લવિંગને પાણીમાં લસોટી કે વાટી જરા ગરમ કરી માથામાં અને કપાળમાં ભરવાથી માથાનો દુ:ખાવો મટે છે. (૮) સરગવાના પાનના રસમાં મરી પીસી લેપ કરવાથી મસ્તકશળ મટે છે. (૯) સરગવાનો ગુંદર દૂધમાં પીસી માથા પર લેપ કરવાથી માથાનો દુ:ખાવો મટે છે. (૧૦) સરગવાનાં બી અને મરીનું ચૂર્ણ સંઘવાથી છીંકો આવી શિરદર્દ મટે છે. (૧૧) ગાયનું તાજુ ધી તથા દૂધ એકત્ર કરી આંખમાં આંજવાથી માથાનો દુ:ખાવો મટે છે તથા આંખ લાલ થતી અટકે છે. (૧૨) જો માથાના દુ:ખાવામાં વાયુદોષ કારણભૂત હોય તો ગરમ પાણી અથવા સુંઠવાળું ગરમ પાણી પીવું. (૧૩) એક એક ગલાસ તરબૂચનો રસ દિવસમાં ત્રણ-ચાર વાર દર ત્રણેક કલાકના અંતરે પીવાથી માથાનો દુ:ખાવો મટે છે. એનાથી એ જડમૂળથી પણ મટી શકે છે. તરબૂચના રસમાં કશું પણ મેળવવું નહિ. અ:ા પ્રયોગમાં તરબૂચ ખાવાને બદલે તરબૂચનો રસ જ વધુ અસરકારક રહે છે. (૧૪) અ:ામલીનું શરબત કે અ:ામલીનો ઘોળ સાકર નાખી દર ચાર કલાકે એક એક ગલાસ પીવાથી માથાનો દુ:ખાવો મટે છે. (૧પ) ગરમીથી માથું દુ:ખતું હોય તો કપાળ પર વડનું દૂધ લગાડવાથી મટે છે. (૧૬) રાત્રે ગરમ પાણીમાં બદામ ભીંજવી રાખી, સવારે ફોતરાં કાઢી, બારીક પીસી, દૂધમાં કાલવી, ઉકાળી, ખીર બનાવવી. (બદામની ખીર વધારે ઉકાળવી નહિ, નહિતર પાચક દ્રવ્યો નાશ પામે છે.) આ ખીર ર0-૪૦ ગ્રામ જેટલી ખાવાથી માથાનો દુ:ખાવો મટે છે. (૧૭) બદામ અને કપુર દૂધમાં ઘસી માથા પર લેપ કરવાથી માથાનો દુ:ખાવો મટે છે. (૧૮) ૧-૧ ચમચી પીપરનો પાઉડર મધ સાથે સવાર, બપોર, સાંજ લેવાથી માથાનો દુ:ખાવો મટે છે. (૧૯) ૧ ચમચી નમક મોંમાં મૂકી ખાઈ જવાથી અને પછી પંદર-વીસ મિનિટ બાદ એક મોટો ગ્લાસ પાણી પીવાથી માથાનો દુ:ખાવો મટે છે. જરૂર જણાય તો પાંચ છ કલાક બાદ આ પ્રયોગ ફરીથી થઈ શકે. દિવસમાં વધુમાં વધુ બે વખત કરી શકાય. (૨૦) બોરસલીનાં ફૂલ મસળીને કે બોરસલ્લીનું અત્તર સુંઘવાથી સિર દર્દ મટે છે. (૨૧) સુંઠના ચૂર્ણને છીંકણીની જેમ સુંઘવાથી ઉપરાઉપરી છીંકો આવી માથું ઉતરી જાય છે. (૨૨) સુંઠ કે લીલું જાયફળ પથ્થર પર ઘસી કપાળે લેપ કરવાથી માથું તરત જ ઉતરી જાય છે. (૨૩) હરડે, બહેડાં, આમળાં, હળદર, ગળો, કરિયાતુ અને લીમડાની આંતરછાલનો ઉકાળો પીવાથી માથાનો દુ:ખાવો કાયમ માટે મટે છે. (૨૪) ધાણા, જીરુ અને સાકર સમભાગે પાણી સાથે ફાકવાથી ગરમીથી ચડેલું માથું ઉતરે છે. (૨૫) ખૂબ કફ અને શરદીને લીધે માથું દુ:ખતું હોય તો અક્કલગરાના નાના નાના બેત્રણ ટૂકડા મોંમાં દાંત નીચે દબાવી રાખી સોપારીની જેમ રસ-સ્વાદ લેતા રહેવાથી રાહત થાય છે. (૨૬) નેપાળાનાં બીનાં મીંજ પાણીમાં ખૂબ ઝીણાં લસોટી કપાળે લેપ કરવાથી માથાનો દુ:ખાવો મટે છે. નેપાળો ખૂબ ગરમ અને તીવ્ર વિરેચક છે. (૨૭) બોરસલીના ફળોનું ચૂર્ણ કરી સૂઘવાથી માથાનો દુ:ખાવો મટે છે. (૨૮) અકારણ માથાનો દુ:ખાવો થતો હોય, ગુસ્સો અને ચક્કર તથા અંધારની ફરિયાદ હોય તો રોજ સવારે સૂર્ય ઉગ્યા પહેલાં એક કપ ગરમ દૂધમાં પ્રમાણસર સાકર અને એક ચમચી ઘી નાખી પીવાથી લાભ થાય છે. (૨૯) સમાન ભાગે સુંઠ અને હળદરના ચૂર્ણમાં ગરમ પાણી નાખી પેસ્ટ બનાવી લેપ કરવાથી લેપ જેમ જેમ સૂકાતો જાય તેમ તેમ માથાનો દુ:ખાવો મટવા લાગે છે.માથામાં તેલ હંમેશાં માથામાં તલનું તેલ નાખવાથી શિરશૂળ થતું નથી, ટાલ પડતી નથી, અકાળે વાળ ખરતા નથી, કપાળમાં વિશેષ રૂપે બળની વૃદ્ધિ થાય છે, વાળનાં મૂળ મજબૂત થાય છે. તથા વાળ લાંબા અને કાળા થાય છે. જ્ઞાનેન્દ્રિયો પ્રસન્ન અને શક્તિશાળી થાય છે, ત્વચા સુંદર અને નિર્મળ થાય છે તથા સારી રીતે :ઊંઘ આવે છે.
માસિક (૧) ૧ તોલો કાળા તલનો રO તોલા પાણીમાં ઉકાળો કરી ચોથા ભાગનું પાણી રહે ત્યારે ઉતારી ગોળ નાખી પીવાથી માસિક સાફ આવે છે. (૨) ડુંગળીની કાતરી કાચી ખાવાથી માસિક સાફ આવે છે. (3) શિયાળામાં વેગણનું શાક, બાજરીનો રોટલો અને ગોળનું નિયમિત સેવન કરવાથી માસિક બંધ થયું હોય, ક્ષીણ થઈ ગયું હોય કે સાફ ન આવતું હોય તો ફાયદો થાય છે. (ગરમ પ્રકૃતિવાળી સ્ત્રીઓએ આ પ્રયોગ ન કરવો) (૪) સીતાફળીના બીના ગર્ભની દિવેટ બનાવી યોનિમાં રાખવાથી બંધ પડેલો માસિક ધર્મ ચાલુ થાય છે. (પ) તજનું તેલ અથવા તજનો ઉકાળો લેવાથી કષ્ટાર્તવમાં ફાયદો થાય છે. (૬) માસિક સાફ આવતું ન હોય, ઓછું આવતું હોય, દુ:ખાવા સાથે આવતું હોય કે માસિકની બીજી કોઈ પણ ફરિયાદ હોય તો કુંવારપાઠાનો તાજો ગર પાણીમાં મેળવીને લેવાથી કે બજારમાં મળતી કુંવારપાઠાની વિવિધ બનાવટોનું સેવન કરવાથી માસિકની બધી ફરિયાદો દૂર થાય છે. (૭) ગાજરનાં બી પાણીમાં વાટી પાંચ દિવસ સુધી પીવાથી સ્ત્રીઓને ઋતુપ્રાપ્તિ થાય છે. (૮) દરરોજ સવાર, બપોર, સાંજ એક એક કેળું સમારી તેના પર
કપુરનો પાઉડર સહેજ સહેજ ભભરાવી સેવન કરવાથી માસિક રક્તસાવ સંબંધી વિકારો મટે છે. છઆઠ મહિના સુધી આ પ્રયોગ નિયમિત કરતા રહેવું (૯) માસિક આવવાના એક સપ્તાહ પહેલાં જો સ્ત્રી ચા, કોફી, કોકાકોલા, ચોકલેટ વગેરે લેવાનું બંધ કરે તો શરીરમાં ‘કેમપ્સ' આવશે નહિ. માસિક વધુ પડતું (૧) રાઈનો બારીક પાઉડર એક મોટી ચમચી બકરીના એક કપ દૂધ સાથે સવાર-સાંજ નિયમિત લેવાથી વધુ પડતું માસિક આવતું હોય તેમાં રાહત થાય છે. (૨) વધુ પડતું માસિક આવતું હોય તો સૂકા ધાણાનો ઉકાળો ૧-૧ ગલાસ સવાર, બપોર સાંજ પીવાથી મટે છે. (3) દરરોજ કોપરું અને સાકર દિવસમાં ચાર-પાંચ વખત નિયમિત ખાવાથી અત્યાર્તવ-વધુ પડતું માસિક આવવાની ફરિયાદ મટે છે. રોજનું એક વાટી કોપરું ખાવું જોઈએ. (૪) એક ચમચો વિદારી કંદનો પાઉડર, એક ચમચો ધી અને એક ચમચો સાકરનો પાઉડર મિશ્ર કરી સવાર-સાંજ છ-આઠ મહિના સુધી ચાટતા રહેવાથી વધુ પડતા માસિકની ફરિયાદ મટે છે. પ્રયોગ સાવ નિર્દોષ છે અને કોઈ પણ અવસ્થામાં કરી શકાય છે. માસિક ઓછું આવવું (૧) બે બદામ અને બે ખજુર રાતે પાણીમાં પલાળી રાખી સવારે વાટી સહેજ માખણ અને સાકર મેળવી ખાવાથી છએક મહિનામાં અલ્પ માસિકની ફરિયાદ મટે છે. તકલીફ મુજબ બદામ અને ખજુરનું પ્રમાણ વધતું ઓછું કરી શકાય. (૨) કાચું કે પાકું પપૈયું દરરોજ ૧ કિલોગ્રામ જેટલું કોઈપણ સ્વરૂપમાં સેવન કરવાથી ઓછું માસિક આવવાની ફરિયાદ મટે છે. પ્રયોગ લાંબા સમય સુધી કરવો. (3) માસિક ઓછું આવતું હોય તો અશોકની છાલનો ઉકાળો પીવાથી માસિક વધુ આવવા લાગે છે. માસિક બંધ થઇ જવું રાત્રે ૨૦-૨૦ ગ્રામ ચણા અને તલ જરૂરી પાણીમાં પલાળી સવારે બરાબર ઉકાળી નિતારીને એ પાણી પીવાથી સ્ત્રીઓનું માસિક બંધ પડી ગયું હોય તો તે ફરીથી ચાલુ થાય છે. સતત એક વર્ષ સુધી પ્રયોગ ચાલુ રાખવો જોઈએ. માસિકની પીડા જીરુ અને હરડેનું સમાન ભાગે બનાવેલું ચૂર્ણ રાતે સૂતી વખતે પાણી સાથે એક ચમચી જેટલું લેવાથી માસિકની પીડા મટે છે.મળશુદ્ધિ બરાબર ન થતી હોય તેમાં પણ લાભ થાય છે. જીરું વાયુનાશક છે અને હરડે ત્રણે દોષોનો નાશ કરે છે. આ પ્રયોગથી મળ, વાયુની શુદ્ધિ થાય છે.
માંકડ સૂકાં મરચાં બાફી એનો ઉકાળો કરવો. આ ઉકાળો માંકડ પડયા હોય ત્યાં રેડવો કે ચોપડવો એટલે ફરીથી ત્યાં માંકડ પડશે નહિ.
મૂઢ માર (૧) લસણ, હળદર અને ગોળને મેળવી વાગેલા મૂઢ માર પર લેપ કરવાથી ફાયદો થાય છે. (૨) મીઠું અને હળદર પાણીમાં બારીક વાટીને ચોપડવાથી વાગવા કે મચકોડાવાથી થતી પીડા મટે છે. મીઠું લસોટીને ચોપડવાથી પણ સોજો ઉતરી જાય છે. (૩) હળદર અને કળીચનાનો લેપ કરવાથી મૂઢમારનો સોજો મટે છે. (૪) હળદર, જૂની માટી અને મીઠું એકત્ર કરી, પાણી મેળવી, અગિન પર મૂકી, ખદખદાવી સહેવાય તેવો ગરમ ગરમ લેપ કરવાથી મૂઢમારનો સોજો મટે છે અને પીડા ઓછી થાય છે. (પ) એક કપ દૂધમાં એક નાની ચમચી ફૂલાવેલી ફટકડીનાખી, હલાવીને દિવસમાં ત્રણ વાર પીવાથી મૂઢમારનું દર્દ મટે છે
મૂત્રકૃચ્છ મૂત્રકૃચ્છ એટલે ટીપે ટીપે પેશાબ થવો તે. (૧) ૨૦ ગ્રામ કિસમિસ દ્રાક્ષ અને નાની એલચીના દાણા ૨ ગ્રામ ચટણીની જેમ પીસીને ૨૫૦ મિ.લિ. પાણીમાં મેળવી, ગાળી, સાકર નાખી પીવાથી તાપ-તડકામાં ફરવાથી ગરમીને લીધે થયેલ મૂત્રકૃચ્છ મટે છે. (૨) કાળી દ્રાક્ષ રાત્રે ઠંડા પાણીમાં પલાળી રાખી, મસળી, ગાળી, સાકર નાખી પીવાથી મૂત્રકૃચ્છર મટે છે. (3) કાળી દ્રાક્ષનો ઉકાળો કરી પીવાથી મૂત્રકૃચ્છ મટે છે. (૪) કાકડીનાં બીનો મગજ, જેઠીમધ અને દારૂહળદરનું ચૂર્ણ ચોખાના ઓસામણમાં પીવાથી મૂત્રકૃચ્છ અને મૂત્રાઘાત મટે છે. (પ) ગરમ દૂધમાં સમભાગે સાકર નાખી, ધી મેળવી પીવાથી બળતરાવાળો મૂત્રકૃચ્છ મટે છે. (૬) દહીંમાં સાકર મેળવી પીવાથી મુત્રકૃચ્છ મટે છે. (૭) ગાયના ગરમ દૂધમાં ઘી, સાકર કે ગોળ નાખી પીવાથી મૂડૂત્રકૃચ્છ મટે છે. (૮) જવને ચારગણા પાણીમાં ઉકાળી, ત્રણચાર ઉભરા આવે એટલે ઉતારી, એક કલાક ઢાંકી રાખી ગાળી લેવું જવના આ પાણીને બાલી વૉટર કહે છે. એ પીવાથી મૂત્રકૃચ્છ મટે છે. (૯) નાળીયેરના પાણીમાં ગોળ અને ધાણા મેળવી પીવાથી બળતરા સાથેનો મૂત્રકૃચ્છ મટે છે. (૧૦) આમળાંનો રસ અને શેરડીનો રસ એકત્ર કરી પીવાથી મુત્રકૃચ્છ મટે છે. (૧૧) મૂત્રકૃચ્છમાં ગરમ પાણીમાં બેસવાથી લાભ થાય છે. (૧૨) સકરટેટી કે ચીભડાનાં બીની મીજને પાણીમાં પીસી, ગાળીને પીવાથી મૂત્રકૃચ્છ મટે છે. (૧૩) છાસમાં ગોળ મેળવી પીવાથી મૂત્રકૃચ્છ મટે છે. (૧૪) ખુલાસાથી પેશાબ ન થતો હોય તો તડબૂચનાં બી. પીસી ૧પ ગ્રામ પાણીમાં મેળવી સાકર નાખી પીવાથી અને તડબચની છાલ પીસી પેઢા પર લેપ કરવાથી પેશાબ છૂટે છે. (૧૫) પેશાબ બંધ થઈ ગયો હોય કે ટીપે ટીપે થતો હોય, પેશાબ કરતી વખતે બળતરા થતી હોય તો ૧૦-૨૦ ગ્રામ ગોળ પાણીમાં ઓગાળી ગાળીને પીવાથી તરત રાહત થાય છે. બીજા રોગના લક્ષણ રૂપે આ ફરિયાદ હોય તો મૂળ રોગનાં ઔષધો લેવાં. (૧૬) હરડે, આમળાં, જેઠી મધ, નાના ગોખરું, પાષાણભેદ, અરડૂસી, ચણકબાબ, ગળજીભી, બ્રાહ્મી, શતાવરી અને સુગંધી વાળો સરખે ભાગે લઈ એમાંથી ૧૦-૨૦ ગ્રામનો ઉકાળો કરીને પીવાથી ઉનવા અને પથરી મટે છે. (૧૭) અંદનાદિ ગ્રૂgરૂર્ણ - સફેદ ચંદન, વાળો, અગર, તગર અને વાંસકપુરને સરખા ભાગે લેવાં, અને એ બધાંના વજન બરાબર સાકર લેવી. એનું બારીક ચરણ દરરોજ ૨-૪ ગ્રામ સવાર-સાંજ દૂધ સાથે લેવાથી મૂત્રકૃચ્છ, ઊનવા, દાહ, શિર:શૂલ અને તરસ મટાડે છે. મગજને ઠંડક આપે છે. (૧૮) બજારમાં મળતાં તૈયાર ઔષધો જેમ કે અંદનાદિવટી, અંદ્રકલારસ, ગોક્ષરાદિ કવાથ, ગોક્ષરાદિ ધૃત, ચંદનાસવ, સંગેપશબ, હજરતયહુદ ભસ્મ વગેરેમાંથી એક કે બે પસંદ કરી વાપરવાથી સુંદર પરિણામ આપે છે.
મૂત્રદાહ (૧) બાલ વૉટર પીવાથી મૂત્રદાહ મટે છે. (૨) ઠંડા પાણીના ટબમાં કમરબડ બેસવાથી અથવા ઠંડા પાણીથી મૂત્રમાર્ગ-મૂત્રન્દ્રિય વારંવાર ધોવાથી અને તેના પર ભીનું પોતું મૂકી રાખવાથી ઠંડક થાય છે. (૩) આમળાં અને હળદર ૧૦-૧૦ ગ્રામ ખાંડી, કવાથ કરી પીવાથી ગુદામાર્ગ અને મૂત્રમાર્ગનો દાહ શાંત થાય છે અને પેશાબ સાફ આવે છે.
મૂત્રવિકાર તમામ મૂત્રવિકારોમાં સવાર, બપોર, સાંજ ૧ ચમચો ગોળમાં ૧નાની ચમચી અજમો મેળવી ખાવાથી નાના-મોટા મૂત્રવિકારો જરૂર સમાપ્ત થઈ જાય છે.
મૂત્રાશયનાં દર્દો કેળામાં પ્રોટીન ઓછું હોવાથી મૂત્રાશયનાં દર્દીમાં એ ખોરાકતરીકે ગુણકારી છે. મૂત્રાશયની ગરમી ૨૫૦ ગ્રામ દૂધ અને ૨૫૦ ગ્રામ પાણીમાં કાકડીનાં બીની મીજ 3 ગ્રામ અને ૧.૫ ગ્રામ સુરીખાર નાખી પીવાથી પેશાબનો રેચ લાગે છે અને મૂત્રાશયની ગરમી, પ્રમેહ વગેરે વિકારો દૂર થાય છે. (આ પીણું ઊભા ઊભા પીવું અને ફરતા રહેવું) મૂત્રાશયની પથરી (૧) આહારમાં ડુંગળીનો થઈ શકે એટલા વધુ પ્રમાણમાં ઉપયોગ કરવો. ડુંગળીનો રસ ૧-૧ કપ દરરોજ ચાર કલાકને અંતરે લેવો. એકાદ માસ સુધી આ પ્રયોગ જાળવી રાખ્યા પછી જ પથરીનો અન્ય કોઈ ઉપાય શોધવો જોઈએ. જો કે ભાગ્યો જ બીજા કોઈ ઈલાજની જરૂર પડશે. (૨) ભોંયરીંગણીના મૂળનું ચૂર્ણ મોટા ચણાના દાણા જેટલું (એટલે કે ૧/૪ ચમચી) મીઠા દહીં સાથે ખાવાથી સાત દિવસમાં જ પથરીના ચૂરે-ચૂરા થઈ જાય છે. (3) દરરોજ સવાર, બપોર, સાંજ ૧-૧ ચમચો બદામનું તેલ પી જઈ ઉપરથી હૂંફાળું પાણી પીવાથી મૂત્રાશયની પથરી ઓગળી જાય છે. મૂત્રાશયની પથરીમાં બદામ પણ ફાયદો કરે છે, પણ બદામનું તેલ વધુ અકસીર છે. મૂત્રાશયમાં શૂળ જવને ચારગણા પાણીમાં ઉકાળી, ત્રણચાર ઉભરા આવે એટલે ઉતારી, એક કલાક ઢાંકી રાખી ગાળી લેવું જવના આ પાણીને બાલી વૉટર કહે છે. એ પીવાથી મૂત્રાશયશુળ મટે છે. મૂત્રાશયનો સોજો રોજ રાત્રે ૧૦૦ ગ્રામ સૂકી દ્રાક્ષ પાણીમાં પલાળી, સવારે તે પાણીમાં જ દ્રાક્ષ ચોળી બી કાઢી નાખી ભૂખ્યા પેટે પીવાથી ફક્ત દસ
દિવસમાં જ મૂત્રાશયનો સોજો મટે છે.
મૂર્છા (૧) આમળાનો રસ ધી મેળવી પાવાથી મૂછ મટે છે. (૨) તજનું બારીક ચૂર્ણ આંખમાં આંજવાથી મૂઅછાં અને તંદ્રા મટે છે. (3) લવિંગ ઘસી આંખમાં અંજન કરવાથી મૂઅછાં મટે છે અને ચેતના આવે છે. (૪) દ્રાક્ષ અને બાફેલાં આમળાં મધમાં ખવડાવવાથી મૂચછાં રોગમાં ફાયદો થાય છે. (પ) હળદર અને સાકર પાણીમાં મેળવી પાવાથી મૂછ મટે છે.
મેલેરિયા (૧) ૧ કપ અતિશય ગરમ પાણીમાં ૧ ચમચો મધ મેળવી દિવસમાં ચાર-પાંચ વખત ચા માફક પીવાથી મેલેરિયામાં જરૂર ફરક પડે છે. (૨) લીમડાની અંતરછાલ, સંચળ અને અજમો સમાન ભાગે અને એ બધાના વજન જેટલું કડું. અ:ા બધાંનું બારીક વસ્ત્રગાળ ચુર્ણ તે નિબાદિ .િ ૧/૨ ચમચી જેટલું અ:ા ચૂર્ણ સવાર, બપોરે અને રાત્ર લેવું. મેલેરિયા મટી ગયા પછી ઝીણો તાવ ઘણા સમય સુધી રહ્યા કરતો હોય તો ૩ ગ્રામ કરિયાતાનો અને ૨ ગ્રામ સુંઠનો ભૂકો એક કપ સારી રીતે ઉકાળેલા પાણીમાં નાખી અડધા કલાક સુધી ઢાંકી રાખવું. અ:ા પછી ગાળીને પી જવું. સવાર-સાંજ તાજું બનાવી અ:ા દ્રવ પીવાથી પંદર-વીસ દિવસમાં ઝીણો તાવ મટે છે. (3) ૧ ચમચી જીરાનું ચૂર્ણ ૧૦ ગ્રામ કારેલીના રસમાં મેળવી પીવાથી મેલેરિયા મટે છે. (૪) મેલેરિયા હોય કે તેનાથી બરોળ અને લીવર વધ્યાં હોય અને પેટમાં પાણી ભેગુ થયું હોય - જલોદર થવા માંડયું હોય તો કારેલીનાં પાન છૂદી, રસ કાઢી, પહેલાં ૧૦ ગ્રામ અને પછી ર0-૨૦ ગ્રામ પાવાથી દરદીને પુશ્કળ પેશાબ છૂટે છે, એક-બે ઝાડા થાય છે, ભૂખ લાગે છે, ખોરાકનું પાચન થાય છે અને લોહી વધે છે. (૪) કારેલીનાં સાડા ત્રણ પાન અને મરીના સાડા ત્રણ દાણા ભેગાં વાટી આપવાથી મેલેરિયા મટે છે. કારેલીના પાનનો રસ પણ શરીરે લગાડી શકાય. (પ) મરીનું ચૂર્ણ તુલસીના રસ અને મધમાં મેળવી પીવાથી મેલેરિયા મટે છે. (૬) મેલેરિયામાં દિવસ દરમિયાન જ્યારે તાવ ઓછો હોય ત્યારે ૧૨-૧પ મરી ચાવીને દરરોજ ખાવાથી રોગ સારો થઈ જાય છે, અને ફરીથી કદી થતો નથી. (૭) દર ત્રણેક કલાકે ૧ ગલાસ પાણીમાં બે લીંબુનો રસ ખાંડ, સાકર કે નમક નાખી અથવા એમ ને એમ પીવાથી મેલેરિયામાં લાભ થાય છે. અન્ય સારવાર સાથે પણ આ ઉપાય કરી શકાય. લીંબુ સમારી તેની ચીરી ચૂસતા રહેવાથી પણ આશ્ચર્યકારક લાભ થાય છે. (૮) ગંઠોડાનું ચૂર્ણ મધમાં ચાટી ઉપર ગાયનું ગરમ દૂધ પીવાથી ટાઢિયો તાવ મટે છે. (૯) પાણીમાં મીઠું નાખી ઉકાળીને પીવાથી ટાઢિયો તાવ મટે છે. (૧૦) ફુદીનાનો અને આદુનો રસ કે ઉકાળો પીવાથી ટાઢિયો તાવ અને શીતજવર મટે છે. (૧૧) ગળો,પિત્ત પાપડી, નાગરમોથ, કરિયાતું અને સુંઠ સરખે ભાગે અધકચરાં ખાંડી ઉકાળો કરી પીવાથી ટાઢિયો તાવ મટે છે.
મેદ-જાડાપણું (૧) શરીરનું જાડાપણું દૂર કરવા માટે ૧-૧ ચમચો વાવડીંગના ચૂર્ણમાં સહેજ શિલાજિત તથા એક ચમચી મધ એકત્ર કરી દરરોજ સવાર-સાંજ લેવું લાંબા સમયે શરીરનો મેદ ઓછો થાય છે. (ર) વેગણ મેદ ઘટાડે છે. (૩) નાની ઉમરે શરીર પર મેદ વધી જાય કે અન્ય કારણથી શરીર પર કરચલીઓ પડે, રંગ ઝાંખો પડે ત્યારે ગરમ પાણી સાદુ અથવા ગરમ કરી. જરાક ઠરેલા પાણીમાં ૧-૨ ચમચી મધ ઉમેરીને પીવાથી લાભ થશે. (૪) ફોતરાં કાઢેલા જવને ત્રિફળાના ઉકાળામાં એક કલાક સુધી પલાળીને સૂકવી લેવા. અ:ા સૂકવેલા જવને દળી રોટલી કે ભાખરી બનાવી ખાવી. ઘઉં, ચોખા, તળેલું અને મિઠાઈ બંધ કરવાં. લિલોતરી ભાજી, સલાડ, કઠોળ સાથે જવની રોટલી ભાખરી જ ખાવી. અ:ા ઉપચારથી ધાર્યા પ્રમાણે વજન ઘટાડી શકાય છે. ડાયાબીટીસવાળા માટે પણ અ:ા ઉપચાર ખૂબ જ હિતાવહ છે. (પ) એરંડાના પાનનો ક્ષાર હિંગ સાથે મિશ્ર કરી ચોખાના ઓસામણ-ધોવાણ સાથે લેવાથી પણ મેદ નાશ પામે છે. (૬) મેદ ઓછો કરવા સવાર-સાંજ ૧-૧ વાડકી કારેલાંનો રસ પીવો. આહારમાં કારેલાનું શાક વધુ પ્રમાણમાં લેવું કારેલાનું નિયમિત અને વિશેષ પ્રમાણમાં સેવન કરવાથી શરીરનો મેદ જરૂર ઘટે છે. (૭) દરરોજ એક કપ ગૌમૂત્રમાં પાંચેક ગ્રામ શુદ્ધ ગ્રગળ મેળવી સવાર-સાંજ નિયમિત સેવન કરવાથી શરીરનો મેદ ઘટે છે. મેદ ઉતારવાના અન્ય ઉપચાર સાથે સહાયક ઉપચાર તરીકે પણ આ કરી શકાય. બહુ જ અકસીર પ્રયોગ છે. ગૌમૂત્ર બજારમાં તૈયાર પણ મળે છે. (૮) બપોરની ઊઘ છોડી દેવી, પરસેવો થાય તેટલો શરીરશ્રમ કરવો, હાથ ચીકણા ન થાય તેવો લખો ખોરાક ખાવો અને ભૂખ લાગે તેટલું જ ખાવાથી મેદવૃદ્ધિ અટકે છે.
મેદરોગ-હૃદયરોગ(બ્લડપ્રેશર)-ડાયાબિટીસ ૧. ચીકણા-તળેલા,ગળપણ, વાસી અને વાયડા પદાર્થો બંધ કરવા. ૨. ગોળ, ધી, ખાંડ, મલાઈ, માખણ, ઠંડાં પીણાં, દૂધપાક, શીખંડ, બાસુદી, દહીં, ફુટસલાડ, ફ્રિઝ કે બરફનું પાણી, ફરસાણ, મગ-તુવેર સિવાયનાં કઠોળ, વેજીટેબલ ધી બંધ.3. દરરોજ સવારે લાંબે ફરવા જવું અને માફકસર કસરત કરવી. એનાથી ઉપરોક્ત તકલીફમાં ફાયદો થશે.
મૈથુન શક્તિ એરંડા નાં મૂળ મૈથુન શક્તિ વધારે છે. ઘણાં દ્રવ્યો મૈથુન શક્તિ વધારે છે, પરંતુ મૈથુન શક્તિ વધારનાર અને વાયુનો નાશ કરનાર ગુણોવાળો અહેક માત્ર એરંડા જ છે.
મોતિયો (૧) મોતિયાની શરૂઆતમાં આંખમાં મધ આાંજવાથી મોતિયો આગળ વધતો અટકે છે. (૨) મોતિયો અટકાવવા આટલું કરો.3૫-૪૦ વર્ષની વય પછી દૂધ ઓછું લો. ધી, તેલ, ચા, કોફી, ઠંડાં પીણાં, મીઠાઈઓ, તળેલી વસ્તુ, અથાણાં વગેરે નાછૂટકે લો કે બંધ કરી. સાદી ખોરાક મગ, ભાત, ખીચડી, રોટલી, થુલી, ફળો તથા શાકભાજી (સરગવાના પાનની કે સૂવાની ભાજી) ખાસ લેવાં. કાકડી, ગાજર, મૂળા, કોબી, કાંદા, મધ, લીલું કોપરું વગેરે લેવાય. અઠવાડિયે એક ઉપવાસ કે એકટાણું કરો. ઉકાળેલું પાણી જ પીઓ. તાંબાના લોટામાં રાખેલું કે લોહચુંબકીય જળ નરણા કોઠે સવારે પીઓ. આંખો પર હથેળી મૂકી ઢાંકી રાખવાનું બને તેટલું કરો. આ પ્રયોગો સતત કરતા રહેવાથી મોતિયો આગળ વધતો અટકશે કે કાચો હશે તો કપાઈ જશે.
મોતિયો અને ઝામર (૧) ખાખરાનો અર્ક આંખોમાં નાખવાથી નવા મોતિયામાં લાભ થાય છે. એનાથી ઝામરમાં પણ લાભ થાય છે. (૨.) ગુલાબજળ અને સાટોડી ઘસીને આંજવાથી પણ લાભ થાય છે.
મોળ (૧) સુંઠ, મરી, પીપર અને સિંધવ દરેક ૧૦-૧૦ ગ્રામના બારીક વસ્ત્રગાળ ચૂર્ણમાં ૪૦૦ ગ્રામ બી કાઢેલી કાળી દ્રાક્ષ મેળવી ચટણી માફક પીસી બરણીમાં ભરી લેવું. એને પંચામૃત ચાટણ. કહે છે. એ પાંચથી વીસ ગ્રામ જેટલું સવાર-સાંજ ચાટવાથી મોળ મટે છે. (૨) તજ લેવાથી મોળ મટે છે.
મોંની તકલીફ ડાઘા (૧) રાયણનાં પાન દૂધમાં વાટી કલક કરી મોં પર રાત્રે બાંધવાથી થોડા જ દિવસમાં મોં પરના કાળા ડાઘ મટી જાય છે. (૨) મોં પર ખીલ કે બીજા કોઈ કારણે ડાઘા હોય તો વડની કૂણી કુંપણોને મસુરની દાળ સાથે લસોટી લેપ કરવો. (3) કેરીની ગોટલીને પથ્થર પર ઘસીને ચોપડવાથી મોંના ડાઘ મટી જાય છે. મોંમાંથી લાળ (૧) રસકપુર યુક્ત દવાના સેવનથી મુખપાક થયો હોય, દાંતનાં પેઢાં ઢીલાં થયાં હોય અને મોઢામાંથી લાળ પડતી હોય તો બોરડીની છાલ અથવા પાનનો ક્વાથ કરી કોગળા કરવાથી મટે છે. (૨) જાસૂદના ફૂલનો રસ પીવાથી મોંમાંથી પડતી લાળ બંધ થાય છે.મોંના ચાંદા (૧) પાનમાં ખાવાનો કાથો લગાવવાથી ચાંદાંમાં રાહત થાય છે. (૨) ટંકણખાર અને મધ મેળવીને ચાંદા પર લગાડવું. (3) જેઠી મધનું ચૂર્ણ ચાવવું. (૪) જીર્ણ જવર કે કબજિયાત હોય તો તેના ઈલાજ કરવા. (૫) દાડમની લીલી કે સૂકી છાલ મોંમાં રાખવાથી મોંનાં ચાંદાં મટે છે. ઉધરસમાં પણ લાભ કરે છે. (૬) મોંમાં કેટલોક વખત મધ રાખી કોગળો કરવાથી કે મધ અને પાણી એકત્ર કરી કોગળો કરવાથી મોંમાં પડેલાં ચાંદાં મટે છે. (૭) મોં આવી ગયું હોય, મોંમાં ચાંદાં પડયાં હોય, કંઈ ખાંતાં મોંમાં બળતરા થતી હોય તો વડની છાલનો ઉકાળો મોંમાં રાખી મૂકવો. (૮) મુખપાકની સ્થિતિમાં વડવાઈનું દાતણ ચાવીને કરવું. (૯) જેઠીમધ, શતાવરી, આમળાં અને ખડી સાકર સરખા વજને લઈ ખૂબ ખાંડી બારીક ચૂર્ણ બનાવવું. એકથી દોઢ ચમચી જેટલું ચર્ણ સવારે અને રાત્રે એક ગલાસ દૂધ સાથે નિયમિત લેવું મોંમાં ચાંદાં સાથે પેટમાં બળતરા થતી હોય તો ખાટા, ખારા, તીખા, તળેલા, ગરમ, તીક્ષણ ગુણવાળા આહારવિહારનો ત્યાગ કરવો. એકથી બે મહિના આ ઉપચાર કરવો. એનાથી અમલપિત્ત, અલ્સર, આંતરડાનાં અને યોનિનાં ચાંદાં પણ મટે છે. (૧૦) અક્કલગરી, જેઠી મધ અને કાથાનું સમાન ભાગે બનાવેલું ચર્ણ લગાવવાથી મોંમાં પડેલાં ચાંદાં મટે છે તથા બેસી ગયેલો અવાજ સુધરે છે. (૧૧) ફટકડીના પાણીના કોગળા કરવાથી મોંનાં ચાંદાં રુઝાય છે. (૧૨) બાવળની છાલ મોંમાં રાખી ચાવ્યા કરવાથી મોંનાં ચાંદાં મટે છે. (૧૨) ચમેલીનાં પાન, મજીઠ, દારુહળદર, સોપારી, ખીજડાની છાલ, આમળાં અને જેઠીમધને સરખા ભાગે અધકચરાં ખાંડી બે ચમચી ભૂકો બે ગ્લાસ પાણીમાં ઉકાળી એક કપ બાકી રહે ત્યારે ઉતારી ગાળીને ઠંડુ પાડી મોંમાં થોડી વાર ભરી રાખવું. દિવસમાં બેથી ત્રણ વાર આમ કરવાથી મોંનાં ચાંદાં, દુ:ખાવો, મુખપાક, તેમ જ પેઢાનો ઉગ્ર સોજો પણ દૂર થાય છે. એકલા ચમેલીનાં પાન પણ થોડી વાર ચાવવાથી મોંનાં ચાદાં મટે છે. મોંની દુર્ગંધ (૧) તુલસીનાં પાન વાટી, ઉકાળો કરી, સવાર-સાંજ કોગળા કરવાથી મોંની દુર્ગધ દૂર થાય છે. (૨) જમ્યા બાદ તથા દર બે કલાકે તુલસીનાં ચાર-પાંચ પાન સારી રીતે ચાવીને ખાતા રહેવાથી મોંની દુર્ગધ મટે છે. મોંમાં છIલાં (૧) સાકરમાં સહેજ કપુર નાખી બારીક વાટી લેવું અગર ગ્રાઈન્ડરથી પાઉડર બનાવી લેવો. દરરોજ દિવસમાં આઠ-દસ વખત આ પાઉડર મોંમાં જ્યાં છાલાં પડયાં હોય ત્યાં બધે ચોપડી દેવો. મોંમાં લાળ આવે અને આ મિશ્રણ ગળા નીચે ઉતરે તો પણ કોઈ વાંધો નથી. આ પ્રયોગ મોંનાં છલાં મટાડનારો એક અકસીર ઉપચાર છે. (૨) મરી અને સૂકી દ્રાક્ષ સમભાગે લઈ દિવસમાં ત્રણચાર વાર ચાવીને ખાવાથી મો:ાનાં છાલાં મટે છે. (3) એક નાની વાડકી તાજા દહીંમાં અડધો લીટર પાણી નાખી હાથ વડે કે ચમચાથી હલાવી મીક્ષ કરી દિવસમાં ચારેક વખત કોગળા કરવાથી મોંમાંનાં છલાં મટે છે. (૪) દરરોજ બેત્રણ કલાકે સૂકા કોપરાનો મોટો ટુકડો ખૂબ ચાવીને ખાવાથી થોડા દિવસોમાં મોંમાં પડેલાં છલાં મટે છે. મોંમાં દlહ મોંમાં કેટલોક વખત મધ રાખી કોગળો કરવાથી કે મધ અને પાણી એકત્ર કરી કોગળો કરવાથી મોંનો દાહ, ચાંદાં કે વ્રણ મટે છે. મોંમાંથી લાળ (૧) ૧-૧ ચમચી ફૂલાવેલો ટંકણખાર મધ સાથે મેળવી દરરોજ બેચાર કલાકના અંતરે નિયમિત લેવાથી મોંમાંથી લાળ ટપકતી બંધ થાય છે. (૨) મોંમાંથી લાળ ટપકયા કરે તો દાડમાનાં સૂકાં છોડાનો પાઉડર બનાવી દરરોજ સવાર - સાંજ સાદા પાણી સાથે લેવો. (3) માજુના કાઢામાં ફટકડી-કાથો નાખી અડધા લીટર જેટલું મિશ્રણ બનાવી દિવસમાં ચારેક વખત કોગળા કરવાથી મોંમાંથી લાળ પડવાની ફરિયાદ મટે છે. માજુફળ આપણે ત્યાં બધે મળે છે, અને પ્રમાણમાં સસ્તુ પણ હોય છે. મોંમાંથી લોહી (૧) વડની છાલ, કૂણાં પાન કે કૂણી કુંપળોનો ઉકાળો પીવાથી મોંમાંથી લોહી પડતું હોય તો ફાયદો થાય છે. (૨) મોંમાં કોઈ ઈજા કે રોગ ન હોય, દાંત કે પેઢાની કોઈ તકલીફ ન હોય, છતાં મોંમાંથી લોહી પડતું હોય તો ફેફસાં સંબંધી કોઈ રોગ હોઈ શકે. જો સાધારણ તકલીફ હોય તો દૂધીની છાલ સૂકવી, પાઉડર બનાવી, અડધો ચમચો પાઉડર અને અડધો ચમચો સાકર મિશ્ર કરી દરરોજ સવારે ખાલી પેટે લસ્સી કે પાણી સાથે લેવું. (3) મોંમાંથી લોહી પડતું હોય તો અડધી ચમચી દાડમની છાલ લસોટી એક કપ છાસમાં નાખી સવારે, બપોરે અને રાત્રે લેવાથી તે બંધ થાય છે. મુખપIક (૧) બોરડીના પાનનો કવાથ કરી દિવસમાં બે-ત્રણ વાર કોગળા કરવાથી મુખપાક મટે છે. (૨) કેરીની એક ગોટલી પાણીમાં ખૂબ લસોટી એક ગલાસ ઉકળતા પાણીમાં નાખી ઉતારી લેવું ઠંડુ પડે એટલે તેમાં ૧/૪ ચમચી હળદર અને એટલો જ કાથો નાખી કોગળા કરવાથી મુખપાક, મોંનાં ચાદાં, દાંતના પેઢામાંથી લોહી નીકળવું, અવાજ બેસી જવો વગેરે મટે છે. આ દ્રવ લેપનીજેમ લગાવવાથી અળાઈ અને ખીલ પણ મટે છે. હોઠ ફlટે (૧) હોઠ ફાટે તો રાતે સૂતાં પહેલાં હોઠ ઉપર એરંડિયું બરાબર ઘસીને સૂઈ જવાથી ધીમે ધીમે સારું થઈ જાય છે. (૨) સરસવનું તેલ અથવા હૂંફાળું ધી નાભિ ઉપર લગાડવાથી હોઠ ઉપરચીરા પડશે નહિ. મોં આવવું ૧. સવારે ઊઠીને તરત જ પાણી પીવું. ૨. મરચું, ગરમ મસાલા, અથાણાં, ગરમ પદાર્થો, તીખાશ, સૂંઠ, મરી બિલકુલ બંધ કરવાં. 3. દૂધ,દૂધપાક, ખીર, રબડી, બાસુદી સારાં. ૪. જમ્યા પછી તાજી મોળી છાસ પીવી. પ.લીંબુનું ખાંડવાળું શરબત દિવસમાં બે-ચાર વાર પીવું. ૬. કબજિયાતથી બચવું.મોં પરના મસા નાળિયેરના પાણીથી મોં ઉપરના મસાને માલિશ કરતાં ધીમે ધીમેઘસાઈ જઈ ઓછા થઈ જતા રહે છે.
યકૃતવૃદ્ધિ કાચા પપૈયાનું શાક ખાવાથી યકૃતવૃદ્ધિમાં લાભ થાય છે. ખાસ કરીનેનાનાં બાળકોને આ વિશેષ લાભકારી છે.
યાદશક્તિ (૧) ચારોળી અને શિંગોડાં ખાવાથી યાદશક્તિ વધે છે. (૨) બદામનો
ઝીણો ભૂકો કરી તેમાં સાકર અને ઘી મેળવી હલાવી રાત્ર રાખી મૂકવું. સવારે એ મિશ્રણનું સેવન કરવાથી યાદશક્તિ વધે છે. (૩) કોળાને છીણી કોળાપાક કરીને ખાવું (૪) તરબૂચના બીની મીંજ ખાવી. (પ) યાદશક્તિ વધારવા કેરીની મોસમમાં પાકી કેરીનો રસ, દૂધ, આદુનો રસ અને ખાંડ અ:ાટલી ચીજ જરૂરી પ્રમાણમાં લઈ એકરસ કરી ધીમે ધીમે પી જવું. દરરોજ સવાર સાંજ અ:ા પ્રયોગ નિયમિત કરવો. અ:ાનાથી સ્મરણ શક્તિમાં અદ્રુત વધારો થાય છે; અને માનસિક તાકાત પણ ખૂબ વધી જાય છે. ડિપ્રેશનના રોગીઓને અ:ા પ્રયોગ બહુ કામ લાગે છે. (૬) તજનો પાઉડર મધ સાથે લેવાથી કે તજના ટૂકડા મોંમાં રાખી ચૂસતા રહેવાથી ભૂલી જવાની તકલીફ મટે છે. આબાલ-વૃદ્ધ કોઈ પણ માટે આ પ્રયોગ અસરકારક છે. (૭) ગળો, મોટા ગોખરુ, આમળાં, જેઠીમધ, શંખપુષ્પી અને બ્રાહ્મીચર્ણ સરખા વજને લઈ એમાંથી 3થી ૬ ગ્રામ ૪૦ વર્ષની ઉમર પછી દરરોજ એક કે બે વખત નિયમિત લેવાથી યાદશક્તિ યથાવત રહે છે. સાથે વાયુપ્રકોપ કરે નહિ એવો આહારવિહાર રાખવો. એનાથી યુવાની પણ લાંબો સમય ટકે છે. (૮) અશ્વગંધા, વરધારો, આમળાં, મોટાં ગોખરુ, ગળો અને બ્રાહ્મીનું સરખા ભાગે બનાવેલું 3થી ૬ ગ્રામ ચૂર્ણ ગાયના ધી અને મધ સાથે સવાર-સાંજ લેવાથી અને ઉપર દૂધ પીવાથી યાદશક્તિ વધે છે. આ ઉપરાંત બ્રાહ્મીવૃત, સારસ્વતારિષ્ટ, સારસ્વતચર્ણ, વચાદિ ,િ બ્રાહીવટી, યશદભસ્મ, જ્યોતિષમતિ રસાયન, ગડૂચવ્યાદિ રસાયન, બદામપાક, ચતુર્મુખરસ, યોગેન્દ્રરસ, રસરાજરસ વગેરે ઔષધો પૈકી એક-બે વાપરવાથી પણ સ્મૃતિશક્તિ જળવાઈ રહે છે. (૯) બદામમાં વિટામીન ‘ઈ" હોય છે, જેનાથી યાદશક્તિ જળવાઈ રહે છે, કેમ કે એમાં એન્ટિઓક્સિડન્ટ હોય છે. એન્ટિઓક્સિડન્ટ મગજના કોષોમાં થતી ગરબડનું પ્રમાણ ઘટાડે છે. વિટામિન ‘ઈ’ની ગોળી કરતાં બદામ લેવી સારી (૧૦) શંખપુષ્પીના આખા છોડ(સર્વ અંગો)નું ચૂર્ણ દસ ગ્રામ, બદામ નંગ પાંચ, ખસખસ પા ચમચી, મરી નંગ દસ, નાની એલચી નંગ પાંચ, વરિયાળી અડધી ચમચી અને ગુલાબનાં ફૂલની પાંખડી નંગ દસને ખૂબ જ લસોટી ચટણી જેવુંબનાવવું. એને એક ગલાસ ગરમ દૂધમાં મેળવી બે ચમચી સાકરનો ભૂકો નાખી ખૂબ હલાવી ઠંડુ પાડી રોજ રાત્રે સૂતી વખતે પીવાથી યાદશક્તિ અને એકાગ્રતા વધે છે. પરીક્ષાના દિવસોમાં આ પ્રયોગ ખૂબ જ હિતકારી છે. (૧૧) નિયમિત ભોજનની પંદર મિનિટ પહેલાં સફરજન ખાવાથી યાદશક્તિમાં વધારો થાય છે. (૧૨) રોજ સવારે સફરજનનો મુરબ્બો ખાવાથી યાદશક્તિ તેજ બની બી.પી. સામાન્ય થઈ જાય છે.(૧૩) એક મોટો ચમચો વરિયાળીનું ચૂર્ણ સાકરવાળા દૂધમાં નાખી સવાર-સાંજ પીવાથી યાદશક્તિ વધે છે.
યોનિદાહ આમળાનો રસ મધ સાથે લેવાથી સ્ત્રીઓનો યોનિદાહ મટે છે.
રક્તપિત્ત (૧) લીંબુનો રસ ૨૫ ગ્રામ, ખાંડ ૧ર ગ્રામ અને પાણી ૨૦૦ મિ.લિ.મેળવી સવાર-સાંજ પીવાથી ૧૫-૨૦ દિવસમાં રક્તપિત્ત-પાયોરિયા મટે છે. (૨) દર ચાર કલાકે લીંબુનો 90-90 ગ્રામ રસ આપવાથી રક્તપિત્ત મટે છે. (3) અળવીના પાનનું શાક રક્તપિત્તના રોગી માટે સારું ગણાય છે. (૪) કોબીનું શાક ખાવાથી રક્તપિત્તમાં રાહત થાય છે. (પ) કોળાનો અવલેહ (જુઓ અનુક્રમ) ખાવાથી રક્તપિત્ત મટે છે. (૬) તુવેરનાં પાનનો ૧૦ ગ્રામ રસ 30 ગ્રામ ઘીમાં મેળવી પીવાથી રક્તપિત્ત મટે છે. તેનાથી નાક અને મોંમાંથી પડતું લોહી પણ બંધ થાય છે. (૭) દૂધીનો રસ કાઢી. થોડા મધ કે સાકર સાથે લેવાથી નાક કે ગળામાંથી લોહી પડતું મટે છે. (૮) દ્રાક્ષ, જેઠીમધ અને લીલી ગળો ૧૦-૧૦ ગ્રામ લઈ, ચારગણા પાણીમાં મેળવી, ઉકાળો કરી. સવાર-સાંજ પીવાથી ઊર્ધ્વ રક્તપિત્ત (નાક, મોં, આંખ કે કાનમાંથી લોહી પડતું હોય તે) મટે છે. (૯) દ્રાક્ષને મધમાં મેળવી ખાવાથી રક્તપિત્ત મટે છે. (૧૦) દ્રાક્ષ અને ઉંબરાનાં મૂળ ૧૦-૧૦ ગ્રામ લઈ ઉકાળો કરી પીવાથી રક્તપિત્ત મટે છે.(૧૧) પાકાં ટામેટાંનો ૧૦૦ ગ્રામ રસ દિવસમાં ત્રણ વાર પીવાથી થોડા જ દિવસોમાં રક્તપિત્ત અને દાંતના પેઢાં શિથિલ થઈ તેમાંથી થતો રક્તસાવ મટે છે. (૧૨) પાકા ટામેટાંના તાજા રસમાં થોડું પાણી અને મધ મેળવી પીવાથી રક્તપિત્ત તથા લોહીવિકાર મટે છે. (૧૩) મધ સાથે ખજુર ખાવાથી રક્તપિત્ત મટે છે. (૧૪) રાયણનાં પાન દૂધમાં વાટી કલક કરી, ૧૦ ગ્રામ કલક ધીમાં શેકી સવાર-સાંજ ખાવાથી થોડા જ દિવસમાં રક્તપિત્ત મટે છે. (૧પ) રાયણનાં પાન અને કોઠીનાં પાન વાટી કલક કરી, ધીમાં શેકી ખાવાથી રક્તપિત્ત મટે છે.
રકતપ્રદર (૧) રક્તપ્રદર એટલે વધુ પડતું માસિક આવવું તે. સૂકવેલી કેરીની ગોટલીનો પાઉડર કરીને અથવા એમ જ મસાલો દઈ ખાઈને ઉપરથી પાણી પીવું તકલીફ મુજબ કેરીની ગોટલીનું પ્રમાણ રાખવું. એનાથી રક્તપ્રદર મટે છે. (૨) તુલસીનાં તાજાં પાનનો રસ સહેજ સાકર મેળવી એકાદ ચમચો દરરોજ સવાર, બપોર, સાંજ નિયમિત લેવાથી રક્તપ્રદરનો રોગ અચૂક સારો થાય છે. (3) બોરડીની છાલનું ચૂર્ણ 3-3 ગ્રામ સવાર-સાંજ ગોળ સાથે લેવાથી રક્તપ્રદર મટે છે. (૪) રાયણનાં પાન દૂધમાં વાટી કલક કરી, ૧૦ ગ્રામ કલક ધીમાં શેકી સવાર-સાંજ ખાવાથી થોડા જ દિવસમાં રક્તપ્રદર મટે છે. (પ) કેરીની ગોટલીનો બારીક પાઉડર ૧-૧ ચમચી સાદા પાણીમાં નિયમિત દિવસમાં ચાર-પાંચ વખત લેવાથી રક્તપ્રદર સારો થાય છે.
રક્તવિકાર (૧) રક્તવિકારના પ્રકારો અને કારણો ઘણાં છે. રક્તવિકારમાં દરરોજ ૧-૧ ચમચી ત્રિફળા ચૂર્ણ એકાદ ચમચો ગાયનું ધી મેળવી દિવસમાં ત્રણ વખત દર ચાર કલાકને અંતરે લેવું પ્રયોગ છએક માસ સુધી કરવાથી લોહીમાંરહેલા દોષો ઝડપભેર દૂર થાય છે. (૨) કાચી કોબીજનું પ્રચુર માત્રામાં સેવન કરવાથી કોઈ પણ પ્રકારનો રક્તવિકાર મટે છે. અન્ય ચિકિત્સાની સાથે પણ આ કુદરતી ઉપચાર કરી શકાય.
રક્તવૃદ્ધિ (૧) અંજીર ખાવાથી રક્તવૃદ્ધિ થાય છે. (૨) અંજીર દૂધમાં ઉકાળીને ઉકાળેલું અંજીર ખાઈ તે દૂધ પીવાથી શક્તિ આવે છે તથા લોહી વધે છે. (3) સૂકા અંજીરના કકડા તેમ જ ગરમ પાણીમાં પલાળી ફોતરાં કાઢેલી બદામ સૂકવીને, ખડી સાકરની ભૂકી, એલચીની ભૂકી, કેસર, ચારોળી, પિસ્તાં અને બળદાણા લઈ ખાંડી, તે બધું ગાયના ધીમાં આઠ દિવસ ભીંજવી રાખવું. પછી રોજ સવારે ૨૦ ગ્રામ જેટલું એ મિશ્રણ ખાવાથી ક્ષીણ શક્તિવાળાની રક્તવદ્ધિ થાય છે. (૪) પાકા અંજીરને છોલી સામસામા કાપ મૂકી તેમાં સાકર ભરી રાત્રે ઝાકળમાં મૂકી રાખી, એ રીતે ૧પ દિવસ સુધી રોજ સવારે ખાવાથી શરીરમાંથી ગરમી નીકળી જઈ રક્તવૃદ્ધિ થાય છે.
રક્તસ્ત્રાવ (૧) હળદરને વાગેલા ઘા પર દબાવી દેવાથી લોહી નીકળતું બંધ થાય છે. (૨) ૧-૧ કપ જેટલો તજનો ઉકાળો દરરોજ સવાર, બપોર, સાંજ પીવાથી ગમે તે કારણે થતો રક્તસાવ મટે છે. તે અતિ આર્તવને લીધે હોય કે ક્ષયને લઈને કે વાગવાથી કે શરીરના કોઈ અંદરના અવયવમાંથી લોહી નીકળતું હોય. (3) અરડુસી, કાળી દ્રાક્ષ અને હરડેનો ઉકાળો કરીને પીવાથી શરીરના કોઈપણ ભાગમાંથી વહેતું લોહી અટકે છે. (૪) ઉમરાનાં પાકેલાં ફળ ગોળ નાખી ખાવાથી શરીરમાં ઠંડક થાય છે અને શરીરના કોઈ પણ ભાગમાંથી થતો રક્તસાવ અટકે છે.
 
રક્તાતિસાર (૧) પિત્તના કારણે મોટા આંતરડામાં ચાંદાં પડે અને રક્તમિશ્રિત સાતથી આઠ ઝાડા થાય તેને રકતાતિસાર કહે છે. એમાં માત્ર સાકર નાખી ઉકાળેલા બકરીના દૂધ પર જ રહેવું, દિવસમાં ત્રણ વાર કડાછાલનું ચૂર્ણ એક કપ પાણીમાં ઉકાળી પીવું અને લોહી પડતું બંધ થાય પછી સાદી સુપાચ્ય આહાર લેવો. (૨) દાડમના દાણા, વરિયાળી અને સુકા ધાણાનું સમભાગે બનાવેલું ચણ થોડી સાકર મેળવી દર બે કલાકે ૧-૧ ચમચી પાણી સાથે લેવાથી લોહીવાળા ઝાડા મટે છે.
રતાવા (૧) ઠંડા પાણીમાં ચીકણી સોપારી ઘસી રતવાનાં ચાંદીઠાં પર ચોપડવાથીરતવા મટે છે. (૨) શેકેલા જવનો લોટ અને જેઠીમધનું ચૂર્ણ ધોયેલા ધીમાં મેળવી લેપ કરવાથી રતવા મટે છે. (3) ઉમરાની છાલનો ઉકાળો રતવાવાળી બહેનો માટે આશીર્વાદ સમાન છે. (૪) રતવામાં દિવેલ ખૂબ માફક આવે છે.
રતાંધળાપણું (૧) ગુવારનાં ફંણાં પાનનું શાક ખાવાથી રતાંધળાપણું મટે છે.(૨) જીરાનું ચૂરણ રોજ ફાકવાથી ગરમી ઓછી થઈ રતાંધણાપણું મટે છે. (3) જીરું, આમળાં અને કપાસનાં પાન સરખે ભાગે લઈ, ઠંડા પાણીમાં વાટી, ૨૧ દિવસ સુધી માથા પર લેપ કરી પાટી બાંધવાથી રતાંધળાપણું મટે છે. (૪) ડુંગળીના રસમાં સહેજ મીઠું મેળવી, તેનાં ટીપાં પાડવાથી રતાંધળાપણું મટે છે. (પ) ધોળાં મરી દૂધમાં કે દહીંમાં ઘસી સવાર-સાંજ આંખમાં આંજવાથી રતાંધળાપણું મટે છે. (૬) નાગરવેલનાં પાનનો રસ આંખોમાં નાખવાથી રતાંધળાપણું મટે છે. (૭) બકરીના મૂત્રમાં લવિંગ ઘસી આંખમાં આંજવાથી રતાંધળપણું મટે છે. (૮) સવાર-સાંજ ટામેટાના રસનું સેવન કરવાથી રતાંધળાપણામાં ફાયદો થાય છે. (૯) બિલીપત્રનો રસ પીવાથી તથા આંખોમાં આંજવાથી રતાંધળાપણામાં લાભ થાય છે. (૧O.) શ્યામ તુલસીના પાનનો બે બે ટીપાં રસ ૧૪ દિવસ સુધી આંખોમાં નાખવાથી રતાંધળાપણામાં લાભ થાય છે. આ પ્રયોગથી આંખોની પીળાશ પણ ઘટે છે. (૧૧.) સાકર તથા જીરુને ઘી સાથે ખાવાથી અને લીંડી પીપરને છાસમાં ઘસીને આંજવાથી રતાંધળાપણામાં લાભ થાય છે.
રસોળી રાઈ અને મરીના ચૂર્ણને ઘીમાં મેળવી લેપ કરવાથી રસોળી વધતી બંધ થાય છે.
રાંઝણ નગોડ, દિવેલો, લીમડો વગેરેનાં પાન નાખી ઉકાળેલા પાણીના ટબમાં કમરબડ બેસવાથી રાંઝણમાં લાભ થાય છે.
રૂમેટિઝમ યુરિક એસિડનું પ્રમાણ વધી જવાથી રૂમેટિઝમ થાય છે. કાકડીનો
રસ અને ગાજરનો રસ સરખા પ્રમાણમાં લઈ એક ગ્લાસ ભરીને દિવસમાં બે વાર સવાર-સાંજ પીવાથી રૂમેટિઝમમાં લાભ થાય છે.
રેચ આમલીના ગર્ભને પાણીમાં ધોળી, ગાળી, મીઠું નાખી પીવાથી રેચ લાગે છે.
લકવો (૧) દરરોજ સવાર, બપોર, સાંજ કારેલાંનો ૧-૧ નાનો કપ રસ પીવાથી પ્રારંભિક અવસ્થાનો લકવો અવશ્ય મટી જાય છે. (૨) લસણની એક કળી ગળવાની શરૂ કરી દરરોજ એક એક વધારતા જઈ ચાળીસમા દિવસે ચાળીસ કળીઓ ગળવી અને એ જ રીતે એક એક કળી ઓછી કરતા જઈ બીજા ચાળીસ દિવસ સુધી કળીઓ ગળવાથી લકવો મટે છે. (3) હિંગ અને સુંઠ નાખેલા સહેજ ગરમ તેલની માલિશ કરવાથી કેડનો દુ:ખાવો, સાંધાનો દુ:ખાવો, અંગનું જકડાઈ જવું, લકવો વગેરે વાયુના રોગો મટે છે. (૪) લકવાના દર્દીએ હંમેશ મોંમાં હિમેજ રાખી ચૂસતા રહેવું, તથા દરરોજ દિવસમાં બે વખત દળેલી હરડેની ફાકી લેવી. હરડે રેચક હોવાથી બે-ચાર વાર જુલાબ જવું પડશે, છતાં નિયમિત સેવનથી લકવો મટી શકે છે. (પ) સાદડની છાલનું ચૂર્ણ રોગના સ્થાને ઘસવાથી અને પછી એ ચૂર્ણ મૂકી પાટી બાંધવાથી પક્ષાઘાતમાં ફાયદો થાય છે. (૬) દિવેલાનાં પાન કે મૂળ, વાયુવરણો, લીમડાનાં પાન અને નગોડનાં પાનને પાણીમાં ઉકાળી તેની વરાળથી લકવાના દદીને શરીરે તેલમાલીશ કર્યા પછી શેક કરવાથી રોગ ઝડપથી મટે છે. (૭) અરીઠાના ચૂર્ણમાં સમાન ભાગે ગોળ મેળવી સાધારણ કદની ગોળી બનાવી દિવસમાં ત્રણ વાર મધયુક્ત પાણી સાથે લેવાથી લકવામાં રાહત થાય છે. અરીઠાનો સ્વાદ સારો ન હોવાથી ઉલટી થવાની શકયતા છે, પણ ઉપચારનો પ્રભાવ જોતાં એને અવગણી શકાય .
લીવર (૧) દ્રાક્ષના રસના સેવનથી યકૃતને શક્તિ મળે છે. (૨) ખજુરની ચાર પાંચ પેશી રાત્રે પાણીમાં પલાળી રાખી, સવારે મસળી તેમાં મધ નાખી સાત દિવસ સુધી પીવાથી યકૃતની વૃદ્ધિ મટે છે. (૩) કાચા પપૈયાનું શાક ખાવાથી યકૃતવૃદ્ધિમાં લાભ થાય છે
લીવર અને બરોળ (૧) દરરોજ સવારે આખા ચોખા એક ચપટી ગળી જઈ ઉપર પાણી પીવાથી લીવરના દર્દીને આરામ થાય છે. (૨) દાડમનો રસ પીવાથી લીવરના રોગમાં ફાયદો થાય છે. (3) કુવારપાઠાના રસમાં હળદર મેળવી પીવાથી લાભ થાય છે. (૪) શરપંખો ચોમાસામાં જ્યાં-ત્યાં ઊગી નીકળે છે. તે ૨-૩ ફૂટની ઊચાઈ ધરાવે છે. તેને નાની અને ચપટી શીંગો થાય છે. તેનું પાન તોડતાં તે તીર જેવો આકાર બનાવે છે. આ શરપંખો યકૃત(લીવર) અને બરોળ (સ્પલીન)ના રોગોમાં ખૂબ સારું કામ આપે છે. તેનાં લીલાં કે સૂકાં પાન લઈ, અધકચરાં ખાંડી, ઉકાળો બનાવી પીવાથી શરીરનાં આ બે મહત્વનાં અંગોની ફરિયાદ મટે છે. લીવર કે બરોળનું વધવું, તેમાં સોજો આવવો, દુ:ખાવો થવો, તેમનું કઠીનીકરણ થવું વગેરે મટે છે. વળી આ બન્નેમાંથી ગમે તે અવયવ બગડવાથી થતા રોગો જેવા કે પાંડુ, કમળો, કમળી. અશક્તિ, ભૂખ ન લાગવી વગેરે પણ મટે છે. (પ) લીંબુનો રસ પાણીમાં મેળવી તેમાં મરીનું ચૂર્ણ નાખી પીવાથી યકૃતના રોગો મટે છે. (૬) પOO ગ્રામ પાકાં જાંબુ લઈ તેનો રસ કાઢવો. એને કપડાથી ગાળી છઠ્ઠા ભાગે બારીક વાટેલું સિંધવ મેળવવું. એને શીશીમાં ભરી મજબૂત બૂચ મારી એક અઠવાડિયા સુધી રાખી મૂકાવાથી જાંબુદ્રવ તૈયાર થાય છે. જાંબુદ્રવ આાંતરે દિવસે સવારે કેટલાક દિવસ સુધી પીવાથી યકૃતની ક્રિયા નિયમિત બની યકૃતનો સોજો, યકૃતવૃદ્ધિ અને પ્લીહોદર મટે છે. (૭) કાચા પપૈયાનું ૧૦ ગ્રામ દૂધ સાકર સાથે મેળવી ત્રણ ભાગ કરી દિવસમાં ત્રણ વાર પાણી સાથે લેવાથી યકૃતવૃદ્ધિ મટે છે.
લીંડીપીપર લીડીપીપર રસાયન છે. જેનાથી રોગો અને વાર્ધકયનો નાશ થાય તેને રસાયન કહે છે. એ જઠરાગિન પ્રદીપ્ત કરનાર, તીખી પણ ગરમ નથી, પચયા પછી મધુર, સ્નિગધ તથા વાયુ અને કફનાશક છે. પચવામાં હલકી અને રેચક છે. તે શ્વાસ, ઉધરસ, કફના રોગો, પેટના રોગો, જવર, કોઢ, પ્રમેહ, ગાંઠ, હરસ, બરોળ, શૂળ તથા આમવાયુને મટાડનારી છે. પીપરનું ચૂર્ણ વિવિધ અનુપાનો સાથે લેવાય છે.મધ સાથે લેવાથી કફના રોગ અને મેદ મટે છે. શ્વાસ, ઉધરસ તથા કફજવર મટાડે છે. વીર્ય વધારે છે, બુદ્ધિને હિતકારી, મંદ જઠરાગિનને પ્રદીપ્ત કરનાર અને સારી ઊંઘ લાવે છે (૧) ૨.૫ થી 3 ગ્રામ જેટલું લીડીપીપરનું ચૂર્ણ સારી રીતે ઘૂંટી, લોખંડના પાત્રમાં કાલવીને રાખી મૂકવું. સવારે અડધા કપ જેટલા પાણી સાથે પી જવું.
એકાદ વર્ષ સુધી આ પ્રયોગ ચાલુ રાખવો. જીર્ણજવર, રક્તાલ્પતા-પાંડુરોગ, શરદી તથા કફના રોગોમાં આ પ્રયોગ અતિ ઉત્તમ છે. તેમાં પરેજીની જરૂર નથી.
લૂ (૧) ધાણાને પાણીમાં પલાળી મસળી ગાળી સાકર નાખી પીવાથી ગરમીમાં લાગેલી લૂ મટે છે. (૨) ગરમીના દિવસોમાં માથે ઠંડક રહે, લ ન લાગે, માથું તાપી ન જાય તે માટે માથે વડનાં પાન મૂકી ઉપર ટોપી, હેટ, સ્કાફ કે હેલમેટ પહેરવી. સૂર્ય ગમે તેટલો તપતો હશે તો પણ માથે ઠંડક રહેશે. (૩) મેથીની સૂકી ભાજી ઠંડા પાણીમાં પલાળી રાખી, સારી રીતે પલળ્યા પછી ખૂબ મસળી, પાણી ગાળી, થોડું મધ મેળવી પીવાથી લ લાગી હોય તો મટે છે. (૪) ડુંગળી, જીરું અને સાકર વાટીને ખાવાથી લ લાગી હોય તો મટે છે. (પ) શેકેલી કેરી અને ડુંગળી પીસીને લેવાથી લૂ  મટી જાય છે.
લોહ તત્વની ઉણપ એનાથી પગ દુ:ખે, કોઈ વાર પગમાં ટાંકણી ભોંકાતી હોય એમ લાગે, કંઈક સળવળતું હોય એવું લાગે, દિવસે આવું ન થાય પણ સૂઈ જાઓ ને થવા લાગે. આવા સંજોગોમાં આયર્નની ગોળી લેવાથી બધી તકલીફ મટી જાય છે. કેમ કે મગજમાં ઉત્પન્ન થતા ‘ડોપામાઈન’ નામના પદાર્થ માટે આયર્ન જરૂરી છે. આયર્ન ઓછું હોય ત્યારે ‘ડોપામઈન' ઓછું ઉત્પન્ન થાય અને તેથી દુ:ખાવો થાય છે. આયર્ન લેવાથી “ડોપામઈન' પૂરતું થાય અને દુ:ખાવો મટી જાય.
 
લોહી લોહીબગાડ વારંવાર ચામડીના નાના-મોટા રોગ થતા હોય તો વડના નાના ફણા તાજાં પાનનો ઉકાળો કરી પીવાથી લોહી શુદ્ધ થાય છે અને ચામડીના રોગો મટે છે. લોહીની ઉણપ (૧) તજ, તજથી બમણા વજનના તલ અને એ બંનેના કુલ વજનથી દસગણા વજનના પાણીમાં એકાદ કપ જેટલો ઉકાળો સવારબપોર-સાંજ તાજો બનાવી પીવાથી શરીરમાં લોહી વધે છે. (૨) સૂકી મેથી કે મેથીની ભાજીનું બને તેટલા વધુ પ્રમાણમાં સેવન કરવાથી રક્તાલ્પતા મટે છે. (3) ગાજરનો રસ ૧૫ ગ્રામ, સંતરાનો રસ ૧૫ ગ્રામ અને મધ ૧૦ ગ્રામ ભેગાં કરી દરરોજ સવારસાંજ ભોજન બાદ લેવાથી એકાદ મહિનામાં રક્તવૃદ્ધિ થાય છે. . લોહીની ઊલટી (૧) બી કાઢેલી દ્રાક્ષ, ધી અને મધ એકત્ર કરી ચાટવાથી ક્ષતકાસ મટે છે. ઉર:ક્ષત થઈને લોહીની ઉલટી થતી હોય તો તે પણ મટે છે. (૨) મીઠા લીમડાનાં પાનને પાણી સાથે પીસી, ગાળીને પીવડાવવાથી લોહીની ઊલટી મટે છે. લોહીની શુદ્ધિ (૧) બકરીના દૂધમાં આઠમા ભાગે મધ મેળવી પીવાથી લોહીની શુદ્ધિ થાય છે. (૨) એક સૂકું અંજીર અને પ-૧O બદામ દૂધમાં નાખી ઉકાળી, તેમાં સહેજ ખાંડ નાખી રોજ સવારે પીવાથી લોહી શુદ્ધિ થાય છે. લોહી વધleવl રોજ ગરમ દૂધમાં હળદર નાખી પીવાથી અથવા મધ કે જૂનો ગોળ કે કાળી દ્રાક્ષ ખાવાથી લોહીના રક્તકણો વધે છે. લોહીનું પાણી લોહીનું પાણી થઈ જતું હોય તેવો પણ એક રોગ છે. આ રોગમાં લોહી જાણે ઊડી જાય છે અને લોહીનું પાણી થઈ ગયા જેવું લાગે છે. ડુંગળીનો તાજો રસ અને મધ સરખા પ્રમાણમાં સવાર, બપોર, સાંજ જરૂરી પ્રમાણમાં લેવાથી લોહીનું પાણી થતું અટકે છે અને શરીર તાજગીભર્યું બને છે. લોહી વિકાર (૧) દૂધીનો રસ કાઢી. થોડા મધ કે સાકર સાથે લેવાથી લોહીવિકાર મટે છે. (૨) સારાં પાકાં લીંબુના ૪૦૦ ગ્રામ રસમાં ૧ કિલો ખાંડ નાખી, ઉકાળી, ચાસણી કરી શરબત બનાવવું.શરબત ગરમ હોય ત્યારેજ કપડાથી ગાળી ઠંડુ થાય એટલે શીશીઓમાં ભરી લેવું આ શરબત ૧૫થી ૨૫ ગ્રામ જેટલું પાણી મેળવી પીવાથી લોહીવિકાર મટે છે.
લોહીવા (૧) જીરું અને સાકરનું ચૂર્ણ પાવલીભાર ચોખાના ઓસામણમાં પીવાથી લોહીવા મટે છે. (૨) વડની છાલના ચૂર્ણની સ્વચ્છ કપડામાં પોટલી બનાવી યોનિમાં મૂકવાથી લોહીવા મટે છે. (3) લોહીવા હોય તો ગર્ભ રહી શકતો નથી, અથવા અધૂરે મહિને ગર્ભ પડી જાય છે. નાગકેસર લેવાથી લોહીવા મટે છે. (૪) એક ગલાસ ગાય કે બકરીના દૂધમાં એટલું જ પાણી ઉમેરી એક ચમચી અશોક વૃક્ષની છાલનું ચૂર્ણ નાખી પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળી, ઠંડુ કરી. સવાર-સાંજ પીવાથી અને આહારમાં ગરમ પિત્તવર્ધક દ્રવ્યોનો ત્યાગ કરી, સંપૂર્ણ આરામ કરવાથી રક્તપ્રદર-લોહીવા મટે છે. એમાં બજારમાં તૈયાર મળતું અશોકારિષ્ટ પણ ઉત્તમ છે. સવાર-સાંજ જમ્યા પછી બે ચમચી અશોકારિષ્ટમાં થોડું પાણી ઉમેરી પીવાથી વધુ પડતા માસિક-લોહીવાની તકલીફ તથા ગર્ભાશયની શિથિલતા દૂર થાય છે. (પ) જેઠીમધ, કાંટાળું માયુ, દાડમનાં ફૂલ અને ફટકડી સરખા વજને લઈ ઉકાળીને ઠંડુ કરેલું પાણી નાખી લસોટી નાખવાં. મિશ્રણ જ્યારે ઘટ્ટ થાય ત્યારે ખજૂરના ઠળિયા કે બદામ જેટલી વાટ જેવી લાંબી ગોળીઓ બનાવી છાંયડે સૂકવી, એકથી બે ગોળી રોજ રાત્રે યોનિની અંદર મૂકવી. દોઢથી બે માસ સુધી નિયમિત આ ઉપચાર કરવાથી લોહિવા, શ્વેતપ્રદર, ગર્ભાશય મુખની જુની ચાંદી, ખંજવાળ, બળતરા વગેરે વિકૃતિઓ દૂર થાય છે. રાત્રે મૂકેલ ગોળી સવારે અધી બહાર આવી જાય તો પણ ફાયદો કરે છે.
લ્યુકેમિયા હળદરમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ પદાર્થને લીધે લ્યુકેમિયા કોષોનોવધારો અટકે છે. રેડિયેશન, પ્રદુષણ અથવા કેટલીક દવાઓના જોખમને હળદર અને કરકયુમિનના મિશ્રણથી ઘટાડી શકાય છે. જે બાળકો કેળાં અને નારંગી ખાય તેમને પણ લ્યુકેમિયાનું જોખમ ઘટે છે.
વજન ઘટાડવા (૧) અરણીના મૂળનો ઉકાળો શીલાજીત સાથે સવાર-સાંજ પીવાથી અથવા ત્રણ ચમચી જેટલો એના પાનનો રસ પીવાથી ચરબી ઘટી જવાથી વજન ઓછું થઈ જાય છે. (૨) વજન ઘટાડવા ઘઉંને બદલે જવનો ઉપયોગ કરવો. (3) દરરોજ એક પાકા લીંબુના રસમાં 90 ગ્રામ મધ મેળવી ચાટવાથી વજન ઊતરે છે. (૪) ૨૫ ગ્રામ લીંબુનો રસ અને ૨૫ ગ્રામ મધ ૨૦૦ મિ.લિ. સહેજ ગરમ પાણીમાં ભોજન બાદ તરત જ પીવાથી એક-બે માસમાં શરીરમાં મેદની ઉત્પત્તિ બંધ થાય છે અને વધેલો મેદ ઓછો થાય છે. (પ) સ્થળતા અને ચરબી ઓછાં કરી શકાય તો લાંબું જીવન શકય બને. (૬) માત્ર મીઠું નાખેલું ચોખાનું ગરમ ગરમ ઓસામણ જેટલું ખાઈ શકાય તેટલું દરરોજ ખાવાથી વજન ઉતરી જાય છે. (૭) એક મહિના સુધી ત્રિફળા ગ્રગળ અથવા મેદોહર ગગળની બબલુંૢ ગોળી ભૂકો કરી. સવાર-સાંજ લેવાથી અને રોજ રાત્રે સૂતી વખતે અડધીથી એક ચમચી ત્રિફળા ચૂર્ણ અથવા હરડે ચૂર્ણ લેવાથી તેમ જ સવાર-સાંજ એક કિલોમીટર ઝડપથી ચાલવું, ભૂખ લાગે તેનાથી ઓછું જમવું, અને મગ-ભાત અથવા મગની દાળ અને ભાત જ ખાવાથી મહિને પાંચથી છ કિલો વજન ઘટે છે. જેટલું વજન ઘટાડવું હોય ત્યાં સુધી આ પ્રમાણે જ રહેવું. (૮) નિયમિત રૂપે ગરમાગરમ સૂપ પીવાથી વજન ઉતારવાના કાર્યક્રમમાં ચમત્કારિક સફળતા મળે છે. (૯) સ્ત્રીઓને ૨૨૦૦ અને પુરષોને ૨૫૦૦ કેલેરી ખોરાકની જરૂર પડે. એનાથી વધારાના ખોરાકની ચરબી બને છે, જેથી વજન વધે છે. (૧૦) દરરોજ સવાર-સાંજ ભોજન બાદ એક મોટા ગ્લાસ હૂંફાળા પાણીમાં એક આખું લીંબુ નીચોવી ધીમે ધીમે પી જવાથી શરીરનું વજન ઓછું થવા લાગે છે. ગમે તે પરહેજ હોય કે જે વ્યાધિમાં લીંબુ નડતું હોય તેમાં પણ આ ઉપચાર થઈ શકે છે. વજન વધlરવા (૧) ઠળિયા કાઢેલું પાંચ પેશી ખજુર ભેંસના ધીમાં પાંચ મિનિટ સુધી સાંતળીને બપોરે ભાત સાથે મેળવી ખાઈ આધોં કલાક ઊંઘ લેવાથી સુકલકડી દુબળા માણસના શરીરનાં વજન અને શક્તિ વધે છે. (૨) સુંઠ, કાળી મૂસળી, ગળો, ગોખરું, આમળાં, કીંચાં, અશ્વગંધા, એખરો, જેઠીમધ, જાયફળ અને હરડે દરેક 30-3O ગ્રામનું બનાવેલ બારીક ચર્ણને ધાતુપૌષ્ટિક ચૂર્ણ કહે છે. અડધીથી એક ચમચી જેટલું આ ચૂર્ણ ઉકાળીને ઠંડા કરલા એક ગલાસ દૂધમાં મેળવીને એકથી દોઢ માસ રોજ રાત્રે પીવાથી ધાતુપુષ્ટી યાય છે, મુખની તેજસ્વિતા વધે છે અને શરીરનું વજન વધવાની સાથે બળ અને સ્કૃતિમાં વધારો થાય છે. (3) સૂકા અંજીરના ટુકડા અને ગરમ પાણીમાં ભીંજવી છોતરાં કાઢી નાખેલ બદામને સૂકવી, ખડી સાકરનું ચૂર્ણ, એલચીની ભૂકી, કેસર, ચારોળી, પીસ્તાં અને બળદાણા બધું સરખા વજને લઈ ગાયના ધીમાં આઠ-દસ દિવસ ભીંજવી રાખવું. પછી દરરોજ સવારે એકથી બે ચમચી ખાવું. નાના બાળકો તેમ જ અશક્તનાં રસ, રક્ત, માંસ, મેદ વગેરે સપ્ત ધાતુની વૃદ્ધિ થઈ શરીર પુષ્ટ બને છે. જેમનું વજન વધતું જ ન હોય તેમનું પણ આ ઉપચારથી વજન વધવા લાગે છે. (૪) શરીર ખૂબ પાતળું હોય અને વજન વધારવું હોય તો સમાન ભાગે તલ અને ખાંડ બબ્બો ચમચા સવાર, બપોર, સાંજ ખૂબ ચાવીને ખાવા. વળી દરરોજ આહારમાં દૂધ-ભાત અને ખાંડ વધુ પ્રમાણમાં લેવાં. (પ) ૧૦૦ મિ.લિ. દૂધમાં એટલું જ પાણી ઉમેરી જરૂરિયાત મુજબ ખાંડ કે સાકર, એલચી અને ૧૦ ગ્રામ અશ્વગંધાનું ચૂર્ણ નાખી ઘટ્ટ થાય ત્યાં સુધી ધીમા તાપે ઉકાળી ઠારીને પીવાથી દુબળી વ્યક્તિનું વજન વધવા માંડે છે. (૬) આમળાં અને કાળા તલનું સરખે ભાગે બનાવેલું ચૂર્ણ ઘી કે મધમાં ચાટવાથી માંસવદ્ધિ થઈ કૃશતા ઘટે છે. (૭) વજન હોવું જોઈએ એના કરતાં ર0% ઓછું હોય તો નિયમિત ખોરાક ઉપરાંત દરરોજ ક્રીમ કાઢી નાખેલ પ૦૦ મિ.લિ. દૂધ, બે કેળાં, ૧૦૦ ગ્રામ શેકેલી મગફળી અને પાંચ ખજુરની પેશી ખાવાથી અને બેથી ત્રણ લીટર પાણી પીવાથી વજન વધે છે.
વધરાવળ કાચકાનું સખત પડ ફૂલી જાય એટલા ગરમ કરીને મીજ કાઢવી.એનું બારીક ચૂર્ણ પાણીમાં ખૂબ લસોટી પેસ્ટ બનાવી લેપ કરવાથી વૃષણનો સોજો મટે છે.
વંધ્યત્વ રતવાને કારણે શરીરમાં ગરમીથી વંધ્યત્વ ભોગવતી હોય તેવી બહેનોએ વડ-પીપળાની તાજી કુંપળોની ચટણી બનાવી લાંબા સમય સુધી સેવન કરવું.
વા (૧) લીલા નાળિયેરનો ૭૦ ગ્રામ અંગરસ કાઢી, તેમાં ત્રિફળાની ભૂકી 3 ગ્રામ અને મરીની ભૂકી ૨ ગ્રામ નાખી સવાર-સાંજ ખાવાથી વા મટે છે. (૨) લીલા નાળિયેરના કોપરાનો રસ કાઢી અનિ પર ઉકાળવાથી તેલ નીકળે છે. એ તેલમાં મરીની ભૂકી નાખી શરીરે ચોળવાથી વાથી જકડાઈ ગયેલાં અંગો છૂટાં થાય છે અને વા મટે છે. (3) સરસિયા તેલમાં ધંતુરાનો રસ અને થોડી હળદર નાખી ઉકાળી ધંતુરાનો રસ બળી જાય એટલે ઉતારી માલિશ કરવાથી વાથી ઝલાઈ ગયેલાં શરીરનાં અંગો છૂટાં થાય છે અને વા મટે છે. (૪) મેથીનું ચૂર્ણ પાણી સાથે લેવાથી વાના રોગમાં ફાયદો થાય છે. (પ) મેથી ધીમાં શેકી, દળી, ગોળ-ધીનો પાયો લાવી સુખડની માફક હલાવી નાના નાના લાડુ બનાવવા. રોજ સવારે એક એક લાડુ ખાવાથી અઠવાડિયામાં વાથી જકડાઈ ગયેલાં અંગો છૂટાં થાય છે અને હાથ-પગે થતી વાની કળતર મટે છે. (૬) આંકડાનાં પાન તેલમાં બળી જાય ત્યાં સુધી ગરમ કરી, તેલ ગાળીને માલિશ કરવાથી વાનો દુ:ખાવો મટે છે.
વાઈ હિંગ, સિંધવ અને ઘી ૧૦-૧૦ ગ્રામ લઈ ૧૨૦ ગ્રામ ગાયના મૂત્રમાં મેળવી, ઉકાળી, માત્ર ધી બાકી રહે ત્યારે પીવાથી વાઈ-અપસ્માર મટે છે.
વાજીકરણ અશ્વગંધા, એખરી(તાલીમખાના), ગોખરુ, શતાવરી, કાળી મુશળી,શુદ્ધ કૌચાં, નાગબલા, બલદાણા અને જેઠીમધ સરખા ભાગે લઈ ખૂબ ખાંડી બારીક ચૂર્ણ બનાવવું. એને આઠ ગણા દૂધમાં નાખી ઉકાળીને માવો બનાવવો. માવાને ગાયના ધીમાં શેકી સોપારી જેવડી લાડુડી બનાવવી. એક એક લાડુડી જમ્યા પછી સવાર-સાંજ સહેજ નવશેકા દૂધ સાથે લેવાથી વીર્યની વૃદ્ધિ થાય છે તેમ જ હર્ષઉત્સાહમાં વધારો થાય છે.
વાચા અટકી-અટકીને ફૂલાવેલો ટંકણખાર મધમાં મેળવી જીભ પર બધે દિવસમાં ચારેક વખત લગાડવાથી વાચાની ફરિયાદ મટે છે. મધ ગળા નીચે ઉતરે તો પણ વાંધો નથી.
વાતપિત્ત રાયણનાં પાન અને કોઠીનાં પાન વાટી કલક કરી, ધીમાં શેકી ખાવાથી વાતપિત્ત મટે છે.
વાતરક્ત તાંદળજાની ભાજી ખાવાથી વાતરક્ત મટે છે.
વાતવ્યાધિ (૧) 3 ગ્રામ લસણ પીસી, 9 ગ્રામ તલનું તેલ કે ઘી અને સિંધવ મેળવી સવારે ખાવાથી સર્વ પ્રકારના વાતવ્યાધિ તથા વિષમજવર અને વાતકફજવર મટે છે. (૨) લસણની પાંચ કળીઓ રાત્રે પાણીમાં ભીંજવી રાખી સવારે તેને પીસી ગાળી પાણી પીવું. બીજા અઠવાડિયે સાત કળીઓ, ત્રીજા અઠવાડિયે દસ કળીઓ પલાળવી અને એ રીતે પીવી. ત્રણ અઠવાડીયા પછી એક અવાડિયું પ્રયોગ બંધ કરવો, અને ફરી પાછો શરૂ કરવો. પ્રયોગ વખતે માખણનું સેવન કરવું જરૂરી છે. આ પ્રયોગથી વાતવ્યાધિ મટે છે. (3) લકવો એટલે પેરાલીસિસ પણ એક પ્રકારનો વાતરોગ છે. દરરોજ સવારે અડધો કલાક સૂર્યસ્નાન તથા પંદરેક મિનિટ બાષ્પસ્તનાન લેવું. બપોરે અને સાંજે પણ પંદરેક મિનિટ લીંબુના રસ મિશ્રિત પાણીનું બાષ્પસ્તનાન લેવું. એનાથી ચમત્કારી લાભ અવશ્ય જોવા મળે છે. તજનું તેલ વાતવિકાર પર ચોળવાથી ફાયદો થાય છે. (૪) ર0 ગ્રામ દ્રાક્ષને ઘીવાળા હાથ લગાડી તવા ઉપર શેકી થોડું સિંધવ અને મરીનું ચૂર્ણ લગાડી રોજ સવારે ખાવાથી વાત પ્રકોપ મટી નિર્બળતાથી આવનાર ચક્કર મટે છે.
વાતશૂળ (૧) સૂંઠ અને એરંડમૂળના ઉકાળામાં ખાંડેલી હિંગ અને સંચળ નાખી પીવાથી વાતશળ મટે છે. (૨) હિંગને ર૦૦ મિ.લિ. પાણીમાં ઉકાળી ૨૫ મિ.લિ. પાણી બાકી રહે ત્યારે ઉતારી પીવાથી વાતશળ મટે છે.
વાતાવરણની શુદ્ધિ ઘરમાંથી જીવજંતુઓનો નાશ કરવા વડની છાલનો હોમ કરવો
વાના રોગો ૧. ઠંડો પવન, ઠંડું પાણી, ઠંડું વાતાવરણ, ઠંડાં પીણાં, ઠંડી વાનગી,ઠંડા પદાર્થોથી દૂર રહેવું. ૨. ગરમ પદાર્થો ઉપયોગી, જેવા કે લસણ, ડુંગળી, આદુ, હીંગ, મેથી, રાઈ, લવિંગ, તજ, સૂંઠ, મરી પીપર, વગેરે. 3. દિવેલ સર્વોત્તમ- કાયમ એનું સેવન કરવું ન ફાવે તો ભાખરીમાં મોણ નાખીને લેવું. ૪. વાના રોગમાં તેલનું માલિશ રોજ કરવું, જેમાં દિવેલ કે સરસવ તેલ વાપરવું.
વાયરલ  ઈનફેકશન શ્રાવણ માસમાં શરીરે એકાદ વાર માટી, ગૌમૂત્ર અનેગૌછાણનો લેપ કરવામાં આવે તો વર્ષભર અનેક રોગો સામે રક્ષણ મળે છે. ખાસ કરીને વાયરસથી થતા રોગો સામે રક્ષણ મેળવવા તે અત્યંત જરૂરી છે. શ્રાવણમાં માત્ર એકાદ દિવસ આવો પ્રયોગ કરવાથી વર્ષભર શરીરને રક્ષણ મળે છે.
વાયુ પક્ષાઘાત, કંપવાત, બાળલકવો, રાંઝણ, કમરનો દુ:ખાવો, સાંધા દુ:ખવા કે જકડાઈ જવા, આમવાત, વંધ્યત્વ, કસુવાવડ, શીઘસખલન, અડદિયો વા, સર્વાઈકલ સ્પોન્ડિલાઈટીસ, વિશ્વાચી(હાથમાં થતો રાંઝણ જેવો દુ:ખાવો), અવબાહુક(ફોઝન શોલ્ડર), શરીરમાં સોય ભોંકાતી હોય તેવી વેદના થવી, વાત કંટક(પગની એડીમાં કાંટો ભોંકાતો હોય તેવી વેદના થવી), અટકી અટકીને પેશાબ થવો, વાયુ ઉપર ચડવો, વધુ પડતા ઓડકાર આવવા, પેટમાં આફરો થવો, અનિદ્રા, શરીરના કોઈપણ ભાગમાં ઝણઝણાટી થવી, કાનમાં બહેરાશ, દુ:ખાવો કે અવાજ આવ્યા કરવો, ચામડી લખી અને બરછટ થઈ જવી આ બધા રોગોમાં વાયુની પ્રબળતા હોય છે. (૧) પOO ગ્રામ મેથી ઝીણી દળી, તેમાં ૧ કિલોગ્રામ ઘી અને ૬ કિલોગ્રામ દૂધ મેળવી ધીમા તાપે ઉકાળી મધ જેવું ગાઢું બનાવવવું. પછી તેમાં ૧.૫ કિલો સાકર નાખી મેથીપાક બનાવવો. આ પાક સવારે રપ થી ૪૦ ગ્રામ જેટલો ખાવાથી સર્વ પ્રકારના વાયુ રોગોનો નાશ થાય છે. (૨) મેથીને ધીમાં શેકી દળીને લોટ બનાવવો. પછી ધીગોળનો પાયો લાવી સુખડીની માફક હલાવી નાના નાના લાડુ બનાવવા. રોજ સવારે એક એક લાડુ ખાવાથી અઠવાડિયામાં વાથી જકડાઈ ગયેલાં અંગો છૂટાં પડે છે. હાથ-પગે થતી વાની કળતર મટે છે. (3) ૧૫-૨૦ ગ્રામ મેથી રોજ ફાકી જવાથી વા મટે છે. (૪) અજમો તાવી પર ગરમ કરી, સમભાગે સિંધવ સાથે પીસી 3 ગ્રામ જેટલું ગરમ પાણી સાથે લેવાથી કોઠાનો વાયુ દૂર થાય છે. (પ) અડદની દાળ પાણીમાં પલાળી રાખી, વાટી, તેમાં મીઠું, મરી, હિંગ, જીરું લસણ અને આદુ નાખી વડાં કરવાં. તેને ધીમાં અથવા તેલમાં તળીને ખાવાથી વાયુ મટે છે. (૬) આદુનો રસ, લીંબુનો રસ અને મીઠું મેળવી સવાર-સાંજ પીવાથી વાયુ મટે છે. (૭) આદુનો રસ, લીંબુનો રસ અને સિંધવ એકત્ર કરી ભોજનની શરૂઆતમાં લેવાથી વાયુ મટે છે. (૮) ૧૦-૧૦ ગ્રામ આદુના અને લીંબુના રસમાં ૧.૫ ગ્રામ સિંધવ મેળવી સવારે પીવાથી વાયુ મટે છે. (૯) ખજુર પO ગ્રામ, જીરુ, સિંધવ, મરી અને સુંઠ દરેક ૧૦-૧૦ ગ્રામ, પીપરી મૂળ પ ગ્રામ અને લીંબુનો રસ ૦.૭૫ ગ્રામને બારીક વાટી ચાટણ. બનાવી ખાવાથી વાયુ બેસી જાય છે. (૧૦) એરંડ મગજને દૂધમાં મેળવી ગરમ કરી, માવો બનાવી ખાવાથી ગધસી વાયુ અને પેટ, ખભા, પગ વગેરેમાં થતો દુ:ખાવો મટે છે. (૧૧) ગોળ નાખેલું દહીં વાયુ મટાડે છે. તે પુષ્ટી આપનાર, તૃપ્તિ કરનાર અને પચવામાં ભારે છે. (૧૨) ધીમાં શેકેલી હિંગ, સુંઠ, મરી, પીપર, સિંધવ, અજમો, જીરું અને શાહજીરું એ આઠ ચીજો સરખે ભાગે લઈ, ચર્ણ બનાવી મજબૂત બચવાળી શીશીમાં ભરી રાખવું. આ ચૂર્ણને હિંગાષ્ટક ચૂર્ણ કહે છે. એ વાયુ દૂર કરે છે. એ અનેક રોગોની એક રામબાણ દવા છે. જેમ કે ૧ ગ્રામ જેટલું આ ચૂર્ણ છાસમાં કે ભોજન પહેલાં ઘી અને ભાતમાં લેવાથી આફરો, અજીર્ણ, પેટની પીડા, વાયુ, ગોળો, કૉલેરા, અજીર્ણ કે વાયુથી થતી ઊલટી, કફ-વાતજન્ય વિકારી વગેરે મટે છે. (૧૩) ચીકણી સોપારીનો ભૂકો, ૧.૫ ગ્રામ સવારે મઠામાં કે કાંજીમાં લેવાથી હોજરીમાં ભરાઈ રહેલો વાયુ (ગેસ) મટે છે. (૧૪) તાજો ફુદીનો, ખારેક, મરી, સિંધવ, હિંગ, કાળી દ્રાક્ષ અને જીરુંની ચટણી બનાવી તેમાં લીંબુનો રસ નીચોવી ખાવાથી વાયુ દૂર થાય છે, મોંની ફીકાશ મટે છે, સ્વાદ પેદા થાય છે અને પાચનશક્તિ સતેજ થાય છે. (૧૫) નારંગી ખાવાથી પેટમાંનો વાયુ દૂર થાય છે. (૧૬) પાકા આદુનો ૪૦૦ ગ્રામ રસ ૧.૬ કિલો સાકરની ચાસણીમાં નાખી તાર બંધાય તેવી ચાસણી ફરીથી બનાવી શરબત બનાવવું એમાંથી ૧૦ ગ્રામ જેટલું શરબત પાણી સાથે લેવાથી પેટનો વાયુ, પેટમાં આામદોષથી આવતી ચૂંક મટે છે. ગંધાતો અને પચ્યા વગરનો ઝાડો બંધાય છે અને પેટમાં થતો ગડગડાટ મટે છે. (૧૭) મરી ઠંડા પાણીમાં બારીક વાટી લેપ કરવાથી વાયુથી અંગ જકડાઈ ગયું હોય તો ફાયદો કરે છે. (૧૮) ફુદીનો, તુલસી, મરી, આદુ વગેરેનો ઉકાળો કરી પીવાથી વાયુ દૂર થાય છે, અને સારી ભૂખ લાગે છે. (૧૯) મૂળાનાં બીનું ચૂર્ણ લેવાથી પીઠ પર થતી વાયુની પીડા મટે છે. (૨૦) લવિંગના તેલનાં બે-ત્રણ ટીપાં ખાંડ કે પતાસામાં લેવાથી પેટનો વાયુ મટે છે. (૨૧) વેગણ વાયુ મટાડે છે. (૨૨) રીંગણાંનું શાક, ભડથું કે સૂપ બનાવી, હિંગ અને લસણ સાથે લેવાથી પેટમાંનો વાયુ અને ગોળો મટે છે. (૨૩) સંઠ, મરી, પીપર અને સિંધવ દરેક ૧૦-૧૦ ગ્રામના બારીક વસ્ત્રગાળ ચણમાં ૪૦૦ ગ્રામ બી કાઢેલી કાળી દ્રાક્ષ મેળવી ચટણી માફક પીસી બરણીમાં ભરી લેવું. એને પંચામૃત ચાટણ. કહે છે. એ પાંચથી ૨૦ ગ્રામ જેટલું સવાર-સાંજ ચાટવાથી વાયુ મટે છે. (૨૪) સંઠના ચૂર્ણમાં ગોળ અને થોડુંક ધી નાખી ૩૦-૪૦ ગ્રામની લાડુડી બનાવી સવારે ખાવાથી વાયુ અને ચોમાસાની શરદી મટે છે. (૨૫) સુંઠની ભૂકી પાણી સાથે ચટણી માફક પીસી, ધીમાં તળી, તેને ધી સાથે ખાવાથી વાયુ નાશ પામે છે અને સંગ્રહણી મટે છે. (૨૬) મરી અને લસણને પીસી ભોજનના પહેલા કોળિયામાં ઘી સાથે ખાવાથી વાયુ મટે છે. (૨૭) અરિંડાનાં પાન વાયુનો પ્રકોપ શાંત કરે છે. અરિંડિયું પણ વાયુના રોગો દૂર કરે છે. (૨૮) વાયુ અને કફ દોષ ૧ લીટર પાણીમાં ૧ ચમચી(૮૫ ગ્રામ) તાજો નવો અજમો નાખી અડધું બળી જાય ત્યાં સુધી ઉકાળી, ઠારી, ગાળી લો. આ  પાણી વાયુ અને કફથી થતાં તમામ દર્દીમાં ખાસ લાભપ્રદ છે. એનાથી કફજન્ય હૃદયનું શૂળ, પેટમાં વાયુપીડા, આફરો, પેટનો ગોળો, હેડકી, અરુચી, મંદાગિન, બરલનું દર્દ, પેટનાં કરમિયાં, અજીર્ણના ઝાડા, કૉલેરા, શરદી, સળેખમ, બહુમૂત્ર, ડાયાબીટીસ, જેવાં અનેક દર્દીમાં ખાસ લાભપ્રદ છે. અ:ા પાણી ગરમ ગુણો ધરાવે છે. (૨૯) પીપરીમ્ળના ગઠોડા ભૂખ લગાડનાર, તીખા, ગરમ, આહારનું પાચન કરનાર, રુક્ષ, પિત્ત કરનાર, મળને ભેદનાર-તોડીને બહાર કાઢનાર, કફ અને વાયુના રોગો, પેટના રોગો, આફરો, ગોળો, બરોળ, કૃમિ, શ્વાસ તથા ક્ષયને મટાડનાર છે. (3O) વાયુથી જકડાઈ ગયેલા અંગ પર ઉમરાનું દૂધ ચોપડી રૂ ચોંટાડવાથી ફાયદો થાય છે. બળતરા થતી હોય તો ઉમરાનું દૂધ સાકર મેળવી લગાડવું. (૩૧) સરગવાનાં કુમળાં પાન, ફૂલ કે શીંગનું શાક ખાવાથી વાયુ મટે છે. (૩૨) ૪૦૦ મિલિ ઊકળતા પાણીમાં ૨૫ ગ્રામ સુંઠનું ચૂરણ નાખી ૨૦-૨૫ મિનિટ ઢાંકી રાખવું ઠંડુ થયા બાદ વસ્ત્રથી ગાળી રપથી પO ગ્રામ જેટલું પીવાથી વાયુ, પેટનો આફરો, ઉદરશૂળ મટે છે. (33) હિંગાષ્ટક ચૂર્ણ સવાર, બપોર, સાંજ એક એક ચમચી પાણી સાથે લેવાથી વાયુ મટે છે. જેઓ દરરોજ હિંગાષ્ટક ચૂર્ણ લે છે તેમને કદી ગેસની તકલીફ થતી નથી.
વાયુના ૮O પ્રકાર
(૧) હનુસ્તંભ- હડપચી સ્થગિત થાય, આંખ, મો, ચહેરાની શીકલ ફરી જાય. મોં વાંકું બને. (૨) ઉરુસ્તંભ (- ચીકણા મેદમાં ભળી પગથી ઘૂંટણ સુધી વ્યાપી ઘૂંટણ અકડાઈને નિષ્ઠીય બને. (3) આક્ષેપક - સમગ્ર શરીરમાં પ્રસરી શરીરને હલબલાવી દે છે. (૪)શીરોગ્રહ - પીઠભાગમાં રક્ત આધારીત મગજના સ્નાયુઓને નિષ્ઠીય બનાવી વેદના ઉત્પન્ન કરે છે. આ વાયુ અસાધ્ય છે. (પ) બ્રહ્માયામ પીઠ થી શરૂ કરી છેક નીચે કમર સુધીનો ભાગ ખેંચી રાખે છે. (૬) અભ્યતરાયામ - પેટની તરફ ધનુષ સમાન ખેંચ લાવે છે. (૭) પશ્વ્રાશુલ - પેટના અંદરના ભાગમાંથી પાંસળીઓમાં દર્દ થાય છે. (૮) કટીગ્રહ - કમર પૂરી આકડાઈ જાય છે. (૯) દડાયટાનક- શરીરનાં અંગો લાકડા જેવાં જડ થઈ જાય છે. (૧૦) ખલ્લી - પેટ, પગ, નિતંબ, હાથ વગેરેમાં ક્રમશ: શૂળ ઉત્પન્ન થાય છે. (૧૧) જીહ્વવાસ્તંભ-  જીભ જડ બની જાય છે, તેથી ભોજન ગળામાં ઉતારતી વખતે તકલીફ પડે છે. (૧૨) આદીર્ત - માથું, નાક, હોઠ, ઘૂટણનાં હાડકાં, કપાળ અથવા નેત્ર સાંધામાં મોંની સીકલ ફેરવી નાખે છે. આથી ગળાનો ભાગ વાંકો થઈ જાય. માથામાં ધ્રુજારી આવે. (૧૩) પક્ષાધlત - કુપિત વાયુ શરીરના ઉભા અડધા ભાગમાં શિરા તથા સ્નાયુઓનું શોષણ કરી સાંધાનાં જોડાણ ઢીલાં કરી ચેતના વિનાનાં બનાવી દે છે. એને અર્ધાગ વાયુ પણ કહે છે. (૧૪ કોષ્ટુશીર્ષ – વાયુ લોહીમાં ભળી ઘૂટણમાં ફેલાઈ સોજો ઉત્પન્ન કરે છે, ત્યાં ભારે વેદના થાય છે. (૧૫) મન્યાસ્થંભ વાયુ સાથે કફ ભળવાથી ગળું સજજડ થઈ જાય છે. આથી ગળું ફેરવી કે હલાવી શકાતું નથી. (૧૬) પંગુ - કુપિત વાયુ કમર નીચેના ભાગમાં જઈને મોટી શિરાઓને નબળી પાડી બંને પગ લથડાવી દે છે. (૧૭) કપાલ ખંજ - અવાર નવાર કંપારી આવે અને ચાલતી વખતે પગ વાંકા પડે. (૧૮) તુની પકવાશય તથા મૂત્રાશયમાં બળતરા ઉત્પન્ન થાય છે. (૧૯) પ્રતિતુની - ગુદા તથા યોનિના સ્થાને વેદના ઉત્પન્ન થાય છે. પકવાશય તથા મૂત્રાશયના સ્થાને કરડવા જેવી વેદના ઉત્પન્ન થાય છે. (૨૦) ખંજ - વાયુથી પગ શિથિલ થઈ જાય છે. (૨૧) પાદહર્ષ - વાયુ સાથે કફ ભળી પગમાં રસીની જેમ પરુથી ઝણઝણાટી ઉત્પન્ન થાય છે. (૨૨) ગુહાસી - વાયુ પીઠ, કેડ, ઘૂટણ, નિતંબ, પગ આ સ્થાનો પર કમરથી પ્રવેશ કરી ફરતો ફરતો આ સ્થાનોની ક્રિયાઓ સ્થગિત કરી દે છે. (૨૩) વિશ્વાચી - હાથની આંગળી ઉપર શિરામાં પ્રવેશી બાહુ સુધી શિરામાં પ્રસરી વાયુના કર્મનો નાશ કરે છે. (૨૪) અપબાહુક - હાથમાં જોરથી પકડવા સમાન પીડા થાય છે. (૨૫) અપતાનક - વાયુ હૃદયમાં પહોંચી દૃષ્ટિ તથા ચેતનાને વિકૃત કરી બેશુદ્ધ કરે છે અને ગળામાંથી વિચિત્ર શબ્દો નીકળે છે. જ્યારે હૃદયમાંથી વાયુનું દબાણ હળવું થાય ત્યારે સંપૂર્ણ ભાન આવે છે. (૨૬) વરના થમ - આ વાયુ આઘાત નિર્મિત ક્ષણમાં પીડા ઉત્પન્ન કરે છે. (૨૭) અંગ ભેદ - આ વાયુ સર્વ અંગોને પીડા આપે છે. (૨૮) વાત કંટક - પગ કોઈ દબાણ પર પડવાથી અથવા ચાલતાં શ્રમને લીધે પગના તળિયામાં વેદના ઉત્પન્ન થાય છે. (૨૯) અપતંત્રક - વાયુ ઉર્ધ્વગામી થઈને હૃદય, માથુ તથા શરીરના અન્ય ભાગને પીડા આપી ધનુષ્યની જેમ શરીરને ફેરવે છે. એમાં નજર જડ બને છે, અંચળતા જાગે છે, વ્યક્તિ ગંગળાની જેમ બોલે છે. (30) સિનમીન- આ વાયુની અસરથી વ્યક્તિ ગંગણું બોલે છે એટલે કે નસકોરામાંથી બોલે છે. (૩૧) કલ્લતા - આ વાયુ પ્રકોપ સમયે ગળામાંથી શબ્દો નીકળતા નથી. (૩૨) અસ્ટનલિકા - નાભિના નીચેના ભાગમાં પથ્થર જેવી ઊચી, ગોળ અથવા ઘન સ્વરૂપ ગ્રંથિ ઉત્પન્ન થાય છે. મળમૂત્ર તથા વાયુ નિરોધ થાય છે અને તે સ્થળે વેદના ઉપડે છે. (33) ફત્યષ્ટિલા - અષ્ટનલિકાની જેમ ત્રાંસુ કે લાંબુ અને વેદનાયુક્ત હોય છે. મળમૂત્ર અને વાયુનો અવરોધ થાય છે. (૩૪) વામનત્વ- વાયુ ગર્ભાશયમાં પહોંચી ગર્ભને વિકૃત બના:ાવે છે આથી બાળકની ઊચાઈ વધતી નથી. (૩૫) કુબ્જ્ત્વ - વાયુની શીરામાં અસર થતાં પીઠ તથા છાતીમાં વેદના થાય છે. (3૬) અંગપીડા - શરીરના કોઈ કે બધા ભાગમાં પીડા થાય છે. (૩૭) અંગશૂલ - સર્વાગે શૂળ ઉત્પન્ન થાય છે. (૩૮) સંકોચ - સવોંગે શરીરને જડ બનાવે છે. (૩૯)સ્તંભ – શરીર અચેતન બને છે.(૪૦)ભંગઅંગ - સવાઁગનું ભેદન કરે છે. (૪૧) રુક્ષ – શરીર બરછટ બને છે. (૪૨) અંગવિબ્રંશ – શરીરના કોઈ એક ભાગની ચેતના જતી રહે છે. (૪૩) વદ્વષ્ટિકા - પકવાશયમાં વાયુપ્રકોપથી મળ સખત બને છે. (૪૪) મુક્તિત્વ - મોંઅહિથી અવાજ નીકળે નહિ. (૪૫) અતિજમત્વ - થી બગાસાં આવે છે. (૪૬) અત્યુદ્રાર - આમાશયમાં વાયુ ભરાવાથી ઓડકાર વધુ આવે છે. (૪૭) વlતપ્રકૃતિ - અપાન વાયુ પ્રકોપને કારણે ગુદા માર્ગે સરણ વધુ પ્રમાણમાં થાય છે. (૪૮) સ્કૂરણ - થી અંગસ્ટ્રરણ થાય છે. (૪૯) શિરાપુરણ - શિરાની અંદર જઈને વાયુ શિરાને ફૂલાવી દે છે. (પO) કંપ - વાયુથી શરીરમાં ધ્રુજારી આવે છે. (પ૧) કશ્ર્ય - સમગ્ર શરીરને વાયુ જીર્ણશીર્ણ કરે છે. (પર) શ્યાવત - વાયુથી શરીર કાળું પડી જાય છે. (પ૩) પ્રલાપ - થી વ્યક્તિ આડું અવળું બોલ્યા કરે છે. (૫૪) ક્ષપ્રમૃત્રતા - વાયુથી વારંવાર અને પુશ્કળ પ્રમાણમાં પેશાબ થાય. (પ૫)નિદ્રાનાશ - વાયુથી નિદ્રાનાશ થાય છે. (પ૬) સ્વેદનાશ - વાયુથી પરસેવો થતો નથી. (૫૭)દુર્બલ્ત્વ - વાયુથી વ્યક્તિ શક્તિહીન બને છે. (૫૮) બલક્ષય - વ્યક્તિ બલહીન થાય છે. (૫૯) શુક્રાતી પ્રવુતિ - વાયુ શુક્ર ધાતુમાં ભળી ધાતુને અતિ પાતળી કરે છે. (૬0) શુક્રકાશ્ર્યા - વાયુથી શુક્ર ધાતુ ક્ષીણ થાય છે. (૬૧) શુક્રનાશ -­­વાયુ શુક્ર ધાતુને શોષી લે છે. (૬ર) અનાવસ્થિત ચિતત્વ - વાયુથી ચિત્ત અસ્વસ્થ બને છે. (૬3)  કમદુન્ય વાયુથી શરીર સખત બની જાય છે. (૬૪) વિરસસ્વ્તા - વાયુથી મોંમાંથી સ્વાદ નષ્ટ થઈ જાય છે. (૬પ) કષાયવક્તૃતા- વાયુથી મોં ગંદુ થઈ જાય છે. (૬૬ ) અશ્માન - પકવાશયમાં વાયુ પ્રસરી પેટ ધમણની માફક ફૂલી અવાજ કરે છે તથા વેદના થાય છે. (૬૭) પ્રત્યાશ્માન - વાયુ આમાશયમાં જઈ મ્યુકસ / ચીકાશ સાથે ભળી પેટની ફાંદ વધારે છે. (૬૮) શીતતા - વાયુથી શરીર ઠંડુ થઈ જાય છે. (૬૯)રોમ હર્ષ - વાયુ ચામડીમાં પ્રવેશી શરીરમાં રોમાંચ ઉત્પન્ન કરે છે. (૭૦) ભીરુત્વ - વાયુથી ભયપેદા થાય છે. (૭૧) ભેદવાયું - થી સોય ભોંકાતી હોય તેવી વેદના થાય છે. (૭૨) કંડુ - વાયુથી શરીરમાં ખંજવાળ આવે છે. (૭3) રસારીતા - વાયુથી મોંમાં સ્વાદનો ખ્યાલ આવતો નથી. (૭૪) શબ્દાક્ષતા- વાયુથી કાને બહેરાશ આવે છે. (૭૫) પ્રસુતિ- વાયુથી ચામડીની સ્પર્શશક્તિ નાશ પામે છે. (૭૬) ગંધાજ્ઞતા - વાયુથી સુગંધ કે દુર્ગધનો ખ્યાલ આવે નહિ. (૭૭) દ્રષ્ટિક્ષય - વાયુથી દૃષ્ટિનો નાશ થાય ზპ.
વાયુનો ગોળો (૧) વાયુનો ગોળો થઈ ગભરામણ થતી હોય તો બે-બે ગોળી લસુનાદિવટી નવશેકા પાણી સાથે સવાર, બપોર અને સાંજે લેવી. એક ગલાસ તાજી મોળી છાસમાં એક ચમચી હિંગવાષ્ટક ચૂર્ણ જમ્યા પછી બપોરે અને રાત્રે લેવું. સવારે અને સાંજે થોડું ચાલવા જવું. તીખો, તળેલો, ગરમ મસાલાવાળો આહાર બંધ કરવો. સરળતાથી પચે તેવો જ ખોરાક લેવો. (૨) અળવીના દાંડા સહિતનાં પાન બાફી, તેનું પાણી કાઢી, તેમાં ઘી મેળવી, ત્રણ દિવસ આપવાથી વાયુનો ગોળો મટે છે. (3) સરગવાના પાનના રસમાં ૧૦ ગ્રામ સાકર મેળવી ત્રણ દિવસ પીવાથી વાયુનો ગોળો મટે છે.
વાયુરોગો (૧) ૪૦ ગ્રામ લસણ છોલી, પીલી, તેમાં હિંગ, જીરુ, સિંધવ, સંચળ,સુંઠ, મરી અને પીપરનું ચૂર્ણ ૧-૧ ગ્રામ નાખી ચણી બોર જેવડી ગોળીઓ બનાવી ખાવાથી અને ઊપર એરંડમળનો ઉકાળો પીવાથી પક્ષાઘાત, સર્વાગવાયુ, ઊરુસ્તભ, કૃમિશ્રળ, કમરનો દુ:ખાવો, કૂખનો દુ:ખાવો, પેટમાંનો વાયુ વગેરે તમામ પ્રકારના વાયુરોગ દૂર થાય છે. વાના રોગીઓ માટે લસણ સર્વોત્તમ છે. (ર) વાયુને લીધે હૃદય પર દબાણ આવી ગભરામણ થતી હોય તો મિષ્ટાન્ન, ફરસાણ, ધી-તેલ વગેરે બંધ કરી માપસર જ ખોરાક લેવો. રોજ સવાર-સાંજ મધ્યમ ગતિથી એક એક કલાક ચાલવું. અજમો અને ગઠોડાનું સમાન ભાગે બનાવેલું ચર્ણ ચાર ગ્રામ જેટલું સવારસાંજ પાણી સાથે લેવું. બપોરે અને રાતે ‘શંખવટી’ નામની ૧-૧ ગોળી ભોજન પછી પાણી સાથે ગળી જવી. (3) રાસ્ના, ગળો, દેવદાર, સુંઠ અને એરંડાનાં મૂળ સરખા વજને લઈ અધકચરો ભૂકો કરી એક ચમચી જેટલો ભૂકો એક ગલાસ પાણીમાં ધીમા તાપે ઉકાળી ઠંડો પાડી પીવાથી માત્ર વાયુને લીધે થતા બધા રોગો મટે છે. આમવાતમાં પણ આ ઉકાળો હિતકારી છે.
વાળ વધIરવા - વlળનો જથ્થો (૧) જે ભાગ પર વાળનો જથ્થો ઓછો લાગતો હોય ત્યાં લીંબુની ચીરી કરી દરરોજ સવાર સાંજ ઘસતા રહેવું. આથી ત્યાં વાળ વધુ થશે. (૨) બે ભાગ કિસમિસ અને એક ભાગ એળિયાને પાણીમાં વાટી માથા પર લેપ કરી સૂઈ જવું. પ્રયોગ નિયમિત કરવાથી વાળનો જથ્થો વધે છે કે માથાની ટાલ દૂર થાય છે. બધા કેસમાં સો ટકા સફળતા મળતી નથી, પરંતુ નોંધપાત્ર ફરક જરૂર પડે છે. (3) અડદની દાળ પાણીમાં પલાળી, બારીક વાટી મલમ જેવું બનાવી રાતે સૂતી વખતે માથા પર લેપ કરવો. સવારે બરાબર સાફ કરી માથું ખંજવાળી બધે ધી ઘસી થોડી વાર કુમળા તડકામાં બેસવું. લાંબા સમય સુધી આ પ્રયોગ કરવાથી વાળનો જથ્થો વધે છે. ટાલ પડવાની શરૂઆત થઈ હોય તો તે અટકે છે. (૪) દરરોજ રાતે પાકા કેળાને છૂદી, મસળી તેમાં લીંબુનો રસ નાખી ફરીથી મસળીને મિશ્રણ માથા પર બધે વ્યવસ્થિત લેપ કરી સૂઈ જવું. સવારે સાદા પાણીથી માથું ધોઈ નાખવું. ચારેક મહિના સુધી દરરોજ નિયમિત પ્રયોગ કરવો. કેળાંનું પ્રમાણ વાળના જથ્થા મુજબ લેવું, તથા એક આખું મોટું કેળું હોય તો બે લીંબુ અને અડધું કેળું હોય તો એક લીંબુ લેવું. (૫) મંદિીનાં સૂકવેલાં પાનનો બારીક પાઉડર (જે બજારમાં મળે છે) પાણીમાંપલાળી દરરોજ નહાતી વખતે માથામાં સરખી રીતે લેપ કરી થોડી વાર રહીને નાહવું દરરોજ નિયમિત પ્રયોગ કરતા રહેવાથી વાળનો જથ્થો તથા લંબાઈ પણ વધે છે. (૬) આમળાના ચૂર્ણને દૂધમાં કાલવી  જાડી થેપલી કરી રાત્રે સૂતી વખતે મગજના ભાગ પર માથા પર બાંધી રાખવામાં આવે તો વાળ વધે છે. (૭) તાજા ગોમત્રમાં જાસુંદનાં ફૂલ વાટી રાતે સૂતી વખતે માથે લેપ કરવાથી અને સવારે ધોઈ નાખવાથી માથામાં વાળનો જથ્થો વધે છે. લાંબા સમય સુધી પ્રયોગ કરવો. (૮) વડનાં પાન સુકવી તેના પર અળસીનું તેલ ચોપડી બાળીને બનાવેલી રાખને ચારગણા વજનના અળસીના તેલમાં મિશ્ર કરી દરરોજ રાતે સૂતી વખતે માથા પર જે ભાગમાં વાળ ઓછા હોય ત્યાં ઘસી માલિશ કરતા રહેવાથી ઘણા દિવસો પછી વાળ વધવા લાગે છે. માથે ટાલ પડી ગઈ હોય તો તે પણ મટે છે. (૯) માથાની ટાલ પર ભાંયરીંગણીના પાનના રસની દરરોજ ર0 મિનિટ માલીશ કરવાથી વાળ ફરીથી ઊગી ટાલ મટે છે. (૧૦) ૧-૧ ચમચી શંખપુષ્પીનું ચૂર્ણ દરરોજ સવાર, બપોર, સાંજ નિયમિત લેવાથી કે ૧-૧ કપ શંખપુષ્પીનું શરબત પીવાથી માથાના વાળનો જથ્થો વધે છે અને વાળ સુંદર તથા લાંબા થાય છે. સફેદ વાળ (૧) વાળ સફેદ થવા માંડયા હોય તો દરરોજ દહીં-છાસ આહારમાં અધિક પ્રમાણમાં નિયમિત લેવાં. એનાથી વાળ સફેદ થતા અટકે છે. બાળકોને શરૂઆતથી જ દહીં-છાસ નિયમિત સારા પ્રમાણમાં સેવન કરાવતા રહેવું જોઈએ. (૨) શુદ્ધ ગંધક અને શુદ્ધ લોહભસ્મ સમભાગે લઈ ખરલમાં ખૂબ લસોટવી. દરરોજ સવાર-સાંજ ૧/૨ ગ્રામ આ મિશ્રણ ૧૦ ગ્રામ મધ અને પ ગ્રામ ઘી સાથે લેવાથી વાળ કાળા થાય છે અને સફેદ થતા અટકે છે. (૩) આમળાના ચૂર્ણને આમળાના રસની ૨૧ ભાવના આપવી. (૨૧ વાર ભીંજવવું અને સૂકવવું.) પછી તેનું સેવન કરવાથી માથાના વાળ કાળા થાય છે. (૪) બહેડાનો બારીક પાઉડર દરરોજ સવાર-સાંજ પાણી સાથે ૧-૧ ચમચો લેવાથી અને રાતે સૂતી વખતે આ પાઉડર પાણીમાં ભેળવી વાળમાં પાથીએ ભરી સવારે શેમપુથી ધોઈ નાખવાથી વાળ થોડા જ દિવસોમાં કાળા થાય છે. (પ) ગુલાબની પાંખડીમાંથી તૈયાર કરેલા ગુલકંદમાંથી અડધો ગુલકંદ સૂર્યના પ્રકાશમાં અને અડધો ચાંદનીમાં રાખી દરરોજ સવાર-સાંજ લેવાથી માથાના વાળ ખરવા, વાળનો જથ્થો ઓછો થવો, વાળ તુટવા, વાળ અકાળે સફેદ થઈ જવા વગેરે ફરિયાદો મટે છે. (૬) દરરોજ રાતે સૂતી વખતે ૧ મોટા ગ્લાસ દૂધમાં ૧ ચમચી બદામનું તેલ નાખી બરાબર મિશ્રણ કરી પીવાથી લાંબા સમયે વાળ સફેદ થતા અટકે છે, અને જો સફેદ થયા હોય તો ધીમે ધીમે કાળા થવા માંડે છે. (૭) જેઠીમધ, અથવા જેઠીમધનું સતત્વ દૂધ સાથે દરરોજ સવાર-સાંજ લેવાથી અકાળે ધોળા થયેલા વાળ કાળા થાય છે. જેઠીમધ કરતાં જેઠીમધનું સતત્વ વધુ અકસીર છે. (૮) વાળમાં મહેંદી લગાવવાથી વાળ લાલ થઈ જતા હોય તો મહેંદી પલાળતી વખતે તેમાં આમળાં, અરીઠાં, શીકાકાઈ અને ભાંગરાનો પાઉડર ઉમેરવાથી મહેંદી કાળી થશે, અને વાળ કાળા થશે. વાળની લુખાશ લીંબુનો રસ માથામાં નાખી, મસળી સ્નાન કરવાથી વાળનો મેલ તથા વાળની લખાશ દૂર થાય છે. વાળ ખરવા (૧) આહારમાં કોબીનું સેવન બને તેટલું વધુ કરવાથી અને કોબીનો રસ વાળના મૂળમાં ઘસીને પચાવવાથી ખરતા વાળ અટકે છે. (૨) ૧ ભાગ અડદનો લોટ, ૧/૨ ભાગ આમળાનું ચૂર્ણ, ૧/૪ ભાગ શિકાકાઈનું ચૂર્ણ અને ૧/૪ ભાગ મેથીનું ચૂર્ણ રાતે પલાળી રાખી સવારે તેનાથી માથું સાફ કરવાથી ખરતા વાળની સમસ્યા મટે છે. (3) ભાંગરાના પાનનો તાજો રસ ૧૫૨૦ મિ.લિ. સવાર-સાંજ પીવાથી ખરતા વાળમાં ફાયદો થાય છે. (૪) શતાવરી, આમળાં, બ્રાહી અને ભૂંગરાજનું સમભાગ ચૂર્ણ ૧-૧ ચમચી દિવસમાં ત્રણ વાર પાણી સાથે લેવાથી ખરતા વાળ બંધ થાય છે. વાળ મુલાયમ (ટમ રાત્રે માથામાં તેલ નાખી, બીજે દિવસે દહીંમાં આમાળાનું ચૂર્ણ ભેળવી માથામાં ભરી અડધો કલાક રાખી હૂંફાળા પાણીથી વાળ ધોવાથી વાળ નરમ અને ચમકીલા બને છે. જેમને શરદી રહેતી હોય તેમણે આ પ્રયોગ કરવો નહિ. માથાનો ખોળો કણજીનું તેલ માથામાં નાખવાથી માથાનો ખોડો મટે છે.
વિષમજવર મીઠાને તવી પર લાલ રંગનું થાય ત્યાં સુધી શેકી, હુંફાળા ગરમપાણીમાં પ ગ્રામ જેટલું લેવાથી વિષમજવર મટે છે.
વીર્યવૃદ્ધિ (૧) ડુંગળીનો રસ 9 ગ્રામ, ધી 3 ગ્રામ અને મધ 3 ગ્રામ એકત્ર કરી રોજ સવાર-સાંજ પીને ઉપર સાકર નાખેલું ગરમ કરેલું રપ૦ ગ્રામ દૂધ પીવાથી વીર્યવૃદ્ધિ થાય છે. (૨) ડુંગળીનો રસ અને મધ ૧૦-૧૦ ગ્રામ મેળવી ર૧ દિવસ સુધી રોજ સવારમાં ચાટવાથી વીર્યવૃદ્ધિ થાય છે. (3) તુલસીનાં બી અને ગોળ સરખા ભાગે મેળવી, લસોટી ચણી બોર જેવડી ગોળી બનાવવી. સવાર-સાંજ ૧-૧ ગોળી ખાઈ ઉપર ગાયનું દૂધ પીવું. આથી ત્રણ ચાર માસમાં વીર્ય વધે છે. શુક્રજંતુઓ ગતિવાળાં થાય છે, નપુસંકપણું દૂર થાય છે, નસોની શિથિલતા દુર થાય છે, પાચન શક્તિ સુધરે છે અને ગમે તેવો નિરાશ થયેલો પુરુષ સશકૃત બની તાજગી અનુભવે છે.વીર્યસાવ તુલસીનાં બી અડધી ચમચી રાત્ર એક કપ પાણીમાં પલાળી સવારે એ ખાઈ જવાં અને ઉપરથી કપમાંનું પાણી પી જવું. એનાથી થોડા દિવસોમાં વીર્યસાવ બંધ થાય છે.
વીંછીનું ઝેર (૧) આમલીનો શેકેલો કે શકયા વગરનો કચૂકો ધોળો થાય ત્યાં સુધી ઘસીને વીછીના ડંખ પર ચોંટાડવાથી ઝેર શોષી લઈ કકિો પોતાની મેળે ખરી પડે છે અને વીંછી ઊતરી જાય છે. (ર) ગાય કે આંકડાના દૂધમાં હિંગ ઘસીને ચોપડવાથી વીંછીનું ઝેર ઉતરે છે.
વૃદ્ધત્વ સદા યુવાન રહેવું હોય અને ઘડપણ આવતું રોકવું હોય તો દરરોજ કોઈને કોઈ રીતે શકય તેટલા પ્રમાણમાં કોબીજ ખાવી જોઈએ. દુનિયાના અનેક કુદરતી ઉપચારકો આ અંગે એકમત છે.
શક્તિ (જુઓ આશક્તિ) (૧) ૧૦૦ ગ્રામ તલ અને ૧૦૦ ગ્રામ તજને દળીને ભૂકો બનાવી રોજ એક ચમચી ખાવાથી શરીરમાં શક્તિ આવે છે, ઉત્સાહ વધે છે. (૨) અંજીર દૂધમાં ઉકાળી, ઉકાળેલું અંજીર ખાઈ તે દૂધ પીવાથી શક્તિ આવે છે તથા લોહી વધે છે. (3) આમળાં અને કાળા તલ સરખે ભાગે લઈ, બારીક ચૂર્ણ કરી ઘી કે મધમાં ચાટવાથી શક્તિ આવે છે. (૪) એક સૂકું અંજીર અને પ-૧O બદામ દૂધમાં નાખી ઉકાળી, તેમાં સહેજ ખાંડ નાખી રોજ સવારે પીવાથી શક્તિ આવે છે. (પ) બેથી ચાર સૂકાં અંજીર સવારે અને સાંજે દૂધમાં ગરમ કરી ખાવાથી શક્તિ આવે છે. (૬) ડુંગળીને ગરમ રાખમાં ભૂજી રોજ સવારે ખાવાથી આંતરડાં બળવાન બની, સારી રીતે શૌચશુદ્ધિ થઈ શક્તિ વધે છે. (૭) ડુંગળીનો રસ પ ગ્રામ, ગાયનું ધી પO ગ્રામ, મધ પ ગ્રામ અને આદુનો રસ પ ગ્રામ મેળવી પીવાથી શક્તિ અને ઉત્સાહમાં વધારો થાય છે. (૮) બી કાઢેલી દ્રાક્ષ ૨૦ ગ્રામ ખાઈને ઉપર ૨૫૦ મિ.લિ. દૂધ પીવાથી તાવ પછીની નબળાઈ મટી શરીરમાં શક્તિ આવે છે. (૯) મોસંબીનો રસ લેવાથી શરીરની શક્તિમાં વધારો થાય છે. (૧૦) વડની છાલ સૂકવી ચૂર્ણ બનાવી સમભાગે સાકર મેળવી સવાર-સાંજ ૧-૧ ચમચી દૂધ સાથે લેવાથી શરીરને શક્તિ અને પોષણ મળે છે. (૧૧) ગરમીના દિવસોમાં દસ નંગ બદામને રાત્રે પાણીમાં પલાળવી. સવારે ખૂબ ચાવીને ખાવી. એની સાથે ઈચ્છા મુજબ દૂધ ચા કે કોફીનું સેવન કરી શકાય. આનાથી શક્તિ મળે છે. તે યાદશક્તિ વધારે છે અને આંખની જ્યોતિ વધારે છે. (૧૨) શિયાળામાં કોરું કોપરું ચાવીને ખાવાથી દુર્બળતા અને શરીરની ક્ષીણતા નાશ પામી શરીર પુષ્ટ બને છે. (૧૩) આમલીના દસ-બાર કચકાને પાણીમાં પલાળી રાખી, ઉપરનાં ફોતરાં કાઢી નાખી, સફેદ મીજ દૂધ સાથે વાટી રોજ સવારે પીવાથી શરીર બળવાન બને છે. (૧૪) અડદની દાળનો લોટ, ઘઉંનો લોટ અને પીપરનું ચૂર્ણ દરેક પO ગ્રામ એકત્ર કરી ૧૦૦ ગ્રામ ઘીમાં શેકવું. શેકાયા પછી તેમાં ૨૫૦ ગ્રામ સાકર અને પ00 મિ.લિ. પાણી નાખી પાક બનાવવો. તેના ૪૦-૪૦ ગ્રામના લાડુ બનાવવા. રાતે સૂતી વખતે આ લાડુ ખાઈ ઉપર ૧૬૦ ગ્રામ દૂધ પીવું. (ખાટા, ખારા તથા તેલવાળા પદાર્થો છોડી દેવા.) એનાથી પુષ્ટિ પ્રાપ્ત થાય છે અને શારીરિક બળ વધે છે. (૧૫) અડદની દાળ પાણીમાં પલાળી રાખી, વાટી, તેમાં મીઠું, મરી, હિંગ, જીરું લસણ અને આદું નાખી વડાં કરવાં. તેને ધીમાં અથવા તેલમાં તળીને ખાવાથી દુર્બલપણું મટે છે. (૧૬) એક કપ દૂધમાં એક ચમચી મધ નાખી પીવાથી શક્તિ વધે છે. (૧૭) ગાયના દૂધમાં જીરું સીઝવી, તેનું ચૂર્ણ કરી સાકર સાથે ખાવાથી તાવ પછીની અશક્તિ મટે છે. (૧૮) બદામના ગોળાને ગરમ પાણીમાં ભીંજવી, ફોતરાં કાઢી, બારીક પીસી, દૂધમાં કાલવી, ઉકાળી, ખીર બનાવી, સાકર અને ધી મેળવી ખાવાથી બળવદ્ધિ અને વીર્યવૃદ્ધિ થાય છે. (૧૯) પપૈયું ખાવાથી શરીરની કાર્યશક્તિ વધે છે. (૨૦) તરબૂચનાં બીજની મૌજ અને સાકર સમાન ભાગે દરરોજ એક એક ચમચો સવાર-સાંજ લેવાથી પુરુષોમાં કામશક્તિ વધે છે. (૨૧) દરરોજ સવારે એક મોટો ચમચો મધ, અડધો ચમચો ધી અને નાની ચમચી આમલસાર ગંધક ભેગાં કરી, બરાબર મિશ્રણ કરી થોડા દિવસ ચાટી જવાથી કદી ન અનુભવેલી શક્તિનો અનુભવ થાય છે.
શ્ય્યાવ્રણ લાંબા સમય સુધી પથારીવશ રહેવાથી શયાવ્રણ થાય છે જેને પાઠું પડવું પણ કહે છે. વાંસા ઉપર કે વાંસાથી કમર સુધી ઘારાં પડે છે. એક વાર આ પાઠું પડયા પછી એ રૂઝાવું બહુ મુશ્કેલ હોય છે. આથી એ ન પડે એ માટે વાંસાથી કમર સુધીના ભાગો પર કપુર અને કાથાનું પાણીમાં મિશ્રણ કરી દરરોજ દિવસમાં ત્રણ વાર ચોપડતા રહેવું.
શરદી (૧) અજમો થોડો ગરમ કરી, પાતળા કપડામાં પોટલી બનાવી થોડી થોડીવારે સુંઘવાથી છીંકોનો વેગ ઘટી જઈ શરદી શાંત થઈ જાય છે. અજમાનું તાજું બનાવેલું ચર્ણ ઘસવાથી શરદી, છીંકો, શીર:શુળ અને મસ્તકના કૃમિઓનો નાશ થાય છે. (૨) થોડા નવશેકા પાણીમાં એક લીંબુનો રસ નીચોવી દર બે-ત્રણ કલાકના અંતરે નિયમિત પીવાથી શરદી સારી થઈ જાય છે. (3) ગરમ જળપાનથી શરીરની ગ્રંથીઓના સાવો વધે છે. તેથી શરદી-ખાંસીમાં રાતે સૂતી વખતે, સૂતાં પહેલાં અને સવારે દાતણ કરીને તરત ગરમ પાણી પીવાથી છાતી-હોજરીનો કફ છૂટી જઈને દરદમાં અ:ારામ થાય છે. (૪) સંઠની એક ગાંગડી મૂકી અર્ધા ભાગનું પાણી રહે ત્યાં સુધી ઉકાળી, ઠારીને ગાળી લેવું પાણીમાં નીચેના તળિયાના ક્ષારો ન આવે તેમ બીજા વાસણમાં લઈ લેવું. અ:ા સુંઠી જળ પીવાથી કાયમી શરદી, સળેખમ, નાક બંધ થવું, દમ-શ્વાસ, હાંફ, વરાધ, સસણી, ફેફસામાં પાણી ભરાવું, અજીર્ણ-અપચો, કૃમિ, ચીકણો ઝાડો-આમદોષ, જળસ વાળો, બહુમૂત્ર(વારંવાર ખુબ જ પેશાબ કરવા જવું), ડાયાબીટીસ, લો બ્લડપ્રેશર, શરીર કાયમ ઠંડુ રહેવું, મસ્તક પીડા જેવાં કફદોષજન્ય તમામ દર્દીમાં ખાતરીપૂર્વક લાભ થાય છે. (પ) ભારે શરદી હોય અને નાક બંધ થઈ ગયું હોય તો તપેલીમાં પાણી ખૂબ ગરમ કરી થોડું પેઈન બામ,નિલગીરીનું તેલ કે કપુર નાખી માથાથી તપેલી ઢંકાય તેવું જાડું કપડું કે ટુવાલ ઓઢી ગરમ પાણીનો નાસ લેવો. (૬) ૧/૪ ચમચી એલચી ચૂર્ણ સાથે એક ચમચી મધ મેળવી ચાટવાથી ઉધરસ મટે છે. મોટી એલચી ગરમ છે. આથી કફ, પિત્ત, રક્ત વિકારો, દમ, ચળ, તરસ, મોળ, ઊબકા, અરુચિ, અપચો, મૂત્રાશયના રોગ, ઝેર, મોઢાના રોગો, માથાના રોગો, શરદી-સળેખમ અને ઉધરસ મટાડે છે. (૭) સુંઠ નાખી ઉકાળેલું પાણી પીવાથી અથવા પીવાના પાણીમાં સુંઠનો ગાંગડી નાખી લાંબા સમય સુધી એ પાણી પીવાથી જૂની શરદી મટે છે. (રોજ નવો ગાંગડો મૂકવો.) (૮) સુંઠ, તજ અને ખડી સાકરનો ઉકાળો પીવાથી શરદી-સળેખમ મટે છે. (૯) ૧૦ ગ્રામ સૂઠનું ચૂર્ણ, ૧૦ ગ્રામ ગોળ અને એક ચમચી ઘી એકતર કરી, થોડું પાણી મેળવી, અગિન પર મૂકી રાબડી જેવું કરી રોજ સવારે ચાટવાથી ત્રણ દિવસમાં શરદી, સળેખમ વગેરે મટે છે. (૧O) તજ, મરી અને આદુનો ઉકાળો દરરોજ પીવાથી શરદી મટે છે. (૧૧) દહીંમાં મરી અને ગોળ મેળવી ખાવાથી શરદી અને સળેખમ મટે છે. (૧૨) ફૂદીનાનો તાજો રસ અથવા અર્ક શરદી દૂર કરે છે. (૧૩) મધ અને આદુનો રસ ૧-૧ ચમચી એકત્ર કરી સવાર-સાંજ પીવાથી શરદી મટે છે. (૧૪) લવિંગ દીવા પર શેકી મોંમાં રાખવાથી શરદી અને ગળાનો સોજો મટે છે. (૧૫) લીંબુનો રસ રાત્ર સૂતી વખતે ગરમ પાણીમાં પીવાથી શરદી મટે છે. (આ પ્રયોગ કેટલાક દિવસ સુધી કરવાથી જીર્ણ સળેખમ-જૂની શરદીમાં પણ ફાયદો થાય છે.) (૧૬) વાટેલી રાઈ અને મધ ખાવાથી શરદી મટે છે. (૧૭) દરરોજ થોડી ખજુર ખાઈ ઉપર ચાર-પાંચ ધૂટડા ગરમ પાણી પીવાથી કફ પાતળો બનીને ગળફાના રૂપમાં બહાર નીકળે છે; ફેફસાં સાફ થાય છે અને શરદી-સળેખમ મટે છે, લોહીની શુદ્ધિ થાય છે. (૧૮) નાગરવેલનાં બે-ચાર કોરાં પાન ચાવી જવાથી શરદી-સળેખમ મટે છે. (૧૯) હળદરના ધૂમાડાનો નાસ લેવાથી શરદી-સળેખમ તરત જ મટે છે. (૨૦) સુંઠ, તજ, ફૂદીનો, તુલસીનાં પાન એલચી વગેરેના બોરકૂટા ચૂર્ણના બનાવેલા ઉકાળાથી શરદી મટે છે. (૨૧) મરીનું ચૂર્ણ દહીં અને ગોળ સાથે રોજ ખાવાથી લાંબા સમયની શરદી અને પીનસરોગ મટે છે. (થોડા દિવસ ખોરાક બંધ કરી આ પ્રયોગ કરવો. એકલા દહીં પર રહેવાય તો વધુ સારું.) (૨૨) એકાદ નાની ચમચી વાટેલી રાઈ મધ સાથે મેળવી દિવસમાં બે-ત્રણ વાર ચાટવાથી બહુ ઠંડી લાગતી નથી. (૨૩) ગરમા ગરમ ચણા સંઘવાથી શરદી મટે છે. (૨૪) ડુંગળીના રસનાં ટીપાં નાકમાં પાડવાથી શરદીસળેખમ મટે છે. (૨૪) ભોંયરીંગણીના પંચાંગના ૧૫ ગ્રામ ચૂર્ણનો ઉકાળો સવારસાંજ પીવાથી દમ અને શરદી બંને સારાં થાય છે. (૨૫) ગરમ દૂધમાં મરીની ભૂકી અને સાકર નાખી પીવાથી સળેખમ મટે છે. (૨૬) લવિંગના તેલને રૂમાલમાં નાખી સંઘવાથી સળેખમ મટે છે. (૨૭) ગરમ કરેલા દૂધમાં હળદર અને ઘી નાખી પીવાથી સળેખમ, કફ અને ઉધરસ મટે છે. (૨૮) સમાન ભાગે મેથી અને અળસીનો હૂંફાળો ઉકાળો દિવસમાં ૩-૪ વાર પીવાથી હઠીલી શરદી પણ મટે છે. (૨૯) કોઈ પણ રીતે શરદી અને કફ સારાં થતાં ન હોય તો ખાટી આમલીનાં લીલાં કે સૂકાં પાનનો ઉકાળો દિવસમાં ત્રણ વાર એકેક ગ્લાસ હુંફાળો હુંફાળો પીવાથી એ અચૂક સારાં થાય છે. (3O) સરસવના તેલમાં રૂનું પૂમડું બનાવી નાકમાં ખોસી ઊડા શ્વાસ લેવા. દિવસમાં ત્રણ-ચાર વખત(દર ૩-૪ કલાકે) પ્રયોગ કરવો. એનાથી ગમે તેવી હઠીલી જૂની શરદી પણ મટે છે. આ પ્રયોગ જૂની હઠીલી શરદી માટે એટલો અકસીર છે કે એની અસર જોયા પછી જ મહત્વ સમજાઈ શકે. (૩૧) એલોપથીના ડૉક્ટરોના મતાનુસાર શરદી થાય ત્યારે ખાવું જોઈએ અને બની શકે તો તીખું, જેથી ખાવાની રુચિ વધે અને વધુ ખવાય. ખોરાક લેવાથી શક્તિ મળી રહે અને રોગ દૂર કરવા શક્તિ જરૂરી છે. એક દિવસના ઉપવાસથી પણ શરીર નબળું પડે છે. પેરાસીટામોલવાળી દવા ભૂખ્યા પેટે કદી ન લેવાય. શરદીમાં કુદરતી ઉપચાર મુજબ ડુંગળી ખાવી ઉત્તમ છે.જ્યારે કુદરતી ઉપચાર મુજબ શરદી થાય તો એકબે દિવસના ઉપવાસ કરવા જ જોઈએ. (૩૨) દૂધ, ઘી, તેલ, છાસ, લીંબુ અને વધુ પડતાં ખાંડ-ગોળ બંધ કરી સવાર-સાંજ પાણી સાથે ત્રિકટુ(સુંઠ, મરી અને લીડીપીપરનું સમભાગે ચૂર્ણ)ની ફાકી લેવી, અને અજમો અને હળદરની ધૂમાડીનો નાસ લેવાથી બંધ થયેલાં નસકોરાં ખૂલી જાય છે અને થોડા દિવસમાં શરદી મટે છે. (33) સૂંઠ, ગોળ અને ઘીનો લાડુ કરી રોજ સવારે નરણે કોઠે ખાવાથી શરદી કાયમ માટે મટી જાય છે. (૩૪) ૧-૧ ચમચી હળદરનું ચૂર્ણ દિવસમાં ત્રણ વાર પાણી સાથે લેવાથી એલર્જાને લીધે થતી શરદી મટે છે. શરદીનો તlવ સામાન્ય શરદી અને તાવ હોય તો એક કપ ગરમ દૂધમાં એક નાની ચમચી હળદર નાખી દિવસમાં ત્રણેક વખત પીવાથી ઝડપથી સારું થઈ જાય છે. શરદીની બેહારાશ શુદ્ધ બાંધાની હિંગ ચોખા રૂમાં મૂકી દરરોજ દિવસમાં બે વખત કાનમાં દબાવી દેવાથી થોડા દિવસોમાં કફ-શરદીને લીધે આવેલી બહેરાશ મટે છે. થોડી હિંગ કાનમાં જતી રહે તોયે વાંધો નહિ.
શરીર અંગે
ઊંચાઈ વધારવા માટે તથા હાડકાની મજબૂતાઈ માટે સરગવાની શીંગનું શાક ખાવું. શરીરની ફિકાશ તાજો ફુદીનો, ખારેક, મરી, સિંધવ, હિંગ, કાળી દ્રાક્ષ અને જીરુંની ચટણી બનાવી તેમાં લીંબુનો રસ નીચોવી ખાવાથી શરીરની ફીકાશ મટે છે. શરીરની રુક્ષતા એટલે કે શરીર કરમાઈ ગયેલું- નિસ્તેજ લાગે, ચામડી પણ કરચલીવાળી માલમ પડે તો અરડૂસાનાં તાજાં કે સૂકાં પાનનો ઉકાળો બનાવી (સ્વાદ માટે ખાંડ પણ નાખી શકાય) દરરોજ સવાર-સાંજ એક એક ગલાસ પીવો. નિયમિત પ્રયોગ કરવાથી નિસ્તેજપણું દૂર થઈ શરીરનું સૌદર્ય ખીલવા લાગે છે. શરીરનો વર્ણ ચણાના લોટમાં પાણી અને થોડું ધી મેળવી શરીરને માલીશ કરવાથી શરીર ગૌરવર્ણનું અને તેજસ્વી થાય છે. ચણાના લોટની મોં પર માલિસ કરવાથી મોંની ઝાંખપ દૂર થાય છે, ચામડી નરમ બને છે અને મોં સુકોમળ બને છે. શરીર ઠંડુ પડે ચોસઠ પ્રહરી પીપર પ થી ૬ ચોખાભાર મધ સાથે ચાટવાથી શરીરમાં તરત જ ગરમાવો તથા ઉત્તેજના આવે છે. શરીરની કૃશતા દરરોજ સવારે ખાલી પેટે ખાઈ શકાય તેટલાં કાચાં ગાજર ખાવાથી શરીરનું વજન વધે છે; શરીર ભરાતાં યોગ્ય ઘાટ પામે છે. શરીર પરના કાળા ડાઘ દૂધ,ગ્લિસરીન, બોરીક પાઉડર અને સોડા-બાય-કાર્બનું સમાન ભાગે બનાવેલું લોશન શરીર ઉપર જ્યાં કાળા ડાઘ પડયા હોય ત્યાં લગાડવાથી ડાઘા દૂર થાય છે.
શિશ્નની ખંજવાળ શિશ્નની ખંજવાળ જે ભાગે થતી હોય ત્યાં સરસવના તેલનું દિવસમાં ૨-૩ વાર માલિશ કરવાથી તે મટે છે.
શીઘ્રસ્ખલન (૧) ૨૫૦ ગ્રામ જેટલા બાફેલા બટાટા દરરોજ ખાવાથી શીધ્રુ સખલનની ફરિયાદ મટે છે, અને સ્તંભનશક્તિ અવશ્ય વધે છે. સ્થળ કાયા ધરાવનાર અને મધુપ્રમેહના રોગીને આ ઉપચાર કામનો નથી. (૨) કાળા તલ અને તજના બારીક ચૂર્ણમાં મધ મેળવી સામાન્ય કદની ગોળી બનાવી બબલુંૢ ગોળી પાણી સાથે સવાર-સાંજ લેવાથી શીઘસખલનની ફરિયાદ મટે છે. શીઘસખલનની તકલીફ ધીરે ધીરે જ મટતી હોય છે, માટે આ પ્રયોગ ધીરજ પૂર્વક લાંબા સમય સુધી કરતા રહેવાની જરૂર પડે છે. (3) કાળી મૂસલીનો પાઉડર બંગભસ્મ સાથે દરરોજ રાત્રે સૂતી વખતે લેવાથી શીઘસખલનની ફરિયાદ મટે છે.
 
શીતળા (૧) આમલીના કચૂકા અને હળદરનું ચૂર્ણ ઠંડા પાણી સાથે પીવાથી શીતળાનો રોગ થતો નથી. (૨) કારેલીના પાનનો રસ હળદર મેળવીને પીવાથી શીતળાના રોગમાં ફાયદો થાય છે. (3) બોરડીના પાનનો રસ ભેંસના દૂધ સાથે લેવાથી શીતળાનો રોગ ઓછો થઈ જાય છે. (૨) બોરડીનાં પાનનો ઉ-૬ ગ્રામ કલક બબ ગ્રામ ગોળ મેળવી ખાવાથી બે-ત્રણ દિવસમાં જ શીતળા શાંત થવા માંડે છે. (૪) સોપારીનો બારીક ભૂકો કરી પાણી સાથે લેવાથી શીતળાનું વિષ સહેલાઈથી બહાર નીકળી જાય છે.
શીળસ (૧) પ-પ ગ્રામ આદુનો રસ અને મધ પીવાથી અને આખા શરીરે આડાયાં છાણાની રાખ ચોપડી કામળો ઓઢી સૂઈ જવાથી શીતપિત્ત-શીળસ મટે છે. (૨) અજમો અને ગોળ ખાવાથી શીતપિત્ત (શીળસ) મટે છે. (3) દૂધીનો રસ કાઢી. થોડા મધ કે સાકર સાથે લેવાથી શીળસ મટે છે. (૪) મરીનું ચૂર્ણ ઘી સાથે ચાટવાથી તેમ જ ધીમાં મરી વાટીને લેપ કરવાથી શીળસ મટે છે. (પ) શીળસ-શીળવાના દર્દીએ અરણીનું મૂળ પાણીમાં ઘસીને એક ચમચી જેટલું એટલા જ ધી સાથે પીવું, (૬) ૧૦૦ ગ્રામ કોકમને પાણીમાં ભીંજવી રાખી, ગાળી, તેમાં જીરું અને ખાંડ નાખી પીવાથી શીળસ મટે છે. (૭) ચારોળી દૂધમાં વાટી શરીરે ચોપડવાથી શીળસ મટે છે. (૮) અડાયા છાણાની રાખ શરીરે લગાડી ઓઢીને સૂઈ જવાથી શીળસ મટે છે.
શૂળ (૧) અડદની દાળ પાણીમાં પલાળી રાખી, વાટી, તેમાં મીઠું, મરી, હિંગ, જીરુંલસણ અને આદુ નાખી વડાં કરવાં. તેને ઘીમાં અથવા તેલમાં તળીને ખાવાથી શૂળ મટે છે. (૨) આમલીના ઝાડની છાલનું ચૂર્ણ અથવા તેના ઝાડની છાલની રાખ ગરમપાણીમાં મેળવીને પીવાથી શૂળ મટે છે. (3) જીરું, હિંગ અને સિંધવની ફાકી મધ તથા ધી સાથે અથવા માત્ર ધી સાથે લેવાથી શૂળ મટે છે. (૪) દ્રાક્ષ અને અરડૂસીનો ઉકાળો પીવાથી શૂળ મટે છે. (પ) મોટું ભૂરું કોળું છાલ સાથે કાપી નાના ટૂકડા કરી સૂકવવા. સૂકાયા બાદ માટીના વાસણમાં ભરી, સરખું ઢાકણ ઢાંકી, કપડમાટીથી મોટું બંધ કરવું. પછી ધીમા તાપે ૧૫ મિનિટ સુધી ગરમ કરવું. એકાદ કલાક પછી વાસણ ઠરે એટલે બળેલા કકડા ખાંડી ભસ્મ બનાવી કોરી શીશીમાં સજજડ બૂચ મારી ભરી લેવી. ૨ ગ્રામ ભસ્મ સુંઠના ચૂર્ણ સાથે દિવસમાં ત્રણ વાર પાણીમાં ફાકવાથી પેટ, છાતી, પાંસળી કે શરીરના કોઈ પણ ભાગનું ભયંકર અસાધ્ય શ્રેળ મટે છે. (૬) લસણની ચટણી ધીમાં મેળવી ખાવાથી શૂળ મટે છે. (૭) વાયુ પ્રકોપને લીધે શરીરના કોઈપણ ભાગમાં શૂળ થતું હોય તો સરગવાનો ફાંટ હિંગ અને સુંઠ મેળવી પીવાથી મટે છે. (૮) સૂંઠ, મરી, પીપર અને સિંધવ દરેક ૧0-૧૦ ગ્રામના બારીક વસ્ત્રગાળ ચણમાં ૪૦૦ ગ્રામ બી કાઢેલી કાળી દ્રાક્ષ મેળવી ચટણી માફક પીસી બરણીમાં ભરી લેવું. એને પંચામૃત ચાટણ કહે છે. એ પાંચથી વીસ ગ્રામ જેટલું સવાર-સાંજ ચાટવાથી શૂળ મટે છે. (૯) સુંઠ, સાજીખાર અને હિંગનું ચૂર્ણ ગરમ પાણીમાં લેવાથી સર્વ પ્રકારનાં શૂળ મટે છે. (૧૦) હિંગ તથા સુંઠ નાખેલું તેલ શૂળ પર ચોળવાથી જલદી ફાયદો થાય છે. (૧૧) પાણીવાળા નાળિયેરમાં ઉપર છેદ કરી તેમાં મીઠું ભરી બહાર માટી ચોપડી છાણાના દેવતામાં પકવી કોપરાનું ચૂર્ણ બનાવી ખાવાથી દરેક પ્રકારનાં શૂળ મટે છે. (૧૨) ગરમ પાણીમાં એકબે તોલા એરંડિયું પીવાથી આંતરડાનો મળ સાફ થઈ દર્દમાં રાહત થાય છે. (૧૩) સુંઠ, સિંધવ અને હીંગ વાટીને પાણી સાથે લેવાથી પેટના શૂળમાં લાભ થાય છે. (૧૪) રાઈ અને ત્રિફળાના ચૂર્ણને મધ અને ધી(મધ કરતાં બમણું) સાથે લેવાથી બધા પ્રકારના પેટના શૂળમાં લાભ થાય છે. (૧૫) લીંબુના રસમાં મધ અને જવખાર મેળવી ચાટવાથી શૂળરોગ મટે છે.
શ્વેત પ્રદર
સામાન્ય ભાષામાં એને પાણી પડવું કે શરીર ધોવાવું કહે છે.અંગ્રેજીમાં લ્યુકોરિયા. ગર્ભાશયની શિથિલતા, ગર્ભાશયના મુખ પર વ્રણ-ચાંદી કે ચીરો, કેટલાક પ્રકારના યૌન રોગો, ગર્ભાશયનો સોજો વગેરેના કારણે શ્વેત પ્રદર થઈ શકે. (૧) વડની છાલના ઉકાળાનો ડૂશ આપવાથી શ્વેત પ્રદર મટે છે. (૨) કાકડીના બીની મીંજ ૧૦ ગ્રામ અને સફેદ કમળની પાંદડી ૧૦ ગ્રામ વાટી તેમાં જીરુ અને સાકર મેળવી એક અઠવાડિયું લેવાથી શ્વેતપ્રદર મટે છે. (3) જીરું અને સાકરનું ચૂર્ણ પાવલીભાર ચોખાના ઓસામણમાં પીવાથી શ્વેતપ્રદર મટે છે. (૪) બોરડીની છાલનું ચૂર્ણ 3-3 ગ્રામ સવાર-સાંજ ગોળ સાથે લેવાથી શ્વેત પ્રદર મટે છે. (પ) ચણીબોરની છાલનું ચૂર્ણ ગોળ અથવા મધ સાથે લેવાથી શ્વેતપ્રદર મટે છે. (૬) મેથીના બારીક ચૂર્ણની પાણીમાં લુગદી બનાવી તેમાં કપડાનો ટૂકડો ભીંજવી યોનિમાં દબાવી રાખવાથી શ્વેતપ્રદર મટે છે. દરરોજ નવો ટૂકડો તૈયાર કરવો. (૭) મેથી, હળદર અને ત્રિફળાના સમભાગે બનાવેલા એકથી દોઢ ચમચી ચૂર્ણની પોટલી ગરમ પાણીમાં ડૂબાડી કાઢી લેવી. ઠંડી પડયા પછી આ પોટલી સવારે-રાત્રે યોનીમાં મૂકવી. એનાથી ગમે તે પ્રકારનો દારૂણ શ્વેત પ્રદર પણ મટે છે. (૮) ખૂબ જૂનો ગોળ દરરોજ સવાર-સાંજ ૧૦-૧૦ ગ્રામ ખાવાથી શ્વેતપ્રદર મટે છે. ગોળ ખૂબ જૂનો હોય તો ગણતરીના દિવસોમાં આ ગભીર તકલીફ મટી જાય છે. (૯) દરરોજ ૧-૧ મોટા ગ્લાસ મોળી છાસમાં સહેજ જીરુ-મીઠું નાખી પીવાથી શ્વેતપ્રદર ઝડપથી મટી જાય છે. (૧૦) સૂકા આમળાના ઠળિયા કાઢી નાખી બનાવેલું બારીક ચૂર્ણ એક મોટી ચમચી અડધી વાડકી પાણીમાં મેળવી સવાર-સાંજ નિયમિત પીવાથી લાંબા સમયે શ્વેતપ્રદરની તકલીફ કાયમ માટે મટે છે. (૧૧) તાંદળજાની ભાજીના રસમાં રસવતી મેળવીને લેવાથી શ્વેતપ્રદર મટે છે.
સગર્ભા ઊલટી ખટમીઠા દાડમના રસનું અથવા શરબતનું સેવન કરવાથી સગર્ભાની ઊલટી શાંત થાય છે. નબળાઈ મીઠા દાડમના દાણા ખાવાથી સગર્ભાનું હૃદય અને શરીર કમજોર રહેતું હોય તો તેમાં સુધારો થાય છે અને સગર્ભાની નબળાઈ દૂર થાય છે.
સરગવાનાં પાન, ફૂલ, શીંગો, મૂળ, છાલ એ બધાંનો ઔષધમાં ઉપયોગ થાય છે. તમામ પ્રકારના સોજામાં સાટોડી જેમ સરગવો પણ કામ આવે છે. સરગવો મધુર, તીખો, કડવો, તુરો, ઉષ્ણ, તીક્ષણ, રુચિકર, ભૂખ લગાડનાર, આહારનું પાચન કરાવનાર, મળને સરકાવનાર, પચવામાં હલકો, હૃદય માટે હિતકર, ચાંદાં, કૃમિ, આમ, વિદ્રધી(ગમડાં), બરોળ, સોજા, ખંજવાળ, મેદરોગ, ગલકંડ, અપચી, ઉપદંશ તથા નેત્રરોગમાં હિતકારી છે. સરગવાના મૂળની છાલ ગરમ, કડવી, દીપનપાચન, ઉત્તેજક વાયુ સવળો કરનાર, કફહર, કૃમિધ્યન, શિરોવિરેચક, સ્વદજનન, શોથહર અને ગ્રામડાં મટાડનાર છે. મૂળની છાલનો ઉકાળો સિંધવ અને હિંગ સાથે લેવાથી ગમડું, સોજો અને પથરી મટે છે. ગુમડા ઉપર છાલનો લેપ કરવાથી વેરાઈ જાય છે કે ફૂટી જઈ મટે છે. કોમળ પાનનું શાક બનાવીને ખાવાથી પેટ હલકું રહે છે, અને પેટ સાફ આવે છે.
(૧કફ પુશ્કળ પડતો હોય તો દમ-શ્વાસના દર્દીએ દરરોજ સવાર-સાંજ સરગવાની છાલનો ઉકાળો પીવો. (૨) હૃદયની તકલીફને લીધે યકૃત મોટું થયું હોય તો સરગવાનો ઉકાળો અથવા સરગવાની શીંગોનું સૂપ બનાવી પીવાથી યકૃત અને હૃદય બંનેને ફાયદો થાય છે. (3) કીડનીની પથરીમાં સરગવાના મૂળનો તાજો ઉકાળો સારું કામ આપે છે. (૪) ૧થી બે કિલો સરગવાની શીંગોના નાના નાના ટૂકડા કરી દોઢ ગલાસ પાણીમાં ધીમા તાપે એક કપ પાણી બાકી રહે ત્યાં સુધી ઊકાળી ઠંડુ થયા પછી થોડું ધાણાજીરુ અને હળદર તથા જરૂર જણાય તો સહેજ સિંધવ નાખી સવારમાં નરણા કોઠે ઊકાળાનું નિયમિત સેવન કરવાથી દર મહિને બે કિલો વજન ઘટી શકે છે. ઓછી ચરબીવાળો આહાર લેવો અને પેટ સાફ આવે એટલું એરંડભષ્ટ હરિતકીનું ચૂર્ણ લેવું. (૫) આ ઉકાળાથી સંધિવા પણ મટે છે. સંધિવાના દર્દીએ સાથે અમૃતગુગળ વાપરવો.
સર્પદંશ એરંડાનાં પાનનો ચાર ચમચા રસ કાઢી તેમાં એક ચમચો પાણી ઉમેરી પીવાથી તથા એરંડાના કુમળા અંકુર અને પાલો વાટી સર્પદંશ ઉપર બાંધવાથી ઉલટી થઈ વિષ ઉતરી જાય છે.
સંગ્રહણી
(૧) આમલીના પાનનો રસ સાકર સાથે લેવાથી સંગ્રહણી મટે છે. (૨)દાડમના દાણાનો રસ કાઢી, તેમાં જાયફળ, લવિંગ અને સુંઠનું થોડું ચૂર્ણ તેમજ મધ મેળવી પીવાથી સંગ્રહણી મટે છે. (3) સૂકા દાડમની છાલ ઘસી, પાણી મેળવી પીવાથી સંગ્રહણી મટે છે. (૪) સુંઠ અને જીરુ સાથે બાફેલાં ગાજર ખાવાથી સંગ્રહણી મટે છે. (પ) સંઠની ભૂકી પાણી સાથે ચટણી માફક પીસી, ધીમાં તળી, તેને ધી સાથે ખાવાથી વાયુ નાશ પામે છે અને સંગ્રહણી મટે છે. (9) એક હળવો જુલાબ લઈ ૧૫ર0 દિવસ માત્ર કેરીના રસ પર રહેવાથી સંગ્રહણી, પ્રવાહિકા અને પેટના રોગો મટે છે.
સંધિવા
(૧) આમલીનાં પાન અને સિંધવ સાથે વાટી, ગરમ કરી, સંધિવાના સોજા પર કે ઝલાઈ ગયેલા સાંધા પર ચોપડવું. (૨) જાયફળને કે જાવંત્રીના તેલને સરસવના તેલમાં મેળવી સાંધાઓના જૂના સોજા પર મર્દન કરવાથી ચામડીમાં ઉષ્ણતા અને ચેતના આવી, પરસેવો વળી, સંધિવાથી જકડાયેલાં સાંધા છૂટા થઈ સંધિવા મટે છે. (3) ડુંગળીનો રસ રાઈના તેલ સાથે ચોપડવાથી સંધિવાનો દુ:ખાવો મટે છે. (૪) રાઈ, અજમો, સુંઠ, લસણ કે હિંગ નાખી ગરમ કરેલું તેલ ચોળવાથી અને શેક કરવાથી દુ:ખતા સાંધા મટે છે તેમ જ આમવાત(રૂમેટીઝમ) સિવાયના સંધિવામાં ફાયદો થાય છે. (પ) લસણ, ખાંડ અને સિંધવ સરખા ભાગે મેળવી, ચાટણ. કરી, તેમાં બમણું થીજાવેલું ધી મેળવી ચાટવાથી સંધિવા મટે છે. (૬) સમાન ભાગે સુંઠ અને ગોખરુંનો ક્વાથ કરી રોજ સવારે પીવાથી સંધિવા મટે છે. (૭) વડનું દૂધ લગાડવાથી સંધિવાના સોજામાં આરામ થાય છે, અને દુ:ખાવો મટે છે. (૮) નગોડના પાનનો રસ અથવા ઉકાળો પીવાથી સંધિવા મટે છે. (૯) દરરોજ ૨૦૦-૨૫૦ ગ્રામ કાચી કોબીજ ખાવાથી સંધિવા મટે છે.
સાઈટિકા
(૧) ચારથી છ ચમચી દિવેલમાં એક ચમચી સુંઠનું ચૂર્ણ મેળવી પીવાથી સાઈટિકા મટે છે. (૨) એક ચમચી દિવેલમાં એક ચમચી નગોડના પાનનો રસ મેળવી સવાર-સાંજ પીવાથી સાયટિકા મટે છે. (3) ૨-૩ રતિ ભીમસેની કપુર દરરોજ સવાર, બપોર, સાંજ લેવાથી સાયટિકા મટે છે. શરૂઆત ઓછી માત્રાથી કરવી. વધુ માત્રાથી કરવાથી કદાચ ગળામાં તકલીફ પણ થાય. (૪) એક-બે ચમચા ગૌમૂત્રમાં બે મોટા ચમચા દિવેલ નાખી દરરોજ સવારે અને સાંજે પીવાથી સાઈટીકા મટે છે. ગૌમૂત્ર તૈયાર પેકીંગમાં બજારમાં મળે છે. સાઈટિકામાં પરહેજ બરફ, ઠંડુ પાણી, એકલું દૂધ, ચોખા, દહીં, ભીંડા, સકરટેટી, તરબૂચ, કમરખ, આલુ, પાલખ અને સંતરાં ન લેવાં. આ બધાંથી સાયટિકામાં ખૂબ જ હાનિ થાય છે. હંમેશાં ગરમ પાણીથી જ સ્નાન કરવું. માત્ર પરહેજીથી પણ સાયટિકા જેવા હઠીલા રોગને કાબૂમાં રાખી શકાય છે.
સાઈનસ સાઈનસ ભરાઈ ન જાય તે માટે અઠવાડિયામાં ચાર-પાંચ વાર ગરમ પાણીની વરાળનો નાસ લો
જ્યાં પાણી મળતું હોય ત્યાં તે બારે માસ લીલી મળે છે. સાટોડીને પાન ખૂબ થાય છે. તે ગોળાકાર, ઘાટાં લીલાં અને પાછળથી ઝાંખાં હોય છે. પાનના ખાંચામાંથી પુષ્પની દાંડી નીકળે છે. જેના ઉપર ઝીણાં, ફિક્કા ઘેરા રંગાનાં છત્રાકાર ફૂલો થાય છે. સાટોડી ગરમ છે. તે સોજો, કિડનીના રોગો અને આંખના રોગોમાં અદ્રુત કામ કરે છે. સાટોડીનાં તાજાં લીલાં પાનને ધોઈ, સાફ કરી વાડકીમાં પાણી સાથે ઉકાળી, ચોળી, ગાળીને ચાના કપ જેટલું સવાર-સાંજ પીવું જરૂર પડે તો વધારે વખત પણ પી શકાય. સાટોડી મૂત્રલ છે. લાંબા સમય સુધી સેવન કરવાથી બગડેલી કિડની(મૂત્રપિંડ) પણ સારી થઈ જાય છે. સાટોડીના પાનને ઘૂંટીને તેનો રસ પીવાથી ઉબકા આવી, ઉલટી થઈ જવાની સંભાવના રહે છે. તેને પાણીમાં ઉકાળી ગરમ ગરમ પીવાથી તે સુપાચ્ય બને છે અને ઉલટી પણ થતી નથી. સાટોડીના પાનનો રસ કાઢી તેનાં ટીપાં આંખમાં મૂકવાથી આંખના તમામ પ્રકારના નાના મોટા રોગ મટે છે અને આંખનું તેજ વધે છે. (૧) સોજાવાળા, પાંડુરોગી અને હૃદયરોગીઓએ રોજ સાટોડીની ભાજી ખાવી જોઈએ. (૨) સર્વાગ સોજામાં હૃદયની જેમ કીડની પણ બગડે છે. કીડનીની બીમારીમાં મૂત્રમાં આલ્બલ્યુમીન પણ જાય છે. નાની ઉમરનાં બાળકોમાં પણ આ રોગ જોવા મળે છે. એમાં સાટોડીનો ઉકાળો ખૂબ સારું પરિણામ આપે છે. આ વખતે મીઠું-નમક સાવ બંધ કરી દેવું. (3) ગર્ભાશયના સોજામાં પણ સાટોડીનો ઉપયોગ કરવાથી ઘણો જ લાભ થાય છે. (૪) માસિક સાફ લાવવામાં પણ ઉપયોગી છે. (પ) જો પેશાબ થોડા પ્રમાણમાં અને બળતરા સાથે થતો હોય તો રોજ સાટોડીના મૂળનું ચૂર્ણ અડધી ચમચી જેટલું દૂધ સાથે લેવું. (૬) પથરીમાં પણ આ ચૂર્ણ લેવાથી પથરી નાની હોય તો નીકળી જાય છે.
સાંધાનો દુ:ખાવો (૧) દરરોજ સવાર બપોર સાંજ ૧-૧ ગલાસ લીલી ચાનો ઉકાળો પીવાથી સાંધાનો દુ:ખાવો અચૂક નરમ પડવા લાગે છે. ઉનાળામાં દૂધ સાકર નાંખવું હોય તો નાંખી શકાય. (૨) દેવદારનો બારીક પાઉડર દરરોજ સવાર-સાંજ ૧૧ ચમચી મધ સાથે ઘણા દિવસો સુધી લેવાથી સાંધાનો દુ:ખાવો મટે છે. (3) દરરોજ જમવામાં કોલીફલાવરનું બને તેટલું વધુ સેવન કરવાથી સાંધાનો દુ:ખાવો મટે છે. સાંધાના દુ:ખાવામાં રક્ત અને મૂત્રમાં રહેલ દોષો કારણભૂત હોય છે, જે કોલીફલાવર ખાવાથી દૂર થાય છે. (૪) સૂકા ધાણામાં બમણી સાકર લઈ અધકચરું ખાંડી દરરોજ સવાર-સાંજ ૧-૧ મોટો ચમચો ચાવી ચાવીને ખાવાથી અને એ પછી એકાદ કલાક સુધી પાણી ન પીવાથી સાંધાના અમુક પ્રકારના દુઃખાવા મટે છે. (પ) અશોકવક્ષનાં પાન કે તેની છાલનો ઉકાળો નિયમિત પીવાથી સાંધાનો દુ:ખાવો મટે છે. (૬) હળદરના સૂકા ગાંઠિયા શેકી એટલા જ વજનના સંઠના ટૂકડા સાથે બારીક ખાંડી દરરોજ ૧-૧ ચમચી ચૂર્ણ સવાર-સાંજ પાણી સાથે લેવાથી સાંધાનો દુ:ખાવો મટે છે. (૭) રાસ્નાનો ઉકાળો કરી તેમાં ગ્રગોળ ઓગાળી સવાર-સાંજ ૧૦-૧૦ ગ્રામ પીવાથી સાંધાનો દુ:ખાવો મટે છે.
સુકલડી શરીર દુબળા અને સુકલકડી રહેવામાં જો કફ કે વાયુદોષ કારણભૂતહોય તો રોજ કાચા પાણીને સ્થાને પાકું ગરમ પાણી પીવાથી શરીરનું વજન વધે છે.
સુવાવડ સુવાવડ-પ્રસુતિ પહેલાં દિવેલ લેવાથી સુખેથી પ્રસુતિ થાય છે.સુવાવડમાં જો કબજિયાત, કટીશળ, અપચો વગેરે હોય તો બેત્રણ ચમચી દિવેલ રોજ રાત્ર લેવું
સુસ્તી આખો દિવસ સુસ્તી રહેતી હોય તો રોજ સવારે નાહવાના પાણીમાં ચપટી મીઠું નાખ્યા બાદ સ્નાન કરવું. મીઠું શરીરમાં રુધિરના પ્રવાહનો વેગ વધારવાની શક્તિ ધરાવે છે. જેના કારણે સ્કૂર્તિ અનુભવાય છે. પરંતુ હાઈ બ્લડપ્રેશરમાં આ પ્રયોગ ન કરવો.
સૂર્યાવર્ત દરરોજ સૂરજ ઊગે ત્યારથી આથમે ત્યાં સુધી મસ્તકની પીડાઉત્તરોત્તર વધતી રહે તેને સૂર્યાવર્ત કહે છે. દરરોજ વહેલી સવારે ઊઠીને તરત કોપરું અને સાકર ઉચિત પ્રમાણમાં ખાવાથી આ પીડામાંથી મુક્તિ મળી શકે.
સોજા (૧) આદુનો રસ, લીંબુનો રસ અને સિંધવ એકત્ર કરી ભોજનની શરૂઆતમાં લેવાથી સોજા મટે છે. (૨) મીઠું અને ખટાશ નાખ્યા વગરનું ગાજરનું શાક રોજ ખાવાથી અને ગળપણ ત્યજી દેવાથી સોજાના રોગીને બહુ ફાયદો થાય છે. (માત્ર ગાજરના રસ પર પણ રહી શકાય છે.) (3) સોજા પર તાંદળજાના પાનની પોટીસ બનાવી લેપ કરવાથી લોહી વીખરાઈ જઈ સોજો મટે છે. (૪) એક ચમચી લીડીપીપરનો પાઉડર મધ સાથે દિવસમાં બેત્રણ વાર લેવાથી શરીરે ચડેલ મેદસોજા ઝડપભેર ઊતરવા લાગે છે. (પ) ધાણાને જવના લોટની સાથે વાટી તેની પોટીસ બાંધવાથી ઘણા દિવસોનો સોજો ઉતરી જાય છે. (૬) મૂળા અને તલ ખાવાથી ચામડી નીચે એકત્ર થયેલું પાણી શોષાઈને સોજો મટે છે. (૭) મૂળાના પાનનો ૨૫પO ગ્રામ રસ પીવાથી સોજો જલદીથી ઉતરે છે. (૮) રાઈ અને સંચળ વાટીને લેપ કરવાથી સોજો ઉતરે છે. (૯) લવિંગ વાટી તેનો લેપ કરવાથી શરીરના કોઈ પણ ભાગમાં આવેલો સોજો ઊતરે છે. (૧૦) શરીરના સોજા વાળા ભાગ પર મુલતાની માટીનો રાત્રે લેપ કરી સવારે ઊઠી ધોઈ લેવાથી થોડા દિવસમાં સોજા ઉતરી જાય છે. (૧૧) પુનર્નવા એટલે સાટોડી, દારૂહળદર, હળદર, સુંઠ, હરડે, ગળો, ચિત્રક, ભારંગમળ અને દેવદાર સરખા ભાગે ખાંડી અધકચરો ભૂકો કરવો. બે ચમચી ભૂકો બે ગ્લાસ પાણીમાં એક કપ બા:િાકી રહે ત્યાં સુધી ઉકાળી, ગાળીને ઠંડુ કરી પંદરેક દિવસ સવાર-સાંજ પીવાથી હાથ-પગ અને પેટનો સોજો મટે છે. સમગ્ર શરીરમાં કે શરીરના કોઈ પણ ભાગમાં સોજો ચડયો હોય તેમાં આ ઉકાળો લાભપ્રદ છે. નમકમીઠું બંધ કરવું. આ ઉકાળામાં મુખ્ય ઔષધ સાટોડી એટલે પુનર્નવા છે, બાકીનાં આઠ એનાં સહાયક ઔષધ છે. આથી એને પુનર્નવાદિ કવાથ કહે છે. સાટોડી સોજાનું ઉત્તમ તેમ જ એટલું જ નિર્દોષ ઔષધ છે. (૧૨) શરીરમાં વિવિધ પ્રકારના નબળાઈના સોજામાં ગાજર બહુ અકસીર છે. દરરોજ દિવસમાં બે વખત ગાજરનો રસ ૨૫૦ ગ્રામ જેટલો નિયમિત લેવો. ગાજરનું કચુંબર અને હલવો પણ ખાઈ શકાય તેટલો દરરોજ લેવો. સોજા નબળાઈના પોષક તત્વોના અભાવે શરીરમાં આવેલા સોજા દિવસમાં ત્રણેક વખત એકેક કેળું ખાવાથી મટે છે.
સોરાયસીસ (૧) સોરાયસીસ જેવા ચામડીના રોગમાં પીપળાની છાલ એક અકસીર ઔષધ છે. પીપળાની છાલ સૂકવી તેનો પાઉડર કરી લેવો. અ:ા પાઉડર બજારમાં તૈયાર પણ મળી રહે છે. જો સોરાયસીસમાં ચામડી સૂકી રહેતી હોય તો પીપળાની છાલનો પાઉડર કોપરેલમાં મેળવીને લગાડો અને જો ચામડી ભીની રહેતી હોય તો પાઉડર ઉપરથી જ ભભરાવતા રહેવું દિવસમાં બે-ત્રણ વખત લગાડતા રહેવાથી ફાયદો થાય છે. (૨) સોરાયસીસ એ ત્વચાનો એક દારુણ વ્યાધિ છે. સમભાગે ટપૈન્ટાઈન અને કપુર લેવાં. ટર્પેન્ટાઈન ગરમ કરી તેમાં કપુર મેળવી શીશીમાં બંધ કરી રાખી મૂકવું. દરરોજ સવાર-સાંજ આ તેલ સોરાઈસીસવાળા ભાગ પર ઘસવું. સોરાઈસીસ માટે આ એક અદ્રુત દવા છે. (3) સરખા ભાગે આમલસાર ગંધક અને કૉસ્ટિક સોડામાં વાટેલી ખાંડ ભેળવી કાચની શીશીમાં ભરી રાખવાથી તે પ્રવાહી બની જાય છે. આ પ્રવાહી સોરાયસીસવાળા ભાગો પર થોડું થોડું દિવસમાં બે-ચાર વાર ધીરજ પૂર્વક લાંબા સમય સુધી ચોપડતા રહેવાથી સોરાઈસીસ મટે છે. (૪) સમાન ભાગે અરડૂસીના પાનનું ચૂર્ણ અને હળદરને ગૌમૂત્રમાં મેળવી દિવસમાં બે વખત લગાડવાથી સોરાયસીસની તકલીફ મટે છે. (પ) લીમડાનાં પાન જેટલી વાર અને જેટલાં ચાવીને ખવાય તેટલાં ખાતા રહેવાથી સોરાયસીસ મટે છે. (૬) મજીઠ, લીમડાનાં પાન, ચોપચીની, વાવડીંગ અને આમળાંનું સરખે ભાગે ચૂર્ણ એક એક ચમચી સવાર-સાંજ નિયમિત લેવાથી સોરાયસીસની બીમારી મટે છે.
સ્કૃતિ માટે સાંજે  વિટામિન 'સી' અને પીપરમીન્ટ ટી મધ, મોલાસીસ કે ગોળ સાથે. બીજે દિવસે સવlટે ઓરેન્જ અને લીંબુનો રસ પાણી સાથે અથવા લીંબુ અને મધ, મોલાસીસ કે ગોળ અને વિટામીન 'સી'. એકબે માઈલ ચાલવું. સવારે ભૂખ હોય તો માત્ર તાજો રસ કાઢીને પીવો. ગાજર અને સફરજન અથવા ગાજર, સફરજન અને બીટરૂટ અથવા સફરજન અને સેલરીનો રસ કાઢવો. વધુ ભૂખ હોય તો એકબે સફરજન ખાવાં. બપોરે સફરજન અને ઓરેન્જનો જ્યસ અથવા વિવિધ શાકભાજીનું કચુંબર, ફણગાવેલાં કઠોળ, થોડું ઓલિવ ઑઈલ અને લીંબુ, વિટામીન 'સી'. બપોટ પછી ફળ, શાકભાજીનો રસ અથવા હર્બલ ટી પીવી. સાંજે થોડા પ્રમાણમાં કચુંબર અથવા બાફેલાં શાકભાજી લો. રાતે  સૂતાં પહેલાં કેમોમાઈલ ટી પીઓ.
સ્મરણ  શક્તિ ડુંગળી ખાવાથી કંઠ-ગળું અને મોં ચીકાશ વગરનું બની સાફથાય છે, અને નિર્બળ બનેલા સ્નાયુઓ મજબૂત થાય છે. સમરણ શક્તિ વધે છે. ઈંડાંનું કૉલેસ્ટરોલ વૃદ્ધોની સ્મૃતિને લાભકારક હોય છે, એવું શ્રી. સીંગરે બર્કલે, કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં કરેલા સંશોધને પુરવાર કર્યું છે. બીજા શબ્દોમાં કહીએ તો વૃદ્ધોના શરીરમાં રહેલ કૉલેસ્ટરોલ તેમની સ્મરણ શક્તિ જાળવવા માટે સક્ષમ ન હતું,પરંતુ આહારમાં ઈડાં લઈ શરીરમાં ઉમેરેલું કૉલેસ્ટરોલ એ માટે સક્ષમ હતું.
(Singer's work at the University of California, Berkeley, has shown that the cholesterol in eggs improves memory in older people. In other Words, these elderly people's own cholesterol was insufficient to improve their memory, but added dietary cholesterol from eggs Was.)
સ્વપ્ન બિહામણાં દરરોજ રાત્ર સૂતી વખતે બ્રાહ્મીનું ચૂર્ણ દૂધ સાથે લેવાથી બિહામણાં- અમગળ સ્વપન આવતાં અટકે છે. બ્રાહ્મીનું ચૂર્ણ બજારમાં મળે છે.
સ્વપ્નદોષ શરીરની ખોટી ગરમીને કારણે જો સ્વપ્નદોષ થતો હોય તો રાત્રે સૂતી વખતે ઠંડા પાણીથી સ્નાન કરવું, અગર હાથ, પગ અને માથું ઠંડા પાણીથી ધોઈને સૂવું. રાત્રે ખોટા ઉજાગરા કદી ન કરવા. મોડામાં મોડું રાત્રે ૧૦ વાગ્ય સૂઈ જવું, મનમાં ખોટા વિચારો ન કરવા અને સાદી ખોરાક ખાવો. એક કપ દૂધ ગરમ કરી પછી તેમાં ૧ નાની ચમચી હળદર મેળવી સવાર-સાંજ પીવાથી સ્વપનદોષની ફરિયાદ મટે છે.
સ્વાદહીનતા ફૂદીનાની કાળા મરી સાથે ચટણી બનાવીને ખાવાથી સ્વાદહીનતા મટે છે.
હરસ (૧) મળમાર્ગ-ગુદામાં ચીરા પડયા હોય અને હરસ થયા હોય તેમણે થોડા દિવસ રાત્ર એક ચમચો દિવેલ દૂધમાં પીવું. (૨) સવારે પાકા કોઠાના ગર્ભ સાથે ગોળ તથા પાણી મેળવી શરબત બનાવી ૧૫ દિવસ સુધી પીવાથી હરસ નાબૂદ થાય છે. (3) હરસ થયા હોય તો બને તેટલું (રોગના પ્રમાણ મુજબ) લીલું અથવા સૂકું કોપરું ખાવું અને તાજા નાળિયેરનું પાણી (મળી શકે તો) દરરોજ ૧-૧ ગલાસ દિવસમાં બે ત્રણ વાર પીવું. અ:ાથી વગર દવાએ હરસ મટી જાય છે. (૪) લીમડાના કુમળાં પાનના રસનું પાંચ દિવસ સેવન કરવાથી કષ્ટદાયક મસાની પીડામાંથી મુક્ત થવાય છે. (પ) દોઢ-બે લીંબુનો રસ એનિમાના સાધનથી ગુદામાં લેવો. દસ પંદર સંકોચન કરી થોડી વાર સૂઈ રહેવું. પછી શૌચ જવું. આ પ્રયોગ ચાર પાંચ દિવસે એક વાર કરવો. ત્રણ વારના પ્રયોગથી જ હરસ-મસામાં લાભ થાય છે. સાથે હરડેના ચૂર્ણનું નિત્ય સેવન કરવું, તથા મસા પર દિવેલ લગાવવું. (૬) મસા પર લીમડાનું તેલ લગાડવાથી અને ચાર પાંચ ટીપાં દરરોજ પીવાથી લાભ થાય છે. (૭) લોહીવાળા મસા પર જીરુનો લેપ કરવાથી અને રોજ ધી, સાકર તથા જીરુ ખાવાથી અને ગરમ આહાર બંધ કરી દેવાથી લાભ થાય છે. (૮) હરસમાં લોહી પડતું હોય તો દાડમની છાલનું છાસ સાથે સેવન કરવું, (૯) વાયુથી ઉત્પન્ન થયેલા હરસમાં માખણ સાથેનો મઠો અને કફથી ઉત્પન્ન થયેલા હરસમાં માખણ કાઢેલો મઠો આપવો. મઠાના સેવનથી હરસનો નાશ થાય છે. (૧૦) નાની એલચી હરસ અને મૂત્રકૃચ્છ મટાડે છે. (૧૧) હરસમાં લોહી પડતું હોય તો ઘી અને તલ સરખે હિસ્સો લઈ થોડી સાકર મેળવી ખાવું. દિવસમાં ચારેક વખત આ પ્રયોગ નિયમિત કરવાથી હરસમાં પડતું લોહી તરત જ બંધ થાય છે. થોડા દિવસ પ્રયોગ ચાલુ રાખવાથી હરસની તકલીફમાંથી મુક્ત થવાય છે. (૧૨) હરસ-મસામાં સવાર-સાંજ માખણ સાથે રસોત લેવાથી આવશ્ય લાભ થાય છે. રસોત કરતાં માખણ દસગણું લેવું. (૧૩) દરરોજ બેત્રણ કલાકે એક મોટો ચમચો કાચી વરિયાળી ખૂબ ચાવીને ખાવાથી હરસની તકલીફ જડમૂળથી જતી રહે છે. (૧૪) ૧ તોલો કાળા તલનો કલ્ક કરી , ૧૦-૧૫ તોલા બકરીના દૂધમાં મેળવી ૧/૨ તોલો સાકર નાખી સવારમાં પીવાથી હરસમાં પડતું લોહી તરત જ બંધ થાય છે. (૧૫) કાળા તલ ખાઈ પાણી પીવાથી દૂઝતા હરસ નાશ પામે છે, દાંત મજબૂત થાય છે અને શરીર પુષ્ટ થાય છે. (૧૬) દહીંના ધોળવામાં હિંગ, જીરૂ તથા સિંધવ નાખી પીવાથી હરસ, અતિસાર અને પેઢાનું શૂળ મટે છે. (૧૭) ગાયનું માખણ અને તલ ખાવાથી હરસ મટે છે. (૧૮) રાત્રે ધાણા પાણીમાં પલાળી રાખી સવારે ગાળી તે પાણી પીવાથી અથવા કોથમીરનો રસ પીવાથી દૂઝતા હરસમાં ઝાડામાં પડતું લોહી બંધ થાય છે. (૧૯) ધાણા અને સાકરનો ઊકાળો કરી પીવાથી હરસમાં પડતું લોહી બંધ થાય છે. (૨૦) શેકેલું જીરું, મરી અને સિંધવનું ચૂર્ણ મઠા કે છાસમાં લેવાથી હરસ, અતિસાર અને ગ્રહણીમાં ફાયદો થાય છે. (૨૧) વડની છાલ, કૂણાં પાન કે કૂણી કુંપળોનો ઉકાળો પીવાથી દૂઝતા હરસમાં ફાયદો થાય છે. (૨૨) ગોટલીનું ચૂર્ણ મધ સાથે અ:ાપવાથી દૂઝતા અર્શ અને સફેદ પ્રદર મટે છે. (૨3) સૂરણના ટુકડા ઘીમાં તળી ખાવાથી હરસ મટે છે. (૨૪) સૂરણનો કંદસૂકવી બનાવેલું ચર્ણ ૩૨૦ ગ્રામ, ચિત્રક ૬૦ ગ્રામ અને મરી ૨૦ ગ્રામ એ સર્વનું ચૂર્ણ કરી તેનાથી બમણો ગોળ નાખી મોટા બોર જેવડી ગોળીઓ બનાવી ખાવાથી સર્વ પ્રકારના હરસ મટે છે. (૨૫) સંઠનું ચૂર્ણ છાસમાં પીવાથી હરસમાં ફાયદો થાય છે. (૨૬) હળદરનો ગાંઠિયો શેકી, તેનું ચૂર્ણ કરી, કુંવારના ગર્ભમાં મેળવીને સાત દિવસ સુધી ખાવાથી હરસમાં ફાયદો થાય છે. (૨૭) આમલીના ઝાડની છાલનું વસ્ત્રગાળ ચૂર્ણ ગાયના અધમળ્યા દહીં સાથે સવાર-સાંજ ખાવાથી દૂઝતા હરસ મટે છે. (૨૮) આંબાની ગોટલીનું ચૂર્ણ મધમાં અથવા સાદા હૂંફાળા પાણી કે મોળી છાસમાં લેવાથી દૂઝતા હરસ મટે છે. (૨૯) કારેલાંનો કે કારેલીના પાનનો એક નાની ચમચી જેટલો રસ સાકર મેળવી પીવાથી રક્તાર્શમાં ફાયદો થાય છે. (3O) કોકમનું ચૂર્ણ કે ચટણી દહીંની ઉપરની તર (મલાઈ)માં મેળવી ખાવાથી દૂઝતા હરસ મટે છે. (૩૧) ગરમાગરમ શેકેલા ચણા ખાવાથી દૂઝતા હરસનો રક્તસાવ બંધ થાય છે. (3ર) છાસમાં ઈંદ્રજવનું ચૂર્ણ મેળવી પીવાથી દૂઝતા હરસ મટે છે. (33) માખણ, નાગકેસર અને ખડી સાકર ખાવાથી દૂઝતા હરસમાં ફાયદો થાય છે. (૩૪) મીઠા લીમડાનાં પાનને પાણી સાથે પીસી, ગાળીને પીવાથી દૂઝતા હરસ મટે છે. (૩૫) હરસમાં લોહી પડતું હોય તો વડનાં સૂકાં પાનની રાખ માખણમાં કાલવી મળમાર્ગમાં લેપ કરવો. (39) 90 ગ્રામ અજમો 90 ગ્રામ જૂના ગોળમાં મેળવી, પીસી, તેમાંથી પ-પ ગ્રામ જેટલો સવાર-સાંજ લેવાથી વાયુના હરસ મટે છે. (૩૭) આમલીનાં ફૂલોનો રસ લેવાથી હરસ મટે છે. (૩૮) એક ચમચો કાળા તલ પાણીમાં પલાળી વાટી માખણ કે દહીંમાં મેળવી રોજ સવારે ખાવાથી હરસ મટે છે. (૩૯) જીરું વાટી લગદી કરી બાંધવાથી દૂઝતા હરસમાં પડતું લોહી બંધ થાય છે, બળતરા મટે છે અને બહાર નીકળેલા મસા અંદર જતા રહે છે. (૪૦) ડુંગળીનો રસ ૧૦ ગ્રામ, સાકર પ ગ્રામ અને ધી 3 ગ્રામ મેળવીને પીવાથી અને રોજ પેટ સાફ કરવા રાત્રે ઈસપગુલ સતત્વ લેવાથી હરસની બીમારી શાંત થાય છે. (૪૧) ડુંગળીના નાના નાના ટૂકડા કરી, તડકામાં સૂકવી, ૧૦ ગ્રામ જેટલા ધીમાં તળી, ૧ ગ્રામ કાળા તલ અને ૨૦ ગ્રામ સાકરનું ચૂર્ણ મેળવી રોજ સવારે ખાવાથી હરસ મટે છે. (૪૨) ડુંગળીની બારીક કાતરી કરી, દહીંમાં મેળવી, તેમાં જરૂર પ્રમાણે મીઠું મેળવી રોજ સવારે ખાવાથી દૂઝતા મસાનો રક્તસાવ બંધ થાય છે, શૌચશુદ્ધિ થાય છે અને રક્તાર્શ મટે છે. (૪૩) દાડમની છાલનું ચૂર્ણ નાગકેસર સાથે મેળવી લેવાથી હરસમાં પડતું લોહી બંધ થાય છે. (૪૪) દાડમનો રસ પીવાથી હરસમાં ફાયદો થાય છે. (૪૫) દુધીનાં પાનનો રસ કાઢી હરસ પર ચોપડવાથી લાભ થાય છે. (૪૬) ગાજરનું શાક ધી કે તેલમાં ચડવી દાડમનો રસ અને દહીં મેળવી ખાવાથી રક્તાર્શમાં ફાયદો થાય છે. (૪૭) મૂળાનાં પાન અને સફેદ કાંદી કાઢી નાખી, પાનની નીચેનો લીલો ભાગ લઈ, તેનો રસ કાઢી, તેમાં 9 ગ્રામ ઘી મેળવી રોજ સવારે પીવાથી રક્તાર્શ મટે છે. (૪૮) એક મોટા લીંબુના બે ટુકડા કરી બંને પર કાથો ભભરાવવો. પછી બંને ટુકડા એકબીજા સાથે દબાવીને આખી રાત મૂકી રાખવા. સવારે એ ટુકડા આખો દિવસ ચૂસતા રહેવું. થોડા દિવસ નિયમિત પ્રયોગ કરવાથી લોહી પડતા હરસ મટે છે. (૪૯) દરરોજ જમ્યા પછી ૧-૧ ચમચો લવણભાસ્કર ચૂર્ણ લેવાથી હરસ મટે છે. જેટલી વાર જમો તેટલી વાર લેવું (પO) સોપારી જેટલા ગોળ સાથે અડધી ચમચી હરડેનું ચૂર્ણ લેવાથી હરસ મટે છે. (પ૧) અખરોટના તેલમાં કાપડનો ટૂકડો બોળી સવાર-સાંજ હરસ પર બિછાવી દેવાથી હરસ મટે છે. (પર) દાડમનાં સૂકાં છોડાંનો ૧-૧ ચમચી પાઉડર દરરોજ પાણી સાથે લેવાથી હરસ મટે છે. (પ૩) અડધી ચમચી નાગકેસર, એક ચમચી ખડી સાકરનો પાઉડર, એક ચમચી માખણ અને એક ચમચી કાળા તલનું મિશ્રણ કરી રોજ રાતે જમ્યા પછી લેવાથી દૂઝતા હરસ મટે છે. (૫૪) કાળા તલનું પ્રચુર માત્રામાં સેવન કરવાથી હરસ મટે છે. (પાપ) હરસમાં લોહી પડતું હોય તો અંધેડાના બીને છાસમાં વાટી સેવન કરવાથી લોહી પડતું અટકે છે. (પડ) સૂંઠ, મરી, પીપર, કઠ, સિંધવ, જીરું, વજ, હિંગ, વાવડીંગ, હરડે, ચિત્રક અને અજમોદ દરેક સરખા વજને લઈ બારીકર્ષિ બનાવી એનાથી બમણા ગોળમાં મેળવી ચણાના દાણા જેવડી ગોળી બનાવવી. એને દુનીમકુઠારવટી કહે છે. (દુર્નામ એટલે હરસ અને કુઠાર એટલે કુહાડી- હરસ પર કુહાડી જેવી ઘાતક વટી.) આ વટીમાં જઠરાગિન પ્રદીપ્ત કરી આહારનું પાચન કરવાનો તથા કબજિયાત મટાડવાનો ઉત્તમ ગુણ રહેલો છે.
હર્નિયા (આંત્રવૃદ્ધિ) હર્નિયામાં ઓપરેશન પહેલાં દોઢેક માસ રોજ સવાર-સાંજ એક કપ દૂધમાં એક ચમચો એરંડિયું (દિવેલ) નાખી ઘૂંટડે ઘૂંટડે પીવાનો પ્રયોગ કરી જોવો. જો ફરક માલમ પડે તો પ્રયોગ જાળવી રાખવો અને કદાચ ઓપરેશન વગર રોગ મટે પણ.
હાથીપગુ (૧) સૂંઠને ગોમૂત્ર કે ગરમ પાણી સાથે રોજ ફાકવાથી હાથીપગાનો રોગ મટે છે. (૨) ગોમૂત્રમાં ગોળ અને હળદર મેળવી પીવાથી હાથીપગુ મટે છે.
હાસ્ય હસે તેનું ઘર વસે. ખડખડાટ હાસ્ય એ તંદુરસ્તી માટે અકસીર ઔષધ છે.હસવું દરેક વ્યક્તિને ગમે છે, પરંતુ આજુબાજુના વાતાવરણ અને સંજોગોને લીધે હસી શકાતું નથી. કહેવાય છે કે દરરોજનું 30 મિનિટ હસવાથી જીવનનાં 30 વર્ષવધી જાય છે. હૃદયરોગના નિષ્ણાત ડૉ. બિરેન નાયકના જણાવ્યા અનુસાર હૃદયરોગથી પીડાતી વ્યક્તિ માટે હાસ્ય એ અકસીર ટૉનિક છે, જે એકલા કે સમૂહમાં પણ કરી શકાય છે. તેનાથી હૃદયને કસરત મળતાં સ્નાયુઓમાં રક્તપ્રવાહ વેગીલો બને છે, અને દર્દીનું હૃદય પ્રકૃલ્લિત બની જાય છે. હાસ્યથી બ્લડપ્રેશર ઘટે છે. માનસિક તણાવથી હૃદયરોગની શકયતા રહે છે. હાસ્યથી માનસિક તણાવ ઓછો થાય છે, કૉલેસ્ટરોલ ઘટે છે. ડૉક્ટર કમલેશ રાજગોરના મતાનુસાર હાસ્યની મુખ્ય અસર ન્યુરોએન્ડીક્રાઈન સિસ્ટમ પર પડે છે. મગજના જે હોર્મોન્સ આળસ, થાક અને કંટાળો ઉત્પન્ન કરતા હોય છે તેમને દૂર કરી મગજને મૂળ અવસ્થામાં લાવી દે છે. ઘણી વાર વ્યક્તિ ઉપરછલ્લું હસી શકતી હોય છે પણ આંતરિકપણે હસી શકતી ન હોય એમ પણ બને. આાંતરિક શાંતિ મેળવવી હોય તો તંદુરસ્ત હાસ્ય જરૂરી છે. એક ગણતરી પ્રમાણે ગુજરાતમાં લાફીંગ મેમ્બરોની સંખ્યા 3૫,૦૦૦થી વધુ છે. એકલા અમદાવાદમાં ૮૦ વિસ્તારોમાં લાફીંગ ક્લબ ચાલી રહી છે, જેમાં સભ્યોની સંખ્યા ૧૦,૦૦૦ જેટલી થવા જાય છે. હસવાની ક્રિયા દિવસમાં કોઈપણ સમયે કરી શકાય.
હિસ્ટીરિયા આ સ્ત્રીઓમાં થતો જાતીય જીવન સાથે સંબંધ ધરાવતો એક વિચિત્ર રોગ છે. (૧) ખુરાસાની વજનો કપડછાન પાઉડર ૪ ગ્રામ જેટલો ઘી, માખણ કે મધ સાથે દિવસમાં ચાર વખત (દર ત્રણ કલાકે) ચાટી ઉપરથી સાકરવાળું દૂધ કે ખીર જેવી મીઠી વસ્તુ ધરાઈને ખાવી. હિસ્ટીરિયાનો રોગ આ પ્રયોગથી જડમૂળથી મટી શકે છે. (૨) ખજુરનો થોડા મહિના ખોરાક તરીકે ઉપયોગ કરવાથી વારંવાર મૂચછાં આવતી હોય તેવી સ્ત્રીઓનો હિસ્ટીરિયા મટે છે. (૩) નારંગીનાં ફૂલનો અર્ક પીવાથી સ્નાયુઓની દુર્બળતા અને હિસ્ટીરિયા જેવાં દર્દી દૂર થાય છે. (૪) સીતાફળીનાં પાનને પીસી રસ કાઢી નાકમાં ટીપાં પાડવાથી હિસ્ટીરિયાની મૂઅછાં દૂર થાય છે. (પ) લસણ પીસી સંઘાડવાથી હિસ્ટીરિયાની મૂચછાં મટે છે. (૬) હિસ્ટીરિયાની ફીટ વખતે કાપેલી ડુંગળી સુંઘાડવાથી ચમત્કારિક ફાયદો કરે છે. (૭) ડુંગળીના રસનાં ટીપાં નાકમાં પાડવાથી હિસ્ટીરિયા મટે છે. (૮) દિવસમાં ચારેક વખત (દર ત્રણ કલાકે) ગ્રગળની ધૂણી લેવાથી લાંબા સમયે હિસ્ટીરિયા મટે છે.
હૃદયરોગ હૃદયરોગમાં રાખવાની ખાસ સાવચેતી : હૃદયરોગીએતડકામાં બહુ ફરવું નહિ, વાસી કે બહુ જૂનાં શાકભાજી ખાવાં નહિ, ઉપવાસ ન કરવા, વધુ પડતો પરિશ્રમ ન કરવો, રાતે ઉજાગરા ન કરવા તથા મૈથુનપ્રયોગો બને તેટલા ઓછા રાખવા.(૧) રોજ બદામ, પિસ્તા, અખરોટ, અંજીર, શક્કરિયાં, તડબૂચ, કેળાં, પીચ, કાળી દ્રાક્ષ ખાવાથી તાંબુ મળે છે જે હૃદયનું રક્ષણ કરે છે. (૨) પાકા અનનાસના નાના નાના કકડા કરી રસ કાઢવો. રસથી બમણી ખાંડની ચાસણી બનાવી અનનાસનો રસ નાખી શરબત બનાવવું. આ શરબત હૃદયને બળ આપે છે. (3) વધુ પડતા ગુસ્સાથી હૃદયરોગની સંભાવના રહે છે. તેજ સ્વભાવ પક્ષાઘાત નોતરે છે. ગુસ્સાથી શરીરમાં ‘સી રિએક્ટીવ પ્રોટીન (CRP) નામના દ્રવ્યનું સર્જન થાય છે.CRP હૃદયરોગનું કુદરતી કારણ છે. (૪) હૃદયરોગનાં પરંપરાગત પરિબળોમાં મેદસ્વીપણું, ધુમ્રપાન, ડાયાબીટીસ, હાઈપરટેન્શન, હાઈ કૉલેસ્ટરોલ તથા અવ્યવસ્થિત જીવનશૈલીનો સમાવેશ થાય છે. આ બધાં પરિબળોથી શરીરમાં C R Pનું પ્રમાણ વધે છે. ગુસ્સાવાળો સ્વભાવ, આક્રમક વર્તન તથા હતાશાનાં લક્ષણોથી સ્વસ્થ જણાતા માનવીમાં C R Pનું ઊચું પ્રમાણ જોવા મળે છે, અને હૃદયરોગનો હુમલો થાય છે. હૃદયરોગનો હુમલો થવાના પ૦% કિસ્સામાં પરંપરાગત જોખમી પરિબળો જવાબદાર નથી હોતાં. (પ) લસણમાં તીવ્ર ગંધવાળું ઉડ્ડયનશીલ તેલ રહેલું છે, જે કીડનીને તેનું કાર્ય કરવામાં ઉત્તેજિત કરે છે. આથી મૂત્ર પ્રવૃત્તિ વધે છે. લસણના આ ઉત્તમ ગુણને લીધે સવાઁગ સોજા, કીડનીના રોગો, હૃદયના રોગો, પેટના રોગો, જળોદર વગેરે અનેક રોગોમાં ખૂબ જ હિતકારી છે. લસણ ઉદરસ્થ ગેસને ઓછો કરે છે, આથી હૃદય પરનું તીવ્ર દબાણ ઘટે છે. અરુચિ દૂર કરી ભૂખ લગાડે છે. હૃદય રોગીએ એક ચમચી તલના તેલમાં પાંચ લસણની કળી વાટી, થોડી ગરમ કરી જમતી વખતે ખાવી. અ:ા ઉપચારથી ભૂખ લાગશે, વાછુટ થશે અને પેટ હળવું થતાં જ હૃદયના દર્દીને અત્યંત રાહત થશે. (૬) નાળિયેર હૃદયરોગીને અત્યંત પથય છે. (૭) હૃદયરોગીને પ્રમાણસરનો દારૂ લાભ કરે છે. સાંકડી થઈ ગયેલી ધમનીના અપિરેશન પછી ફરીથી ધમની સાંકડી થવા માંડે છે. આલ્કોહોલ આ ઘટના અટકાવે છે. સપ્તાહમાં પO ગ્રામ આલકોહોલ એટલે કે એકાદ બોટલ વાઈન કે ૨.૫ લીટર બીઆર યોગ્ય પ્રમાણ ગણાય. (૮) પીપળાનાં સૂકાં ફળનો ૧-૧ ચમચી બારીક પાઉડર પાણી સાથે સવાર, બપોર, સાંજ લેવાથી હૃદયરોગ મટે છે. સહાયક ચિકિત્સા તરીકે આ પ્રયોગ કામ આવી શકે. (૯) દૂધી બાફી મીઠું કે બીજો કોઈ પણ તીવ્ર મસાલો નાખ્યા વગર ફક્ત ધાણા, જીરુ, હળદર અને કોથમીર નાખી હૃદયરોગીને આપવાથી તેને સારી પુષ્ટિ મળે છે. (૧૦) ૧૦ ગ્રામ દાડમનો રસ અને ૧૦ ગ્રામ સાકર મેળવી પીવાથી હૃદયને ફાયદો થાય છે અને છાતીનો દુ:ખાવો મટે છે. (૧૧) આદુનો રસ અને પાણી સરખે ભાગે પીવાથી હૃદયરોગ મટે છે. (૧૨) એલચીદાણા, પીપરીમળ અને પટોલપત્ર સરખે ભાગે લઈ ચૂર્ણ કરી એકથી ત્રણ ગ્રામ ઘી સાથે ચાટવાથી કફજન્ય હૃદયરોગ-હૃદયશળ મટે છે. (૧૩) એલચી અને પીપરીમળ સમભાગે ધી સાથે દરરોજ સવારે ચાટવાથી હૃદયરોગ મટે છે. (૧૪) કોળાનો અવલેહ (જુઓ અનુક્રમ) ખાવાથી હૃદયરોગ મટે છે. (૧૫) ટામેટાના રસમાં સાજડ- અર્જુનવક્ષની છાલ અને સાકર મેળવી ચાટણ બનાવી ખાવાથી હૃદયશળ તથા હૃદયરોગમાં ફાયદો થાય છે. (૧૬) પપૈયાનું શાક બનાવી ખાવાથી હૃદયરોગમાં ઘણો ફાયદો થાય છે. (૧૭) છોડને વળગેલા કાચા પપૈયાને અણીદાર સોયો ઘોંચી તેના દૂધનાં ૧૫-૨૦ ટીપાં 3 ગ્રામ ખાંડમાં નાખી શૌચાદિ ક્રિયા પતાવી ખાવાથી હૃદયરોગમાં ફાયદો થાય છે. (૧૮) પપૈયાના પાનની ચા બનાવી પીવાથી હૃદયરોગમાં ફાયદો થાય છે. (૧૯) લીલા નાળિયેરનો પાણી નાખ્યા વગર કાઢેલા પO ગ્રામ રસમાં હળદરનો શેકેલો ગાંઠિયો ઘસી, ૨૦ ગ્રામ ધી મેળવી પીવાથી હૃદયરોગ મટે છે (રO) ડાર્ક ચોકલેટ ખાવાથી હૃદયરોગમાં લાભ થાય છે. ચોકલેટમાં ફલેવોનોઈડ નામનું કુદરતી એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે કૉલેસ્ટરોલના ઘટક લીપોપ્રોટીનની નકારત્મક અસરોને અટકાવે છે. આથી ફલેવોનોઈડ રક્તવાહિનીઓને રક્ષણ આપી હૃદયરોગ, સ્ટ્રીક તથા આર્ટરીયોસ્કલેરોસીસને અટકાવે છે. હૃદયને લગતી આ બધી તકલીફો અવરોધાયેલી રક્તવાહિનીઓનું પરિણામ છે. સામાન્ય ચોકલેટમાં ફલેવોનોઈડ હોતું નથી. દૂધની બનાવટની ચોકલેટના બારમાં ૧૪ મિ.ગ્રા.થી ઓછું તથા ડાર્ક ચોકલેટ બારમાં સરેરાશ પ૩.૫ મિ.ગ્રા. ફલેવોનોઈડ હોય છે. (૨૧) અરડૂસીના આખા છોડને તેના ફૂલ સહિત સુકવીને બનાવેલું ચર્ણ સવાર, બપોર, સાંજ ૧-૧ ચમચી પાણી સાથે લેવાથી બ્લડપ્રેશર સહિત તમામ પ્રકારના હૃદયરોગોમાં અચૂક લાભ થાય છે. હૃદયરોગમાં અરડૂસી બહુ જ અકસીર છે. (૨૨) ચાર લવિંગ અને એક ચમચો સાકર વાટી એક ગ્લાસ પાણી સાથે લેવાથી હૃદયરોગમાં બહુ જ લાભ થાય છે. લવિંગ-સાકરનો પાઉડર બનાવી રાખી એક એક ચમચો સવાર-સાંજ પાણી સાથે લેતા રહેવાથી હૃદયરોગની સફળ સારવાર આપમેળે શકય બને છે. (૨3) રોજનો એક ગલાસ બીયર પીવાથી હૃદયરોગનું જોખમ ઘટે છે. બીયરમાં રહેલું એથેનોલ લોહીને પાતળું રાખી હૃદયને સુરક્ષિત રાખવામાં સહાયભૂત થાય છે. એકથી વધુ ગ્લાસ બીયર પીનારા લોકોમાં હૃદયરોગનું જોખમ ઘટતું નથી. (૨૪) જાંબુડી રંગની દ્રાક્ષમાં ભરપૂર એન્ટિઓક્સિડન્ટ હોય છે, આથી એનું સેવન હૃદયરોગ સામે રક્ષણ આપે છે. (૨૫)દરરોજ એક ગ્લાસ સફરજનનો રસ પીવાથી એમાં રહેલું એન્ટિઓક્સિડન્ટ હૃદયરોગનું જોખમ ઘટાડે છે. (૨૬) ૧૨૫ ગ્રામ દૂધમાં થોડું પાણી અને ૧૦ ગ્રામ અર્જુન છાલનું ચૂર્ણ નાખી ધીમા તાપે ઉકાળી ક્ષીરપાક બનાવી નિત્ય સેવન કરવાથી હૃદયરોગનો ભય રહેતો નથી. (૨૭) ગળો, સુંઠ, દેવદાર, ખાખરાનાં મૂળ અને એરંડમળ સમભાગે લઈ ઉકાળો કરી પીવાથી હૃદયશળ મટે છે. (૨૮) એક મોટી ચમચો સૂકી મેથી બે કપ પાણીમાં ખૂબ ઉકાળી બનાવેલા કડક ઉકાળામાં એક ચમચો મધ નાખી હૂંફાળું હૂંફાળું પીવાથી સઘળા હૃદયરોગમાં લાભ થાય છે. હૃદયરોગની અન્ય ચિકિત્સા સાથે સાથે સહાયક ચિકિત્સા તરીકે પણ આ ઉપચાર અજમાવી શકાય.
હાર્ટઅટેક એકાએક છાતીમાં દુ:ખાવો થાય અને તે હાથ તરફ અને જડબા સુધી પ્રવેશવાનો શરૂ થાય તો હાર્ટએટેકની શકયતા છે. હાર્ટએટેક વખતે મોટા ભાગના લોકો એકલા જ હોય છે. હૃદયના ધબકારા અનિયમિત થઈ જાય, તમર આવવાનાં હોય એવું લાગે, ગભરામણ થાય અને કોઈ મદદ ન મળી શકે ત્યારે બેહોશી પહેલાં માત્ર ૧૦ સેકન્ડ જ હોય છે. આ સંજોગોમાં ગભરાયા વિના ખૂબ જોરથી અને સતત ખાંસવાનું શરૂ કરી દો. દર વખતે ખાંસતાં પહેલાં ઊંડો શ્વાસ લેવો. ખાંસવાનું ઊંડું તથા લંબાણપૂર્વકનું હોવું જોઈએ. છાતીમાં ચોંટેલો કફ બહાર કાઢતી વખતે કરીએ છીએ તેમ. શ્વાસ લેવાનું અને ખાંસવાનું દર બે સેકન્ડે વારાફરતી થોભ્યા વિના મદદ આવી મળે કે હૃદય ફરીથી નિયમિત ધબકતું થયેલું લાગે ત્યાં સુધી કરવું. ઊંડા શ્વાસથી ફેફસામાં ઓક્સિજન પ્રવેશે છે અને ખાંસીનું હલન-ચલન હૃદયને સંકોચી લોહી ફરતું રાખે છે. વળી ખાંસીના સંકોચનથી હૃદય પર આવતું દબાણ એના સામાન્ય ધબકારા ફરીથી શરૂ કરવામાં મદદગાર થાય છે. આ રીતે હાર્ટએટેક થયેલ વ્યક્તિ હોસ્પીટલ પહોંચી શકે. - (રોચેસ્ટર જનરલ હૉસ્પીટલના જનલ નં. ૨૪૦માં પ્રગટ થયેલા ડૉ. પ્રફુલ્લ જાનીના નિબંધમાંથી.)
હેડકી (૧) હિંગ અને અડદનું ચૂર્ણ અંગારા પર નાખી મોંમાં ધૂણી લેવાથી હેડકી મટે છે. (૨) હેડકી વખતે એક નાની ચમચી જેટલું મરીનું ચૂર્ણ પાણી સાથે ફાકવું દિવસમાં બેત્રણ કલાકના અંતરે લેતા રહેવું. મરીના ચૂર્ણના બદલે મરી ચાવી ચાવીને ખાવામાં આવે તો પણ હેડકી મટી જાય છે. અથવા એક મરી ટાંકણીમાં ખોસી દીવાની જ્યોત ઉપર બાળી એ ધૂમાડાનો નાસ લેવાથી હેડકી મટે છે. રોગના પ્રમાણ મુજબ વધુ કે ઓછા પ્રમાણમાં ઉપચાર કરવો. (3) ગાયનું ઉકાળેલું દૂધ પીવાથી હેડકી મટે છે. (૪) ગાજરના રસનાં ચાર-પાંચ ટીપાં બંને નસકોરાંમાં નાખવાથી હેડકીમાં ફાયદો કરે છે. (૨) સૂકા મૂળાનો સહેજ ગરમ ઉકાળો પ૦-૧૦૦ ગ્રામ એકએક કલાકે પિવડાવવાથી હેડકી મટે છે. (પ) જાયફળ ચોખાના ધોવાણમાં ઘસીને પીવાથી હેડકી મટે છે. (૬) નાળિયેરના ઉપરનાં છોડાંને બાળી તેની રાખ મધમાં ચટાડવાથી હેડકી મટે છે. (૭) સરગવાનાં પાનનો રસ પીવાથી હેડકી મટે છે. (૮) સૂકા લીંબુની ૧.૫ ગ્રામ રાખ મધમાં મેળવી એક-એક કલાકે ચટાડતા રહેવાથી હેડકી બંધ થાય છે. (૯) સુંઠ-ગોળને ગરમ પાણીમાં મેળવી નાકમાં ટીપાં પાડવાથી હેડકી મટે છે. (૧૦) ચણાનાં ફોતરાં અથવા તેનાં પાનનો ભૂકો ચલમમાં ભરીને પીવાથી ઠંડી લાગવાથી કે આમાશયની વિકૃતિથી થયેલી હેડકી શાંત થાય છે. (૧૧) હિંગ અને અડદનું ચૂર્ણ અંગારા પર નાખી તેની ધૂણી મોંમાં લેવાથી હેડકી મટે છે. (૧૨) પાણીમાં સિંધવ નાખી ખૂબ હલાવી એ પાણીનું નસ્ય દર બે કલાકે અથવા દિવસમાં ઓછામાં ઓછું ત્રણ વખત દરરોજ લેવાથી હેડકી મટે છે. (૧૩) એક એક નાની ચમચી સિંધવ દર અડધા કલાકે પાણી સાથે ફાકવાથી હેડકી મટે છે. (૧૪) સૂકી હળદરના ટૂકડા ચલમમાં ભરી ધુમ્રપાન કરવાથી હેડકી મટે છે. (૧૫) જીભ નીચે એક ચમચી સાકર રાખવાથી હેડકી આવતી બંધ થાય છે.છે. સાકરના દાણા ગળાના પાછલા ભાગમાં આવેલી નસને ઉત્તેજિત કરતી હોવાથી આ નસ શરીરની અંદરથી આવતા સિગ્નલને રોકી દે છે, આથી હેડકી આવવી બંધ થઈ જાય છે. (૧૬) ઊડા શ્વાસના પ્રાણાયામ કરવાથી હેડકી મટે છે. પ્રાણાયામના પ્રયોગો હેડકી ઉપર સો ટકા અસર કરે છે. (૧૭) ૧૨ ગ્રામ સુંઠ, ૧૨ ગ્રામ મરી અને ૧.૫ ગ્રામ સિંધવના ચૂર્ણની 99 ગ્રામની ચાર પડીકી બનાવી હેડકીના રોગીને છાસ સાથે આપવાથી હેડકી બેસી જાય છે. (૧૮) નાળિયેરની ચોટલી અથવા મુંજ ચલમમાં પીવાથી હેડકી મટે છે.
હોઠ ફાટે હોઠ ફાટે તો રાતે સૂતાં પહેલાં હોઠ ઉપર એરંડિયું બરાબર ઘસીને સૂઈ જવાથી ધીમે ધીમે સારું થઈ જાય છે.
આયુર્વેદ વિષે મનમાં ઉઠતા પ્રશ્નો
દેશી ઔષધિઓથી લાભ લેવો
કહેવામાં આવે છે કે વનસ્પતિમાંથી બનેલી ઔષધિ ઘણી બીમારીઓને મટાડે છે. અમુક દેશી દવાઓ શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે. જ્યારે અમુક ઔષધિઓ અપચો દૂર કરે છે, ચેતાતંત્રને સામાન્ય બનાવે છે, પેટ ભારે થઈ ગયું હોય તો, એને નરમ બનાવે છે અને આપણી ગ્રંથિઓને બરાબર ચલાવે છે.
આ ઔષધિઓ ખાલી બીમારી જ મટાડતી નથી. એ પૌષ્ટિક તત્ત્વો પણ પૂરાં પાડે છે. દાખલા તરીકે, કેટલીક વનસ્પતિ પેશાબને લગતી તકલીફોને દૂર કરે છે. જેમ કે અજમાનો છોડ. આ મુત્રવર્ધક વનસ્પતિમાં પોટેશિયમનું પ્રમાણ ખૂબ હોય છે.* આપણે પેશાબ દ્વારા પોટેશિયમ ગુમાવી દઈએ છીએ ત્યારે, પુષ્કળ પોટેશિયમ ધરાવતી આ વનસ્પતિ એ ખોટ સરભર કરી દે છે. એ જ રીતે, વલીરિઅન નામની વનસ્પતિમાં (વલીરીયાના ઓફિસિનાલીસ) પણ પુષ્કળ કેલ્શિયમ હોય છે. આ વનસ્પતિ પીડાશામક તરીકે ઘણા સમયથી લોકો વાપરતા આવ્યા છે. વનસ્પતિમાં રહેલું કેલ્શિયમ ઉત્તેજિત ચેતાતંત્રને શાંત પાડીને, શામક દવાનું કામ કરે છે.
દેશી દવા કેવી રીતે લઈ શકાય?
વનસ્પતિમાંથી બનેલી દેશી દવા ઘણી રીતોએ લઈ શકાય છે. જેમ કે, ચા કે ઉકાળો અથવા કાવો બનાવીને, અથવા ટિંક્ચર કે મલમ રૂપે પણ એ લઈ શકાય છે. જડીબુટ્ટીઓ પર ઊકળતું પાણી નાખીને ચા બનાવાય છે. પરંતુ વૈદ્યો ખાસ સલાહ આપે છે કે હર્બલ ટી બનાવવા માટે સામાન્ય રીતે જડીબુટ્ટીને પાણીમાં ઉકાળવી ન જોઈએ. કાવો બનાવવા વનસ્પતિ ઔષધિના મૂળિયા અને વૃક્ષની છાલને પાણીમાં ઉકાળવામાં આવે છે જેથી, રોગ મટાડતું તત્ત્વ પાણીમાં સારી રીતે મળી જાય.
ટિંક્ચર કેવી રીતે બનાવાય છે? એક પુસ્તક કહે છે કે, “શુદ્ધ અથવા ડાઈલ્યુટેડ આલ્કોહોલ, બ્રાંડી અથવા વોડકા સાથે જડીબુટ્ટીમાંથી ઉપયોગી અર્કને કાઢીને મિશ્ર કરીને ટિંક્ચર બનાવાય છે.” મલમ બનાવવાની પણ ઘણી રીતો છે. સામાન્ય રીતે મલમ કોઈ રોગમાં કે શરીરમાં કોઈ જગ્યાએ પીડા થતી હોય ત્યારે લગાવવામાં આવે છે.
બીજી દવાઓ અને વિટામિન્સ સામાન્ય રીતે જમ્યા પછી લેવામાં આવે છે. જ્યારે દેશી દવાઓને ખાલી પેટે પણ લેવામાં આવે છે. કેમ કે એને એક પ્રકારનો ખોરાક જ ગણવામાં આવે છે. આ આયુર્વેદ દવા તમે કેપ્સ્યુલમાં પણ લઈ શકો. એ વધારે સહેલું છે અને તમારી જીભનો સ્વાદ પણ બગડતો નથી. તમે કોઈ પણ રીતે આ દેશી દવાઓથી ઉપચાર કરાવવા માંગતા હોય તો, એ ક્ષેત્રના ડૉક્ટરોની પહેલાં સલાહ લો. એમાં તમારું જ ભલું છે.
સામાન્ય રીતે, તાવ, પેટની કોઈ બીમારી, અનિદ્રા, કબજિયાત, ઊબકા કે ઊલટી થતી હોય ત્યારે, ગામઠી ઉપચાર તરીકે દેશી દવા કે ફાકી લેવાનું કહેવામાં આવે છે. જોકે, એનાથી પણ ગંભીર પરિસ્થિતિમાં અમુક વાર આ દેશી દવા કામ કરી જાય છે. એ ખાલી દરદ જ મટાડતું નથી, પરંતુ બીમાર પડતા પણ રોકે છે. દાખલા તરીકે, જર્મની અને ઑસ્ટ્રિયામાં કોઈને પ્રૉસ્ટેટીક હાયપરપ્લેશીઆ નામનો રોગ (જેમાં પ્રૉસ્ટેટ ગ્રન્થિ સૂજી જાય છે) થયો હોય તો, લોકો સૌથી પહેલાં પૅલમેટો (સેરેનોઆ રેપેન્સ) નામની જડીબુટ્ટી દવા આપે છે. કેટલાક દેશોમાં તો આ રોગથી ૫૦થી ૬૦ ટકા પુરુષો પીડાતા હોય છે. તોપણ, આ રીતે કોઈ સોજો થયો હોય તો, વધારે સારવાર કરાવવી પડશે કે કેમ, એ જાણવા ડૉક્ટર પાસે ચેકઅપ કરાવવું ખૂબ જરૂરી છે. કેમ કે, જો તમને કેન્સર હોય તો, વધારે સારવારની જરૂર પડી શકે.
આ ધ્યાનમાં રાખો
મોટા ભાગે લોકો એવું જ માને છે કે દેશી દવાઓ લેવામાં કોઈ જોખમ નથી. તોપણ, એ લેવામાં સાવચેતી રાખવી જ જોઈએ. ભલે કોઈ પણ વસ્તુ “કુદરતી” લેબલવાળી હોય તોપણ, ક્યારેય આંખો મીંચીને લેશો નહિ. એક એન્સાયક્લોપેડિયા દેશી ઔષધિ વિષે જણાવે છે: “એ જાણીને આઘાત લાગશે, પણ અમુક વનસ્પતિમાંથી બનાવેલી દવા એકદમ જોખમી હોય છે. . . . તોપણ, [દુઃખની વાત છે કે] અમુક લોકો આવી દેશી દવા લેવામાં જોખમ છે કે નહિ એનો જરાય વિચાર કરતા નથી.” દેશી દવાઓમાં રહેલા અમુક કેમિકલ્સ તમારા હૃદયના ધબકારા, બ્લડ પ્રેશર, અને ગ્લુકોઝના પ્રમાણને બદલી શકે છે. તેથી, જે લોકોને હૃદયને લગતી કોઈ બીમારી, હાઈ બ્લડ પ્રેશર, અથવા ડાયાબિટીસને લીધે લોહીમાં શર્કરાનું વધતું-ઘટતું પ્રમાણ હોય, તો તેઓએ કોઈ પણ દેશી દવા લેતા પહેલાં સાવચેતીના પગલાં લેવા જ જોઈએ.
તોપણ, એક વાત નોંધવા જેવી છે કે બીજી દવાઓ કરતાં આ દેશી દવાઓથી બહુ ઓછી આડઅસર થાય છે. એનાથી ફક્ત અમુક જ એલર્જી થતી હોય છે જેમ કે, માથાનો દુખાવો, ચક્કર આવવા, ઊલટી કે ઊબકા, અથવા ચામડી પર ખંજવાળ આવવી વગેરે. દેશી દવાઓ વિષે એમ પણ કહેવામાં આવે છે કે એ લેવાથી શરૂઆતમાં સાજા થતા ખૂબ પીડા થાય છે. એમાં તાવ આવવો કે એવા બીજા કોઈ લક્ષણો જોવા મળે છે, પણ એ ફક્ત થોડા જ સમય માટે હોય છે. જો તમે દેશી ઔષધિ લેતા હોવ તો, સાજા થતા પહેલાં તમારી હાલત વધારે બગડી હોય એવું લાગી શકે. ડૉક્ટરો કહે છે કે દેશી ઉપચારમાં શરૂઆતમાં આવી અસર થવી સામાન્ય છે. કેમ કે, તમે દેશી દવા લેતા હોવ ત્યારે, તમારા શરીરમાંથી લોહીનો વિકાર કરતી વસ્તુઓ કે બીજો બગાડ બહાર નીકળી જતો હોય છે, જેના કારણે તમને પીડા કે ઉપર બતાવેલા લક્ષણો જોવા મળે છે.
એ હકીકત છે કે અમુક લોકો કોઈ દેશી દવાઓ લેવાથી મરણ પામ્યા છે. એ બતાવે છે કે દેશી દવાઓ લેતા પહેલાં સાવચેત રહેવું, અને કોઈ અનુભવી કે ડૉક્ટરની સલાહ લેવી કેટલું મહત્ત્વનું છે. દાખલા તરીકે, ઈફેદ્રા નામની જડીબુટ્ટી સામાન્ય રીતે વજન ઓછું કરવા લેવામાં આવે છે. પણ એનાથી તમારું બ્લડ પ્રેશર ઊંચું જઈ શકે છે. યુનાઈટેડ સ્ટેટ્સમાં ૧૦૦ કરતાં વધારે મરણ ઈફેદ્રા જડીબુટ્ટી લેવાને કારણે થયાનો રિપોર્ટ મળ્યો છે. એ વિષે સાન ફ્રાન્સિસ્કોના પેથોલોજિસ્ટ સ્ટીવન કાર્ચ લખે છે: “હું એવા કેસ વિષે જાણું છું જ્યાં લોકો [ઇફેદ્રા લેવાને કારણે] મરણ પામ્યા છે, કે જેઓને હૃદયની ધમનીને લગતી ગંભીર બીમારી હતી, અથવા તેઓએ હદ ઉપરાંત એ ઔષધિ લીધી હતી.”
જડીબુટ્ટીઓ વિષેના એક પુસ્તકના લેખક, ડૉક્ટર લોગાન ચેમ્બરલેઈન દેશી દવાના પક્ષમાં કહે છે: “હાલના વર્ષોમાં દેશી દવાઓથી થતા નુકસાન વિષે જે રિપોર્ટ મળ્યા છે એ એવા દરદીઓના છે જેઓ દવા લેવા વિષેના માર્ગદર્શન પ્રમાણે ચાલ્યા ન હતા. . . . જો ભરોસાપાત્ર દેશી ઔષધિઓને સૂચવેલા પ્રમાણમાં લેવામાં આવે તો, એ એકદમ સુરક્ષિત અને પેઢીઓથી ચાલી આવતી રીત પ્રમાણે લાભકારી છે. જડીબુટ્ટીઓના કોઈ અનુભવી ડૉક્ટર સૂચવે નહિ ત્યાં સુધી આપેલ માર્ગદર્શન પ્રમાણે જ ચાલો, અને અતિશય વધારે કે ઓછી માત્રામાં દવા ન લો.”
બીજી એક આયુર્વેદ ડૉક્ટર, લીન્ડા પેજ સારી સલાહ આપે છે: “ભલે તમારી હાલત ગમે એટલી ખરાબ હોય, તોપણ દવા યોગ્ય પ્રમાણમાં જ લેવી જોઈએ. ક્યારેય જેમ તેમ દવા ન લો. સારી સારવાર સમય માંગી લે છે. અને એનાથી વધારે સારું પરિણામ મળે છે. તમે પહેલાં જેવા સાજા થઈ જાવ એ માટે સમય તો લાગશે જ.”
જડીબુટ્ટીનું એક પુસ્તક આમ કહે છે: કેટલીક ઔષધિમાં એવા ગુણ હોય છે કે જેના લીધે, તમે એને હદ ઉપરાંત લો તો, એ કોઈને કોઈ રીતે બહાર નીકળી જાય છે. દાખલા તરીકે, એક જડીબુટ્ટી શરીરને આરામ આપવા લેવામાં આવે છે. પણ જો તમે એને વધારે માત્રામાં લો તો, ઊલટી થઈને એ બહાર નીકળી જશે. જોકે, એનો અર્થ એ નથી કે તમે ઔષધિને ગમે તેમ લઈ લો. તમારે એને યોગ્ય માત્રામાં જ લેવી જોઈએ. અને એ પણ યાદ રાખો કે, બધી જ જડીબુટ્ટીમાં આવા ગુણ હોતા નથી.
તોપણ, ઘણા માને છે કે ઔષધિમાંથી પૂરેપૂરો લાભ લેવો હોય તો, એને યોગ્ય માત્રામાં અને આપેલી રીત પ્રમાણે જ લેવી જોઈએ. ઘણી વાર એમ કરવા માટે ફક્ત જડીબુટ્ટીનો રસ કે અર્ક કાઢીને લેવાની જરૂર પડે છે. મેડનહેર વૃક્ષમાંથી બનતી ગિંક્ગો બિલોબા નામની જડીબુટ્ટીમાં પણ એવું જ છે. ઘણા લોકો આ જડીબુટ્ટીને યાદશક્તિ વધારવા કે પછી, લોહીનું પરિભ્રમણ સારી રીતે થાય એ માટે લે છે. પરંતુ એનો એક અસરકારક ડોઝ લેવા માટે આ વૃક્ષના ઘણા કિલો પાંદડાંની જરૂર પડે છે.
દેશી દવાને બીજી દવા સાથે લેવાના જોખમો
જો ડૉક્ટરે સૂચવેલી દવાઓ સાથે તમે દેશી દવાઓ પણ લો તો, એની ઘણી રીતોએ આડઅસરો થઈ શકે છે. દાખલા તરીકે, દેશી દવાઓ બીજી દવાઓની અસર વધારી કે ઘટાડી શકે છે. એના કારણે આ બીજી દવાઓ તમારા શરીરમાંથી સામાન્ય કરતાં બહુ ઓછા સમયમાં બહાર નીકળી શકે છે. અથવા, એનાથી આડઅસરો થવાનું જોખમ વધી શકે છે. જર્મનીમાં કોઈ નિરાશા કે ડિપ્રેસનમાં ડૂબી ગયું હોય તો, ડૉક્ટરો સંત જોન વોર્ટ નામની દેશી દવા લખી આપે છે. પણ આ દેશી દવા બીજી ઘણી દવાઓની શરીર પર કોઈ અસર થવા દેતી નથી. એ સામાન્ય કરતાં બમણી ઝડપે શરીરમાંથી બીજી દવાઓને કાઢી નાખે છે અને આમ એની અસરકારકતાને એકદમ ઘટાડી દે છે. તેથી, જો તમે ડૉક્ટરે સૂચવેલી કોઈ દવા કે ગર્ભ-નિરોધક ગોળીઓ પણ લેતા હોવ તો, કોઈ પણ દેશી દવા લેતા પહેલાં તમારા ડૉક્ટરની સલાહ લો.
ગુણકારી દેશી દવા વિષેનું એક પુસ્તક જણાવે છે: “જો કોઈ વ્યક્તિ આલ્કોહોલ, મેરિજુઆના, કોકેઈન, કે પછી મગજને રિલેક્ષ કરી દેતા બીજા કોઈ ડ્રગ્સ અને તમાકુ સાથે દેશી દવા પણ લેવા લાગે તો, એ તેના માટે જીવલેણ બની શકે છે. . . . તેથી, તમારે આવા [કોઈ પણ નશીલા પદાર્થથી] દૂર રહેવું જોઈએ, ખાસ કરીને તમે બીમાર હોવ ત્યારે.” એ જ રીતે, ગર્ભવતી કે ધાવણા બાળકની માતાએ પણ આ સલાહને ખૂબ ગંભીરતાથી લેવી જોઈએ. જોકે, તમાકુ અથવા બીજા કોઈ પણ નશીલા પદાર્થની વાત આવે છે ત્યારે, ખ્રિસ્તીઓ બાઇબલની આ સલાહને પાળીને ઘણા જોખમોથી દૂર રહે છે: “આપણે દેહની તથા આત્માની સર્વ મલિનતાને દૂર કરીને પોતે શુદ્ધ થઈએ.”—૨ કોરીંથી ૭:૧.
દેશી દવા વિષે બીજું એક પુસ્તક સાવધાન કરતા કહે છે: “તમે કદાચ અમુક સમયથી દેશી દવા લેતા હશો. એવા સમયે ખબર પડે કે તમને ગર્ભ રહ્યો છે તો, તરત એ દવા લેવાનું બંધ કરો અને તમારા ડૉક્ટરની સલાહ લો. પછી જો ડૉક્ટર રજા આપે તો જ એ દવા ચાલુ રાખો. તમે કેટલા પ્રમાણમાં અને કેટલા સમયથી એ દવા લો છો એ પણ યાદ રાખવાનો પ્રયત્ન કરો.”
જડીબુટ્ટીઓ પર એક જ્ઞાનકોશ કહે છે: “તમે કોઈ ડૉક્ટરને પૂછ્યા વગર જાતે જ દેશી દવાથી પોતાનો ઇલાજ કરતા હોવ તો, એના ઘણાં જોખમો છે.” આ લેખમાં આપેલા બૉક્સ, “મન ફાવે તેમ દવા લેવાના જોખમો” નીચે તમને જોવા મળશે કે દેશી દવાઓ લેવામાં કેવા શક્ય જોખમો રહેલા છે.
તમે તાજામાજા અને તંદુરસ્ત રહેવા બીજી દવા લો છો એ જ રીતે, દેશી દવા પણ ખૂબ સમજી વિચારીને લેવી જોઈએ. તમારે પૂરતી જાણકારી લઈને જ એનો ઉપયોગ કરવો જોઈએ. અને હા, તમારે એને યોગ્ય પ્રમાણમાં જ લેવી જોઈએ. એ પણ ભૂલશો નહિ, કે હાલમાં અમુક બીમારીનો કોઈ જ ઇલાજ નથી. પરંતુ, સાચા ખ્રિસ્તીઓ પાસે આશાનું એક કિરણ છે. તેઓ એ સમયની આતુરતાથી રાહ જુએ છે જ્યારે, બીમારી અને મરણના મૂળ કારણને હંમેશ માટે મિટાવી દેવામાં આવશે. એ આપણા પ્રથમ માબાપ પાસેથી આપણને વારસામાં મળેલી અપૂર્ણતા છે. આપણા પરમદયાળુ પરમેશ્વરનું રાજ આવશે ત્યારે, તે આપણી અપૂર્ણતાનું નામનિશાન મિટાવી દેશે
સારાંશ :
જૂના જમાનાથી લોકો વનસ્પતિ ઔષધિ કે જડીબુટ્ટીથી બીમારીનો ઇલાજ કરતા આવ્યા છે. એબર પપાયરસ ગ્રંથની જ વાત કરો. એ ગ્રંથ ઇજિપ્તમાં આશરે ઈસવીસન પૂર્વે ૧૬મી સદીમાં તૈયાર કરવામાં આવ્યો હતો. એમાં દેશી દવાઓથી અનેક બીમારીઓનો ઉપચાર બતાવતી આશરે ૭૦૦ જેટલી રીતો લખેલી છે. જોકે, મોટા ભાગના દેશી ઉપચારોનો કોઈ રેકોર્ડ નથી, એ બાપદાદાઓ પેઢીઓથી પોતાના સંતાનોને કહેતા આવ્યા છે.
એમ લાગે છે કે પશ્ચિમના દેશોમાં જડીબુટ્ટીઓથી ઇલાજ કરવાની શરૂઆત પહેલી સદીમાં ગ્રીક ચિકિત્સક, ડાયોસ્કોરીડેસે કરી હતી. તેમણે ડી મેટેરિયા મેડિકા નામનો ઔષધવિદ્યાનો ગ્રંથ લખ્યો હતો. એ ગ્રંથ પછીના ૧,૬૦૦ વર્ષ સુધી, દવાઓ તૈયાર કરવામાં ખૂબ મહત્ત્વનો સાબિત થયો. હવે તો દુનિયાના ઘણા દેશોમાં બાપદાદાઓથી ચાલ્યા આવતા દેશી ઉપચારો ખૂબ જ લોકપ્રિય થવા લાગ્યા છે. જર્મનીમાં તો, ત્યાંનું હેલ્થ ડિપાર્ટમેન્ટ દેશી દવાઓનો ખર્ચ ભોગવવા પણ તૈયાર છે.
લોકોમાં એક સામાન્ય માન્યતા છે કે ઘરે ઘરે જાણીતી દેશી દવાઓ આજની નવી નવી દવાઓ કરતાં ખૂબ જ સુરક્ષિત છે. પણ યાદ રાખો, દેશી દવાઓથી પણ તમને અમુક નુકસાન થઈ શકે છે. તેથી, સવાલ થાય છે કે, જો દેશી ઉપચારથી કોઈ બીમારીનો ઇલાજ કરાવવો હોય તો, શું ધ્યાનમાં રાખવું જોઈએ? અને જુદા જુદા ઉપચારો કરાવવા કરતાં જો એક જ જાતની દવા લેવામાં આવે તો, એનાથી ફાયદો થશે કે કેમ?*
 
મુખ્યસ્ત્રોત :
 
તમારા સૂચનો આપો
(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

No comments:

Post a Comment